વિકિપીડિયા guwiki https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.25 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk સુંદરમ્ 0 4686 827279 824524 2022-08-19T05:51:43Z 2409:4041:6E3E:563D:0:0:B6C9:F105 Shen wikitext text/x-wiki {{Infobox writer | name = ત્રિભુવનદસ લુહાર | image = | imagesize = | birth_name = ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર | birth_date = {{birth date|df=yes|1908|03|22}} | birth_place = [[ભરુચ]], ભરૂચનું મિયાંમાતર ગામ , ભારત | death_date = {{death date and age|df=yes|1991|01|13|1908|03|22}} | death_place = | occupation = લેખક | nationality = ભારત | alma_mater = | period = | genre = કવિતા, ટૂંકી વાર્તાઓ, વિવેચન | subject = | movement = | notableworks = | spouse = | influences = | influenced = | awards = [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] | signature = | website = {{Official website}} }} '''ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર''', જેઓ તેમના ઉપનામ '''સુન્દરમ્''' થી વધુ જાણીતા હતા (૨૨ માર્ચ ૧૯૦૮ - ૧૩ જાન્યુઆરી ૧૯૯૧), ગુજરાતી ભાષાના કવિ અને લેખક હતા. == જીવન == [[File:Gujarati Vishwakosh38.jpg|thumb|મધ્યમાં સુન્દરમ્, ડાબેથી બીજા ક્રમે [[જયભિખ્ખુ]] અને જમણેથી બીજા ક્રમે [[ધીરુભાઈ ઠાકર]]|300px]] તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ ભરુચ જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ [[આમોદ]] ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં આવેલી [[છોટુભાઈ પુરાણી]]ની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો. ૧૯૨૯માં તેમણે [[ગુજરાત વિદ્યાપીઠ]] ખાતેથી ''ભાષાવિષારદ'' તરીકે સ્નાતકની પદવી મેળવી અને [[સોનગઢ]]માં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરુ કર્યું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી સંકળાયેલા હતા. ૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને [[પોંડિચેરી]] ખાતે સ્થાયી થયા. ૧૯૭૦માં તેઓ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ થયું હતું.<ref name="Lal2006">{{cite book|author=Mohan Lal|title=The Encyclopaedia of Indian Literature (Volume Five (Sasay To Zorgot)|url=http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4227|date=૧ જાન્યુઆરી ૨૦૦૬|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|pages=૪૨૨૭-૪૨૨૮}}</ref><ref name="Chokshi991">{{cite book|author1=U. M. Chokshi|author2=M. R. Trivedi|title=Gujarat State Gazetteer|url=http://books.google.com/books?id=wKLiAAAAMAAJ|year=૧૯૯૧|publisher=Director, Government Print., Stationery and Publications, Gujarat State|pages=૪૦૫-૪૧૦}}</ref><ref name=a>{{cite book|title=Selected Stories from Gujarat|url=http://books.google.com/books?id=5ghkJaKIVTsC&pg=PT12|date=૧ જાન્યુઆરી ૨૦૦૨|publisher=Jaico Publishing House|isbn=978-81-7224-955-7|pages=૧૨–૧૩}}</ref><ref name="gsp">{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html|title=Tribhuvandas Luhar 'Sundaram'|last=|first=|date=|publisher=|language=|access-date= ૧૭ ઓક્ટોબર ૨૦૧૪|work=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]}}</ref> == સર્જન == [[File:Kavishri Sundaram Chowk.jpg|thumb|[[અમદાવાદ]]માં આવેલ કવિશ્રી સુન્દરમ્ ચૉક]] તેમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમની કવિતા અને ગદ્ય બંને કલ્પનાશક્તિ, ઊંડાણ અને તેજસ્વીતાનો પરિચય આપતા હતા. તેમનું સર્જન આધ્યાત્મિક તેમજ સામાજીક તત્વો ધરાવતું હતું. તેમણે વિવિધ ફિલસૂફીના તબક્કાઓમાં સર્જન કર્યું હતું જેમાં, આધુનિકતાવાદ, સામાજીકતા, ગાંધી ફિલસૂફી અને અરવિંદની સ્વંયઅહેસાસની ફિલસૂફીનો સમાવેશ થાય છે.<ref name="Lal2006"/><ref name=a/><ref name=gsp/><ref name="NatarajanNelson1996">{{cite book|author1=Nalini Natarajan|author2=Emmanuel Sampath Nelson|title=Handbook of Twentieth-century Literatures of India|url=http://books.google.com/books?id=1lTnv6o-d_oC&pg=PA115|date=૧ જાન્યુઆરી ૧૯૯૬|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-28778-7|page=૧૧૫}}</ref> === કવિતા === તેમણે ૧૯૨૬માં ઉપનામો '''મરિચી''' અને ''એકાંશ દે'' હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે '''વિશ્વકર્મા''' ઉપનામ અપનાવ્યું. તેમણે તેમની કવિતા ''બાર્ડોલિન'' ૧૯૨૮માં '''સુંદરમ્''' ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/> ''કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'' (૧૯૩૩) તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ ''કાવ્યમંગલા'' (૧૯૩૩) પ્રગટ થયો. તેમણે અન્ય સંગ્રહ ''વસુધા'' (૧૯૩૯) અને બાળ કાવ્ય સંગ્રહ ''રંગ રંગ વાદળિયાં'' (૧૯૩૯) પ્રકાશિત કર્યો. ''યાત્રા'' (૧૯૫૧) સંગ્રહ અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત હતો.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/><ref name="Das1991">{{cite book|author=Sisir Kumar Das|title=History of Indian Literature: 1911–1956, struggle for freedom : triumph and tragedy|url=http://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA210|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|isbn=978-81-7201-798-9|page=૨૧૦}}</ref> === ટૂંકી વાર્તાઓ === '''ત્રિશુળ''' ઉપનામ હેઠળ તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. ''હીરાકણી અને બીજી વાતો'' (૧૯૩૮), ''પિયાસી'' (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫, ''ખોલકી અને નાગરિકા'' હેઠળ વધુ વાર્તાઓ સાથે પુન:પ્રકાશિત), ''તરિણી'' (૧૯૭૮), ''પાવકના પંથે '' (૧૯૭૮) તેમના વાર્તા સંગ્રહો છે.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> === વિવેચન === ''અર્વાચીન કવિતા'' (૧૯૪૬) તેમનો ૧૮૪૫ થી ૧૯૩૦ સુધીની ગુજરાતી કવિતાનું વિવેચન છે. ''અવલોકન'' તેમના વિવેચનનું અન્ય પુસ્તક છે જ્યારે ''સાહિત્ય ચિંતન'' (૧૯૭૮) સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોના લેખોનો સંગ્રહ છે.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> === અન્ય === ''વાસંતી પૂર્ણિમા'' (૧૯૭૭) એકાંકી નાટકોનો સંગ્રહ છે. ''દક્ષિણાયન'' (૧૯૪૨) તેમના દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન છે. ''ચિંદંબરા'' તેમની યાદોનો નિબંધ સંગ્રહ છે જ્યારે ''સમરચના'' તેમના જીવન વિષેના લેખોનો સંગ્રહ છે. તેમણે ''સા વિદ્યા'' (૧૯૭૮) નિબંધ સંગ્રહ પણ લખ્યો છે. ''શ્રી અરવિંદ મહાયોગી'' (૧૯૫૦) શ્રી અરવિંદનું ટૂંકુ જીવનવૃત્તાંત છે. તેમણે અનેક સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ''ભગવદજ્જુકીયમ્'' (૧૯૪૦), ''મૃચ્છકટિકા'' (૧૯૪૪), ''કાયા પલટ'' (૧૯૬૧), ''જનતા અને જન'' (૧૯૬૫), ''ઐસી હૈ જિંદગી'' અને અરવિંદના ધ મધર ના કેટલાક કેટલાંક લખાણોનો સમાવેશ થાય છે.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામયિકો ''દક્ષિણા'' (ત્રિમાસિક) અને ''બાલદક્ષિણા''નું સંપાદન કર્યું હતું.<ref name="Lal2006"/><ref name=a/><ref name=gsp/> * કાવ્યમંગલા * કોયાભગતની કડવી વાણી * ગરીબોના ગીત * વસુધા * રંગરંગ વાદળીયા * યાત્રા * મુદિતા * વરદા * ઉત્કંઠા * હીરાકણી અને બીજી વાતો * પ્યાસી * તારિણી * ખોલકી અને નાગરિકા * ઉન્નયન * અર્વાચીન કવિતા * અવલોકના વગેરે == પુરસ્કારો == ૧૯૩૪માં તેમને ''કાવ્યમંગલા'' માટે [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] મળ્યો હતો. ૧૯૫૫માં તેમના કવિતા સંગ્રહ ''યાત્રા'' માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૬માં વિવેચન માટે મહિડા પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૮માં તેમના વિવેચન પરના સર્જન ''અવલોકન'' માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૮૫માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર [[પદ્મભૂષણ]] એનાયત કરવામાં આવ્યો હતો.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> == સંદર્ભ == {{Reflist}} <!-- '''સુંદરમ્''' એ ગુજરાતી સાહિત્યનું એક જાણીતુ નામ છે. એમનું આખું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર હતું. તેઓ ગાંધીઆશ્રમમાં એમને મળેલા હુલામણા નામ ''બાલાસુંદરમ્'' શબ્દમાંથી પાછલો ટુકડો સુંદરમ્ ઉપનામ (તખલ્લુસ) તરીકે સ્વીકાર્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના કવિ છે. [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]ના [[જંબુસર|જંબુસર તાલુકા]]નાં [[મિંયામાતર]] ગામે [[માર્ચ ૨૨|૨૨ માર્ચ]] ૧૯૦૮ના રોજ પુરુષોત્તમદાસ લુહારને ઘેર જન્મેલા કવિશ્રી સુંદરમે 'કોયા ભગતની કડવી વાણી', 'કાવ્યમંગલા', 'યાત્રા', 'વસુધા' વગેરે તેમના કાવ્યસંગ્રહો છે, જે પૈકીના કાવ્યમંગલા માટે એમને [[રણજીતરામ સુવર્ણચંદ્રક]] પણ પ્રાપ્ત થયો હતો. તેઓનું અન્ય એક ઉપનામ 'કોયા ભગત' પણ હતું. == અભ્યાસ == * પ્રાથમિક – મિયામાતર ગામમાં સાત ધોરણ સુધી * માધ્યમિક – [[આમોદ]] તથા [[ભરૂચ]]માં. * ૧૯૨૫-૨૯ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ” == વ્યવસાય == * શિક્ષણ અને અધ્યાપન * ૧૯૨૯ - સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક * ૧૯૩૪ - અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક * શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધન == જીવન ઝરમર == * ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક * સુંદરમ્ - ઉમાશંકરની જોડી ગણાતી * અભ્યાસ [[છોટુભાઈ પુરાણી]]ની આમોદની શાળામાં * ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી * ‘સાબરમતી’ ના તંત્રી * ૧૯૬૯- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ * ૧૯૪૫ - શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા * અરવિંદ આશ્રમ - પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી * યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું - ૧૯૩૯ ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ! શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ - ૧૯૬૭ ] સમર્પિત થઇ == મુખ્ય રચનાઓ == * કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, * બાલ કાવ્યો - રંગ રંગ વાદળિયાં * નવલકથા - પાવકના પંથે * વાર્તાસંગ્રહો - હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી * ચરિત્ર - શ્રી અરવિંદ મહાયોગી * નિબંધ - ચિદંબરા, સા વિદ્યા * પ્રવાસ - દક્ષિણાયન * નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા * વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન * અનુવાદ - **આશ્રમ જીવન પહેલાં - ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ ** શ્રી. અરવિંદ ઘોષ - મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયઘડી, વિદેહીઓના વાર્તાલાપો ** માતાજી - ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક == સન્માન == * ૧૯૩૪- [[રણજિતરામ સુવર્ણ ચન્દ્રક]] * ૧૯૪૬- મહીડા પારિતિષિક * ૧૯૫૫ - નર્મદ સુવર્ણ ચન્દ્રક * ૧૯૬૮- [[સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી|સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર]] * ૧૯૮૭ - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન == સવિશેષ પરિચય == '''લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ (૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક.''' જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત. એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે. ‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. ‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી વાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે. સુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. ‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે. ‘વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે અનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે. ‘પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે. ‘દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ‘ચિદંબરા’ (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. ‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ (૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે. '''કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) :''' સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. '''કાવ્યમંગલા (૧૯૩૩) :''' સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. '''વસુધા (૧૯૩૯) :''' ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે. '''યાત્રા (૧૯૫૧) :''' સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે. '''પિયાસી (૧૯૪૦) :''' સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા સાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની સામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''ઉન્નયન (૧૯૪૫) :''' સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે સમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''અર્વાચીન કવિતા (૧૯૪૬) :''' ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''અવલોકના (૧૯૬૫) :''' ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે. ગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે. તેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો વ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક પ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની આત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે. '''કવિજીવન અને વ્યક્તિત્વ ઘડતર''' ગાંધીયુગના અગ્રણી કવિ, ટૂંકી વાર્તાઓના મર્મસ્પર્શી લેખક, સમર્થ વિવેચક અને પૂર્ણયોગના સાધક એમ વિવિધ રીતે સુન્દરમ્ નું નામ પ્રસિધ્ધ છે. કાનમ નામે ઓળખાતા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર નામના નાનકડા ગામમાં શ્રમજીવી પિતાને ત્યાં ઇ.સ.૧૯૦૮ માં ત્રિભુવનનો જન્મ થયો હતો. કુટુંબ અને ગામમાંથી મળેલા ભક્તિ અને પરિશ્રમના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શિક્ષણ મિયાંમાતરમાં જ લીધું. ગુજરાત પ્રસિધ્ધ વ્યાયામના ભેખધારી શ્રી છોટુભાઈ પુરાણીની ભરુચની રાષ્ટ્રીય શાળામાં જીવનદીક્ષા અને કાવ્યદીક્ષા માટે તૈયારી કરી. ભરૂચ છોડી અમદાવાદ આવી પહોંચે તે પહેલા તો આ કિશોર ત્રિભુવને અમદાવાદની સાહિત્યસભા તરફથી સાહિત્યની પરીક્ષા ઉતીર્ણ કરી. અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત વિધાપીઠમાં દાખલ થયા ત્યારે કવિ અધ્યાપક રામનારાયણ પાઠક પાસે છંદ અને ભાષાસાહિત્યનો અભ્યાસ કરવાની તક તેમને મળી. વિદ્યાપીઠમાંથી પ્રગટ થતાં 'સાબરમતી' ના તેઓ તંત્રી બન્યા. તેમાં ઉત્તમ લેખ લખવા બદલ તેમને ગાંધીજીના હસ્તે 'તારાગૌરી રૌપ્યચંદ્રક' મળ્યો હતો. '''ગદ્યકાર સુન્દરમ્''' કવિ સુન્દરમ્ અને ગદ્યકાર સુન્દરમ્ મળીને એક ઊંચી કોટિના સર્જક સુન્દરમ્ નો પરિચય તેમની સાહિત્ય રચનાઓમાંથી મળી રહે છે. નવલિકા, પ્રવાસ, અનુવાદ, સાહિત્યિક લેખો, ચરિત્ર, વિવેચન એમ ઘણાં સ્વરુપોમાં તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. ટૂંકી વાર્તા હોય કે પ્રવાસકૃતિ હોય, સુન્દરમ્ નું ગદ્ય પ્રાસાદિક શૈલીમાં વિહરે છે. સ્નાતક થયાં તે પહેલા તેમણે 'સાબરમતી' માં વર્ષભરનો શ્રેષ્ઠ લેખ લખ્યો હતો. ઇ.સ.૧૯૪૭ થી 'દક્ષિણા'ના તંત્રિ તરીકે પણ તેમણે ગુજરાતી ગદ્યને બળ અને ઓજસ આપ્યા. તેમના ગદ્યની પ્રાસાદિકતા અને રસાળતાનો સુખદ અનુભવ આપણને તેમના 'તપોગિરિની આનંદયાત્રા' વ્યાખ્યાનમાં થાય છે. કવિતાની જેમ ગદ્યમાં પણ સર્જક સુન્દરમ્ ની આગવી મુદ્રા પ્રગટે છે. વિવેચનમાં વિવેચ્ય પદાર્થકૃતિ પરની તેમની પકડ, વિષયને પૂરેપૂરી પામી જતી બુદ્ધિની તીક્ષ્ણતા અને વિચારની મૌલિકતા જોવા મળે છે. સુન્દરમ્ નું ગદ્ય ઘૂંટાયેલુ, સત્વપૂર્ણ અને સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના સંસ્કારવાળું હોય છે. તેને તત્વ, તર્ક અને લાગણીનો સ્પર્શ અચૂક લાગેલો હોય છે. સ્વાભાવિક પ્રસાદ અને માધુર્યથી મંડિત હોઇ સુન્દરમ્ નું ગદ્ય રોચક હોય છે. તેથી ગાંધીયુગના ગદ્યના વિશિષ્ટ આવિષ્કારરૂપે સ્મરણીય છે. '''સુન્દરમ્ નું જીવન''' ઇ.સ.૧૯૪૬ માં તેઓ પોંડિચેરી ગયા અને શ્રી અરવિંદ તેમજ માતાજીના સાનિધ્યમાં આશ્રમવાસી બનીને વસ્યાં. મૃત્યુપર્યંત પોતાનું જીવન અને સર્જન શ્રી અરવિંદ અને માતાજીને સમર્પિત કરી દીધું. તેમણે નવલિકાઓ અને એકાંકીઓ પણ આપ્યા હતાં. ગુજરાતથી દૂર રહીને પણ તેમણે સતત સાહિત્યસર્જન કરવાનું ચાલુ રાખ્યું હતું. '''સુન્દરમ્ ના પુરસ્કારો''' ઇ.સ.૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ.૧૯૪૬ માં 'અર્વાચીન કવિતા' વિવેચનગ્રંથ માટે મહીડા પારિતોષિક, ઇ.સ.૧૯૫૫ માં 'યાત્રા' કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૫૯ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના સાહિત્ય વિભાગનું પ્રમુખપદ અને ઇ.સ.૧૯૬૯ માં પચીસમા અધિવેશનનું પ્રમુખપદ તેમને પ્રાપ્ત થયુ હતું. ઇ.સ.૧૯૬૭ માં મુંબઇ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વ્યાખ્યાનો આપેલા. ઇ.સ.૧૯૬૮ માં 'અવલોકના' માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. ભારત સરકારે એમને 'પદ્મભૂષણ'નો ખિતાબ આપ્યો હતો. '''તેમની 'અર્વાચીન કવિતા': વિવેચક સુન્દરમ્''' 'અર્વાચીન કવિતા'ને અર્વાચીન ગુજરાતી કવિતાની તેની ભૂમિકા, વલણો, સર્જકો, નવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને કરેલી સમીક્ષાનો ઇતિહાસગ્રંથ ગણી શકાય. ઇ.સ.૧૯૪૬ માં ગુજરાત સાહિત્યસભા તરફથી અર્વાચીન કવિતાનું રૂપરેખાત્મક પુસ્તક લખવાનું કામ તેમને સોંપાયુ હતું, તેના ફલસ્વરૂપ સુન્દરમ્ ના વિદ્યાતપની સાક્ષી સમું ઉત્તમ વિવેચન 'અર્વાચીન કવિતા' દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઇ.સ. ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની ઐતિહાસિક તેમજ તુલનાત્મક, તટસ્થ મુલ્યાંકન તથા સમીક્ષા રૂપે પ્રાપ્ત થતો તે સંદર્ભગ્રંથ બન્યો છે. '''અવલોકના''' ઇ.સ.૧૯૬૫માં તેમનો અવલોકના નામનો બીજો વિવેચનસંગ્રહ પ્રકાશિત થયો. જેના પરિણામે ગુજરાતી સાહિત્યના સર્જકો, કવિઓ,વાર્તાકારો, નવલકથાકારો વગેરેની નોંધપાત્ર રચનાઓની વર્ષો પહેલા લખાયેલી સમીક્ષાઓ ગુજરાતીસાહિત્યના અભ્યાસીવર્ગને સુલભ થઇ. ગુજરાતના કવિતાગુરુ અધ્યાપક રામનારાયણ પાઠકે તો પોતાના આ શિષ્યને પોતાના કાવ્યોની તેમના હાથે થયેલી સમુચિત વિવેચનાથી પ્રસન્ન થઇ ઇ.સ.૧૯૩૮ માં 'વિવેચક મિત્રને' એમ ભાવપૂર્વક સંબોધન કરી એક કાવ્યમાં સુન્દરમ્ ની વિવેચનપ્રવૃત્તિને બિરદાવી હતી. '''સુન્દરમ્ નું સાહિત્યસર્જન તેમજ કૃતિઓ''' કવિતા:- કોયા ભગતની કડવી વાણી, ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગરંગ વાદળિયાં, વસુધા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, લોકલીલા, ઇશ, પલ્લવિતા, મહાનદ, પ્રભુ પદ, અગમ નિગમા, નિત્યશ્લોક, ચક્રદૂત, ધ્રુવ યાત્રા ટૂંકી વાર્તા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી, પાવક્ના પંથે પ્રવાસ:- દક્ષિણાયન વિવેચન:- અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્યચિંતન પ્રકીર્ણ:- ચિદંબરા ચરિત્ર:- શ્રી અરવિંદ મહાયોગી, સમર્ચના અનુવાદ:- ભગ્વદ્જ્જુકીય, મૃચ્છકટિક, કાયાપલટ, જનતા અને જન, સાવિત્રી, શ્રી અરવિંદ તથા માતાજીના પુસ્તકો વાર્તાકલા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન વગેરે સુન્દરમ્ ના વાર્તાસંગ્રહો છે. કવિતા પછી વાર્તાઓનું સર્જન સુન્દરમ્ નું પ્રતિભાશાળી સર્જક તરીકે ધ્યાન ખેંચે છે. 'હીરાકણી અને બીજી વાતો'થી તેમની ટૂંકીવાર્તાની યાત્રા શરૂ થઈ. 'ખોલકી' વાર્તામાં જીવનની નક્કર વાસ્તવિકતાને રજૂ કરી સામાજીક ચેતનાને તેમણે મોટો આંચકો આપ્યો હતો. 'ખોલકી અને નાગરિકા'ની વાર્તાઓ 'ઉન્નયન'માં નવીન સ્વરૂપે રજૂ થઈ. છેલ્લે તેમણે તારિણી નામનો વાર્તાસંગ્રહ આપ્યો. કાવ્યકૃતિઓ:- તેમની પ્રથમ કાવ્યકૃતિ 'વડલાની ડાળ ઉપરના હીંચકા' આમોદની શાળાના હસ્તલિખિતમાં મૂકેલી. તેમનું કાવ્ય 'એકાંશ દે' એ 'મરીચિ'ના ઉપનામથી 'સાબરમતી' દ્વૈમાસિક માં ઇ.સ.૧૯૨૬ માં પ્રગટ થયેલું. પછી ઇ.સ.૧૯૨૮ માં એ જ પત્રમાં 'બારડોલીને' એ કાવ્ય 'સુન્દરમ્' નામથી પ્રસિધ્ધ થયું. ઇ.સ.૧૯૩૦ માં તેમની કવિપ્રજ્ઞાનું દ્યોતક 'બુધ્ધના ચક્ષુ' રચાયુ અને સુન્દરમ્ કવિ તરીકે પ્રખ્યાત થયા. 'સુન્દરમ્' તખલ્લુસ તેમણે ગાંધીજીની આત્મકથામાં આવેલા 'બાલાસુન્દરમ્' નામના ગિરમીટિયાના નામ પરથી રાખેલુ. --> == બાહ્ય કડીઓ == * {{GujLit author}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય ] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:૧૯૦૮માં જન્મ]] ah53kyfodbpszthpx6822tdyr12w8hd 827280 827279 2022-08-19T05:56:59Z 2409:4041:6E3E:563D:0:0:B6C9:F105 /* જીવન */ wikitext text/x-wiki {{Infobox writer | name = ત્રિભુવનદસ લુહાર | image = | imagesize = | birth_name = ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર | birth_date = {{birth date|df=yes|1908|03|22}} | birth_place = [[ભરુચ]], ભરૂચનું મિયાંમાતર ગામ , ભારત | death_date = {{death date and age|df=yes|1991|01|13|1908|03|22}} | death_place = | occupation = લેખક | nationality = ભારત | alma_mater = | period = | genre = કવિતા, ટૂંકી વાર્તાઓ, વિવેચન | subject = | movement = | notableworks = | spouse = | influences = | influenced = | awards = [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] | signature = | website = {{Official website}} }} '''ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર''', જેઓ તેમના ઉપનામ '''સુન્દરમ્''' થી વધુ જાણીતા હતા (૨૨ માર્ચ ૧૯૦૮ - ૧૩ જાન્યુઆરી ૧૯૯૧), ગુજરાતી ભાષાના કવિ અને લેખક હતા. == જીવન == [[File:Gujarati Vishwakosh38.jpg|thumb|મધ્યમાં સુન્દરમ્, ડાબેથી બીજા ક્રમે [[જયભિખ્ખુ]] અને જમણેથી બીજા ક્રમે [[ધીરુભાઈ ઠાકર]]|300px]] તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮નાhonvm ભરુચ જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ [[આમોદ]] ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં આવેલી [[છોટુભાઈ પુરાણી]]ની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો. ૧૯૨૯માં તેમણે [[ગુજરાત વિદ્યાપીઠ]] ખાતેથી ''ભાષાવિષારદ'' તરીકે સ્નાતકની પદવી મેળવી અને [[સોનગઢ]]માં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરુ કર્યું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી સંકળાયેલા હતા. ૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને [[પોંડિચેરી]] ખાતે સ્થાયી થયા. ૧૯૭૦માં તેઓ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ થયું હતું.<ref name="Lal2006">{{cite book|author=Mohan Lal|title=The Encyclopaedia of Indian Literature (Volume Five (Sasay To Zorgot)|url=http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4227|date=૧ જાન્યુઆરી ૨૦૦૬|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|pages=૪૨૨૭-૪૨૨૮}}</ref><ref name="Chokshi991">{{cite book|author1=U. M. Chokshi|author2=M. R. Trivedi|title=Gujarat State Gazetteer|url=http://books.google.com/books?id=wKLiAAAAMAAJ|year=૧૯૯૧|publisher=Director, Government Print., Stationery and Publications, Gujarat State|pages=૪૦૫-૪૧૦}}</ref><ref name=a>{{cite book|title=Selected Stories from Gujarat|url=http://books.google.com/books?id=5ghkJaKIVTsC&pg=PT12|date=૧ જાન્યુઆરી ૨૦૦૨|publisher=Jaico Publishing House|isbn=978-81-7224-955-7|pages=૧૨–૧૩}}</ref><ref name="gsp">{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html|title=Tribhuvandas Luhar 'Sundaram'|last=|first=|date=|publisher=|language=|access-date= ૧૭ ઓક્ટોબર ૨૦૧૪|work=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]}}</ref> == સર્જન == [[File:Kavishri Sundaram Chowk.jpg|thumb|[[અમદાવાદ]]માં આવેલ કવિશ્રી સુન્દરમ્ ચૉક]] તેમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમની કવિતા અને ગદ્ય બંને કલ્પનાશક્તિ, ઊંડાણ અને તેજસ્વીતાનો પરિચય આપતા હતા. તેમનું સર્જન આધ્યાત્મિક તેમજ સામાજીક તત્વો ધરાવતું હતું. તેમણે વિવિધ ફિલસૂફીના તબક્કાઓમાં સર્જન કર્યું હતું જેમાં, આધુનિકતાવાદ, સામાજીકતા, ગાંધી ફિલસૂફી અને અરવિંદની સ્વંયઅહેસાસની ફિલસૂફીનો સમાવેશ થાય છે.<ref name="Lal2006"/><ref name=a/><ref name=gsp/><ref name="NatarajanNelson1996">{{cite book|author1=Nalini Natarajan|author2=Emmanuel Sampath Nelson|title=Handbook of Twentieth-century Literatures of India|url=http://books.google.com/books?id=1lTnv6o-d_oC&pg=PA115|date=૧ જાન્યુઆરી ૧૯૯૬|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-28778-7|page=૧૧૫}}</ref> === કવિતા === તેમણે ૧૯૨૬માં ઉપનામો '''મરિચી''' અને ''એકાંશ દે'' હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે '''વિશ્વકર્મા''' ઉપનામ અપનાવ્યું. તેમણે તેમની કવિતા ''બાર્ડોલિન'' ૧૯૨૮માં '''સુંદરમ્''' ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/> ''કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'' (૧૯૩૩) તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ ''કાવ્યમંગલા'' (૧૯૩૩) પ્રગટ થયો. તેમણે અન્ય સંગ્રહ ''વસુધા'' (૧૯૩૯) અને બાળ કાવ્ય સંગ્રહ ''રંગ રંગ વાદળિયાં'' (૧૯૩૯) પ્રકાશિત કર્યો. ''યાત્રા'' (૧૯૫૧) સંગ્રહ અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત હતો.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/><ref name="Das1991">{{cite book|author=Sisir Kumar Das|title=History of Indian Literature: 1911–1956, struggle for freedom : triumph and tragedy|url=http://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA210|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|isbn=978-81-7201-798-9|page=૨૧૦}}</ref> === ટૂંકી વાર્તાઓ === '''ત્રિશુળ''' ઉપનામ હેઠળ તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. ''હીરાકણી અને બીજી વાતો'' (૧૯૩૮), ''પિયાસી'' (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫, ''ખોલકી અને નાગરિકા'' હેઠળ વધુ વાર્તાઓ સાથે પુન:પ્રકાશિત), ''તરિણી'' (૧૯૭૮), ''પાવકના પંથે '' (૧૯૭૮) તેમના વાર્તા સંગ્રહો છે.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> === વિવેચન === ''અર્વાચીન કવિતા'' (૧૯૪૬) તેમનો ૧૮૪૫ થી ૧૯૩૦ સુધીની ગુજરાતી કવિતાનું વિવેચન છે. ''અવલોકન'' તેમના વિવેચનનું અન્ય પુસ્તક છે જ્યારે ''સાહિત્ય ચિંતન'' (૧૯૭૮) સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોના લેખોનો સંગ્રહ છે.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> === અન્ય === ''વાસંતી પૂર્ણિમા'' (૧૯૭૭) એકાંકી નાટકોનો સંગ્રહ છે. ''દક્ષિણાયન'' (૧૯૪૨) તેમના દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન છે. ''ચિંદંબરા'' તેમની યાદોનો નિબંધ સંગ્રહ છે જ્યારે ''સમરચના'' તેમના જીવન વિષેના લેખોનો સંગ્રહ છે. તેમણે ''સા વિદ્યા'' (૧૯૭૮) નિબંધ સંગ્રહ પણ લખ્યો છે. ''શ્રી અરવિંદ મહાયોગી'' (૧૯૫૦) શ્રી અરવિંદનું ટૂંકુ જીવનવૃત્તાંત છે. તેમણે અનેક સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ''ભગવદજ્જુકીયમ્'' (૧૯૪૦), ''મૃચ્છકટિકા'' (૧૯૪૪), ''કાયા પલટ'' (૧૯૬૧), ''જનતા અને જન'' (૧૯૬૫), ''ઐસી હૈ જિંદગી'' અને અરવિંદના ધ મધર ના કેટલાક કેટલાંક લખાણોનો સમાવેશ થાય છે.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામયિકો ''દક્ષિણા'' (ત્રિમાસિક) અને ''બાલદક્ષિણા''નું સંપાદન કર્યું હતું.<ref name="Lal2006"/><ref name=a/><ref name=gsp/> * કાવ્યમંગલા * કોયાભગતની કડવી વાણી * ગરીબોના ગીત * વસુધા * રંગરંગ વાદળીયા * યાત્રા * મુદિતા * વરદા * ઉત્કંઠા * હીરાકણી અને બીજી વાતો * પ્યાસી * તારિણી * ખોલકી અને નાગરિકા * ઉન્નયન * અર્વાચીન કવિતા * અવલોકના વગેરે == પુરસ્કારો == ૧૯૩૪માં તેમને ''કાવ્યમંગલા'' માટે [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] મળ્યો હતો. ૧૯૫૫માં તેમના કવિતા સંગ્રહ ''યાત્રા'' માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૬માં વિવેચન માટે મહિડા પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૮માં તેમના વિવેચન પરના સર્જન ''અવલોકન'' માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૮૫માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર [[પદ્મભૂષણ]] એનાયત કરવામાં આવ્યો હતો.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> == સંદર્ભ == {{Reflist}} <!-- '''સુંદરમ્''' એ ગુજરાતી સાહિત્યનું એક જાણીતુ નામ છે. એમનું આખું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર હતું. તેઓ ગાંધીઆશ્રમમાં એમને મળેલા હુલામણા નામ ''બાલાસુંદરમ્'' શબ્દમાંથી પાછલો ટુકડો સુંદરમ્ ઉપનામ (તખલ્લુસ) તરીકે સ્વીકાર્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના કવિ છે. [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]ના [[જંબુસર|જંબુસર તાલુકા]]નાં [[મિંયામાતર]] ગામે [[માર્ચ ૨૨|૨૨ માર્ચ]] ૧૯૦૮ના રોજ પુરુષોત્તમદાસ લુહારને ઘેર જન્મેલા કવિશ્રી સુંદરમે 'કોયા ભગતની કડવી વાણી', 'કાવ્યમંગલા', 'યાત્રા', 'વસુધા' વગેરે તેમના કાવ્યસંગ્રહો છે, જે પૈકીના કાવ્યમંગલા માટે એમને [[રણજીતરામ સુવર્ણચંદ્રક]] પણ પ્રાપ્ત થયો હતો. તેઓનું અન્ય એક ઉપનામ 'કોયા ભગત' પણ હતું. == અભ્યાસ == * પ્રાથમિક – મિયામાતર ગામમાં સાત ધોરણ સુધી * માધ્યમિક – [[આમોદ]] તથા [[ભરૂચ]]માં. * ૧૯૨૫-૨૯ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ” == વ્યવસાય == * શિક્ષણ અને અધ્યાપન * ૧૯૨૯ - સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક * ૧૯૩૪ - અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક * શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધન == જીવન ઝરમર == * ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક * સુંદરમ્ - ઉમાશંકરની જોડી ગણાતી * અભ્યાસ [[છોટુભાઈ પુરાણી]]ની આમોદની શાળામાં * ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી * ‘સાબરમતી’ ના તંત્રી * ૧૯૬૯- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ * ૧૯૪૫ - શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા * અરવિંદ આશ્રમ - પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી * યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું - ૧૯૩૯ ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ! શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ - ૧૯૬૭ ] સમર્પિત થઇ == મુખ્ય રચનાઓ == * કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, * બાલ કાવ્યો - રંગ રંગ વાદળિયાં * નવલકથા - પાવકના પંથે * વાર્તાસંગ્રહો - હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી * ચરિત્ર - શ્રી અરવિંદ મહાયોગી * નિબંધ - ચિદંબરા, સા વિદ્યા * પ્રવાસ - દક્ષિણાયન * નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા * વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન * અનુવાદ - **આશ્રમ જીવન પહેલાં - ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ ** શ્રી. અરવિંદ ઘોષ - મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયઘડી, વિદેહીઓના વાર્તાલાપો ** માતાજી - ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક == સન્માન == * ૧૯૩૪- [[રણજિતરામ સુવર્ણ ચન્દ્રક]] * ૧૯૪૬- મહીડા પારિતિષિક * ૧૯૫૫ - નર્મદ સુવર્ણ ચન્દ્રક * ૧૯૬૮- [[સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી|સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર]] * ૧૯૮૭ - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન == સવિશેષ પરિચય == '''લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ (૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક.''' જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત. એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે. ‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. ‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી વાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે. સુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. ‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે. ‘વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે અનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે. ‘પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે. ‘દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ‘ચિદંબરા’ (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. ‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ (૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે. '''કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) :''' સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. '''કાવ્યમંગલા (૧૯૩૩) :''' સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. '''વસુધા (૧૯૩૯) :''' ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે. '''યાત્રા (૧૯૫૧) :''' સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે. '''પિયાસી (૧૯૪૦) :''' સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા સાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની સામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''ઉન્નયન (૧૯૪૫) :''' સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે સમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''અર્વાચીન કવિતા (૧૯૪૬) :''' ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''અવલોકના (૧૯૬૫) :''' ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે. ગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે. તેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો વ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક પ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની આત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે. '''કવિજીવન અને વ્યક્તિત્વ ઘડતર''' ગાંધીયુગના અગ્રણી કવિ, ટૂંકી વાર્તાઓના મર્મસ્પર્શી લેખક, સમર્થ વિવેચક અને પૂર્ણયોગના સાધક એમ વિવિધ રીતે સુન્દરમ્ નું નામ પ્રસિધ્ધ છે. કાનમ નામે ઓળખાતા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર નામના નાનકડા ગામમાં શ્રમજીવી પિતાને ત્યાં ઇ.સ.૧૯૦૮ માં ત્રિભુવનનો જન્મ થયો હતો. કુટુંબ અને ગામમાંથી મળેલા ભક્તિ અને પરિશ્રમના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શિક્ષણ મિયાંમાતરમાં જ લીધું. ગુજરાત પ્રસિધ્ધ વ્યાયામના ભેખધારી શ્રી છોટુભાઈ પુરાણીની ભરુચની રાષ્ટ્રીય શાળામાં જીવનદીક્ષા અને કાવ્યદીક્ષા માટે તૈયારી કરી. ભરૂચ છોડી અમદાવાદ આવી પહોંચે તે પહેલા તો આ કિશોર ત્રિભુવને અમદાવાદની સાહિત્યસભા તરફથી સાહિત્યની પરીક્ષા ઉતીર્ણ કરી. અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત વિધાપીઠમાં દાખલ થયા ત્યારે કવિ અધ્યાપક રામનારાયણ પાઠક પાસે છંદ અને ભાષાસાહિત્યનો અભ્યાસ કરવાની તક તેમને મળી. વિદ્યાપીઠમાંથી પ્રગટ થતાં 'સાબરમતી' ના તેઓ તંત્રી બન્યા. તેમાં ઉત્તમ લેખ લખવા બદલ તેમને ગાંધીજીના હસ્તે 'તારાગૌરી રૌપ્યચંદ્રક' મળ્યો હતો. '''ગદ્યકાર સુન્દરમ્''' કવિ સુન્દરમ્ અને ગદ્યકાર સુન્દરમ્ મળીને એક ઊંચી કોટિના સર્જક સુન્દરમ્ નો પરિચય તેમની સાહિત્ય રચનાઓમાંથી મળી રહે છે. નવલિકા, પ્રવાસ, અનુવાદ, સાહિત્યિક લેખો, ચરિત્ર, વિવેચન એમ ઘણાં સ્વરુપોમાં તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. ટૂંકી વાર્તા હોય કે પ્રવાસકૃતિ હોય, સુન્દરમ્ નું ગદ્ય પ્રાસાદિક શૈલીમાં વિહરે છે. સ્નાતક થયાં તે પહેલા તેમણે 'સાબરમતી' માં વર્ષભરનો શ્રેષ્ઠ લેખ લખ્યો હતો. ઇ.સ.૧૯૪૭ થી 'દક્ષિણા'ના તંત્રિ તરીકે પણ તેમણે ગુજરાતી ગદ્યને બળ અને ઓજસ આપ્યા. તેમના ગદ્યની પ્રાસાદિકતા અને રસાળતાનો સુખદ અનુભવ આપણને તેમના 'તપોગિરિની આનંદયાત્રા' વ્યાખ્યાનમાં થાય છે. કવિતાની જેમ ગદ્યમાં પણ સર્જક સુન્દરમ્ ની આગવી મુદ્રા પ્રગટે છે. વિવેચનમાં વિવેચ્ય પદાર્થકૃતિ પરની તેમની પકડ, વિષયને પૂરેપૂરી પામી જતી બુદ્ધિની તીક્ષ્ણતા અને વિચારની મૌલિકતા જોવા મળે છે. સુન્દરમ્ નું ગદ્ય ઘૂંટાયેલુ, સત્વપૂર્ણ અને સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના સંસ્કારવાળું હોય છે. તેને તત્વ, તર્ક અને લાગણીનો સ્પર્શ અચૂક લાગેલો હોય છે. સ્વાભાવિક પ્રસાદ અને માધુર્યથી મંડિત હોઇ સુન્દરમ્ નું ગદ્ય રોચક હોય છે. તેથી ગાંધીયુગના ગદ્યના વિશિષ્ટ આવિષ્કારરૂપે સ્મરણીય છે. '''સુન્દરમ્ નું જીવન''' ઇ.સ.૧૯૪૬ માં તેઓ પોંડિચેરી ગયા અને શ્રી અરવિંદ તેમજ માતાજીના સાનિધ્યમાં આશ્રમવાસી બનીને વસ્યાં. મૃત્યુપર્યંત પોતાનું જીવન અને સર્જન શ્રી અરવિંદ અને માતાજીને સમર્પિત કરી દીધું. તેમણે નવલિકાઓ અને એકાંકીઓ પણ આપ્યા હતાં. ગુજરાતથી દૂર રહીને પણ તેમણે સતત સાહિત્યસર્જન કરવાનું ચાલુ રાખ્યું હતું. '''સુન્દરમ્ ના પુરસ્કારો''' ઇ.સ.૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ.૧૯૪૬ માં 'અર્વાચીન કવિતા' વિવેચનગ્રંથ માટે મહીડા પારિતોષિક, ઇ.સ.૧૯૫૫ માં 'યાત્રા' કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૫૯ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના સાહિત્ય વિભાગનું પ્રમુખપદ અને ઇ.સ.૧૯૬૯ માં પચીસમા અધિવેશનનું પ્રમુખપદ તેમને પ્રાપ્ત થયુ હતું. ઇ.સ.૧૯૬૭ માં મુંબઇ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વ્યાખ્યાનો આપેલા. ઇ.સ.૧૯૬૮ માં 'અવલોકના' માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. ભારત સરકારે એમને 'પદ્મભૂષણ'નો ખિતાબ આપ્યો હતો. '''તેમની 'અર્વાચીન કવિતા': વિવેચક સુન્દરમ્''' 'અર્વાચીન કવિતા'ને અર્વાચીન ગુજરાતી કવિતાની તેની ભૂમિકા, વલણો, સર્જકો, નવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને કરેલી સમીક્ષાનો ઇતિહાસગ્રંથ ગણી શકાય. ઇ.સ.૧૯૪૬ માં ગુજરાત સાહિત્યસભા તરફથી અર્વાચીન કવિતાનું રૂપરેખાત્મક પુસ્તક લખવાનું કામ તેમને સોંપાયુ હતું, તેના ફલસ્વરૂપ સુન્દરમ્ ના વિદ્યાતપની સાક્ષી સમું ઉત્તમ વિવેચન 'અર્વાચીન કવિતા' દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઇ.સ. ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની ઐતિહાસિક તેમજ તુલનાત્મક, તટસ્થ મુલ્યાંકન તથા સમીક્ષા રૂપે પ્રાપ્ત થતો તે સંદર્ભગ્રંથ બન્યો છે. '''અવલોકના''' ઇ.સ.૧૯૬૫માં તેમનો અવલોકના નામનો બીજો વિવેચનસંગ્રહ પ્રકાશિત થયો. જેના પરિણામે ગુજરાતી સાહિત્યના સર્જકો, કવિઓ,વાર્તાકારો, નવલકથાકારો વગેરેની નોંધપાત્ર રચનાઓની વર્ષો પહેલા લખાયેલી સમીક્ષાઓ ગુજરાતીસાહિત્યના અભ્યાસીવર્ગને સુલભ થઇ. ગુજરાતના કવિતાગુરુ અધ્યાપક રામનારાયણ પાઠકે તો પોતાના આ શિષ્યને પોતાના કાવ્યોની તેમના હાથે થયેલી સમુચિત વિવેચનાથી પ્રસન્ન થઇ ઇ.સ.૧૯૩૮ માં 'વિવેચક મિત્રને' એમ ભાવપૂર્વક સંબોધન કરી એક કાવ્યમાં સુન્દરમ્ ની વિવેચનપ્રવૃત્તિને બિરદાવી હતી. '''સુન્દરમ્ નું સાહિત્યસર્જન તેમજ કૃતિઓ''' કવિતા:- કોયા ભગતની કડવી વાણી, ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગરંગ વાદળિયાં, વસુધા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, લોકલીલા, ઇશ, પલ્લવિતા, મહાનદ, પ્રભુ પદ, અગમ નિગમા, નિત્યશ્લોક, ચક્રદૂત, ધ્રુવ યાત્રા ટૂંકી વાર્તા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી, પાવક્ના પંથે પ્રવાસ:- દક્ષિણાયન વિવેચન:- અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્યચિંતન પ્રકીર્ણ:- ચિદંબરા ચરિત્ર:- શ્રી અરવિંદ મહાયોગી, સમર્ચના અનુવાદ:- ભગ્વદ્જ્જુકીય, મૃચ્છકટિક, કાયાપલટ, જનતા અને જન, સાવિત્રી, શ્રી અરવિંદ તથા માતાજીના પુસ્તકો વાર્તાકલા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન વગેરે સુન્દરમ્ ના વાર્તાસંગ્રહો છે. કવિતા પછી વાર્તાઓનું સર્જન સુન્દરમ્ નું પ્રતિભાશાળી સર્જક તરીકે ધ્યાન ખેંચે છે. 'હીરાકણી અને બીજી વાતો'થી તેમની ટૂંકીવાર્તાની યાત્રા શરૂ થઈ. 'ખોલકી' વાર્તામાં જીવનની નક્કર વાસ્તવિકતાને રજૂ કરી સામાજીક ચેતનાને તેમણે મોટો આંચકો આપ્યો હતો. 'ખોલકી અને નાગરિકા'ની વાર્તાઓ 'ઉન્નયન'માં નવીન સ્વરૂપે રજૂ થઈ. છેલ્લે તેમણે તારિણી નામનો વાર્તાસંગ્રહ આપ્યો. કાવ્યકૃતિઓ:- તેમની પ્રથમ કાવ્યકૃતિ 'વડલાની ડાળ ઉપરના હીંચકા' આમોદની શાળાના હસ્તલિખિતમાં મૂકેલી. તેમનું કાવ્ય 'એકાંશ દે' એ 'મરીચિ'ના ઉપનામથી 'સાબરમતી' દ્વૈમાસિક માં ઇ.સ.૧૯૨૬ માં પ્રગટ થયેલું. પછી ઇ.સ.૧૯૨૮ માં એ જ પત્રમાં 'બારડોલીને' એ કાવ્ય 'સુન્દરમ્' નામથી પ્રસિધ્ધ થયું. ઇ.સ.૧૯૩૦ માં તેમની કવિપ્રજ્ઞાનું દ્યોતક 'બુધ્ધના ચક્ષુ' રચાયુ અને સુન્દરમ્ કવિ તરીકે પ્રખ્યાત થયા. 'સુન્દરમ્' તખલ્લુસ તેમણે ગાંધીજીની આત્મકથામાં આવેલા 'બાલાસુન્દરમ્' નામના ગિરમીટિયાના નામ પરથી રાખેલુ. --> == બાહ્ય કડીઓ == * {{GujLit author}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય ] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:૧૯૦૮માં જન્મ]] 2iuhlam6v3wepx5hjj6ujsgflzmmopi 827281 827280 2022-08-19T05:58:43Z 2409:4041:6E3E:563D:0:0:B6C9:F105 /* જીવન */ જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી, sjswv wikitext text/x-wiki {{Infobox writer | name = ત્રિભુવનદસ લુહાર | image = | imagesize = | birth_name = ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર | birth_date = {{birth date|df=yes|1908|03|22}} | birth_place = [[ભરુચ]], ભરૂચનું મિયાંમાતર ગામ , ભારત | death_date = {{death date and age|df=yes|1991|01|13|1908|03|22}} | death_place = | occupation = લેખક | nationality = ભારત | alma_mater = | period = | genre = કવિતા, ટૂંકી વાર્તાઓ, વિવેચન | subject = | movement = | notableworks = | spouse = | influences = | influenced = | awards = [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] | signature = | website = {{Official website}} }} '''ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર''', જેઓ તેમના ઉપનામ '''સુન્દરમ્''' થી વધુ જાણીતા હતા (૨૨ માર્ચ ૧૯૦૮ - ૧૩ જાન્યુઆરી ૧૯૯૧), ગુજરાતી ભાષાના કવિ અને લેખક હતા. == જીવન == [[File:Gujarati Vishwakosh38.jpg|thumb|મધ્યમાં સુન્દરમ્, ડાબેથી બીજા ક્રમે [[જયભિખ્ખુ]] અને જમણેથી બીજા ક્રમે [[ધીરુભાઈ ઠાકર]]|300px]] તેમનો જન્મ ૨૨ માર્ચ ૧૯૦૮ના રોજ ભરુચ જિલ્લાના ગુજરાતના મિયાં માતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ગામમાં પૂરુ કર્યું અને અંગ્રેજી માધ્યમમાં પાંચ ગ્રેડ સુધીનું શિક્ષણ [[આમોદ]] ખાતે પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ભરુચમાં આવેલી [[છોટુભાઈ પુરાણી]]ની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો. ૧૯૨૯માં તેમણે [[ગુજરાત વિદ્યાપીઠ]] ખાતેથી ''ભાષાવિષારદ'' તરીકે સ્નાતકની પદવી મેળવી અને [[સોનગઢ]]માં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરુ કર્યું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ સાથે ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી સંકળાયેલા હતા. ૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને [[પોંડિચેરી]] ખાતે સ્થાયી થયા. ૧૯૭૦માં તેઓ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]ના પ્રમુખ રહ્યા હતા. તેમનું અવસાન ૧૩ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ થયું હતું.<ref name="Lal2006">{{cite book|author=Mohan Lal|title=The Encyclopaedia of Indian Literature (Volume Five (Sasay To Zorgot)|url=http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4227|date=૧ જાન્યુઆરી ૨૦૦૬|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|pages=૪૨૨૭-૪૨૨૮}}</ref><ref name="Chokshi991">{{cite book|author1=U. M. Chokshi|author2=M. R. Trivedi|title=Gujarat State Gazetteer|url=http://books.google.com/books?id=wKLiAAAAMAAJ|year=૧૯૯૧|publisher=Director, Government Print., Stationery and Publications, Gujarat State|pages=૪૦૫-૪૧૦}}</ref><ref name=a>{{cite book|title=Selected Stories from Gujarat|url=http://books.google.com/books?id=5ghkJaKIVTsC&pg=PT12|date=૧ જાન્યુઆરી ૨૦૦૨|publisher=Jaico Publishing House|isbn=978-81-7224-955-7|pages=૧૨–૧૩}}</ref><ref name="gsp">{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html|title=Tribhuvandas Luhar 'Sundaram'|last=|first=|date=|publisher=|language=|access-date= ૧૭ ઓક્ટોબર ૨૦૧૪|work=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]}}</ref> == સર્જન == [[File:Kavishri Sundaram Chowk.jpg|thumb|[[અમદાવાદ]]માં આવેલ કવિશ્રી સુન્દરમ્ ચૉક]] તેમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી પરંતુ તેઓ સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ સફળ થયા હતા. તેમની કવિતા અને ગદ્ય બંને કલ્પનાશક્તિ, ઊંડાણ અને તેજસ્વીતાનો પરિચય આપતા હતા. તેમનું સર્જન આધ્યાત્મિક તેમજ સામાજીક તત્વો ધરાવતું હતું. તેમણે વિવિધ ફિલસૂફીના તબક્કાઓમાં સર્જન કર્યું હતું જેમાં, આધુનિકતાવાદ, સામાજીકતા, ગાંધી ફિલસૂફી અને અરવિંદની સ્વંયઅહેસાસની ફિલસૂફીનો સમાવેશ થાય છે.<ref name="Lal2006"/><ref name=a/><ref name=gsp/><ref name="NatarajanNelson1996">{{cite book|author1=Nalini Natarajan|author2=Emmanuel Sampath Nelson|title=Handbook of Twentieth-century Literatures of India|url=http://books.google.com/books?id=1lTnv6o-d_oC&pg=PA115|date=૧ જાન્યુઆરી ૧૯૯૬|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-28778-7|page=૧૧૫}}</ref> === કવિતા === તેમણે ૧૯૨૬માં ઉપનામો '''મરિચી''' અને ''એકાંશ દે'' હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે '''વિશ્વકર્મા''' ઉપનામ અપનાવ્યું. તેમણે તેમની કવિતા ''બાર્ડોલિન'' ૧૯૨૮માં '''સુંદરમ્''' ઉપનામ હેઠળ લખી અને પછી તે જીવનભર અપનાવ્યું.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/> ''કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'' (૧૯૩૩) તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ ''કાવ્યમંગલા'' (૧૯૩૩) પ્રગટ થયો. તેમણે અન્ય સંગ્રહ ''વસુધા'' (૧૯૩૯) અને બાળ કાવ્ય સંગ્રહ ''રંગ રંગ વાદળિયાં'' (૧૯૩૯) પ્રકાશિત કર્યો. ''યાત્રા'' (૧૯૫૧) સંગ્રહ અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત હતો.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/><ref name="Das1991">{{cite book|author=Sisir Kumar Das|title=History of Indian Literature: 1911–1956, struggle for freedom : triumph and tragedy|url=http://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA210|year=૧૯૯૧|publisher=Sahitya Akademi|isbn=978-81-7201-798-9|page=૨૧૦}}</ref> === ટૂંકી વાર્તાઓ === '''ત્રિશુળ''' ઉપનામ હેઠળ તેમણે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. ''હીરાકણી અને બીજી વાતો'' (૧૯૩૮), ''પિયાસી'' (૧૯૪૦), ઉન્નયન (૧૯૪૫, ''ખોલકી અને નાગરિકા'' હેઠળ વધુ વાર્તાઓ સાથે પુન:પ્રકાશિત), ''તરિણી'' (૧૯૭૮), ''પાવકના પંથે '' (૧૯૭૮) તેમના વાર્તા સંગ્રહો છે.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> === વિવેચન === ''અર્વાચીન કવિતા'' (૧૯૪૬) તેમનો ૧૮૪૫ થી ૧૯૩૦ સુધીની ગુજરાતી કવિતાનું વિવેચન છે. ''અવલોકન'' તેમના વિવેચનનું અન્ય પુસ્તક છે જ્યારે ''સાહિત્ય ચિંતન'' (૧૯૭૮) સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોના લેખોનો સંગ્રહ છે.<ref name="Lal2006"/><ref name="Chokshi991"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> === અન્ય === ''વાસંતી પૂર્ણિમા'' (૧૯૭૭) એકાંકી નાટકોનો સંગ્રહ છે. ''દક્ષિણાયન'' (૧૯૪૨) તેમના દક્ષિણ ભારતના પ્રવાસોનું વર્ણન છે. ''ચિંદંબરા'' તેમની યાદોનો નિબંધ સંગ્રહ છે જ્યારે ''સમરચના'' તેમના જીવન વિષેના લેખોનો સંગ્રહ છે. તેમણે ''સા વિદ્યા'' (૧૯૭૮) નિબંધ સંગ્રહ પણ લખ્યો છે. ''શ્રી અરવિંદ મહાયોગી'' (૧૯૫૦) શ્રી અરવિંદનું ટૂંકુ જીવનવૃત્તાંત છે. તેમણે અનેક સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં ''ભગવદજ્જુકીયમ્'' (૧૯૪૦), ''મૃચ્છકટિકા'' (૧૯૪૪), ''કાયા પલટ'' (૧૯૬૧), ''જનતા અને જન'' (૧૯૬૫), ''ઐસી હૈ જિંદગી'' અને અરવિંદના ધ મધર ના કેટલાક કેટલાંક લખાણોનો સમાવેશ થાય છે.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> તેમણે શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામયિકો ''દક્ષિણા'' (ત્રિમાસિક) અને ''બાલદક્ષિણા''નું સંપાદન કર્યું હતું.<ref name="Lal2006"/><ref name=a/><ref name=gsp/> * કાવ્યમંગલા * કોયાભગતની કડવી વાણી * ગરીબોના ગીત * વસુધા * રંગરંગ વાદળીયા * યાત્રા * મુદિતા * વરદા * ઉત્કંઠા * હીરાકણી અને બીજી વાતો * પ્યાસી * તારિણી * ખોલકી અને નાગરિકા * ઉન્નયન * અર્વાચીન કવિતા * અવલોકના વગેરે == પુરસ્કારો == ૧૯૩૪માં તેમને ''કાવ્યમંગલા'' માટે [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] મળ્યો હતો. ૧૯૫૫માં તેમના કવિતા સંગ્રહ ''યાત્રા'' માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૬માં વિવેચન માટે મહિડા પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૮માં તેમના વિવેચન પરના સર્જન ''અવલોકન'' માટે તેમને ગુજરાતીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૮૫માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર [[પદ્મભૂષણ]] એનાયત કરવામાં આવ્યો હતો.<ref name="Lal2006"/><ref name=gsp/><ref name="NatarajanNelson1996"/> == સંદર્ભ == {{Reflist}} <!-- '''સુંદરમ્''' એ ગુજરાતી સાહિત્યનું એક જાણીતુ નામ છે. એમનું આખું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર હતું. તેઓ ગાંધીઆશ્રમમાં એમને મળેલા હુલામણા નામ ''બાલાસુંદરમ્'' શબ્દમાંથી પાછલો ટુકડો સુંદરમ્ ઉપનામ (તખલ્લુસ) તરીકે સ્વીકાર્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના કવિ છે. [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]ના [[જંબુસર|જંબુસર તાલુકા]]નાં [[મિંયામાતર]] ગામે [[માર્ચ ૨૨|૨૨ માર્ચ]] ૧૯૦૮ના રોજ પુરુષોત્તમદાસ લુહારને ઘેર જન્મેલા કવિશ્રી સુંદરમે 'કોયા ભગતની કડવી વાણી', 'કાવ્યમંગલા', 'યાત્રા', 'વસુધા' વગેરે તેમના કાવ્યસંગ્રહો છે, જે પૈકીના કાવ્યમંગલા માટે એમને [[રણજીતરામ સુવર્ણચંદ્રક]] પણ પ્રાપ્ત થયો હતો. તેઓનું અન્ય એક ઉપનામ 'કોયા ભગત' પણ હતું. == અભ્યાસ == * પ્રાથમિક – મિયામાતર ગામમાં સાત ધોરણ સુધી * માધ્યમિક – [[આમોદ]] તથા [[ભરૂચ]]માં. * ૧૯૨૫-૨૯ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ” == વ્યવસાય == * શિક્ષણ અને અધ્યાપન * ૧૯૨૯ - સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક * ૧૯૩૪ - અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક * શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધન == જીવન ઝરમર == * ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક * સુંદરમ્ - ઉમાશંકરની જોડી ગણાતી * અભ્યાસ [[છોટુભાઈ પુરાણી]]ની આમોદની શાળામાં * ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી * ‘સાબરમતી’ ના તંત્રી * ૧૯૬૯- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ * ૧૯૪૫ - શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા * અરવિંદ આશ્રમ - પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી * યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું - ૧૯૩૯ ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ! શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ - ૧૯૬૭ ] સમર્પિત થઇ == મુખ્ય રચનાઓ == * કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, * બાલ કાવ્યો - રંગ રંગ વાદળિયાં * નવલકથા - પાવકના પંથે * વાર્તાસંગ્રહો - હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી * ચરિત્ર - શ્રી અરવિંદ મહાયોગી * નિબંધ - ચિદંબરા, સા વિદ્યા * પ્રવાસ - દક્ષિણાયન * નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા * વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન * અનુવાદ - **આશ્રમ જીવન પહેલાં - ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ ** શ્રી. અરવિંદ ઘોષ - મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયઘડી, વિદેહીઓના વાર્તાલાપો ** માતાજી - ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક == સન્માન == * ૧૯૩૪- [[રણજિતરામ સુવર્ણ ચન્દ્રક]] * ૧૯૪૬- મહીડા પારિતિષિક * ૧૯૫૫ - નર્મદ સુવર્ણ ચન્દ્રક * ૧૯૬૮- [[સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી|સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર]] * ૧૯૮૭ - ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન == સવિશેષ પરિચય == '''લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ (૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક.''' જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત. એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે. ‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં કોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત કરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી કૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. ‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં વધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની પ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. સુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને પ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી વાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની વાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ ઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં થોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે. સુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી અર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક અભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક વ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો અવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. ‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય અંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા લેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે. ‘વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે અનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે. ‘પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે છે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે. ‘દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ‘ચિદંબરા’ (૧૯૬૮) લેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. ‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ (૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે. '''કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) :''' સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. '''કાવ્યમંગલા (૧૯૩૩) :''' સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. '''વસુધા (૧૯૩૯) :''' ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે. '''યાત્રા (૧૯૫૧) :''' સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ અધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ એની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને ‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે. '''પિયાસી (૧૯૪૦) :''' સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા સાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની સામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''ઉન્નયન (૧૯૪૫) :''' સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે સમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''અર્વાચીન કવિતા (૧૯૪૬) :''' ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા) '''અવલોકના (૧૯૬૫) :''' ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે. ગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે. તેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો વ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે. ગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક પ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની આત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે. '''કવિજીવન અને વ્યક્તિત્વ ઘડતર''' ગાંધીયુગના અગ્રણી કવિ, ટૂંકી વાર્તાઓના મર્મસ્પર્શી લેખક, સમર્થ વિવેચક અને પૂર્ણયોગના સાધક એમ વિવિધ રીતે સુન્દરમ્ નું નામ પ્રસિધ્ધ છે. કાનમ નામે ઓળખાતા દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર નામના નાનકડા ગામમાં શ્રમજીવી પિતાને ત્યાં ઇ.સ.૧૯૦૮ માં ત્રિભુવનનો જન્મ થયો હતો. કુટુંબ અને ગામમાંથી મળેલા ભક્તિ અને પરિશ્રમના વાતાવરણ વચ્ચે પ્રાથમિક શિક્ષણ મિયાંમાતરમાં જ લીધું. ગુજરાત પ્રસિધ્ધ વ્યાયામના ભેખધારી શ્રી છોટુભાઈ પુરાણીની ભરુચની રાષ્ટ્રીય શાળામાં જીવનદીક્ષા અને કાવ્યદીક્ષા માટે તૈયારી કરી. ભરૂચ છોડી અમદાવાદ આવી પહોંચે તે પહેલા તો આ કિશોર ત્રિભુવને અમદાવાદની સાહિત્યસભા તરફથી સાહિત્યની પરીક્ષા ઉતીર્ણ કરી. અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત વિધાપીઠમાં દાખલ થયા ત્યારે કવિ અધ્યાપક રામનારાયણ પાઠક પાસે છંદ અને ભાષાસાહિત્યનો અભ્યાસ કરવાની તક તેમને મળી. વિદ્યાપીઠમાંથી પ્રગટ થતાં 'સાબરમતી' ના તેઓ તંત્રી બન્યા. તેમાં ઉત્તમ લેખ લખવા બદલ તેમને ગાંધીજીના હસ્તે 'તારાગૌરી રૌપ્યચંદ્રક' મળ્યો હતો. '''ગદ્યકાર સુન્દરમ્''' કવિ સુન્દરમ્ અને ગદ્યકાર સુન્દરમ્ મળીને એક ઊંચી કોટિના સર્જક સુન્દરમ્ નો પરિચય તેમની સાહિત્ય રચનાઓમાંથી મળી રહે છે. નવલિકા, પ્રવાસ, અનુવાદ, સાહિત્યિક લેખો, ચરિત્ર, વિવેચન એમ ઘણાં સ્વરુપોમાં તેમણે ગદ્યનું ખેડાણ કર્યું છે. ટૂંકી વાર્તા હોય કે પ્રવાસકૃતિ હોય, સુન્દરમ્ નું ગદ્ય પ્રાસાદિક શૈલીમાં વિહરે છે. સ્નાતક થયાં તે પહેલા તેમણે 'સાબરમતી' માં વર્ષભરનો શ્રેષ્ઠ લેખ લખ્યો હતો. ઇ.સ.૧૯૪૭ થી 'દક્ષિણા'ના તંત્રિ તરીકે પણ તેમણે ગુજરાતી ગદ્યને બળ અને ઓજસ આપ્યા. તેમના ગદ્યની પ્રાસાદિકતા અને રસાળતાનો સુખદ અનુભવ આપણને તેમના 'તપોગિરિની આનંદયાત્રા' વ્યાખ્યાનમાં થાય છે. કવિતાની જેમ ગદ્યમાં પણ સર્જક સુન્દરમ્ ની આગવી મુદ્રા પ્રગટે છે. વિવેચનમાં વિવેચ્ય પદાર્થકૃતિ પરની તેમની પકડ, વિષયને પૂરેપૂરી પામી જતી બુદ્ધિની તીક્ષ્ણતા અને વિચારની મૌલિકતા જોવા મળે છે. સુન્દરમ્ નું ગદ્ય ઘૂંટાયેલુ, સત્વપૂર્ણ અને સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના સંસ્કારવાળું હોય છે. તેને તત્વ, તર્ક અને લાગણીનો સ્પર્શ અચૂક લાગેલો હોય છે. સ્વાભાવિક પ્રસાદ અને માધુર્યથી મંડિત હોઇ સુન્દરમ્ નું ગદ્ય રોચક હોય છે. તેથી ગાંધીયુગના ગદ્યના વિશિષ્ટ આવિષ્કારરૂપે સ્મરણીય છે. '''સુન્દરમ્ નું જીવન''' ઇ.સ.૧૯૪૬ માં તેઓ પોંડિચેરી ગયા અને શ્રી અરવિંદ તેમજ માતાજીના સાનિધ્યમાં આશ્રમવાસી બનીને વસ્યાં. મૃત્યુપર્યંત પોતાનું જીવન અને સર્જન શ્રી અરવિંદ અને માતાજીને સમર્પિત કરી દીધું. તેમણે નવલિકાઓ અને એકાંકીઓ પણ આપ્યા હતાં. ગુજરાતથી દૂર રહીને પણ તેમણે સતત સાહિત્યસર્જન કરવાનું ચાલુ રાખ્યું હતું. '''સુન્દરમ્ ના પુરસ્કારો''' ઇ.સ.૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ.૧૯૪૬ માં 'અર્વાચીન કવિતા' વિવેચનગ્રંથ માટે મહીડા પારિતોષિક, ઇ.સ.૧૯૫૫ માં 'યાત્રા' કાવ્યસંગ્રહ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૫૯ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના સાહિત્ય વિભાગનું પ્રમુખપદ અને ઇ.સ.૧૯૬૯ માં પચીસમા અધિવેશનનું પ્રમુખપદ તેમને પ્રાપ્ત થયુ હતું. ઇ.સ.૧૯૬૭ માં મુંબઇ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વ્યાખ્યાનો આપેલા. ઇ.સ.૧૯૬૮ માં 'અવલોકના' માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. ભારત સરકારે એમને 'પદ્મભૂષણ'નો ખિતાબ આપ્યો હતો. '''તેમની 'અર્વાચીન કવિતા': વિવેચક સુન્દરમ્''' 'અર્વાચીન કવિતા'ને અર્વાચીન ગુજરાતી કવિતાની તેની ભૂમિકા, વલણો, સર્જકો, નવા પ્રયોગોને ધ્યાનમાં રાખીને કરેલી સમીક્ષાનો ઇતિહાસગ્રંથ ગણી શકાય. ઇ.સ.૧૯૪૬ માં ગુજરાત સાહિત્યસભા તરફથી અર્વાચીન કવિતાનું રૂપરેખાત્મક પુસ્તક લખવાનું કામ તેમને સોંપાયુ હતું, તેના ફલસ્વરૂપ સુન્દરમ્ ના વિદ્યાતપની સાક્ષી સમું ઉત્તમ વિવેચન 'અર્વાચીન કવિતા' દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ઇ.સ. ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની ઐતિહાસિક તેમજ તુલનાત્મક, તટસ્થ મુલ્યાંકન તથા સમીક્ષા રૂપે પ્રાપ્ત થતો તે સંદર્ભગ્રંથ બન્યો છે. '''અવલોકના''' ઇ.સ.૧૯૬૫માં તેમનો અવલોકના નામનો બીજો વિવેચનસંગ્રહ પ્રકાશિત થયો. જેના પરિણામે ગુજરાતી સાહિત્યના સર્જકો, કવિઓ,વાર્તાકારો, નવલકથાકારો વગેરેની નોંધપાત્ર રચનાઓની વર્ષો પહેલા લખાયેલી સમીક્ષાઓ ગુજરાતીસાહિત્યના અભ્યાસીવર્ગને સુલભ થઇ. ગુજરાતના કવિતાગુરુ અધ્યાપક રામનારાયણ પાઠકે તો પોતાના આ શિષ્યને પોતાના કાવ્યોની તેમના હાથે થયેલી સમુચિત વિવેચનાથી પ્રસન્ન થઇ ઇ.સ.૧૯૩૮ માં 'વિવેચક મિત્રને' એમ ભાવપૂર્વક સંબોધન કરી એક કાવ્યમાં સુન્દરમ્ ની વિવેચનપ્રવૃત્તિને બિરદાવી હતી. '''સુન્દરમ્ નું સાહિત્યસર્જન તેમજ કૃતિઓ''' કવિતા:- કોયા ભગતની કડવી વાણી, ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગરંગ વાદળિયાં, વસુધા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, લોકલીલા, ઇશ, પલ્લવિતા, મહાનદ, પ્રભુ પદ, અગમ નિગમા, નિત્યશ્લોક, ચક્રદૂત, ધ્રુવ યાત્રા ટૂંકી વાર્તા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી, પાવક્ના પંથે પ્રવાસ:- દક્ષિણાયન વિવેચન:- અર્વાચીન કવિતા, અવલોકના, સાહિત્યચિંતન પ્રકીર્ણ:- ચિદંબરા ચરિત્ર:- શ્રી અરવિંદ મહાયોગી, સમર્ચના અનુવાદ:- ભગ્વદ્જ્જુકીય, મૃચ્છકટિક, કાયાપલટ, જનતા અને જન, સાવિત્રી, શ્રી અરવિંદ તથા માતાજીના પુસ્તકો વાર્તાકલા:- હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન વગેરે સુન્દરમ્ ના વાર્તાસંગ્રહો છે. કવિતા પછી વાર્તાઓનું સર્જન સુન્દરમ્ નું પ્રતિભાશાળી સર્જક તરીકે ધ્યાન ખેંચે છે. 'હીરાકણી અને બીજી વાતો'થી તેમની ટૂંકીવાર્તાની યાત્રા શરૂ થઈ. 'ખોલકી' વાર્તામાં જીવનની નક્કર વાસ્તવિકતાને રજૂ કરી સામાજીક ચેતનાને તેમણે મોટો આંચકો આપ્યો હતો. 'ખોલકી અને નાગરિકા'ની વાર્તાઓ 'ઉન્નયન'માં નવીન સ્વરૂપે રજૂ થઈ. છેલ્લે તેમણે તારિણી નામનો વાર્તાસંગ્રહ આપ્યો. કાવ્યકૃતિઓ:- તેમની પ્રથમ કાવ્યકૃતિ 'વડલાની ડાળ ઉપરના હીંચકા' આમોદની શાળાના હસ્તલિખિતમાં મૂકેલી. તેમનું કાવ્ય 'એકાંશ દે' એ 'મરીચિ'ના ઉપનામથી 'સાબરમતી' દ્વૈમાસિક માં ઇ.સ.૧૯૨૬ માં પ્રગટ થયેલું. પછી ઇ.સ.૧૯૨૮ માં એ જ પત્રમાં 'બારડોલીને' એ કાવ્ય 'સુન્દરમ્' નામથી પ્રસિધ્ધ થયું. ઇ.સ.૧૯૩૦ માં તેમની કવિપ્રજ્ઞાનું દ્યોતક 'બુધ્ધના ચક્ષુ' રચાયુ અને સુન્દરમ્ કવિ તરીકે પ્રખ્યાત થયા. 'સુન્દરમ્' તખલ્લુસ તેમણે ગાંધીજીની આત્મકથામાં આવેલા 'બાલાસુન્દરમ્' નામના ગિરમીટિયાના નામ પરથી રાખેલુ. --> == બાહ્ય કડીઓ == * {{GujLit author}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય ] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]] [[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:૧૯૦૮માં જન્મ]] ah53kyfodbpszthpx6822tdyr12w8hd પંચમહાલ જિલ્લો 0 4765 827291 794553 2022-08-19T07:30:21Z 2405:204:850A:B350:8D3:7E0E:28AC:5BFF https://youtube.com/c/DEVRAJOFFICIAL01 DEVRAJ OFFICIAL 01 wikitext text/x-wiki DEVRAJ OFFICIAL 01 == અર્થતંત્ર == ઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો.<ref name=brgf /> તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|access-date=September 27, 2011|url-status=dead|archive-url = https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=April 5, 2012}}</ref> == વસ્તી == {{bar box |title=પંચમહાલ જિલ્લામાં ધર્મ મુજબ વસ્તી |titlebar=#Fcd116 |left1=ધર્મ |right1=ટકા |float=right |bars= {{bar percent|[[હિંદુ ધર્મ|હિંદુ]]|orange|92.90}} {{bar percent|[[ઇસ્લામ]]|green|06.63}} }} ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી.<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | access-date = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે.<ref name=districtcensus /> જિલ્લાની વસ્તી ગીચતા {{convert| 458 |PD/sqkm|PD/sqmi}} છે.<ref name=districtcensus /> તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો.<ref name=districtcensus /> પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે,<ref name=districtcensus /> અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.<ref name=districtcensus /> {{historical populations |11=૧૯૦૧ |12=2,81,876 |13=૧૯૧૧ |14=3,64,424 |15=૧૯૨૧ |16=4,23,992 |17=૧૯૩૧ |18=5,04,580 |19=૧૯૪૧ |20=5,80,563 |21=૧૯૫૧ |22=6,94,054 |23=૧૯૬૧ |24=8,88,549 |25=૧૯૭૧ |26=11,06,441 |27=૧૯૮૧ |28=13,75,101 |29=૧૯૯૧ |30=16,82,333 |31=૨૦૦૧ |32=20,25,277 |33=૨૦૧૧ |34=23,90,776 |percentages=pagr |footnote=સંદર્ભ:<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/PCA/A2_Data_Table.html|title=Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India|website=www.censusindia.gov.in}}</ref> |align=middle }} == તાલુકાઓ == પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે: * [[હાલોલ તાલુકો|હાલોલ]] * [[કાલોલ તાલુકો|કાલોલ]] * [[ગોધરા તાલુકો|ગોધરા]] * [[જાંબુઘોડા તાલુકો|જાંબુઘોડા]] * [[શહેરા તાલુકો|શહેરા]] * [[ઘોઘંબા તાલુકો|ઘોઘંબા]] * [[મોરવા (હડફ) તાલુકો|મોરવા (હડફ)]] == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == {{commons|Category:Panchmahal_district|પંચમહાલ જિલ્લો}} * [http://panchmahaldp.gujarat.gov.in/Panchmahal/index.htm પંચમહાલ જિલ્લા પંચાયતની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20081208233843/http://panchmahaldp.gujarat.gov.in/Panchmahal/index.htm |date=2008-12-08 }} * [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160437 પંચમહાલ જિલ્લા વિશે માહિતી] {{ગુજરાતના જિલ્લાઓ}} {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]] 2itm1pma9znopfnwam6ujcxvyyi95ev ઓગસ્ટ ૧૮ 0 15008 827250 792320 2022-08-18T14:40:04Z Snehrashmi 41463 wikitext text/x-wiki '''૧૮ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૩૦મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૫ દિવસ બાકી રહે છે. == મહત્વની ઘટનાઓ == * ૧૮૬૮ – ફ્રેન્ચ [[ખગોળશાસ્ત્ર|ખગોળશાસ્ત્રી]] પિયરે જુલ્સ સિઝર જાન્સેને (Pierre Jules César Janssen) [[હિલીયમ]] વાયુની શોધ કરી. * ૧૮૭૭ – અસફ હોલે (Asaph Hall) [[મંગળ (ગ્રહ)|મંગળ]]નો ચંદ્ર ફોબોસ શોધ્યો. * ૧૯૦૩ – જર્મન એન્જિનિયર કાર્લ જેથોએ [[રાઈટ બંધુઓ]]ની પ્રથમ ઉડાનના ચાર મહિના પહેલા કથિત રીતે પોતાનું સ્વનિર્મિત મોટરગ્લાઇડિંગ વિમાન ઉડાડ્યું. * ૧૯૪૫ – સુકર્ણોએ ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું. * ૧૯૫૮ – વ્લાદિમીર નાબોકોવની વિવાદાસ્પદ નવલકથા ''લોલિતા'' અમેરિકામાં પ્રકાશિત થઈ. * ૧૯૫૮ – [[બાંગ્લાદેશ]]ના તરવિયા બ્રોજેન દાસ ઇંગ્લીશ ચેનલ પાર કરનારા પ્રથમ એશિયન બન્યા. * ૧૯૬૩ – નાગરિક અધિકાર આંદોલન: જેમ્સ મેરેડિથ મિસિસિપી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા પ્રથમ આફ્રિકન અમેરિકન બન્યા. * ૨૦૦૫ – ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર વીજસંકટ ઘેરાયું, લગભગ ૧૦૦ મિલિયન લોકોને અસરકર્તા આ પાવરકટ ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી વ્યાપક વીજસંકટ માંનું એક છે. * ૨૦૦૮ – વિરોધપક્ષોનાં દબાણને કારણે, [[પાકિસ્તાન]]નાં પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામું આપ્યું. == જન્મ == * ૧૭૦૦ – પેશ્વા બાજીરાવ પહેલો, [[મરાઠા સામ્રાજ્ય]]ના સાતમા પેશવા. (અ. ૧૭૪૦) * ૧૮૭૨ – [[વિષ્ણુ દિગંબર પલુસ્કર]], હિન્દુસ્તાની સંગીતકાર, રઘુપતિ રાઘવ રાજા રામ ભજનનું મૂળ સંસ્કરણના ગાયક અને ગંધર્વ મહાવિદ્યાલયના સ્થાપક (અ. ૧૯૩૧) * ૧૯૨૩ – [[અરદેશીર તારાપોર]], [[પરમવીર ચક્ર]] વિજેતા સૈન્ય અધિકારી (જ. ૧૯૬૫) * ૧૯૩૪ – [[ગુલઝાર]], ભારતીય કવિ, ગીતકાર અને ફિલ્મ દિગ્દર્શક * ૧૯૪૧ – [[સિતાંશુ યશશ્ચન્દ્ર]], ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી * ૧૯૪૬ – [[અરુણા ઈરાની]], ભારતીય ચલચિત્ર અભિનેત્રી * ૧૯૫૬ – [[સંદીપ પાટીલ]], ભારતીય ક્રિકેટર * ૧૯૫૯ – [[નિર્મલા સીતારામન]], ભારતીય રાજકારણી * ૧૯૬૭ – દલેર મહેંદી, ભારતીય ભાંગડા/પોપ ગાયક * ૧૯૮૦ – પ્રીતી જાંગિયાની, ભારતીય અભિનેત્રી == અવસાન == * ૧૯૪૫ – [[સુભાષચંદ્ર બોઝ]], ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા (જ. ૧૮૯૭) * ૧૯૯૮ – [[પર્સીસ ખંભાતા]], ભારતીય મોડેલ અને અભિનેત્રી, ફેમિના મિસ ઇન્ડિયા ૧૯૬૫ (જ. ૧૯૪૮) * ૨૦૧૮ – કોફી અન્નાન, [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]]ના ૭મા સેક્રેટરી જનરલ અને [[નોબૅલ પારિતોષિક]] વિજેતા (જ. ૧૯૩૮) == તહેવારો અને ઉજવણીઓ == == બાહ્ય કડીઓ == * [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/18 બી.બી.સી.(BBC): આજનો દિવસ] {{commons|August 18}} ---- {{ઢાંચો:માસ}} [[શ્રેણી:ઓગસ્ટ]] lbfez4o7avhs9v7mhgbsyzsfjpsop5u વિશ્વ માનવતા દિવસ 0 15027 827251 788227 2022-08-18T14:49:46Z Snehrashmi 41463 ઉજવણીનો હેતુ wikitext text/x-wiki '''વિશ્વ માનવતા દિવસ''' એ આંતરરાષ્ટ્રીય દિવસ છે, જે માનવતાવાદી કાર્યકરો અને માનવતાવાદી હેતુઓ માટે કામ કરીને પોતાનો જીવ ગુમાવનારાઓને ઓળખવા માટે સમર્પિત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે [[ઓગસ્ટ ૧૯|ઓગણીસમી ઓગસ્ટ]]ના દિવસને વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ વધતો રહ્યો છે અને વિવિધ દેશો ખાતે માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થયું છે. == બાહ્ય કડીઓ == * [http://ochaonline.un.org/whd વિશ્વ માનવતા દિવસ] {{Webarchive|url=https://web.archive.org/web/20100723113317/http://ochaonline.un.org/whd/ |date=2010-07-23 }} * [http://www.sergiovdmfoundation.org The Sergio Vieira de Mello Foundation] * [http://ochaonline.un.org/ The OCHA અધિકૃત વેબ] * [http://www.un.org/ga/ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા] [[શ્રેણી:મહત્વના દિવસો]] pmaxr7txfp3f6rfs4q1tjdbc96ggtqm દૈગામડા 0 25868 827267 738968 2022-08-19T02:54:46Z 2405:205:C8C5:A904:0:0:1D19:E0A4 જોડણી સુધારી wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = દાઇગામડા | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = સાંતલપુર | latd = 23.763241 | longd= 71.167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''દૈગામડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[સાંતલપુર તાલુકો|સાંતલપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. દાઇગામડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સાંતલપુર તાલુકો]] tfxtffncmlo0pfeiza14gwoq9zz3vw9 827268 827267 2022-08-19T02:57:05Z 2405:205:C8C5:A904:0:0:1D19:E0A4 જોડણી સુધારી wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = દૈગામડા | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = સાંતલપુર | latd = 23.763241 | longd= 71.167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''દૈગામડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[સાંતલપુર તાલુકો|સાંતલપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. દાઇગામડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સાંતલપુર તાલુકો]] 92axuaz7cphdrluow15orlbb2xrr511 827273 827268 2022-08-19T03:38:37Z KartikMistry 10383 KartikMistryએ [[દાઇગામડા]]ને [[દૈગામડા]] પર ખસેડ્યું: યોગ્ય નામ. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = દૈગામડા | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = સાંતલપુર | latd = 23.763241 | longd= 71.167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''દૈગામડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[સાંતલપુર તાલુકો|સાંતલપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. દાઇગામડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સાંતલપુર તાલુકો]] 92axuaz7cphdrluow15orlbb2xrr511 827275 827273 2022-08-19T03:39:55Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = દૈગામડા | state_name = ગુજરાત | district = પાટણ | taluk_names = [[સાંતલપુર તાલુકો|સાંતલપુર]] | latd = 23.763241 | longd = 71.167 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેત-ઉત્પાદનો | blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]],<br /> [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''દૈગામડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[સાંતલપુર તાલુકો|સાંતલપુર તાલુકા]]માં આવેલું એક ગામ છે. દૈગામડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:સાંતલપુર તાલુકો]] 25oy3260a26gquytyqwx7gn095z3yqr અષ્ટાવક્ર 0 28564 827258 572129 2022-08-18T16:32:25Z 2409:4041:2E1E:CFBE:49AE:E03:BFB4:C55B wikitext text/x-wiki {{Infobox Hindu leader |name = અષ્ટાવક્ર |image = Ashtavakra.jpg |caption = અષ્ટાવક્ર ઋષિ, ૧૯મી સદીનું ચિત્ર |guru = અરૂણિ |spouse = સુપ્રભા |literary_works = અષ્ટાવક્ર ગીતા |philosophy = }} '''અષ્ટાવક્ર''' ({{lang-sa|अष्‍टवक्र}}) પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે. ==રામાયણમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ == અષ્ટાવક્રનો પ્રથમ ઉલ્લેખ [[વાલ્મીકિ]] [[રામાયણ]]ના યુદ્ધકાંડના એક શ્લોક (૬.૧૧૯.૧૭)માં મળે છે. યુદ્ધ પશ્ચાત રાજા [[દશરથ]] સ્વર્ગમાંથી તેમના પુત્ર [[રામ]]ને આશીર્વાદ આપવા આવે છે અને કહે છે: {{ઉક્તિ|જેમ અષ્ટાવક્રએ તેના પિતા બ્રાહ્મણ કહોડને તાર્યા હતા તેમ હું તારા થકી તરી ગયો છું|રાજા દશરથ|રામાયણ ૬.૧૧૯.૧૭}} ==મહાભારતમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ == [[મહાભારત]]માં અષ્ટાવક્રનો ઉલ્લેખ વનપર્વમાં ખુબ ઉંડાણપૂર્વક કરવામાં આવ્યો છે. જ્યારે પાંડવો દ્યૂતમાં રાજપાટ હારી વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત લોમશ ઋષિ સાથે થાય છે. જેઓ યુધિષ્ઠિરને સામંગા નદીનો માર્ગ બતાવે છે અને જણાવે છે કે આ એ જ નદી છે જેમાં સ્નાન કરવાથી અષ્ટાવક્રના આઠે અંગ સાજા થઇ ગયાં હતાં. આ સાંભળી યુધિષ્ઠિરને અષ્ટાવક્ર વિષે વધુ જાણવાની ઇચ્છા થાય છે અને તેઓ ઋષિ લોમશને અષ્ટાવક્ર વિષે વધુ જણાવવા વિનંતી કરે છે. ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે. ===અષ્ટાવક્રનુ જીવન મહાભારત કથા મુજબ === ઋષિ ઉદ્દાલક કે જેમનો ઉલેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે, તેઓ વેદ જ્ઞાન આપવા આશ્રમ ચલાવતા હતા. આ આશ્રમમાં ઋષિ કહોડ અત્યંત યોગ્ય અને તેમના પ્રિય શિષ્ય હતા. ઋષિ ઉદ્દાલકે તેમની પુત્રી સુજાતાનાં લગ્ન તેમના શિષ્ય કહોડ સાથે કર્યા. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પિતા કહોડ અને ૠષિ ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળીને અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા. એક વખત ઋષિ કહોડ મંત્રોચ્ચાર વખતે ખોટો ઉચ્ચારણ કરી રહ્યા હતા, તો અષ્ટાવક્ર માતાના ગર્ભમાંથી હલચલ કરી ઉચ્ચારણ ખોટું છે એમ જણાવા પ્રયત્ન કર્યો. આનાથી તેમના પિતાને લાગ્યું કે બાળક અભિમાની છે અને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે બાળક આઠ અંગે વાંકુ જન્મે. અષ્ટાવક્રના જન્મ બાદ, સુજાતાના આગ્રહના કારણે ઋષિ કહોડ રાજા જનકના દરબારમાં ગયા જ્યાં જનક રાજા પંડિતોની જ્ઞાન સભા બોલાવી તત્વજ્ઞાનની ચર્ચા કરાવતા. અનેક વખત આવી ચર્ચાઓ ભિન્ન વિચારધારા વાળા પંડિતો વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ લઇ લેતી અને હારનાર પ્રતિદ્વંદ્વીને જીતેલા વ્યક્તિની આકરી શરતોનું પાલન કરવું પડતું. ઋષિ કહોડે, વરુણપુત્ર બંદી સાથે સ્પર્ધા કરી અને હારી ગયા. બદીની શરતો મુજબ તેમને ગંગા નદીમાં જળસમાઘી લેવી પડી. અષ્ટાવક્રનો ઉછેર ત્યારબાદ ઋષિ ઉદ્દાલક પોતાના પુત્રની જેમ કરવા લાગ્યા. ઋષિ ઉદાલકનો એક પુત્ર શ્વેતકેતુ અષ્ટાવક્રની ઉંમરનો જ હતો. અષ્ટાવક્ર એમજ સમજતા કે ઉદ્દાલક તેમના પિતા છે અને શ્વેતકેતુ તેમનો ભાઈ. જ્યારે અષ્ટાવક્ર બાર વર્ષના હતા અને ઉદ્દાલકના ખોળામાં બેઠા હતા ત્યારે શ્વેતકેતુએ તેમને ખેંચી નીચે ઉતાર્યા અને કહ્યું કે જઇને પોતાના પિતાના ખોળામાં બેસે. આ ઘટના પછી તેમને પોતાની માતા પાસેથી પિતાની જળસમાધી વિષે જાણવા મળ્યું. અષ્ટાવક્રએ નક્કી કર્યું કે તેઓ પિતાની હારનો બદલો પંડિત બંદી પાસેથી લેશે. અષ્ટાવક્ર અને શ્વેતકેતુ રાજા જનકના દરબારમાં જાય છે. જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરુ કરી વારાફરતી અંકો પર સિઘ્ર છંદ રચના કરવાની હોય છે. આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. સ્પર્ધાની શરત મુજબ બંદીએ અષ્ટાવક્રની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાની હોય છે. અષ્ટાવક્ર જણાવે છે કે તેમની ઇચ્છા બંદી જળસમાધી લે તેમ છે જેવી રીતે બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ પાસે લેવડાવી હતી તેમ જ. આ સાંભળી બંદી એક રહસ્ય ઉજાગર કરે છે કે તે જલ દેવતા વરૂણનો પુત્ર છે અને તેના પિતા વરૂણના યજ્ઞ માટે યોગ્ય બ્રાહ્મણો પસંદ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. કારણકે તે સમયે વરૂણનો યજ્ઞ પણ પુરો થયો હતો, બંદી અષ્ટાવક્રના પિતા સહીત બધા બ્રાહ્મણોને મુક્ત કરી દે છે અને તેઓ રાજા જનકના દરબારમાં હાજર થાય છે. અષ્ટાવક્રના પિતા અષ્ટાવક્ર અને શ્વેતકેતુ સાથે આશ્રમ પાછા ફરે છે, ત્યાં સુજાતાની હાજરીમાં અષ્ટાવક્રને સામંગ નદીમાં સ્નાન કરવા જણાવે છે જેથી અષ્ટાવક્રના અંગ સીધા થઇ જાય છે. બાદમાં અષ્ટાવક્ર એક જાણીતા તત્વવેતા બને છે અને મિથિલા જઇ રાજા જનકને આત્મા સંબંધી જ્ઞાન આપે છે. ==બાહ્ય કડીઓ== *[http://www.sivohm.com/p/blog-page_13.html ગુજરાતીમાં અષ્ટાવક્ર ગીતા] [[શ્રેણી:ઋષિઓ]] [[શ્રેણી:રામાયણ]] [[શ્રેણી:પૌરાણિક પાત્રો]] rjcielnltv98grmu2ceooftgffsg1qb 827265 827258 2022-08-19T01:53:59Z KartikMistry 10383 ખૂટતું પરિમાણ ઉમેર્યું. wikitext text/x-wiki {{Infobox Hindu leader |name = અષ્ટાવક્ર |image = Ashtavakra.jpg |caption = અષ્ટાવક્ર ઋષિ, ૧૯મી સદીનું ચિત્ર |religion = [[હિંદુ ધર્મ|હિંદુ]] |guru = અરૂણિ |spouse = સુપ્રભા |literary_works = અષ્ટાવક્ર ગીતા |philosophy = }} '''અષ્ટાવક્ર''' ({{lang-sa|अष्‍टवक्र}}) પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે. ==રામાયણમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ == અષ્ટાવક્રનો પ્રથમ ઉલ્લેખ [[વાલ્મીકિ]] [[રામાયણ]]ના યુદ્ધકાંડના એક શ્લોક (૬.૧૧૯.૧૭)માં મળે છે. યુદ્ધ પશ્ચાત રાજા [[દશરથ]] સ્વર્ગમાંથી તેમના પુત્ર [[રામ]]ને આશીર્વાદ આપવા આવે છે અને કહે છે: {{ઉક્તિ|જેમ અષ્ટાવક્રએ તેના પિતા બ્રાહ્મણ કહોડને તાર્યા હતા તેમ હું તારા થકી તરી ગયો છું|રાજા દશરથ|રામાયણ ૬.૧૧૯.૧૭}} ==મહાભારતમાં અષ્ટાવક્રનો ઉલ્લેખ == [[મહાભારત]]માં અષ્ટાવક્રનો ઉલ્લેખ વનપર્વમાં ખુબ ઉંડાણપૂર્વક કરવામાં આવ્યો છે. જ્યારે પાંડવો દ્યૂતમાં રાજપાટ હારી વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત લોમશ ઋષિ સાથે થાય છે. જેઓ યુધિષ્ઠિરને સામંગા નદીનો માર્ગ બતાવે છે અને જણાવે છે કે આ એ જ નદી છે જેમાં સ્નાન કરવાથી અષ્ટાવક્રના આઠે અંગ સાજા થઇ ગયાં હતાં. આ સાંભળી યુધિષ્ઠિરને અષ્ટાવક્ર વિષે વધુ જાણવાની ઇચ્છા થાય છે અને તેઓ ઋષિ લોમશને અષ્ટાવક્ર વિષે વધુ જણાવવા વિનંતી કરે છે. ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે. ===અષ્ટાવક્રનુ જીવન મહાભારત કથા મુજબ === ઋષિ ઉદ્દાલક કે જેમનો ઉલેખ છાંદોગ્ય ઉપનિષદમાં છે, તેઓ વેદ જ્ઞાન આપવા આશ્રમ ચલાવતા હતા. આ આશ્રમમાં ઋષિ કહોડ અત્યંત યોગ્ય અને તેમના પ્રિય શિષ્ય હતા. ઋષિ ઉદ્દાલકે તેમની પુત્રી સુજાતાનાં લગ્ન તેમના શિષ્ય કહોડ સાથે કર્યા. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા, તેમના પિતા કહોડ અને ૠષિ ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાનસંવાદ સાંભળીને અષ્ટાવક્ર માતાના ગર્ભમાંજ મંત્રોચ્ચાર શિખી ગયા હતા. એક વખત ઋષિ કહોડ મંત્રોચ્ચાર વખતે ખોટો ઉચ્ચારણ કરી રહ્યા હતા, તો અષ્ટાવક્ર માતાના ગર્ભમાંથી હલચલ કરી ઉચ્ચારણ ખોટું છે એમ જણાવા પ્રયત્ન કર્યો. આનાથી તેમના પિતાને લાગ્યું કે બાળક અભિમાની છે અને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે બાળક આઠ અંગે વાંકુ જન્મે. અષ્ટાવક્રના જન્મ બાદ, સુજાતાના આગ્રહના કારણે ઋષિ કહોડ રાજા જનકના દરબારમાં ગયા જ્યાં જનક રાજા પંડિતોની જ્ઞાન સભા બોલાવી તત્વજ્ઞાનની ચર્ચા કરાવતા. અનેક વખત આવી ચર્ચાઓ ભિન્ન વિચારધારા વાળા પંડિતો વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ લઇ લેતી અને હારનાર પ્રતિદ્વંદ્વીને જીતેલા વ્યક્તિની આકરી શરતોનું પાલન કરવું પડતું. ઋષિ કહોડે, વરુણપુત્ર બંદી સાથે સ્પર્ધા કરી અને હારી ગયા. બદીની શરતો મુજબ તેમને ગંગા નદીમાં જળસમાઘી લેવી પડી. અષ્ટાવક્રનો ઉછેર ત્યારબાદ ઋષિ ઉદ્દાલક પોતાના પુત્રની જેમ કરવા લાગ્યા. ઋષિ ઉદાલકનો એક પુત્ર શ્વેતકેતુ અષ્ટાવક્રની ઉંમરનો જ હતો. અષ્ટાવક્ર એમજ સમજતા કે ઉદ્દાલક તેમના પિતા છે અને શ્વેતકેતુ તેમનો ભાઈ. જ્યારે અષ્ટાવક્ર બાર વર્ષના હતા અને ઉદ્દાલકના ખોળામાં બેઠા હતા ત્યારે શ્વેતકેતુએ તેમને ખેંચી નીચે ઉતાર્યા અને કહ્યું કે જઇને પોતાના પિતાના ખોળામાં બેસે. આ ઘટના પછી તેમને પોતાની માતા પાસેથી પિતાની જળસમાધી વિષે જાણવા મળ્યું. અષ્ટાવક્રએ નક્કી કર્યું કે તેઓ પિતાની હારનો બદલો પંડિત બંદી પાસેથી લેશે. અષ્ટાવક્ર અને શ્વેતકેતુ રાજા જનકના દરબારમાં જાય છે. જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. આ ચર્ચામાં બન્ને પ્રતિદ્વન્દ્વીઓએ એકથી શરુ કરી વારાફરતી અંકો પર સિઘ્ર છંદ રચના કરવાની હોય છે. આ છંદો અંકોના તત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધુરા છંદને અષ્ટાવક્રએ પુરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. સ્પર્ધાની શરત મુજબ બંદીએ અષ્ટાવક્રની કોઇ પણ એક ઇચ્છા પુરી કરવાની હોય છે. અષ્ટાવક્ર જણાવે છે કે તેમની ઇચ્છા બંદી જળસમાધી લે તેમ છે જેવી રીતે બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ પાસે લેવડાવી હતી તેમ જ. આ સાંભળી બંદી એક રહસ્ય ઉજાગર કરે છે કે તે જલ દેવતા વરૂણનો પુત્ર છે અને તેના પિતા વરૂણના યજ્ઞ માટે યોગ્ય બ્રાહ્મણો પસંદ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. કારણકે તે સમયે વરૂણનો યજ્ઞ પણ પુરો થયો હતો, બંદી અષ્ટાવક્રના પિતા સહીત બધા બ્રાહ્મણોને મુક્ત કરી દે છે અને તેઓ રાજા જનકના દરબારમાં હાજર થાય છે. અષ્ટાવક્રના પિતા અષ્ટાવક્ર અને શ્વેતકેતુ સાથે આશ્રમ પાછા ફરે છે, ત્યાં સુજાતાની હાજરીમાં અષ્ટાવક્રને સામંગ નદીમાં સ્નાન કરવા જણાવે છે જેથી અષ્ટાવક્રના અંગ સીધા થઇ જાય છે. બાદમાં અષ્ટાવક્ર એક જાણીતા તત્વવેતા બને છે અને મિથિલા જઇ રાજા જનકને આત્મા સંબંધી જ્ઞાન આપે છે. ==બાહ્ય કડીઓ== * [http://www.sivohm.com/p/blog-page_13.html ગુજરાતીમાં અષ્ટાવક્ર ગીતા] [[શ્રેણી:ઋષિઓ]] [[શ્રેણી:રામાયણ]] [[શ્રેણી:પૌરાણિક પાત્રો]] ptwo5iyvu4lj2tyk8mxfua0g6ahaha5 જોરડીયાળી (તા. વાવ) 0 29314 827282 737726 2022-08-19T06:49:04Z 2409:4041:61C:784C:A49F:5845:35D6:834D /* ધાર્મિક સ્થળો */ wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = જોરડીયાળી | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = 1698 | population_as_of = ૨૦૧૧<ref>http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=24&district_code=02</ref> | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''જોરડીયાળી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. જોરડીયાળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. == ભૂગોળ == જોરડીયાળી ગામ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. આ ગામ લુણી નદીના ડાબા કાંઠે આવેલું છે. ગામના દક્ષિણ ભાગમાં એક વિશાળ તળાવ આવેલું છે, જે પિપળીયા તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવની પાળ પર પર એક મોટુ પીપળાનુ વૃક્ષ આવેલુ હોવાથી આ તળાવનુ નામ ''પીપળીયા તળાવ'' પડ્યું છે. == ધાર્મિક સ્થળો == પિપળીયા તળાવની પાળ ઉપર સગત (દશામાં) માતાજીનું એક મોટું મંદિર આવેલું છે. == સંદર્ભ == {{Reflist}} {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] aa5q6hlsbj0mop4tidccrmj4uaokf8i તખતપુરા જુના (તા. વાવ) 0 29410 827286 738427 2022-08-19T07:06:39Z ARVINDBHAI AJESHBHAI CHAUHAN 70284 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = તખતપુરા જુના | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''તખતપુરા (જો)ગામ નું નામ તખતસિંહજી દરબાર ના નામ પર રાખવામાં આવેલ છે જે રાજવી કૂળ ના એક રજવાડી દરબાર હતા અને આજે પણ એમના વંશ જો ગામ માં છે(તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. તખતપુરા જુના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] 8685wbggz3tls16obp42lbpdxjewaxr 827287 827286 2022-08-19T07:10:12Z ARVINDBHAI AJESHBHAI CHAUHAN 70284 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = તખતપુરા (જો) | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]] | blank_title_4 =રાયડો,મગફળી,જીરું,ઘઉં, | blank_value_4 = }} '''તખતપુરા (જો)ગામ નું નામ તખતસિંહજી દરબાર ના નામ પર રાખવામાં આવેલ છે જે રાજવી કૂળ ના એક રજવાડી દરબાર હતા અને આજે પણ એમના વંશ જો ગામ માં છે(તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. તખતપુરા જુના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] tcvayjmcjj8ye8lrxic2u8b2aekemlg 827288 827287 2022-08-19T07:11:40Z ARVINDBHAI AJESHBHAI CHAUHAN 70284 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = તખતપુરા (જો) | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]<nowiki>,[[જીરું],[</nowiki> | blank_title_4 = | blank_value_4 = }} '''તખતપુરા (જો)ગામ નું નામ તખતસિંહજી દરબાર ના નામ પર રાખવામાં આવેલ છે જે રાજવી કૂળ ના એક રજવાડી દરબાર હતા અને આજે પણ એમના વંશ જો ગામ માં છે(તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. તખતપુરા જુના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] sikxke7s2lt0fg6b8o5ctred9ixbfcz 827289 827288 2022-08-19T07:23:30Z ARVINDBHAI AJESHBHAI CHAUHAN 70284 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = તખતપુરા (જો) | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]<nowiki>,[[જીરું],[</nowiki> | blank_title_4 = | blank_value_4 = }} '''તખતપુરા (જો)ગામ નું નામ તખતસિંહજી દરબાર ના નામ પર રાખવામાં આવેલ છે જે રાજવી કૂળ ના એક રજવાડી દરબાર હતા અને આજે પણ એમના વંશ જો ગામ માં હયાત છે. તખતપુરા ગામ માં એક પદ્માસર તળાવ આવેલું છે. એ તળાવ ની અંદર એક પગવાવ છે જેને પદમા નામના એક વણજારા દ્વારા ખોદકામ કરાવેલ હોવાથી તેને પદ્માસર તળાવ નામ આવેલ છે જે ગામ ની ઉતરે અંદાજે 300 મીટર દૂર આવેલું છ. (તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. તખતપુરા (જો) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] s7bxvdm3cd8pcyumdfo0oafdhaq77u9 827290 827289 2022-08-19T07:24:56Z ARVINDBHAI AJESHBHAI CHAUHAN 70284 wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = તખતપુરા (જો) | state_name = ગુજરાત | district = બનાસકાંઠા | taluk_names = વાવ તાલુકો | latd = 24.363445 | longd= 71.516012 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]<nowiki>,[[જીરું],[</nowiki> | blank_title_4 = | blank_value_4 = }} '''તખતપુરા (જો)ગામ નું નામ તખતસિંહજી દરબાર ના નામ પર રાખવામાં આવેલ છે જે રાજવી કૂળ ના એક રજવાડી દરબાર હતા અને આજે પણ એમના વંશ જો ગામ માં હયાત છે. તખતપુરા ગામ માં એક પદ્માસર તળાવ આવેલું છે. એ તળાવ ની અંદર એક પગવાવ છે જેને પદમા નામના એક વણજારા દ્વારા ખોદકામ કરાવેલ હોવાથી તેને પદ્માસર તળાવ નામ આપેલ છે જે ગામ ની ઉતરે અંદાજે 300 મીટર દૂર આવેલું છ. (તા. વાવ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ વાવ તાલુકો|વાવ તાલુકા]]માં આવેલું એક ગામ છે. તખતપુરા (જો) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:વાવ તાલુકો]] io05kv7za3pi2t487lscqukxbxyaa5o ભીમ સાહેબ 0 32148 827255 480610 2022-08-18T15:53:42Z 106.216.98.139 wikitext text/x-wiki '''ભીમ સાહેબ''' (જન્મ સ્થળ સમી ગામ ૧૭૧૮, આમરણ ગામ સમાધિ ૧૮૨૫) રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમનો જન્મ (પાટણ) જિલ્લા ના (સમી) ગામ માં થયો હતો. અને સાખ (બાવળફાડ) બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં થયેલો. અને હાલ તેમનો ધુણો અને નાનપણ મા જે ટોપી પેહનતા હતા તે ધુણો હાલ પણ તે સમી ગામ મા મોજૂદ છે અને અત્યારે તેમની રોજ પૂજા થાય છે.<ref>{{Cite news|url=http://www.anand-ashram.com/creation-and-research/introduction-of-gujarati-saint-poet/|title=Introduction of Gujarati Saint Poet|date=૧૦ નવેમ્બર ૨૦૧૦|newspaper=આનંદ આશ્રમ|language=en-US|access-date=૨૮ જાન્યુઆરી ૨૦૧૭}}</ref> તેમના શિષ્યોમાંથી [[ઘોઘાવદર (તા. ગોંડલ)|ઘોઘાવદર]]ના [[દાસી જીવણ]] સાહેબ અને થાનગઢના [[અક્કલ સાહેબ]] સમર્થ સંતો પાક્યા છે. તેમના ગુરુ સંતશ્રી [[ત્રિકમ સાહેબ]] હતા. {{સંદર્ભો}} {{સ્ટબ}} [[category:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતના સંતો]] dhgtog6muvkrric7rgy58109bsppoc8 827257 827255 2022-08-18T16:17:04Z KartikMistry 10383 [[Special:Contributions/106.216.98.139|106.216.98.139]] ([[User talk:106.216.98.139|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki '''ભીમ સાહેબ''' (જન્મ ૧૭૧૮, સમાધિ ૧૮૨૫) રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના [[મોરબી તાલુકો|મોરબી તાલુકા]]માં આવેલા આમરણ ગામમાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં થયેલો.<ref>{{Cite news|url=http://www.anand-ashram.com/creation-and-research/introduction-of-gujarati-saint-poet/|title=Introduction of Gujarati Saint Poet|date=૧૦ નવેમ્બર ૨૦૧૦|newspaper=આનંદ આશ્રમ|language=en-US|access-date=૨૮ જાન્યુઆરી ૨૦૧૭}}</ref> તેમના શિષ્યોમાંથી [[ઘોઘાવદર (તા. ગોંડલ)|ઘોઘાવદર]]ના [[દાસી જીવણ]] સાહેબ અને થાનગઢના [[અક્કલ સાહેબ]] સમર્થ સંતો પાક્યા છે. તેમના ગુરુ સંતશ્રી [[ત્રિકમ સાહેબ]] હતા. {{સંદર્ભો}} {{સ્ટબ}} [[category:ધાર્મિક સાહિત્યકાર]] [[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] [[શ્રેણી:ગુજરાતના સંતો]] 967e3jdstsvwzfarftolghmhd3chdc0 વડાળા (તા. પોરબંદર) 0 34242 827249 827242 2022-08-18T14:34:07Z Snehrashmi 41463 [[Special:Contributions/2409:4041:E09:C332:4A1D:840C:D5E9:DE6A|2409:4041:E09:C332:4A1D:840C:D5E9:DE6A]] ([[User talk:2409:4041:E09:C332:4A1D:840C:D5E9:DE6A|talk]])એ કરેલો ફેરફાર 827242 પાછો વાળ્યો wikitext text/x-wiki {{Infobox Indian jurisdiction | type = ગામ | native_name = વડાળા | state_name = ગુજરાત | district = પોરબંદર | taluk_names = [[પોરબંદર તાલુકો|પોરબંદર]] |સ્થિતિ=યોગ્ય | latd = 21.835767| longd=69.453628 | area_total = | altitude = | population_total = | population_as_of = | population_density = | leader_title_1 = | leader_name_1 = | leader_title_2 = | leader_name_2 = | footnotes = | blank_title_1 = સગવડો | blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી | blank_title_2 = મુખ્ય વ્યવસાય | blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]] | blank_title_3 = મુખ્ય ખેતપેદાશ | blank_value_3 = [[ઘઉં]], [[બાજરી]],[[કપાસ]],[[દિવેલી|દિવેલા]],<br/> [[રજકો]], [[શાકભાજી]] | blank_title_4 = | blank_value_4 = }} '''વડાળા (તા. પોરબંદર)''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[પોરબંદર જિલ્લો| પોરબંદર જિલ્લા]]માં આવેલા [[પોરબંદર તાલુકો| પોરબંદર તાલુકા]]માં આવેલું એક ગામ છે. વડાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે. {{ગુજરાત ગામ સ્ટબ}} [[શ્રેણી:પોરબંદર તાલુકો]] [[શ્રેણી:સૌરાષ્ટ્ર]] l4j1t3zhka7x1qbgq1k71cqc7vn4f9c વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/સોમનાથ જિલ્લો 4 40891 827296 215327 2022-08-19T10:07:09Z 2402:3A80:1541:E39B:0:1A:134:A01 dileted page wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/Mrs. Veeda Menezes vs Yusuf Khan And Anr on 31 March, 1966 4 41245 827300 216630 2022-08-19T10:18:09Z Darshit kumbhani1212 70287 west ditels wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 વિનોદ કિનારીવાલા 0 68874 827252 827204 2022-08-18T14:53:07Z Snehrashmi 41463 મેન્યુઅલ રીવર્ટ wikitext text/x-wiki {{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no }} '''વિનોદ કિનારીવાલા''' (૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ – ૯ ઓગસ્ટ ૧૯૪૨) [[અમદાવાદ]]ની [[ગુજરાત કૉલેજ]]ના વિદ્યાર્થી હતા. [[મહાત્મા ગાંધી]] દ્વારા શરૂ કરાયેલ [[ભારત છોડો આંદોલન]]ના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કૉલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટીશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.<ref name="toi"/> બ્રિટીશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા. == જીવન પરિચય == વિનોદ કિનારીવાલાનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ જમનાદાસ કિનારીવાલાને ત્યાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલા હોલમાંથી પૂર્ણ કર્યું હતું અને તે હાઈસ્કૂલના ટોચના વિદ્યાર્થીઓમાંના એક હતા. તેઓ ભારતના અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થી હતા.<ref name=":1">{{Cite book|last=Chopra|first=P. N.|url=https://books.google.com/books?id=urqvDQAAQBAJ&q=kinariwala&pg=RA2-PA1931|title=Who's Who of Indian Martyrs|publisher=Ministry of Education and Youth Services, Government of India|year=1969|isbn=978-81-230-2180-5|volume=I|pages=1931}}</ref> [૧] મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ભારત છોડો ચળવળ ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ શરૂ થઈ. બીજા દિવસે લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગુજરાત કોલેજ પહોંચી હતી જ્યાં અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયા હતા. પોલીસે રેલીને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. કોલેજની સામે વિરોધ કરતી વખતે ભારતીય ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવા બદલ બ્રિટિશ સહાયક અધિક્ષક પોલીસે કિન્નરીવાલાની ગોળી મારીને હત્યા કરી હતી.<ref>{{Cite web|url=https://www.gstv.in/not-forget-about-the-martyrdom-of-shahid-vinod-kanneriwala-of-ahmedabad-and-his-story/|title=અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની વીરતા અને તેની કહાની ન ભૂલી શકાય|date=2018-08-14|website=GSTV|language=en-US|access-date=2020-02-28}}</ref><ref name="toi">{{cite news|title=Tributes to Quit India Movement martyrs|url=http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4&sectid=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|archive-url=https://archive.today/20130217160211/http://mobiletoi.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4&sectid=edid=&edlabel=TOIA&mydateHid=08-08-2012&pubname=Times+of+India+-+Ahmedabad&edname=&articleid=Ar00406&publabel=TOI|url-status=dead|archive-date=17 February 2013|access-date=2 April 2013|newspaper=Times of India|date=17 February 2013}}</ref> == વિરાસત == ૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મારક અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં [[જયપ્રકાશ નારાયણ]] દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.<ref name="toi" /><ref name="g">{{Cite web|title = Veer Vinod Kinariwala Memorial|url = http://gasc.gujarat.gov.in/handc.html|publisher = Gujarat College, Government of Gujarat|access-date = ૩ એપ્રિલ ૨૦૧૩|archive-date = 2015-08-28|archive-url = https://web.archive.org/web/20150828004159/http://gasc.gujarat.gov.in/handc.html|url-status = dead}}</ref> આ સ્મારકની રચના [[રવિશંકર રાવળ|રવિશંકર રાવળે]] કરી હતી. તેમાં એક નવયુવાનને માતેલા સાંઢને શિંગડાથી ઘસડી જતો દર્શાવાયો છે જે બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ યુવાનોના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં ભારતીય ધ્વજ અને તૂટેલી હાથકડી સાથેના એક હાથને પણ દર્શાવવામાં આવ્યો છે જે સ્વતંત્રતા ચળવળનું પ્રતીક છે.<ref name=":0">{{Cite web|url=https://www.dnaindia.com/ahmedabad/report-gujarat-vinod-kinariwala-memorial-reminds-of-sacrifices-for-freedom-2780495|title=Gujarat: Vinod Kinariwala Memorial reminds of sacrifices for freedom|date=2019-08-10|website=DNA India|language=en|access-date=2020-02-28}}</ref> દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ, અખિલ ભારાતીય લોકતાંત્રિક વિદ્યાર્થી સંગઠન દ્વારા તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.<ref name="toi" /> જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને ''શહીદ વીર કિનારીવાલા માર્ગ'' નામ આપવામાં આવ્યું છે.<ref name="g" /> == સંદર્ભ == {{Reflist}} [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]] [[શ્રેણી:૧૯૨૪માં જન્મ]] [[શ્રેણી:૧૯૪૨માં મૃત્યુ]] joo3guf2r6ajyi0i2pfdhgdr53y858k સિતાંશુ યશશ્ચન્દ્ર 0 69055 827306 821839 2022-08-19T11:06:08Z Gazal world 28391 Happy Birthday "Sitanshu Yashaschandra" wikitext text/x-wiki {{Infobox writer | name=સિતાંશુ યશશ્ચન્દ્ર | image= Writer Sitanshu Yashaschandra Mehta at Loktak lake.jpg | caption = લોકટક તળાવ ખાતે, ડીસેમ્બર ૨૦૧૬ | birth_name=સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા | birth_date=[[ઓગસ્ટ ૧૯|૧૯ ઓગસ્ટ]], ૧૯૪૧ | birth_place=[[ભુજ]], [[કચ્છ]], [[ગુજરાત]], ભારત | death_date= | death_place= | occupation= કવિ, વિવેચક | period= | language = [[ગુજરાતી]] | nationality= ભારતીય | influenced= | signature=Sitanshu Yashaschandra signature.svg | awards = {{plainlist| * [[પદ્મશ્રી]] (૨૦૦૬) * સાહિત્ય અકાદમી એવોર્ડ (૧૯૮૭) * [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] (૧૯૮૭) * [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] (૧૯૯૭) }} | spouse = {{marriage|અંજનીબેન|8 May 1966}} }} '''સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા''', કે જેઓ '''સિતાંશુ યશશ્ચન્દ્ર''' (જન્મ [[ઓગસ્ટ ૧૯|૧૯ ઓગસ્ટ]] ૧૯૪૧) તરીકે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી છે.<ref name=aa>{{cite book|url=https://books.google.co.in/books?id=mSrEUjm674AC&pg=PA303&dq=sitanshu+Yashaschandra&hl=en&sa=X&ei=tF_FU6OIKdCjugTS34KADQ&ved=0CCwQ6AEwBDgK|title=Gestures: An Anthology of South Asian Poetry|first=Saccidānandan|last=a|publisher=Sahitya Akademi|year=૧૯૯૬|isbn=9788126000197|page=૩૦૩}}</ref> તેમનાં કાવ્ય સંગ્રહ ''[[જટાયુ (કવિતા સંગ્રહ)|જટાયુ]]'' માટે તેમને ૧૯૮૭નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) પ્રાપ્ત થયો હતો. ૨૦૦૬માં તેમને ભારત સરકાર તરફથી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર [[પદ્મશ્રી]] એનાયત કરવામાં આવ્યો હતો.<ref name="Padma Awards">{{cite web | url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf | title=Padma Awards | publisher=Ministry of Home Affairs, Government of India | date=૨૦૧૫ | access-date= ૨૧ જુલાઇ ૨૦૧૫ |archive-url=https://web.archive.org/web/20171019215108/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|archive-date=૧૯ ઓક્ટોબર ૨૦૧૭}}</ref> == જીવન == તેમનો જન્મ [[ઓગસ્ટ ૧૯|૧૯ ઓગસ્ટ]] ૧૯૪૧ના રોજ [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના [[ભુજ]]માં થયો હતો.<ref name=pi>{{cite web|url=http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/11819/27/Sitanshu-Yashaschandra|title=Sitanshu Yashaschandra|work=Poetry International Rotterdam|date=૧ જુલાઇ ૨૦૦૮|access-date= ૯ જુલાઇ ૨૦૧૪|archive-url=https://web.archive.org/web/20180928011945/https://www.poetryinternationalweb.net/pi/site/poet/item/11819/27/Sitanshu-Yashaschandra|archive-date=૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮}}</ref><ref>{{cite book|title=Modern Indian literature, an anthology|volume=3|publisher=Sāhitya Akādemī|first=K. M.|last=George|year=૧૯૯૨|isbn=9788172013240|url=https://books.google.co.in/books?id=BfpjAAAAMAAJ&q=sitanshu+Yashaschandra&dq=sitanshu+Yashaschandra&hl=en&sa=X&ei=zGHFU8bTEJaeugSW4YDYBw&ved=0CEUQ6AEwCTgK|page=૫૭૯}}</ref> === કારકિર્દી === [[File:Department of Gujarati at M S University.jpg|thumb|એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનું મકાન]] ૧૯૭૨થી તેમણે [[મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય]] ખાતે ગુજરાતીનું અધ્યાપન શરૂ કર્યું હતું. તેઓ સારબોન યુનિવર્સિટી, લોયોલા મેરમાઉન્ટ યુનિવર્સિટી અને [[જાદવપુર યુનિવર્સિટી]]માં મુલાકાતી અધ્યાપક હતા. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનમાં તેઓ નિવૃત્ત અધ્યાપક અને રાષ્ટ્રીય વ્યાખ્યાતા રહી ચૂકેલા. સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા.<ref name=pi /><ref name="a">{{cite web|url=http://www.adaptssi.org/trusteeandgovernngbody.html|work=Adapt Org|title=Trustees and Governing body|access-date=2015-09-28|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304113245/http://www.adaptssi.org/trusteeandgovernngbody.html|url-status=dead}}</ref><ref name=sa>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/aboutus/worldpoetryfest_3.jsp|title=World Poetry Fest Participants|publisher=Sahitya Akademi|access-date=૧૧ જુલાઇ ૨૦૧૪|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304023611/http://sahitya-akademi.gov.in/sahitya-akademi/aboutus/worldpoetryfest_3.jsp|url-status=dead}}</ref> તેમને તુલનાત્મક સાહિત્યના વિષયમાં સંશોધન માટે ફૂલબ્રાઇટ શિષ્યવૃત્તિ અને ફોર્ડ વેસ્ટ યુરોપિયન ફેલોશીપ મળેલી. આ જ વિષયમાં તેમણે અમેરિકાની ઇન્ડયાના યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી ખાતે કાર્ય કરેલું.<ref name="pi" /><ref name="a" /> સૌરાષ્ટ યુનિવર્સિટીમાં તેઓ ઉપ-કુલપતિ રહેલા. તેમણે શિક્ષણ વડોદરા અને [[મુંબઈ]]માંથી લીધું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરિકે સેવાઓ આપી. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. તેઓ ભારત પાછા ફર્યા તે પૂર્વે એક વર્ષ [[ફ્રાન્સ|ફ્રાંસ]]માં નિવાસ કર્યો અને ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું તથા શૅક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી. ===અંગત જીવન=== તેમણે ૮ મે ૧૯૬૬ના રોજ અંજનીબેન સાથે લગ્ન કર્યા. તેમની પુત્રી વિપાશાનો જન્મ ૧૯૭૧માં, જ્યારે તેમના પુત્ર આરણ્યકનો જન્મ ૧૯૭૮માં થયો.<ref>{{cite thesis |last=ઉપાધ્યાય |first=દર્શના |title=સર્જક સિતાંશુ યશશ્ચન્દ્ર: કાવ્ય અને નાટ્ય-સાહિત્ય સંદર્ભે: એક અભ્યાસ |url=https://shodhganga.inflibnet.ac.in/handle/10603/98131 |type=Ph.D |language=gu |year=૩૧ ડિસેમ્બર ૨૦૦૭ |chapter=પ્રકરણ ૬ |publisher=ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી |location=વલ્લભ વિદ્યાનગર |pages=૭૭૨-૭૭૫}}</ref> == સર્જન == તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખાણ લખ્યું છે, પરંતુ તેમનાં પુસ્તકો હિંદી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલા છે.<ref name="pi" /> [[પરાવાસ્તવવાદ|અતિવાસ્તવવાદ]] તેમની મુખ્ય શૈલી ગણાય છે.<ref>{{cite book|url=https://books.google.co.in/books?id=AXiNXRM_KzMC&pg=PA93&dq=sitanshu+Yashaschandra&hl=en&sa=X&ei=6V3FU4TYBsuyuATLroKwCQ&ved=0CCUQ6AEwAg|title=Indian Poetry: Modernism and After : a Seminar|first=Chandrakant|last =Topiwala|page=93|publisher=Sahitya Akademi|year= ૨૦૦૧|isbn=9788126010929}}</ref> તેમણે ૧૯૯૩ની હિંદી ફિલ્મ ''માયા મેમસાબ''ની અભિનયવાર્તા લખી હતી, જે ગુસ્તાવ ફ્લોબર્ટની ''મેડમ બોવરી'' પર આધારિત હતી.<ref>{{IMDb name|0946575}}</ref> === પુસ્તકો === ==== કવિતા ==== * ''ઓડિસીયસનું હલેસું'', આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૧૯૭૪ * ''મોએં-જો-દડો'' (ઓડિયો કેસેટ પર કવિતા), ૧૯૭૮ * [[જટાયુ (કવિતા સંગ્રહ)|''જટાયુ'']], આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૧૯૮૬ * ''વખાર'', આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૨૦૦૮ ==== નાટકો ==== * ''જાગીને જોયું તો'' * ''લેડી લાલકુંવર'' * ''વૈશાખી કોયલ'' * ''અશ્વત્થામા આજે પણ જીવે છે (અને હણાય છે)'' * ''ખગ્રાસ'' * ''આ માણસ મદ્રાસી લાગે છે'' * ''તોખાર'', પિયર શેફરના ''ઈકવસ''નું ગુજરાતી રૂપાંતર * ''કેમ મકનજી, ક્યાં ચાલ્યા?'' ==== સાહિત્ય-સિદ્ધાંત, વિવેચન વગેરે ==== * ''રમણીયતાનો વાગ્વિકલ્પ'', આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૧૯૭૯ * ''અસ્યા સારગા વિધાઓ'', ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી, મુંબઈ યુનિવર્સિટી, ૨૦૦૨ == પુરસ્કારો == * ૧૯૮૭માં તેમનાં કાવ્ય સંગ્રહ ''જટાયુ'' માટે તેમને ગુજરાતી લેખકનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો.<ref name=aa /> * ૧૯૮૭માં જ તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] પ્રાપ્ત થયો હતો. * ૧૯૯૭માં તેમના પુસ્તક ''કહો મકનજી ક્યાં ચાલ્યા ?'' માટે [[નર્મદ સુવર્ણ ચંદ્રક]] * ૨૦૦૬માં તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર [[પદ્મશ્રી]] એનાયત થયેલો.<ref>{{cite web|title=Padma Awards Directory (1954–2013)|publisher=Ministry of Home Affairs (India)|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|access-date=2015-09-28|archive-date=2014-11-15|archive-url=https://www.webcitation.org/6U68ulwpb?url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|url-status=dead}}</ref><ref>{{cite news|url=http://archive.mid-day.com/news/2006/mar/134105.htm|title=Corea~ Khare given Padma awards|place=New Delhi|publisher=Mid Day|date=૨૯ માર્ચ ૨૦૦૬|access-date=૯ જુલાઇ ૨૦૧૪|archive-date=2016-03-04|archive-url=https://web.archive.org/web/20160304022555/http://archive.mid-day.com/news/2006/mar/134105.htm|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://pib.nic.in/release/rel_print_page1.asp?relid=16900|publisher=Press Information Bureau, Government of India|title=President presents second set of civil investiture Awards for 2006|date=૨૯ માર્ચ ૨૦૦૬|access-date = ૧૨ જુલાઇ ૨૦૧૪}}</ref> * તેમને રાષ્ટ્રીય કબીર સન્માન, ઇન્ડિયન નેશન થિએટર - [[ગુજરાત સમાચાર]] પુરસ્કાર, ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે.<ref name=aa /><ref name="sa" /> * ૨૦૧૭માં તેમને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સમ્માન, તેમના કાવ્યસંગ્રહ ''વખાર'' માટે પ્રાપ્ત થયું.<ref name="India Today 2018">{{cite web | title=Gujarati poet Sitanshu Yashaschandras "Vakhar" chosen for Saraswati Samman | website=India Today | date=૨૦૧૮-૦૪-૨૭ | url=https://www.indiatoday.in/pti-feed/story/gujarati-poet-sitanshu-yashaschandras-vakhar-chosen-for-saraswati-samman-1221702-2018-04-27 | access-date=૨૦૧૮-૦૪-૨૭}}</ref> == સંદર્ભ == {{Reflist|2}} == બાહ્ય કડીઓ == {{Commons category|Sitanshu Yashaschandra|સિતાંશુ યશશ્ચન્દ્ર}} * [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sitanshu-Mehta.html ગુજરાતીસાહિત્યપરિષદ.કોમ પર પરિચય] * {{Google Books|id=eAA7JME-rXgC}} * {{IMDb name|0946575}} [[શ્રેણી:૧૯૪૧માં જન્મ]] [[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]] [[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]] [[શ્રેણી:જીવિત લોકો]] [[શ્રેણી:પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ]] [[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]] [[શ્રેણી:નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા]] rvxl9ej4r0bo143sklfa48pwj8ihkjv ભાસ્કરાચાર્ય 0 71133 827263 783391 2022-08-18T21:24:05Z Hororoka 35468 wikitext text/x-wiki '''ભાસ્કરાચાર્ય''' અથવા '''ભાસ્કર દ્વિતિય''' (ઇ.સ. ૧૧૧૪ - ઇ.સ. ૧૧૮૫) પ્રાચીન ભારતનાં એક મહાન ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા. તેના દ્વારા રચવામાં આવેલો મુખ્યગ્રંથ સિદ્ધાંત શિરોમણી છે. જેમાં લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલાધ્યાય નામના ચાર ભાગો છે. આ ચારેય ભાગ ક્રમશઃ અંકગણિત, બીજગણિત, ગ્રહો સબંધિત ગતિ તથા ગોલ સબંધિત છે. આધુનિક યુગમાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ (પદાર્થોને પોતાની તરફ ખેંચનારી શક્તિ)ની શોધ કરવાનું શ્રેય [[આઇઝેક ન્યૂટન|ન્યૂટન]]ને આપવામાં આવે છે, પણ ગુરુત્વાકર્ષણનું રહસ્ય ન્યૂટનના જન્મની કેટલીએ સદીઓ પહેલા ભાસ્કરાચાર્યે ઊજાગર કર્યું હતું. ભાસ્કરાચાર્યે પોતાના સિદ્ધાંત શિરોમણી ગ્રંથમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના વિષય પર લખ્યું છે કે, 'પૃથ્વી આકાશીય પદાર્થોને વિશિષ્ટ શક્તિથી પોતાની તરફ ખેંચે છે. આ કારણથી આકાશીય પિંડ પૃથ્વી પર પડે છે.' તેમણે ''કારણકૌતુહલ'' નામના એક અન્ય ગ્રંથની પણ રચના કરી હતી. તે એ સમયના સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા. તેમને મધ્યકાલીન ભારતના મહાન ગણિતજ્ઞ માનવામાં આવે છે. એક કથન અનુસાર તેઓ ઉજ્જૈન વેધશાળાનાં અધ્યક્ષ પણ હતાં. તેમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં સહ્યાદ્રિ પર્વત નજીક મહારાષ્ટ્રમાં આવેલા પાટણ નામનું ગામમાં થયો હતો.<ref>{{cite book|author= T. A. Saraswathi|chapter= Bhaskaracharya|title= Cultural Leaders of India - Scientists|publisher= Publications Division Ministry of Information & Broadcasting|url=https://books.google.co.in/books?id=ts4oDwAAQBAJ&pg=PT106&dq=bhaskaracharya+patan|year = 2017}}</ref> તેમને ગણિતનું જ્ઞાન તેમના ૠષિતુલ્ય પિતા પાસેથી પ્રાપ્ત થયું હતું. પાછળથી બ્રહ્મગુપ્તના પુસ્તકોમાંથી પણ પ્રેરણા મેળવી હતી. તેમનું સમગ્ર જીવન ગણિત માટે સમર્પિત હતું. == સર્જન == ભાસ્કરાચાર્યનું સર્જન ભારત અને સમગ્ર માનવજાતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભાસ્કરાચાર્ય પ્રથમ એવા ગણિતજ્ઞ હતા કે જેમણે તે સમયે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે કોઇ સંખ્યાને જ્યારે શૂન્યથી વિભક્ત કરવામાં આવે છે ત્યારે તે અનંત થઇ જાય છે. કોઇ સંખ્યે અને અનંતની જોડ પણ અનંત હોય છે. ખગોળવિદ્દના રુપમાં ભાસ્કરાચાર્ય પોતાની તાત્કાલિક ગતિની અવધારણા માટે પ્રસિદ્ધ છે. તેનાથી ખગોળ વેજ્ઞાનિકોને ગ્રહોના સ્થાનની પરખ કરવામાં મદદ મળે છે. બીજગણિતમાં ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્તને પોતાના ગુરુ માનતા હતા અને તેમણે બ્રહ્મગૌપ્તના કામને આગળ વધાર્યું હતું. બીજગણિતના કોયડાઓને સુલઝાવવા માટે તેમણે ચક્રવાલની તરકીબ અજમાવી. તે એમનું એક મહત્વપૂર્ણ યોગદાન છે. છ સદીઓ પછી પણ યુરોપિયન ગણિતજ્ઞો જેવા કે ગેલેલિયો, લુઅર અને લગરાંજે આ તરકીબની ફરીથી શોધ કરી અને 'ઇનવર્સ સાયક્લિક' તરીકે ઓળખાવી. કોઇપણ ગોળાર્ધનું ક્ષેત્ર અને આયતન નક્કી કરવા માટેનું પ્રથમ વર્ણન પણ તેમના પુસૂતકમાં જોવા મળે છે. તેમાં ત્રિકોણમિતિના કેટલાક મહત્વપૂર્ણ સૂત્રો, પ્રમેય અને ક્રમચયનું વર્ણન જોવા મળે છે. ભાસ્કરાચાર્યને અવકલ ગણિતના સંસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે આની અવધારણા આઇજૈક ન્યૂટન અને ગોટફ્રાઇડ લૈબ્નીજથી કેટલીએ સદીઓ પૂર્વે કરી હતી. આ બન્ને યુરોપિય ગણિતજ્ઞોને પશ્વિમમાં આ વિષયના સંસ્થાપક માનવામાં આવઃ છે. તેને પ્રવર્તમાન સમયમાં અવકલ ગુણાંક અને રોલ્સના પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. સન ૧૧૫૦માં તેમણે સિદ્ધાત શિરોમણી નામનું પુસ્તક સંસ્કૃત શ્લોકોમાં ૪ ભાગોમાં લખ્યું હતું. જે આ પ્રમાણે છે:  # ''પાટીગણિતાધ્યાય અથવા લીલાવતી'' # ''બીજગણિતાધ્યાય'' # ''ગ્રહગણિતાધ્યાય'' # ''ગોલાધ્યાય'' આ પૈકીના પ્રથમ બે સ્વતંત્ર ગ્રંથો છે અને અંતિમ બે ભાગો સિદ્ધાત શિરોમણીના નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત કારણકુતૂહલ, વાસનાભાષ્ય (સિદ્ધાંત શિરોમણીનું ભાષ્ય) તથા ભાસ્કર વ્યવહાર અને ભાસૂકર વિવાહ નામનાં બે લઘુગ્રંથો પણ તેમણે લખ્યા છે. સર્વપ્રથમ તેમણે જ અંકગણિતીય ક્રિયાઓનો અપ્રમેય રાશિઓમાં પ્રયોગ કર્યો. ગણિતને તેમની સર્વોત્તમ દેનરુપે ચક્રિય વિધિ દ્વારા આવિષ્કૃત, અનિશ્વિત અને વર્ગ સમીકરણના અનેક ઉકેલો આપ્યા. ભાસ્કરાચાર્યના ગ્રંથોની મુખ્ય વિશેષતાઓમાં ત્રિપ્રશ્નાધિકારની નવી નીતિઓ, ઉદયાંતર કાળનું સ્પષ્ટ વિવેચન વગેરે છે. ભાસ્કરાચાર્યને અનંત અને કલનના કેટલાક સૂત્રોનું પણ જ્ઞાન હતું. આ ઉષરાંત તેમણે તાત્કાલિક ગતિનાં સિદ્ધાંતરુપે પ્રતિપાદિત કર્યું કે: : ''' d (જ્યા q) = (કોટિજ્યા q) . dq''' : શબ્દોમાં: ''बिम्बार्धस्य कोटिज्या गुणस्त्रिज्याहारः फलं दोर्ज्यायोरान्तरम्'' ન્યૂટનનો જન્મ થયો તેના ૮૦૦ વર્ષ પહેલા જ ભાસ્કરાચાર્યએ પોતાના ગ્રંથ ગોલાધ્યાયમાં ''માધ્યકર્ષણતત્વ''ના નામે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોનું વિસ્તૃત રીતે વર્ણન કર્યું છે. ઉપરાંત ભાસ્કરાચાર્ય એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે દશાંશ ગણિત પ્રણાલીની પ્રથમ વખત ક્રમિકરુપમાં વ્યાખ્યા કરી છે. તેમના ગ્રંથો પર અનેક પિપ્પણીઓ અને દેશી તથા વિદેશી ભાષામાં અનુવાદો કરાયા છે. ૩૯ વર્ષની વયે તેમણે પોતાનું દ્વિતિય પુસ્તક 'કરણકુતૂહલ' લખ્યું હતું.  આ પુસ્તકમાં ખગોળ વિજ્ઞાનની ગણના છે. == સન્માન == ૨૦ ઓક્ટોબર ૧૯૮૧ના રોજ ભારતની અવકાશ સંશોધન સંસ્થા, [[ઇસરો]] દ્વારા છોડાયેલ ઉપગ્રહને ''ભાસ્કર ૨'' નામ અપાયું હતું.<ref>{{Cite web|url=https://nssdc.gsfc.nasa.gov/nmc/spacecraftDisplay.do?id=1979-051A|title=NASA - NSSDCA - Spacecraft - Details|last=|first=|date=|website=nssdc.gsfc.nasa.gov|publisher=|access-date=૩૧ ઓક્ટોબર ૨૦૧૭}}</ref> ==સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{Cite book|url=http://books.google.co.in/books?id=BM_OicNy7UYC&printsec=frontcover#v=onepage&q&f=false|title=Bhaskaracharya|last=Mule|first=Guṇakar|date=૨૦૧૧|publisher=Rajkamal Prakashan|isbn=9788126719778|language=hi}} * {{Cite book|url=http://books.google.co.in/books?id=YJIyJGBdcgUC&printsec=frontcover#v=onepage&q&f=false|title=Goladhayaya|last=Joshi|first=Kedardatt|date=૨૦૦૪|publisher=Motilal Banarsidass Publishe|isbn=9788120824751|language=hi}} * [http://www.abhivyakti-hindi.org/vigyan_varta/vigyan/2010/bhaskaracharya.htm प्राचीन भारत के महान वैज्ञानिक: भास्कराचार्य] (डॉ॰ विजय कुमार उपाध्याय) * [http://news.iskcon.com/node/2721 Indians Knew the Laws of Gravity 500 Years Before Newton]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [http://www.4to40.com/legends/index.asp?article=legends_bhaskara Bhaskara] {{Webarchive|url=https://web.archive.org/web/20051201205501/http://www.4to40.com/legends/index.asp?article=legends_bhaskara |date=2005-12-01 }} * [http://itihaasam.blogspot.com/2009/01/blog-post_8758.html भारत में गणित का इतिहास] [[શ્રેણી:ભારતીય ગણિતજ્ઞ]] h7l3mytmuyusjgo2v7m8sq7wc7gjyhu 827270 827263 2022-08-19T03:33:54Z KartikMistry 10383 સુધારો. wikitext text/x-wiki '''ભાસ્કરાચાર્ય''' અથવા '''ભાસ્કર દ્વિતિય''' (ઇ.સ. ૧૧૧૪ - ઇ.સ. ૧૧૮૫) પ્રાચીન ભારતનાં એક મહાન ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા. તેના દ્વારા રચવામાં આવેલો મુખ્યગ્રંથ સિદ્ધાંત શિરોમણી છે. જેમાં લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલાધ્યાય નામના ચાર ભાગો છે. આ ચારેય ભાગ ક્રમશઃ અંકગણિત, બીજગણિત, ગ્રહો સબંધિત ગતિ તથા ગોલ સબંધિત છે. આધુનિક યુગમાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ (પદાર્થોને પોતાની તરફ ખેંચનારી શક્તિ)ની શોધ કરવાનું શ્રેય [[આઇઝેક ન્યૂટન|ન્યૂટન]]ને આપવામાં આવે છે, પણ ગુરુત્વાકર્ષણનું રહસ્ય ન્યૂટનના જન્મની કેટલીએ સદીઓ પહેલા ભાસ્કરાચાર્યે ઊજાગર કર્યું હતું. ભાસ્કરાચાર્યે પોતાના સિદ્ધાંત શિરોમણી ગ્રંથમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના વિષય પર લખ્યું છે કે, 'પૃથ્વી આકાશીય પદાર્થોને વિશિષ્ટ શક્તિથી પોતાની તરફ ખેંચે છે. આ કારણથી આકાશીય પિંડ પૃથ્વી પર પડે છે.' તેમણે ''કારણકૌતુહલ'' નામના એક અન્ય ગ્રંથની પણ રચના કરી હતી. તે એ સમયના સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા. તેમને મધ્યકાલીન ભારતના મહાન ગણિતજ્ઞ માનવામાં આવે છે. એક કથન અનુસાર તેઓ ઉજ્જૈન વેધશાળાનાં અધ્યક્ષ પણ હતાં. તેમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ પર્વતમાળા નજીક આવેલા પાટણ ગામમાં થયો હતો.<ref>{{cite book|author= T. A. Saraswathi|chapter= Bhaskaracharya|title= Cultural Leaders of India - Scientists|publisher= Publications Division Ministry of Information & Broadcasting|url=https://books.google.co.in/books?id=ts4oDwAAQBAJ&pg=PT106&dq=bhaskaracharya+patan|year = 2017}}</ref> તેમને ગણિતનું જ્ઞાન તેમના ૠષિતુલ્ય પિતા પાસેથી પ્રાપ્ત થયું હતું. પાછળથી બ્રહ્મગુપ્તના પુસ્તકોમાંથી પણ પ્રેરણા મેળવી હતી. તેમનું સમગ્ર જીવન ગણિત માટે સમર્પિત હતું. == સર્જન == ભાસ્કરાચાર્યનું સર્જન ભારત અને સમગ્ર માનવજાતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભાસ્કરાચાર્ય પ્રથમ એવા ગણિતજ્ઞ હતા કે જેમણે તે સમયે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે કોઇ સંખ્યાને જ્યારે શૂન્યથી વિભક્ત કરવામાં આવે છે ત્યારે તે અનંત થઇ જાય છે. કોઇ સંખ્યે અને અનંતની જોડ પણ અનંત હોય છે. ખગોળવિદ્દના રુપમાં ભાસ્કરાચાર્ય પોતાની તાત્કાલિક ગતિની અવધારણા માટે પ્રસિદ્ધ છે. તેનાથી ખગોળ વેજ્ઞાનિકોને ગ્રહોના સ્થાનની પરખ કરવામાં મદદ મળે છે. બીજગણિતમાં ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્તને પોતાના ગુરુ માનતા હતા અને તેમણે બ્રહ્મગૌપ્તના કામને આગળ વધાર્યું હતું. બીજગણિતના કોયડાઓને સુલઝાવવા માટે તેમણે ચક્રવાલની તરકીબ અજમાવી. તે એમનું એક મહત્વપૂર્ણ યોગદાન છે. છ સદીઓ પછી પણ યુરોપિયન ગણિતજ્ઞો જેવા કે ગેલેલિયો, લુઅર અને લગરાંજે આ તરકીબની ફરીથી શોધ કરી અને 'ઇનવર્સ સાયક્લિક' તરીકે ઓળખાવી. કોઇપણ ગોળાર્ધનું ક્ષેત્ર અને આયતન નક્કી કરવા માટેનું પ્રથમ વર્ણન પણ તેમના પુસૂતકમાં જોવા મળે છે. તેમાં ત્રિકોણમિતિના કેટલાક મહત્વપૂર્ણ સૂત્રો, પ્રમેય અને ક્રમચયનું વર્ણન જોવા મળે છે. ભાસ્કરાચાર્યને અવકલ ગણિતના સંસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે આની અવધારણા આઇજૈક ન્યૂટન અને ગોટફ્રાઇડ લૈબ્નીજથી કેટલીએ સદીઓ પૂર્વે કરી હતી. આ બન્ને યુરોપિય ગણિતજ્ઞોને પશ્વિમમાં આ વિષયના સંસ્થાપક માનવામાં આવઃ છે. તેને પ્રવર્તમાન સમયમાં અવકલ ગુણાંક અને રોલ્સના પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. સન ૧૧૫૦માં તેમણે સિદ્ધાત શિરોમણી નામનું પુસ્તક સંસ્કૃત શ્લોકોમાં ૪ ભાગોમાં લખ્યું હતું. જે આ પ્રમાણે છે:  # ''પાટીગણિતાધ્યાય અથવા લીલાવતી'' # ''બીજગણિતાધ્યાય'' # ''ગ્રહગણિતાધ્યાય'' # ''ગોલાધ્યાય'' આ પૈકીના પ્રથમ બે સ્વતંત્ર ગ્રંથો છે અને અંતિમ બે ભાગો સિદ્ધાત શિરોમણીના નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત કારણકુતૂહલ, વાસનાભાષ્ય (સિદ્ધાંત શિરોમણીનું ભાષ્ય) તથા ભાસ્કર વ્યવહાર અને ભાસૂકર વિવાહ નામનાં બે લઘુગ્રંથો પણ તેમણે લખ્યા છે. સર્વપ્રથમ તેમણે જ અંકગણિતીય ક્રિયાઓનો અપ્રમેય રાશિઓમાં પ્રયોગ કર્યો. ગણિતને તેમની સર્વોત્તમ દેનરુપે ચક્રિય વિધિ દ્વારા આવિષ્કૃત, અનિશ્વિત અને વર્ગ સમીકરણના અનેક ઉકેલો આપ્યા. ભાસ્કરાચાર્યના ગ્રંથોની મુખ્ય વિશેષતાઓમાં ત્રિપ્રશ્નાધિકારની નવી નીતિઓ, ઉદયાંતર કાળનું સ્પષ્ટ વિવેચન વગેરે છે. ભાસ્કરાચાર્યને અનંત અને કલનના કેટલાક સૂત્રોનું પણ જ્ઞાન હતું. આ ઉષરાંત તેમણે તાત્કાલિક ગતિનાં સિદ્ધાંતરુપે પ્રતિપાદિત કર્યું કે: : ''' d (જ્યા q) = (કોટિજ્યા q) . dq''' : શબ્દોમાં: ''बिम्बार्धस्य कोटिज्या गुणस्त्रिज्याहारः फलं दोर्ज्यायोरान्तरम्'' ન્યૂટનનો જન્મ થયો તેના ૮૦૦ વર્ષ પહેલા જ ભાસ્કરાચાર્યએ પોતાના ગ્રંથ ગોલાધ્યાયમાં ''માધ્યકર્ષણતત્વ''ના નામે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોનું વિસ્તૃત રીતે વર્ણન કર્યું છે. ઉપરાંત ભાસ્કરાચાર્ય એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે દશાંશ ગણિત પ્રણાલીની પ્રથમ વખત ક્રમિકરુપમાં વ્યાખ્યા કરી છે. તેમના ગ્રંથો પર અનેક પિપ્પણીઓ અને દેશી તથા વિદેશી ભાષામાં અનુવાદો કરાયા છે. ૩૯ વર્ષની વયે તેમણે પોતાનું દ્વિતિય પુસ્તક 'કરણકુતૂહલ' લખ્યું હતું.  આ પુસ્તકમાં ખગોળ વિજ્ઞાનની ગણના છે. == સન્માન == ૨૦ ઓક્ટોબર ૧૯૮૧ના રોજ ભારતની અવકાશ સંશોધન સંસ્થા, [[ઇસરો]] દ્વારા છોડાયેલ ઉપગ્રહને ''ભાસ્કર ૨'' નામ અપાયું હતું.<ref>{{Cite web|url=https://nssdc.gsfc.nasa.gov/nmc/spacecraftDisplay.do?id=1979-051A|title=NASA - NSSDCA - Spacecraft - Details|last=|first=|date=|website=nssdc.gsfc.nasa.gov|publisher=|access-date=૩૧ ઓક્ટોબર ૨૦૧૭}}</ref> ==સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{Cite book|url=http://books.google.co.in/books?id=BM_OicNy7UYC&printsec=frontcover#v=onepage&q&f=false|title=Bhaskaracharya|last=Mule|first=Guṇakar|date=૨૦૧૧|publisher=Rajkamal Prakashan|isbn=9788126719778|language=hi}} * {{Cite book|url=http://books.google.co.in/books?id=YJIyJGBdcgUC&printsec=frontcover#v=onepage&q&f=false|title=Goladhayaya|last=Joshi|first=Kedardatt|date=૨૦૦૪|publisher=Motilal Banarsidass Publishe|isbn=9788120824751|language=hi}} * [http://www.abhivyakti-hindi.org/vigyan_varta/vigyan/2010/bhaskaracharya.htm प्राचीन भारत के महान वैज्ञानिक: भास्कराचार्य] (डॉ॰ विजय कुमार उपाध्याय) * [http://news.iskcon.com/node/2721 Indians Knew the Laws of Gravity 500 Years Before Newton]{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} * [http://www.4to40.com/legends/index.asp?article=legends_bhaskara Bhaskara] {{Webarchive|url=https://web.archive.org/web/20051201205501/http://www.4to40.com/legends/index.asp?article=legends_bhaskara |date=2005-12-01 }} * [http://itihaasam.blogspot.com/2009/01/blog-post_8758.html भारत में गणित का इतिहास] [[શ્રેણી:ભારતીય ગણિતજ્ઞ]] 60itkb0wqzeb9j29vdkyz3t09mg9lrj ઢાંચો:Asbox 10 71761 827266 759038 2022-08-19T02:09:30Z 2405:205:C800:F4FA:8ADA:DB11:2087:D0FE માલધારી ગીર બરડા અને આલેચ wikitext text/x-wiki ગીર બરડા અને આલેચ ના રબારી ભરવાડ અને ચારણ સમાજ ના ૧૭૫૫૧ પરીવાર હતા તે તેઓને આપેલ વીગત દશક કાડ પર થી ખબર પડે છે 7rlfv9gw7g2wfdh3edwczr4tk4kz7ea 827269 827266 2022-08-19T03:29:46Z KartikMistry 10383 [[Special:Contributions/2405:205:C800:F4FA:8ADA:DB11:2087:D0FE|2405:205:C800:F4FA:8ADA:DB11:2087:D0FE]] ([[User talk:2405:205:C800:F4FA:8ADA:DB11:2087:D0FE|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:Nieuwsgierige Gebruiker|Nieuwsgierige Gebruiker]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki <includeonly>{{#invoke:Asbox|main}}</includeonly><noinclude> {{documentation}} <!-- Add categories to the /doc subpage and interwikis to Wikidata. --> </noinclude> ksm2ygwb5s1f3x9t0pn08ktjf3admyc સભ્ય:મોભ દિલુભાઇ મધુભાઇ 2 84928 827256 509203 2022-08-18T16:00:50Z 114.31.188.140 wikitext text/x-wiki મોભ દિલુભાઇ સૂ ,મો નં 9601313528 ctl7sp9pufe0nj6l7q026w24cksy4x3 તાડકા 0 85459 827260 825647 2022-08-18T17:04:55Z 2409:4041:2E1E:CFBE:49AE:E03:BFB4:C55B wikitext text/x-wiki {{Infobox character|image=Taraka Ramayana.jpg|alt=તાડકા|caption=રામ દ્વારા તાડકા વધ|spouse=[[Sunda (asura)|સુંદા]]|children=[[Maricha|મરિચ]], [[Subahu|સુબાહુ]]}}તાડકા અથવા '''તાડકા''' રામાયણનું એક પાત્ર છે. એ મૂળ તો એક યક્ષ રાજકુમારી હતી જે પાછળથી રાક્ષસી બની હતી. પુત્ર પ્રાપ્તિમાટે એના પિતા,  યક્ષરાજ સુકેતુએ તપસ્યા કરી હતી. સુકેતુએ પુત્રની ઈચ્છા કરી હતી પણ બ્રહ્માએ તેમને શક્તિશાળી અને  સુંદર કન્યા આપી. તે સુંદર રાજકુમારીના લગ્ન સુંદ નામના એક અસુર રાજા સાથે થયા. તેના થકી તેને બે પુત્રો જન્મ્યા મરિચ અને સુબાહુ. == કથા == જ્યારે [[અગસ્ત્ય]] ઋષિએ તાડકાના પતિ, અસુર સુંદને મૃત્યુનો શ્રાપ આપ્યો ત્યારે તાડકા તેના પુત્ર સુબાહુની સહાયતા વડે પ્રતિશોધ લેવાનો નિર્ણય કર્યો અને તોડ ફોડ શરૂ કરી. આને કારણે ઋષિ તે બંને પર ક્રોધિત થયા. તાડકાએ તે બનેંને શ્રાપ આપ્યો કે તેમના સુંદર રૂપનો નાશ થશે અને તેઓ કદરૂપી  રાક્ષસી  પ્રાણી જેવા દેખાશે.  આ શાપના  પ્રભાવથી  તાડકા એક માનવ ભક્ષી કદરૂપી પ્રાણીમાં ફેરવાઈ ગઈ. શ્રાપ મળ્યા પછી તાડકા મલાજા ને કરુશ નજીક આવેલા જંગલમાં ગંગા અને શરયુ નદીના સંગમ પાસે રહેવા લાગી.  આ જંગલ તાડકાના જંગલ તરીકે ઓળખાવા લાગ્યું.  જે તે જંગલમાં જતું તેને તે ભસ્મ કરી દેતી. આથી લોકોમાં અત્યંગ ભય ફેલાયો.      બદલો લેવા માટે તાડકા અને તેનો પુત્ર સુબાહુ ઋષ્હિ મુનિઓને ત્રાસ દેવા લાગ્યા. જ્યાં પણ [[યજ્ઞ]] થતો હોય ત્યાં માંસ લોહી આદિ વર્ષાવતા. વિશ્વામિત્ર પણ તાડકાના ત્રાસવાદનો ભોગ બન્યા હતા. આ ત્રસ અસહ્ય બનતાં વિશ્વામિત્રે કોશલના મહારાજા દશરથની સહાય માગી. રાજાએ તેમની સહાય માટે તેમના ૧૬ વર્ષના બે પુત્રો રામ અને લક્ષ્મણને યજ્ઞ તથા વિશ્વામિત્રના રક્ષણ માટે મોકલ્યા. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ તાડકાના જંગલમાં આવ્યા અને તેમણે રામને તાડકાનો વધ કરી તે જંગલને ત્રાસ મુક્ત કરવાની આજ્ઞા આપી. તાડકા સ્ત્રી હોવાથી તેનો વધ કરતા રામ પ્રથમ તો ખચકાયા. તેમણે તડકાના હાથ કાપી નાખ્યા જેથી તે કોઈને વધુ હાનિઓ ન પહોંચાડી શકે.  પોતાની આસૂરી શક્તિઓ વાપરીને અદ્રશ્ય રૂપે તેણે હમલા ચાલુ રાખ્યા. વિશ્વામિત્રે રામને સલાહ આપી કે તેમણે પોતાના સ્ત્રી હત્યા ન કરવાના નિયમો કે આદર્શો થી ઉપર વટ જઈ પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. રામે તીર ચલાવી તાડકાના હૃદયને વીંધી નાખ્યું. તાડકા વધ થતાં રામને વિશ્વામિત્ર તથા યજ્ઞ શાળામાં આવેલા સર્વ ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા. == સંદર્ભો == == બાહ્ય કડીઓ == * [http://mythfolklore.net/india/encyclopedia/taraka.htm તાડકા] {{રામાયણ}} 108fxp8dncq06q8508grr2sef85wxws 827271 827260 2022-08-19T03:34:07Z KartikMistry 10383 [[Special:Contributions/2409:4041:2E1E:CFBE:49AE:E03:BFB4:C55B|2409:4041:2E1E:CFBE:49AE:E03:BFB4:C55B]] ([[User talk:2409:4041:2E1E:CFBE:49AE:E03:BFB4:C55B|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:2607:FEA8:E00:512:11D5:D071:BF90:71B8|2607:FEA8:E00:512:11D5:D071:BF90:71B8]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox character|image=Taraka Ramayana.jpg|alt=તાડકા|caption=રામ દ્વારા તાડકા વધ|spouse=[[Sunda (asura)|સુંદા]]|children=[[Maricha|મરિચ]], [[Subahu|સુબાહુ]]}}તાડકા અથવા '''તાટકા''' રામાયણનું એક પાત્ર છે. એ મૂળ તો એક યક્ષ રાજકુમારી હતી જે પાછળથી રાક્ષસ બની હતી. પુત્ર પ્રાપ્તિમાટે એના પિતા,  યક્ષરાજ સુકેતુએ તપસ્યા કરી હતી. સુકેતુએ પુત્રની ઈચ્છા કરી હતી પણ બ્રહ્માએ તેમને શક્તિશાળી અને સુંદર કન્યા આપી.  તે સુંદર રાજકુમારીના લગ્ન સુંદ નામના એક અસુર રાજા સાથે થયા. તેના થકી તેને બે પુત્રો જન્મ્યા મરિચ અને સુબાહુ. == કથા == જ્યારે [[અગસ્ત્ય]] ઋષિએ તાડકાના પતિ, અસુર સુંદને મૃત્યુનો શ્રાપ આપ્યો ત્યારે તાડકા તેના પુત્ર સુબાહુની સહાયતા વડે પ્રતિશોધ લેવાનો નિર્ણય કર્યો અને તોડ ફોડ શરૂ કરી. આને કારણે ઋષિ તે બંને પર ક્રોધિત થયા. તાડકાએ તે બનેંને શ્રાપ આપ્યો કે તેમના સુંદર રૂપનો નાશ થશે અને તેઓ કદરૂપી  રાક્ષસી  પ્રાણી જેવા દેખાશે.  આ શાપના  પ્રભાવથી  તાડકા એક માનવ ભક્ષી કદરૂપી પ્રાણીમાં ફેરવાઈ ગઈ. શ્રાપ મળ્યા પછી તાડકા મલાજા ને કરુશ નજીક આવેલા જંગલમાં ગંગા અને શરયુ નદીના સંગમ પાસે રહેવા લાગી.  આ જંગલ તાડકાના જંગલ તરીકે ઓળખાવા લાગ્યું.  જે તે જંગલમાં જતું તેને તે ભસ્મ કરી દેતી. આથી લોકોમાં અત્યંગ ભય ફેલાયો.      બદલો લેવા માટે તાડકા અને તેનો પુત્ર સુબાહુ ઋષ્હિ મુનિઓને ત્રાસ દેવા લાગ્યા. જ્યાં પણ [[યજ્ઞ]] થતો હોય ત્યાં માંસ લોહી આદિ વર્ષાવતા. વિશ્વામિત્ર પણ તાડકાના ત્રાસવાદનો ભોગ બન્યા હતા. આ ત્રસ અસહ્ય બનતાં વિશ્વામિત્રે કોશલના મહારાજા દશરથની સહાય માગી. રાજાએ તેમની સહાય માટે તેમના ૧૬ વર્ષના બે પુત્રો રામ અને લક્ષ્મણને યજ્ઞ તથા વિશ્વામિત્રના રક્ષણ માટે મોકલ્યા. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ તાડકાના જંગલમાં આવ્યા અને તેમણે રામને તાડકાનો વધ કરી તે જંગલને ત્રાસ મુક્ત કરવાની આજ્ઞા આપી. તાડકા સ્ત્રી હોવાથી તેનો વધ કરતા રામ પ્રથમ તો ખચકાયા. તેમણે તડકાના હાથ કાપી નાખ્યા જેથી તે કોઈને વધુ હાનિઓ ન પહોંચાડી શકે.  પોતાની આસૂરી શક્તિઓ વાપરીને અદ્રશ્ય રૂપે તેણે હમલા ચાલુ રાખ્યા. વિશ્વામિત્રે રામને સલાહ આપી કે તેમણે પોતાના સ્ત્રી હત્યા ન કરવાના નિયમો કે આદર્શો થી ઉપર વટ જઈ પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. રામે તીર ચલાવી તાડકાના હૃદયને વીંધી નાખ્યું. તાડકા વધ થતાં રામને વિશ્વામિત્ર તથા યજ્ઞ શાળામાં આવેલા સર્વ ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા. == સંદર્ભો == == બાહ્ય કડીઓ == * [http://mythfolklore.net/india/encyclopedia/taraka.htm તાડકા] {{રામાયણ}} knlmfdiiduionstkrkeby45jzxylr7h 827272 827271 2022-08-19T03:37:22Z KartikMistry 10383 સાફ-સફાઇ. wikitext text/x-wiki {{Infobox character|image=Taraka Ramayana.jpg|alt=તાડકા|caption=રામ દ્વારા તાડકા વધ|spouse=[[Sunda (asura)|સુંદા]]|children=[[Maricha|મરિચ]], [[Subahu|સુબાહુ]]}}'''તાડકા''' અથવા '''તાટકા''' રામાયણનું એક પાત્ર છે. એ મૂળ તો એક યક્ષ રાજકુમારી હતી જે પાછળથી રાક્ષસી બની હતી. પુત્ર પ્રાપ્તિ માટે એના પિતા, યક્ષરાજ સુકેતુએ તપસ્યા કરી હતી. સુકેતુએ પુત્રની ઈચ્છા કરી હતી પણ બ્રહ્માએ તેમને શક્તિશાળી અને સુંદર કન્યા આપી. તે સુંદર રાજકુમારીના લગ્ન સુંદ નામના એક અસુર રાજા સાથે થયા. તેના થકી તેને બે પુત્રો મરિચ અને સુબાહુ જન્મ્યા. == કથા == જ્યારે [[અગસ્ત્ય]] ઋષિએ તાડકાના પતિ, અસુર સુંદને મૃત્યુનો શ્રાપ આપ્યો ત્યારે તાડકા તેના પુત્ર સુબાહુની સહાયતા વડે પ્રતિશોધ લેવાનો નિર્ણય કર્યો અને તોડ ફોડ શરૂ કરી. આને કારણે ઋષિ તે બંને પર ક્રોધિત થયા. ઋષિએ તે બંનેને શ્રાપ આપ્યો કે તેમના સુંદર રૂપનો નાશ થશે અને તેઓ કદરૂપી રાક્ષસી પ્રાણી જેવા દેખાશે. આ શાપના પ્રભાવથી તાડકા એક માનવ ભક્ષી કદરૂપી પ્રાણીમાં ફેરવાઈ ગઈ. શ્રાપ મળ્યા પછી તાડકા મલાજા ને કરુશ નજીક આવેલા જંગલમાં ગંગા અને શરયુ નદીના સંગમ પાસે રહેવા લાગી. આ જંગલ તાડકાના જંગલ તરીકે ઓળખાવા લાગ્યું. જે તે જંગલમાં જતું તેને તે ભસ્મ કરી દેતી. આથી લોકોમાં અત્યંત ભય ફેલાયો. બદલો લેવા માટે તાડકા અને તેનો પુત્ર સુબાહુ ઋષિ મુનિઓને ત્રાસ દેવા લાગ્યા. જ્યાં પણ [[યજ્ઞ]] થતો હોય ત્યાં માંસ લોહી આદિ વર્ષાવતા. વિશ્વામિત્ર પણ તાડકાના ત્રાસવાદનો ભોગ બન્યા હતા. આ ત્રાસ અસહ્ય બનતાં વિશ્વામિત્રે કોશલના મહારાજા દશરથની સહાય માગી. રાજાએ તેમની સહાય માટે તેમના ૧૬ વર્ષના બે પુત્રો રામ અને લક્ષ્મણને યજ્ઞ તથા વિશ્વામિત્રના રક્ષણ માટે મોકલ્યા. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ તાડકાના જંગલમાં આવ્યા અને તેમણે રામને તાડકાનો વધ કરી તે જંગલને ત્રાસ મુક્ત કરવાની આજ્ઞા આપી. તાડકા સ્ત્રી હોવાથી તેનો વધ કરતા રામ પ્રથમ તો ખચકાયા. તેમણે તડકાના હાથ કાપી નાખ્યા જેથી તે કોઈને વધુ હાનિઓ ન પહોંચાડી શકે. પોતાની આસૂરી શક્તિઓ વાપરીને અદ્રશ્ય રૂપે તેણે હમલા ચાલુ રાખ્યા. વિશ્વામિત્રે રામને સલાહ આપી કે તેમણે પોતાના સ્ત્રી હત્યા ન કરવાના નિયમો કે આદર્શો થી ઉપર વટ જઈ પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. રામે તીર ચલાવી તાડકાના હૃદયને વીંધી નાખ્યું. તાડકા વધ થતાં રામને વિશ્વામિત્ર તથા યજ્ઞ શાળામાં આવેલા સર્વ ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા. == સંદર્ભ == == બાહ્ય કડીઓ == * [http://mythfolklore.net/india/encyclopedia/taraka.htm તાડકા] {{રામાયણ}} 4cb5xf4e7rkqauxg2d5xhfze6sa86tw દ્વારકાધીશ મંદિર 0 96697 827277 807461 2022-08-19T04:07:18Z 2402:3A80:15A2:46ED:B6E9:3D5B:941B:F0FB wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. પાંચ માળ ધારવતા આ મંદિર ૭૨ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરનું નિર્માણ દ્વારકાદાસ તરીકે ઓળખતા હળવદના રાજવી અર્જુનદેવ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. હળવદના રાજવી ઝલ્લેશ્વર મહારાણા અર્જુનદેવજી બેટના વાઢેર શાખાના રાઠોડ કન્યાને પરણવા આવ્યા ત્યારે રાજકુંવરી દ્વારા સંકલ્પ લેવાયો હતો કે આક્રમણમાં ધ્વંસ મંદિરનું પુનનિર્માણ ન થાય ત્યાં સુધી લગ્ન નહીં કરે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના ''કુરુક્ષેત્રની'' ''૪૮ કોસ પરિક્રમા'', [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ ''પરિક્રમા'' અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની ''દ્વારકા પરિક્રમા'' એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં પાંચ વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ) ને "મોક્ષ દ્વાર" (મુક્તિનો દરવાજો) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" (સ્વર્ગનો દરવાજો) કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (1473-1531) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટા (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] 91y7qup6si1so8whzc8gb8osh8nmt4b 827278 827277 2022-08-19T05:17:37Z KartikMistry 10383 [[Special:Contributions/2402:3A80:15A2:46ED:B6E9:3D5B:941B:F0FB|2402:3A80:15A2:46ED:B6E9:3D5B:941B:F0FB]] ([[User talk:2402:3A80:15A2:46ED:B6E9:3D5B:941B:F0FB|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikMistry]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. wikitext text/x-wiki {{Infobox religious building | name = દ્વારકાધીશ મંદિર | image = Dwarkadheesh temple.jpg | image_upright = | alt = | caption = દ્વારકાધીશ મંદિર, દ્વારકા | map_type = India Gujarat | map_size = | map_alt = | map_relief = | map_caption = દ્વારકાનું ગુજરાતમાં સ્થાન | coordinates = {{coord|22|14|16.39|N|68|58|3.22|E|type:landmark_region:IN|display=inline}} | religious_affiliation = [[હિંદુ ધર્મ|હિંદુ]] | locale = | location = દ્વારકા, દેવભુમી દ્વારકા જિલ્લો | deity = દ્વારકાધીશ કૃષ્ણ | rite = | sect = | tradition = | festival = જન્માષ્ટમી | cercle = | sector = | municipality = દ્વારકા | district = દેવભુમી દ્વારકા જિલ્લો | territory = હાલાર | prefecture = | state = ગુજરાત | province = | region = | country = [[ભારત]] | administration = | consecration_year = | organisational_status = | functional_status = | heritage_designation = | ownership = | governing_body = | leadership = | bhattaraka = | patron = | website = | architect = | architecture_type = | architecture_style = ચાલુક્ય શૈલી | founded_by = | creator = | funded_by = | general_contractor = | established = ૧૫-૧૬મી સદી | groundbreaking = | year_completed = | construction_cost = | date_demolished = | facade_direction = | capacity = | length = ૨૯ મીટર | width = ૨૩ મીટર | width_nave = | interior_area = | height_max = ૫૧.૮ મીટર | dome_quantity = | dome_height_outer = | dome_height_inner = | dome_dia_outer = | dome_dia_inner = | minaret_quantity = | minaret_height = | spire_quantity = | spire_height = | site_area = | temple_quantity = | monument_quantity = | shrine_quantity = | inscriptions = | materials = | elevation_m = | elevation_footnotes = | nrhp = | designated = | added = | refnum = | footnotes = }} '''દ્વારકાધીશ મંદિર''' અથવા '''જગત મંદિર''' અથવા '''દ્વારકાધીશ''' એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન [[કૃષ્ણ]]ને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં ''દ્વારકાધીશ'' અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર [[ગુજરાત]]ના [[દ્વારકા]], ખાતે આવેલું છે, જે [[ચારધામ]] તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે. પાંચ માળ ધારવતા આ મંદિર ૭૨ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨,૦૦૦ - ૨,૨૦૦ વર્ષ જૂનું છે. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=bgYIAQAAIAAJ|title=Marine Archaeology of Indian Ocean Countries|last=S. R. Rao|date=1988|publisher=National Institute of Oceanography|isbn=8190007408|pages=18–25|quote=The Kharoshti inscription in the first floor of Sabhamandapa of Dwarkadhish Temple is assignable to 200 BC. [...] Excavation was done by the veteran archaeologist H.D. Sankalia some twenty years ago on the western side of the present Jagat-Man- dir at Modern Dwarka and he declared that the present Dwarka was not earlier than about 200 BC.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=JuUKAAAAIAAJ|title=Journal of Social Research,Volume 17|last=L. P. Vidyarthi|date=1974|publisher=Council of Social and Cultural Research|page=60|quote=Inscription in brahmi found in the temple supports the fact of its construction during the Mauryan regime. Apart from this beginning, the pages of history of Dwarka and Dwarkadhish temple are full of accounts of its destruction and reconstruction in the last 2000 years.}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=NCBmAAAAMAAJ|title=Remote Sensing And Archaeology|last=Alok Tripathi|date=2005|publisher=Sundeep Prakashan|isbn=8175741554|page=79|quote=In 1963 H.D. Sankalia carried out an archaeological excavation.. at Dwarkadheesh temple at Dwarka to solve the problem. Archaeological evidences found in this excavation were only 2000 years old}}</ref> ૧૫ મી - ૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. <ref>1988, P. N. Chopra, "Encyclopaedia of India, Volume 1", page.114</ref> <ref>{{Cite book|title=The lost city of Dvārakā|last=Rao|first=Shikaripur Ranganath|date=1999|publisher=Aditya Prakashan|isbn=978-8186471487}}</ref> દ્વારકાધીશ મંદિર એક [[પુષ્ટિ માર્ગ|પુષ્ટિમાર્ગ]] મંદિર છે, તેથી તે [[વલ્લભાચાર્ય]] અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.  પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ (કૃષ્ણનું રહેણાંક સ્થળ) ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને [[મહમદ બેગડો|મહમૂદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં ધ્વંસ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ૧૫ મી -૧૬ મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં [[હિંદુ|હિન્દુઓ]] દ્વારા પવિત્ર ગણાતા ''[[ભારતના ચારધામ|ચારધામ]]'' યાત્રાધામનો ભાગ છે. [[આદિ શંકરાચાર્ય|આદિ શંકરાચાર્યે]], ૮ મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની, આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય ત્રણ સ્થળો [[રામેશ્વરમ]], [[બદ્રીનાથ]] અને [[જગન્નાથપુરી]] હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર [[વિષ્ણુ]]નું ૯૮મું દિવ્ય દેશમ છે, જેનો ''દિવ્ય પ્રબંધ'' નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું.{{Sfn|Bandyopadhyay|2014}} મંદિર ૧૨.૧૯ મીટર ઉંચાઈ ધરાવે છે તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ ''(નિજ મંદિર'' અથવા ''હરિગૃહ)'' અને અંતરાલ ધરાવે છે.{{Sfn|Paramāra|1996}} એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે, હાલનું મંદિર ૧૬મી સદીથી છે. == દંતકથા == [[હિંદુ]] દંતકથા મુજબ, દ્વારકાને શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્ર થકી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવી હતી. [[દુર્વાસા ઋષિ]] એકવાર કૃષ્ણ અને તેમની પત્ની રૂકમણિને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂકમણિનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી, રુકમણી થાકી ગયા અને તેમણે શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માંગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા [[ગંગા નદી]]ને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂકમણિ મંદિર એ જ સ્થળે નિર્માણ થયા હોવાનું માનવામાં આવે છે.<ref name="legend">{{Cite book|title=Temples of India Myths and Legends|last=Bhoothalingam|first=Mathuram|publisher=Publications Division, Ministry of Information and Broadcasting, Government of India|year=2016|isbn=978-81-230-1661-0|editor-last=S.|editor-first=Manjula|location=New Delhi|pages=87–91}}</ref> == ઇતિહાસ == [[ચિત્ર:Dwarakadheesh_temple,_Dwaraka.jpg|left|thumb|200x200px| મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ લઈ જતા દાદર.]] ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને [[મહાભારત]] મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે. સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરો, પથ્થરોની રીત જે રીતે છીણાવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા, અને અહીં વપરાયલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખા આ શહેર મધ્યયુગીન હોવાનું દર્શાવે દરિયા કાંઠાના ધોવાણ ને કારણે આ પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે.<ref>{{Cite journal|last=Gaur|first=A.S.|last2=Sundaresh and Sila Tripati|date=2004|title=An ancient harbour at Dwarka: Study based on the recent underwater explorations|journal=Current Science|volume=86|issue=9}}</ref> હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન [[મહમદ બેગડો|મહમદ બેગડા]] દ્વારા ૧૪૭૨ માં તેનો નાશ કરવામાં આવ્યો હતો.  વર્તમાન મંદિરનું નિર્માણ ૧૫-૧૬ મી સદીદરમ્યાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું. મંદિર ૨૭-મીટર લંબાઈ ૨૧-મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૯-મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૩ મીટર છે. મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર છે.{{સંદર્ભ|date=April 2020}} == ધાર્મિક મહત્વ == આ સ્થળ પ્રાચિન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ [[મહાભારત]]ના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી, તે હિંદુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધીત ત્રિપુટી પરિકમ્માઓ- [[હરિયાણા]] રાજ્યના ''કુરુક્ષેત્રની'' ''૪૮ કોસ પરિક્રમા'', [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[મથુરા]]ની વ્રજ ''પરિક્રમા'' અને [[ગુજરાત]] રાજ્યના દ્વારકાધીશ મંદિરની ''દ્વારકા પરિક્રમા'' એમ ત્રણ પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.<ref name="indianmirror1">{{Cite web|url=http://www.indianmirror.com/temples/dwarkadish-temple.html|title=Dwarkadish Temple, Dwarkadish Temple Dwarka, Dwarkadish Temple in India|publisher=Indianmirror.com|access-date=4 March 2014}}</ref> દિવસમાં પાંચ વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર બાવન સ્તંભો પર બંધાયેલી પાંચ માળની રચના ધરાવે છે જે ૭૨ સ્તંભો પર ચણાયેલું છે. મંદિર ૭૮.૩ મીટર ઉંચું છે.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=g4oMAQAAMAAJ|title=Gujarat- Volume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan|last=Hiralaxmi Navanitbhai|date=2007|publisher=Gujarat Vishvakosh Trust|page=445}}</ref> મંદિર ચૂનાના પત્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પ કૃતિ દર્શાવે છે અલબત્ આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. [[File:DwarkaCity.jpg|thumb|left|દ્વારકાધીશ મંદિર, દ્વારકા|500x500px]] મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર (ઉત્તર પ્રવેશ) ને "મોક્ષ દ્વાર" (મુક્તિનો દરવાજો) કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને "સ્વર્ગ દ્વાર" (સ્વર્ગનો દરવાજો) કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર ૫૬ પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે.<ref>[[Dwarkadhish Temple#Chakravarti|Chakravarti 1994]], p. 140</ref> મંદિર સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી અને સાંજે અને ૫.૦૦ થી ૯.૩૦ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણજન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી, કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ (1473-1531) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.<ref name="Ram">{{Cite book|title=Hindu Pilgrim centres|last=Harshananda|first=Swami|publisher=Ramakrishna Math|year=2012|isbn=978-81-7907-053-6|edition=2nd|location=Bangalore, India|page=87}}</ref> એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત, કૃષ્ણના પ્રખર ભક્ત, [[મીરાંબાઈ]], આ મંદિરમાં દેવતામાં વિલિન થઈ ગયા હતા.{{Sfn|Desai|2007}} આ શહેર ભારતના સપ્ત પુરી (ભારતના સાત પવિત્ર શહેરો)માંનું એક છે.{{Sfn|Bansal|2008}} આ મંદિર, ભારતની ચાર પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો [[આદિ શંકરાચાર્ય]] (૬૮૬-૭૧૭)) દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરચાર્યે દેશમાં [[હિંદુ|હિન્દુ]] ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મુકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં [[શિવ]]ની કોતરણી છે.{{Sfn|Desai|2007}} {{Sfn|Bandyopadhyay|2014}} == માળખું == આ મંદિર ૭૨ થાંભલાઓ પર બાંધવામાં આવેલી પાંચ માળની રચના ધરાવે છે (અમુક સ્થળે ૬૦ થાંભલાવાળા રેતીના પત્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે.<ref name="Brit">{{Cite web|url=http://www.britannica.com/EBchecked/topic/174909/Dwarka|title=Dwarka|publisher=Encyclopædia Britannica|access-date=19 April 2015}}</ref>){{Sfn|Desai|2007}}{{Sfn|Bansal|2008}} કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ - હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષક ખંડ (રંગ મંડપ) છે. {{Sfn|Bansal|2008}} મંદિરમાં બે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને ''મોક્ષ દ્વાર'' કહેવામાં આવે છે (જેનો અર્થ " ''મુક્તિનો દ્વાર'' " છે) અને બહાર નીકળો દરવાજો જે ''સ્વર્ગ દ્વાર'' તરીકે ઓળખાય છે (જેનો અર્થ છે: "સ્વર્ગનો દરવાજો) "). {{Sfn|Bansal|2008}} ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને ચાર હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. {{Sfn|Bansal|2008}} મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર, કૃષ્ણના મોટા ભાઈ, [[બલરામ]] છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં [[રાધા]], રૂકમણી, જાંબાવતી, [[સત્યભામા]], [[લક્ષ્મી]], {{Sfn|Bansal|2008}} દેવકી (કૃષ્ણની માતા), માધવ રાવજી (કૃષ્ણનું બીજું નામ), રૂકમણિ, જુગલ સ્વરૂપ (કૃષ્ણનું નામ), લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. {{Sfn|Bandyopadhyay|2014}} મંદિરના ઊંચાઈ ૭૮ મીટર છે અને તેના પર [[સૂર્ય]] અને [[ચંદ્ર]]ના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે.{{Sfn|Bansal|2008}} ધ્વજ, ત્રિકોણાકાર આકારનો, ૫૦ ફૂટા (૧૫ મીટર) લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં પાંચ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે.{{Sfn|Bandyopadhyay|2014}} == ગ્રંથસૂચિ == * {{Cite book|url=https://books.google.com/books?id=F303Zb7EC0kC&pg=PT34|title=Hindu Pilgrimage|last=Bansal|first=Sunita Pant|date=1 January 2008|publisher=Pustak Mahal|isbn=978-81-223-0997-3|ref=harv}} == સંદર્ભ == {{Reflist|40em}} == બાહ્ય કડીઓ == * [http://www.dwarkadhish.org/ સત્તાવાર વેબસાઇટ] [[શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો]] [[શ્રેણી:દેવ ભૂમિ દ્વારકા જિલ્લો]] [[શ્રેણી:મંદિરો]] k8oeuynuplrwzilxx6yxrh0x7wy4mq2 ઢાંચો:સાંતલપુર તાલુકામાં આવેલાં ગામો 10 121265 827276 789398 2022-08-19T03:41:35Z KartikMistry 10383 નામ અપડેટ અને શ્રેણી. wikitext text/x-wiki {| style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; min-width:50%; width:auto; max-width:75%;" |+ style="background-color:LightSkyBlue; border: 1px dotted DodgerBlue; padding: 3px;"| '''[[સાંતલપુર તાલુકો|સાંતલપુર તાલુકા]]ના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન''' |- | {{ભૌગોલિક સ્થાન |કેન્દ્ર = સાંતલપુર તાલુકો |ઉત્તર = |ઈશાન = |પૂર્વ = |અગ્નિ = |દક્ષિણ = |નૈઋત્ય = |પશ્ચિમ = |વાયવ્ય = }} |- |style="background-color:AliceBlue; border: 1px dotted DodgerBlue; font-size:70%;"| {{col-begin}} {{col-4}} <ol start="1"> <li>[[અબીયાણા (તા. સાંતલપુર)|અબીયાણા]]</li> <li>[[અલુવાસ (તા. સાંતલપુર)|અલુવાસ]]</li> <li>[[અમરાપુર (તા. સાંતલપુર)|અમરાપુર]]</li> <li>[[આંતરનેસ (તા. સાંતલપુર)|આંતરનેસ]]</li> <li>[[બાબરા (તા. સાંતલપુર)|બાબરા]]</li> <li>[[બાકુત્રા (તા. સાંતલપુર)|બાકુત્રા]]</li> <li>[[બામણોલી (તા. સાંતલપુર)|બામણોલી]]</li> <li>[[બરારા (તા. સાંતલપુર)|બરારા]]</li> <li>[[બવારદા (તા. સાંતલપુર)|બવારદા]]</li> <li>[[બોરૂડા (તા. સાંતલપુર)|બોરૂડા]]</li> <li>[[ચાડીયાણા (તા. સાંતલપુર)|ચાડીયાણા]]</li> <li>[[ચાલંદા (તા. સાંતલપુર)|ચાલંદા]]</li> <li>[[ચારણકા (તા. સાંતલપુર)|ચારણકા]]</li> <li>[[છાણસરા (તા. સાંતલપુર)|છાણસરા]]</li> <li>[[ડાભી (તા. સાંતલપુર)|ડાભી]]</li> <li>[[દૈગામડા]]</li> <li>[[દૈસર (તા. સાંતલપુર)|દૈસર]]</li> <li>[[દાલડી (તા. સાંતલપુર)|દાલડી]]</li> <li>[[દત્રાણા (તા. સાંતલપુર)|દત્રાણા]]</li> </ol> {{col-4}} <ol start="20"> <li>[[ધોકાવાડા (તા. સાંતલપુર)|ધોકાવાડા]]</li> <li>[[ધ્રાંદવા]]</li> <li>[[એવાલ (તા. સાંતલપુર)|એવાલ]]</li> <li>[[ફાંગલી (તા. સાંતલપુર)|ફાંગલી]]</li> <li>[[ફુલપુરા (તા. સાંતલપુર)|ફુલપુરા]]</li> <li>[[ગઢા (તા. સાંતલપુર)|ગઢા]]</li> <li>[[ગડસાઇ (તા. સાંતલપુર)|ગડસાઇ]]</li> <li>[[ગંજીસર (તા. સાંતલપુર)|ગંજીસર]]</li> <li>[[ગરામડી (તા. સાંતલપુર)|ગરામડી]]</li> <li>[[ગોખાંતપુર]]</li> <li>[[હમીરપુરા (તા. સાંતલપુર)|હમીરપુરા]]</li> <li>[[જખોત્રા (તા. સાંતલપુર)|જખોત્રા]]</li> <li>[[જામવાડા (તા. સાંતલપુર)|જામવાડા]]</li> <li>[[જારુશા (તા. સાંતલપુર)|જારુશા]]</li> <li>[[જોરાવરગઢ (તા. સાંતલપુર)|જોરાવરગઢ]]</li> <li>[[કલ્યાણપુરા (તા. સાંતલપુર)|કલ્યાણપુરા]]</li> <li>[[કમાલપુરા (તા. સાંતલપુર)|કમાલપુરા]]</li> <li>[[કેસરગઢ (તા. સાંતલપુર)|કેસરગઢ]]</li> <li>[[કીલાણા (તા. સાંતલપુર)|કીલાણા]]</li> </ol> {{col-4}} <ol start="39"> <li>[[કોલીવાડા (તા. સાંતલપુર)|કોલીવાડા]]</li> <li>[[કોરડા (તા. સાંતલપુર)|કોરડા]]</li> <li>[[લખાપુરા (તા. સાંતલપુર)|લખાપુરા]]</li> <li>[[લીમગામડા (તા. સાંતલપુર)|લીમગામડા]]</li> <li>[[લોદરા (તા. સાંતલપુર)|લોદરા]]</li> <li>[[લુણીચાણા (તા. સાંતલપુર)|લુણીચાણા]]</li> <li>[[માધુત્રા (તા. સાંતલપુર)|માધુત્રા]]</li> <li>[[માનપુરા (તા. સાંતલપુર)|માનપુરા]]</li> <li>[[નલીયા (તા. સાંતલપુર)|નલીયા]]</li> <li>[[નવાગામ (તા. સાંતલપુર)|નવાગામ]]</li> <li>[[પાર (તા. સાંતલપુર)|પાર]]</li> <li>[[પારસુંદ (તા. સાંતલપુર)|પારસુંદ]]</li> <li>[[પાટણકા (તા. સાંતલપુર)|પાટણકા]]</li> <li>[[પીપરાળા (તા. સાંતલપુર)|પીપરાળા]]</li> <li>[[રાજુસરા (તા. સાંતલપુર)|રાજુસરા]]</li> <li>[[રામપુરા (તા. સાંતલપુર)|રામપુરા]]</li> <li>[[રણમલપુરા (તા. સાંતલપુર)|રણમલપુરા]]</li> <li>[[રોઝુ (તા. સાંતલપુર)|રોઝુ]]</li> <li>[[સાદપુરા (તા. સાંતલપુર)|સાદપુરા]]</li> </ol> {{col-4}} <ol start="58"> <li>[[સાંતલપુર]]</li> <li>[[શેરપુરા (તા. સાંતલપુર)|શેરપુરા]]</li> <li>[[સીધાડા (તા. સાંતલપુર)|સીધાડા]]</li> <li>[[ઉનડી (તા. સાંતલપુર)|ઉનડી]]</li> <li>[[ઉંદરગઢા (તા. સાંતલપુર)|ઉંદરગઢા]]</li> <li>[[ઉંરોટ (તા. સાંતલપુર)|ઉંરોટ]]</li> <li>[[વાઘપુરા (તા. સાંતલપુર)|વાઘપુરા]]</li> <li>[[વાંઢીયા (તા. સાંતલપુર)|વાંઢીયા]]</li> <li>[[વારાહી (તા. સાંતલપુર)|વારાહી]]</li> <li>[[વારણઓસરી]]</li> <li>[[વૌવા (તા. સાંતલપુર)|વૌવા]]</li> <li>[[વાવડી (તા. સાંતલપુર)|વાવડી]]</li> <li>[[ઝંડાલા (તા. સાંતલપુર)|ઝંડાલા]]</li> <li>[[ઝાંઝણસર]]</li> <li>[[ઝાઝમ (તા. સાંતલપુર)|ઝાઝમ]]</li> <li>[[ઝેખડા (તા. સાંતલપુર)|ઝેખડા]]</li> </ol> {{col-end}} |- |} <includeonly>[[શ્રેણી:સાંતલપુર તાલુકો]]</includeonly> <noinclude>[[શ્રેણી:તાલુકાના ગામોનો ઢાંચો]]</noinclude> lq9tfh1lai5tb2zlwdm1l83fste5q86 સભ્યની ચર્ચા:Mevadaishwar 3 129333 827246 803141 2022-08-18T13:23:43Z Mevadaishwar 66193 /* भचाऊ तालुका के अभयारण्य हित की लडाई */ નવો વિભાગ wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Mevadaishwar}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૨૬, ૨૭ નવેમ્બર ૨૦૨૧ (IST) == भचाऊ तालुका के अभयारण्य हित की लडाई == भचाऊ तालुका अभयारण्य के आसपास नेर, कडोल, बनियारी गांव के मजदूरों और किसानों की सच्ची अगररियों से मांग की जाती है कि मिस्टर लीज पर आपको नमक उद्योग के लिए जमीन दी जाए। नेर और कडोल में 112000 एकड़ नमक की फैक्ट्री है जल्द ही समझ को समाप्त कर दिया जाता है और न्याय किया जाता है गरीब,सड़क पर नमक गिरने से बाइक फिसल जाती है छोटी-बड़ी दुर्घटनाएं होती हैं जिनमें नेर, कंडोल, अमरसर, बांधड़ी, मनफरा, देशलपार जैसे रेगिस्तानी इलाकों से आने वाले गांवों को आठ से दस गांवों की ठेला सड़कों पर दौड़ना पड़ता है. साथ ही बनियारी, कडोल राजमार्ग पर। ओ नियम तोड़ना हमारे डंपरों की लोडिंग, और तेज गति, छोटे वाहनों को साइड देना, लोगों का विरोध करने पर डंपर लोड करने की धमकी देना, शराब के नशे में गाड़ी चलाना, हर साल 800 से अधिक टर्बो ट्रक चलाना पिछले 27 वर्षों से नमक उद्योग के बेईमान तत्व जंगली जानवरों की भूमि पर अवैध रूप से खलिहान बना रहे हैं और करोड़ों का नमक पका रहे हैं। [[સભ્ય:Mevadaishwar|Mevadaishwar]] ([[સભ્યની ચર્ચા:Mevadaishwar|ચર્ચા]]) ૧૮:૫૩, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 00yaawjhfquloxcvxzu7apnf8qryh6z ગુજરાત ટાઇટન્સ 0 130836 827292 821695 2022-08-19T08:00:44Z 103.205.69.14 /* કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક */ wikitext text/x-wiki {{Infobox cricket team |name=ગુજરાત ટાઇટન્સ |image = |league = ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) |captain = [[હાર્દિક પંડ્યા]] |coach = આશિષ નેહરા |owner = સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ |city = [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]] |ground = [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]], [[મોટેરા]] |capacity = ૧,૩૨,૦૦૦ |caption= '''ગુજરાત ટાઇટન્સ નું સત્તાવાર ચિહ્ન''' |t_title= |t_body= |t_leftarm= |t_pattern_b= |t_rightarm= |t_pants= }} '''ગુજરાત ટાઇટન્સ''' એ [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]]માં સ્થિત એક ફ્રેન્ચાઇઝ [[ક્રિકેટ]] ટીમ છે. જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ [[મોટેરા]] ના [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]]માં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ [[હાર્દિક પંડ્યા]] અને કોચ આશિષ નેહરા કરશે.<ref>{{Cite web|title=IPL 2020:અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝી નું નામ 'ગુજરાત ટાઇટન્સ', જાણો કોને બનાવ્યા કેપ્ટન-મિડ-ડે|url=https://www.gujaratimidday.com/sports-news/cricket/article/ipl-2022-ahmedabads-new-franchise-is-named-gujarat-titans-160930|access-date=૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨|website=મિડ-ડે ગુજરાતી}}</ref> == ફ્રેન્ચાઇઝ ઇતિહાસ == ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા. આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ [[હાર્દિક પંડ્યા]]ને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા. == ગૃહ મેદાન == ટીમનું ગૃહ મેદાન [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]] રહશે. જે [[ગુજરાત]]ના [[મોટેરા]]માં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. == કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક == {| class="wikitable sortable" style="text-align:center" |- ! style="background:navy; color:#FFD441; text-align:center;"|વર્ષ ! style="background:navy; color:#FFD441; text-align:center;"|કીટ ના ઉત્પાદક ! style="background:navy; color:#FFD441; text-align:center;"|શર્ટ ના સ્પોન્સર (આગળ) ! style="background:navy; color:#FFD441; text-align:center;"|શર્ટ ના સ્પોન્સર (પાછળ) ! style="background:navy; color:#FFD441; text-align:center;"|છાતી બ્રાન્ડિંગ |- |૨૦૨૨ |ઈ.એમ |આથેર |બી.કે.ટી |કેપ્રી લોન્સ |} == વર્તમાન ટુકડી == * '''આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા રમતવીરો ઘાટા અક્ષરો''' માં સુચીબદ્ધ છે. <!--* {{color box|border=darkgray|#EEE8AA|<nowiki>*</nowiki>}} denotes a player who is currently unavailable for selection. * {{color box|border=darkgray|#FFCCCC|<nowiki>*</nowiki>}} denotes a player who is unavailable for rest of the season. --> {| class="wikitable" style="font-size:80%;" |- ! style="background:; color:; text-align:center;"| નં. ! style="background:; color:; text-align:center;"| નામ ! style="background:; color:; text-align:center;"| નાગરીકતા ! style="background:; color:; text-align:center;"| જન્મ તારીખ ! style="background:; color:; text-align:center;"| બેટીંગ શૈલી ! style="background:; color:; text-align:center;"| દડાની શૈલી ! style="background:; color:; text-align:center;"| સહી કરેલ વર્ષ ! style="background:; color:; text-align:center;"| મળેલ રૂપીયા ! style="background:; color:; text-align:center;"| નોંધ |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| બેટ્સમેન |- ||| '''શુભમન ગીલ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1999|9|8|df=y}} || જમણેરી || જમણો હાથ (બંધ-બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|8|c}} || |- ||| '''જેસન રોય''' || style="text-align:center"|{{flagicon|ENG}} || {{birth date and age|1990|7|21|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2|c}}|| ઓવરસીઝ |- ||| '''અભિનવ સદ્રંગાણી''' ||style="text-align:center"| {{flagicon|IND}} || {{birth date and age|1994|9|16|df=y}} || જમણેરી || જમણો હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.6|c}}|| |- ||| '''ડેવિડ મિલર''' || style="text-align:center"|{{flagicon|RSA}} || {{birth date and age|1989|06|10|df=y}} || ડાબોડી || જમણો હાથ (બંધ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3|c}}||ઓવરસીઝ |- |||'''સાંઈ સુદર્શન''' ||style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|2001|10|15|df=y}} ||ડાબોડી || || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| ઓલ-રાઉન્ડરો |- |૩૩|| '''[[હાર્દિક પંડ્યા]]''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1993|10|11|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ-ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|15|c}} || આગેવાન <ref>{{Cite web|title=IPL: અમદાવાદ ટીમનું નામ'Gujarat Titans', હાર્દિક પંડ્યાએ કરી સ્પેશિયલ ટ્વિટ-આઇ એમ ગુજરાત|url=https://www.iamgujarat.com/sports/cricket/cricket-news/ipl-2022-ahmedabad-franchise-announce-team-name-gujarat-titans-lead-by-hardik-pandya/articleshow/89453722.cms|access-date=૯ ફેબ્રુઆરી ૨૦૨૨|website=આઇ એમ ગુજરાત}}</ref> |- ||| '''રાહુલ તેવટિયા''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1993|5|20|df=y}} || જમણેરી || જમણા હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|9|c}}|| |- ||| '''વિજય શંકર''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1991|1|26|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.40|c}}|| |- ||| '''જયંત યાદવ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|1|20|df=y}} || જમણેરી || જમણો હાથ (ઓફ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.70|c}}|| |- ||| '''ગુરકીરત સિંહ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|06|29|df=y}} || જમણેરી || જમણો હાથ (ઓફ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|50|l}}|| |- ||| '''ડોમિનિક ડ્રેક્સ''' || style="text-align:center"|{{flagicon|WIN}} || {{birth date and age|1998|2|6|df=y}}|| ડાબોડી || ડાબો હાથ (મધ્યમ-ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.10|c}}||ઓવરસીઝ |- ||| '''દર્શન નલકાંડે''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1998|10|4|df=y}}|| જમણેરી ||જમણો હાથ (ઝડપી-મધ્યમ)|| style="text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| વિકેટ-કીપરો |- |||'''વૃદ્ધિમાન સાહા'''|| style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1984|10|24|df=y}} || જમણેરી |||| style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1|c}}|| |- ||| '''મેથ્યુ વેડ''' ||style="text-align:center"|{{flagicon|AUS}} || {{birth date and age|1987|12|26|df=y}} ||ડાબોડી|||| style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.40|c}}|| ઓવરસીઝ |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| સ્પિન-દડાબાઝો |- ||| '''રાશિદ ખાન''' || style="text-align:center"|{{flagicon|AFG|2013}} || {{birth date and age|1998|09|20|df=y}} || જમણેરી || જમણો હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|15|c}} || |- ||| '''નૂર એહમદ''' || style="text-align:center"|{{flagicon|AFG|2013}} || {{birth date and age|2005|1|3|df=y}} || જમણેરી || ડાબો હાથ (બિનપરંપરાગત સ્પિન) || style="text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|30|l}} || ઓવરસીઝ |- ||| '''રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર'''||style="text-align:center"| {{flagicon|IND}} || {{birth date and age|1996|11|6|df=y}} || ડાબોડી || ધીમો ડાબો હાથ (રૂઢિચુસ્ત) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3|c}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| પેસ-દડાબાઝો |- ||| '''મોહમ્મદ શમી''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|9|3|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|6.25|c}}|| |- ||| '''લોકી ફર્ગ્યુસન''' || style="text-align:center"|{{flagicon|NZ}} || {{birth date and age|1991|7|13|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી) || style'text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|10|c}}|| ઓવરસીઝ |- ||| '''અલ્ઝારી જોસેફ''' || style="text-align:center"|{{flagicon|WIN}} || {{birth date and age|1996|11|20|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી-મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.40|c}}||ઓવરસીઝ |- ||| '''યશ દયાલ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1997|12|13|df=y}} || ડાબોડી || ડાબો હાથ (ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3.2|c}}|| |- ||| '''વરૂણ એરોન''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1989|10|29|df=y}}||જમણેરી|| જમણો હાથ (ઝડપી) || style="text-align:center;"|૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|3|c}}|| |- ||| '''પ્રદીપ સાંગવાન''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|11|5|df=y}}|| જમણેરી || ડાબો હાથ (ઝડપી-મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="text-align: center;"| <small>સ્ત્રોત:</small> |} == સીઝન == {| class="wikitable" style="font-size:85%; width:55%;" |- style="text-align:center;"| ! '''વર્ષ''' ! લીગ ટેબલ સ્ટેન્ડિંગ ! ફાઇનલ સ્ટેન્ડિંગ |- ! '''૨૦૨૨''' | '''૧૦ માંથી પ્રથમ''' |style="background: orange;"|'''વિજેતા''' |} == વહીવટ અને સહાયક સ્ટાફ == {| class="wikitable" style="font-size:100%;" |- !પદ !નામ |- |માલિક|| સ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ |- | સી.ઇ.ઓ|| સિદ્ધાર્થ પટેલ |- |ક્રિકેટ નિયામક|| {{flagicon|ENG}} વિક્રમ સોલંકી |- |મુખ્ય કોચ|| {{flagicon|IND}} આશિષ નેહરા |- |બેટીંગ કોચ અને માર્ગદર્શક|| {{flagicon|RSA}} [[ગૅરી કિર્સ્ટન]] |- |સ્પિન દડાના કોચ સ્કાઉટ|| {{flagicon|IND}} આશિષ કપૂર |- |} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{Twitter|id=gujarat_titans}} [[શ્રેણી:ક્રિકેટ]] 76vzmoj9qj9jp4czjxobzg82r54ndy7 827293 827292 2022-08-19T08:02:32Z 103.205.69.14 /* વહીવટ અને સહાયક સ્ટાફ */ wikitext text/x-wiki {{Infobox cricket team |name=ગુજરાત ટાઇટન્સ |image = |league = ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) |captain = [[હાર્દિક પંડ્યા]] |coach = આશિષ નેહરા |owner = સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ |city = [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]] |ground = [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]], [[મોટેરા]] |capacity = ૧,૩૨,૦૦૦ |caption= '''ગુજરાત ટાઇટન્સ નું સત્તાવાર ચિહ્ન''' |t_title= |t_body= |t_leftarm= |t_pattern_b= |t_rightarm= |t_pants= }} '''ગુજરાત ટાઇટન્સ''' એ [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]]માં સ્થિત એક ફ્રેન્ચાઇઝ [[ક્રિકેટ]] ટીમ છે. જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ [[મોટેરા]] ના [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]]માં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ [[હાર્દિક પંડ્યા]] અને કોચ આશિષ નેહરા કરશે.<ref>{{Cite web|title=IPL 2020:અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝી નું નામ 'ગુજરાત ટાઇટન્સ', જાણો કોને બનાવ્યા કેપ્ટન-મિડ-ડે|url=https://www.gujaratimidday.com/sports-news/cricket/article/ipl-2022-ahmedabads-new-franchise-is-named-gujarat-titans-160930|access-date=૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨|website=મિડ-ડે ગુજરાતી}}</ref> == ફ્રેન્ચાઇઝ ઇતિહાસ == ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા. આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ [[હાર્દિક પંડ્યા]]ને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા. == ગૃહ મેદાન == ટીમનું ગૃહ મેદાન [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]] રહશે. જે [[ગુજરાત]]ના [[મોટેરા]]માં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. == કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક == {| class="wikitable sortable" style="text-align:center" |- ! style="background:navy; color:#FFD441; text-align:center;"|વર્ષ ! style="background:navy; color:#FFD441; text-align:center;"|કીટ ના ઉત્પાદક ! style="background:navy; color:#FFD441; text-align:center;"|શર્ટ ના સ્પોન્સર (આગળ) ! style="background:navy; color:#FFD441; text-align:center;"|શર્ટ ના સ્પોન્સર (પાછળ) ! style="background:navy; color:#FFD441; text-align:center;"|છાતી બ્રાન્ડિંગ |- |૨૦૨૨ |ઈ.એમ |આથેર |બી.કે.ટી |કેપ્રી લોન્સ |} == વર્તમાન ટુકડી == * '''આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા રમતવીરો ઘાટા અક્ષરો''' માં સુચીબદ્ધ છે. <!--* {{color box|border=darkgray|#EEE8AA|<nowiki>*</nowiki>}} denotes a player who is currently unavailable for selection. * {{color box|border=darkgray|#FFCCCC|<nowiki>*</nowiki>}} denotes a player who is unavailable for rest of the season. --> {| class="wikitable" style="font-size:80%;" |- ! style="background:; color:; text-align:center;"| નં. ! style="background:; color:; text-align:center;"| નામ ! style="background:; color:; text-align:center;"| નાગરીકતા ! style="background:; color:; text-align:center;"| જન્મ તારીખ ! style="background:; color:; text-align:center;"| બેટીંગ શૈલી ! style="background:; color:; text-align:center;"| દડાની શૈલી ! style="background:; color:; text-align:center;"| સહી કરેલ વર્ષ ! style="background:; color:; text-align:center;"| મળેલ રૂપીયા ! style="background:; color:; text-align:center;"| નોંધ |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| બેટ્સમેન |- ||| '''શુભમન ગીલ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1999|9|8|df=y}} || જમણેરી || જમણો હાથ (બંધ-બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|8|c}} || |- ||| '''જેસન રોય''' || style="text-align:center"|{{flagicon|ENG}} || {{birth date and age|1990|7|21|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2|c}}|| ઓવરસીઝ |- ||| '''અભિનવ સદ્રંગાણી''' ||style="text-align:center"| {{flagicon|IND}} || {{birth date and age|1994|9|16|df=y}} || જમણેરી || જમણો હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.6|c}}|| |- ||| '''ડેવિડ મિલર''' || style="text-align:center"|{{flagicon|RSA}} || {{birth date and age|1989|06|10|df=y}} || ડાબોડી || જમણો હાથ (બંધ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3|c}}||ઓવરસીઝ |- |||'''સાંઈ સુદર્શન''' ||style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|2001|10|15|df=y}} ||ડાબોડી || || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| ઓલ-રાઉન્ડરો |- |૩૩|| '''[[હાર્દિક પંડ્યા]]''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1993|10|11|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ-ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|15|c}} || આગેવાન <ref>{{Cite web|title=IPL: અમદાવાદ ટીમનું નામ'Gujarat Titans', હાર્દિક પંડ્યાએ કરી સ્પેશિયલ ટ્વિટ-આઇ એમ ગુજરાત|url=https://www.iamgujarat.com/sports/cricket/cricket-news/ipl-2022-ahmedabad-franchise-announce-team-name-gujarat-titans-lead-by-hardik-pandya/articleshow/89453722.cms|access-date=૯ ફેબ્રુઆરી ૨૦૨૨|website=આઇ એમ ગુજરાત}}</ref> |- ||| '''રાહુલ તેવટિયા''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1993|5|20|df=y}} || જમણેરી || જમણા હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|9|c}}|| |- ||| '''વિજય શંકર''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1991|1|26|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.40|c}}|| |- ||| '''જયંત યાદવ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|1|20|df=y}} || જમણેરી || જમણો હાથ (ઓફ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.70|c}}|| |- ||| '''ગુરકીરત સિંહ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|06|29|df=y}} || જમણેરી || જમણો હાથ (ઓફ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|50|l}}|| |- ||| '''ડોમિનિક ડ્રેક્સ''' || style="text-align:center"|{{flagicon|WIN}} || {{birth date and age|1998|2|6|df=y}}|| ડાબોડી || ડાબો હાથ (મધ્યમ-ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.10|c}}||ઓવરસીઝ |- ||| '''દર્શન નલકાંડે''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1998|10|4|df=y}}|| જમણેરી ||જમણો હાથ (ઝડપી-મધ્યમ)|| style="text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| વિકેટ-કીપરો |- |||'''વૃદ્ધિમાન સાહા'''|| style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1984|10|24|df=y}} || જમણેરી |||| style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1|c}}|| |- ||| '''મેથ્યુ વેડ''' ||style="text-align:center"|{{flagicon|AUS}} || {{birth date and age|1987|12|26|df=y}} ||ડાબોડી|||| style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.40|c}}|| ઓવરસીઝ |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| સ્પિન-દડાબાઝો |- ||| '''રાશિદ ખાન''' || style="text-align:center"|{{flagicon|AFG|2013}} || {{birth date and age|1998|09|20|df=y}} || જમણેરી || જમણો હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|15|c}} || |- ||| '''નૂર એહમદ''' || style="text-align:center"|{{flagicon|AFG|2013}} || {{birth date and age|2005|1|3|df=y}} || જમણેરી || ડાબો હાથ (બિનપરંપરાગત સ્પિન) || style="text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|30|l}} || ઓવરસીઝ |- ||| '''રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર'''||style="text-align:center"| {{flagicon|IND}} || {{birth date and age|1996|11|6|df=y}} || ડાબોડી || ધીમો ડાબો હાથ (રૂઢિચુસ્ત) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3|c}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| પેસ-દડાબાઝો |- ||| '''મોહમ્મદ શમી''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|9|3|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|6.25|c}}|| |- ||| '''લોકી ફર્ગ્યુસન''' || style="text-align:center"|{{flagicon|NZ}} || {{birth date and age|1991|7|13|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી) || style'text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|10|c}}|| ઓવરસીઝ |- ||| '''અલ્ઝારી જોસેફ''' || style="text-align:center"|{{flagicon|WIN}} || {{birth date and age|1996|11|20|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી-મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.40|c}}||ઓવરસીઝ |- ||| '''યશ દયાલ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1997|12|13|df=y}} || ડાબોડી || ડાબો હાથ (ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3.2|c}}|| |- ||| '''વરૂણ એરોન''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1989|10|29|df=y}}||જમણેરી|| જમણો હાથ (ઝડપી) || style="text-align:center;"|૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|3|c}}|| |- ||| '''પ્રદીપ સાંગવાન''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|11|5|df=y}}|| જમણેરી || ડાબો હાથ (ઝડપી-મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="text-align: center;"| <small>સ્ત્રોત:</small> |} == સીઝન == {| class="wikitable" style="font-size:85%; width:55%;" |- style="text-align:center;"| ! '''વર્ષ''' ! લીગ ટેબલ સ્ટેન્ડિંગ ! ફાઇનલ સ્ટેન્ડિંગ |- ! '''૨૦૨૨''' | '''૧૦ માંથી પ્રથમ''' |style="background: orange;"|'''વિજેતા''' |} == વહીવટ અને સહાયક સ્ટાફ == {| class="wikitable" style="font-size:100%;" |- ! style="background:navy; color:#FFD441; text-align:center;"| પદ ! style="background:navy; color:#FFD441; text-align:center;"| નામ |- |માલિક|| સ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ |- | સી.ઇ.ઓ|| સિદ્ધાર્થ પટેલ |- |ક્રિકેટ નિયામક|| {{flagicon|ENG}} વિક્રમ સોલંકી |- |મુખ્ય કોચ|| {{flagicon|IND}} આશિષ નેહરા |- |બેટીંગ કોચ અને માર્ગદર્શક|| {{flagicon|RSA}} [[ગૅરી કિર્સ્ટન]] |- |સ્પિન દડાના કોચ સ્કાઉટ|| {{flagicon|IND}} આશિષ કપૂર |- |} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{Twitter|id=gujarat_titans}} [[શ્રેણી:ક્રિકેટ]] gudxxom24naz41clwlnylv45vs6qspw 827294 827293 2022-08-19T08:02:53Z 103.205.69.14 /* વર્તમાન ટુકડી */ wikitext text/x-wiki {{Infobox cricket team |name=ગુજરાત ટાઇટન્સ |image = |league = ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) |captain = [[હાર્દિક પંડ્યા]] |coach = આશિષ નેહરા |owner = સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ |city = [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]] |ground = [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]], [[મોટેરા]] |capacity = ૧,૩૨,૦૦૦ |caption= '''ગુજરાત ટાઇટન્સ નું સત્તાવાર ચિહ્ન''' |t_title= |t_body= |t_leftarm= |t_pattern_b= |t_rightarm= |t_pants= }} '''ગુજરાત ટાઇટન્સ''' એ [[અમદાવાદ]], [[ગુજરાત]], [[ભારત]]માં સ્થિત એક ફ્રેન્ચાઇઝ [[ક્રિકેટ]] ટીમ છે. જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ [[મોટેરા]] ના [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]]માં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ [[હાર્દિક પંડ્યા]] અને કોચ આશિષ નેહરા કરશે.<ref>{{Cite web|title=IPL 2020:અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝી નું નામ 'ગુજરાત ટાઇટન્સ', જાણો કોને બનાવ્યા કેપ્ટન-મિડ-ડે|url=https://www.gujaratimidday.com/sports-news/cricket/article/ipl-2022-ahmedabads-new-franchise-is-named-gujarat-titans-160930|access-date=૦૯ ફેબ્રુઆરી ૨૦૨૨|website=મિડ-ડે ગુજરાતી}}</ref> == ફ્રેન્ચાઇઝ ઇતિહાસ == ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા. આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ [[હાર્દિક પંડ્યા]]ને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા. == ગૃહ મેદાન == ટીમનું ગૃહ મેદાન [[નરેન્દ્ર મોદી સ્ટેડિયમ]] રહશે. જે [[ગુજરાત]]ના [[મોટેરા]]માં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. == કીટ ના ઉત્પાદક અને પ્રાયોજક == {| class="wikitable sortable" style="text-align:center" |- ! style="background:navy; color:#FFD441; text-align:center;"|વર્ષ ! style="background:navy; color:#FFD441; text-align:center;"|કીટ ના ઉત્પાદક ! style="background:navy; color:#FFD441; text-align:center;"|શર્ટ ના સ્પોન્સર (આગળ) ! style="background:navy; color:#FFD441; text-align:center;"|શર્ટ ના સ્પોન્સર (પાછળ) ! style="background:navy; color:#FFD441; text-align:center;"|છાતી બ્રાન્ડિંગ |- |૨૦૨૨ |ઈ.એમ |આથેર |બી.કે.ટી |કેપ્રી લોન્સ |} == વર્તમાન ટુકડી == * '''આંતરરાષ્ટ્રીય કેપ્સ ધરાવતા રમતવીરો ઘાટા અક્ષરો''' માં સુચીબદ્ધ છે. <!--* {{color box|border=darkgray|#EEE8AA|<nowiki>*</nowiki>}} denotes a player who is currently unavailable for selection. * {{color box|border=darkgray|#FFCCCC|<nowiki>*</nowiki>}} denotes a player who is unavailable for rest of the season. --> {| class="wikitable" style="font-size:85%;" |- ! style="background:navy; color:#FFD441; text-align:center;"| નં. ! style="background:navy; color:#FFD441; text-align:center;"| નામ ! style="background:navy; color:#FFD441; text-align:center;"| નાગરીકતા ! style="background:navy; color:#FFD441; text-align:center;"| જન્મ તારીખ ! style="background:navy; color:#FFD441; text-align:center;"| બેટીંગ શૈલી ! style="background:navy; color:#FFD441; text-align:center;"| દડાની શૈલી ! style="background:navy; color:#FFD441; text-align:center;"| સહી કરેલ વર્ષ ! style="background:navy; color:#FFD441; text-align:center;"| મળેલ રૂપીયા ! style="background:navy; color:#FFD441; text-align:center;"| નોંધ |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| બેટ્સમેન |- ||| '''શુભમન ગીલ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1999|9|8|df=y}} || જમણેરી || જમણો હાથ (બંધ-બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|8|c}} || |- ||| '''જેસન રોય''' || style="text-align:center"|{{flagicon|ENG}} || {{birth date and age|1990|7|21|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2|c}}|| ઓવરસીઝ |- ||| '''અભિનવ સદ્રંગાણી''' ||style="text-align:center"| {{flagicon|IND}} || {{birth date and age|1994|9|16|df=y}} || જમણેરી || જમણો હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.6|c}}|| |- ||| '''ડેવિડ મિલર''' || style="text-align:center"|{{flagicon|RSA}} || {{birth date and age|1989|06|10|df=y}} || ડાબોડી || જમણો હાથ (બંધ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3|c}}||ઓવરસીઝ |- |||'''સાંઈ સુદર્શન''' ||style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|2001|10|15|df=y}} ||ડાબોડી || || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| ઓલ-રાઉન્ડરો |- |૩૩|| '''[[હાર્દિક પંડ્યા]]''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1993|10|11|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ-ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|15|c}} || આગેવાન <ref>{{Cite web|title=IPL: અમદાવાદ ટીમનું નામ'Gujarat Titans', હાર્દિક પંડ્યાએ કરી સ્પેશિયલ ટ્વિટ-આઇ એમ ગુજરાત|url=https://www.iamgujarat.com/sports/cricket/cricket-news/ipl-2022-ahmedabad-franchise-announce-team-name-gujarat-titans-lead-by-hardik-pandya/articleshow/89453722.cms|access-date=૯ ફેબ્રુઆરી ૨૦૨૨|website=આઇ એમ ગુજરાત}}</ref> |- ||| '''રાહુલ તેવટિયા''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1993|5|20|df=y}} || જમણેરી || જમણા હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|9|c}}|| |- ||| '''વિજય શંકર''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1991|1|26|df=y}} || જમણેરી || જમણો હાથ (મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.40|c}}|| |- ||| '''જયંત યાદવ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|1|20|df=y}} || જમણેરી || જમણો હાથ (ઓફ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.70|c}}|| |- ||| '''ગુરકીરત સિંહ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|06|29|df=y}} || જમણેરી || જમણો હાથ (ઓફ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|50|l}}|| |- ||| '''ડોમિનિક ડ્રેક્સ''' || style="text-align:center"|{{flagicon|WIN}} || {{birth date and age|1998|2|6|df=y}}|| ડાબોડી || ડાબો હાથ (મધ્યમ-ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1.10|c}}||ઓવરસીઝ |- ||| '''દર્શન નલકાંડે''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1998|10|4|df=y}}|| જમણેરી ||જમણો હાથ (ઝડપી-મધ્યમ)|| style="text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| વિકેટ-કીપરો |- |||'''વૃદ્ધિમાન સાહા'''|| style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1984|10|24|df=y}} || જમણેરી |||| style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|1|c}}|| |- ||| '''મેથ્યુ વેડ''' ||style="text-align:center"|{{flagicon|AUS}} || {{birth date and age|1987|12|26|df=y}} ||ડાબોડી|||| style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.40|c}}|| ઓવરસીઝ |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| સ્પિન-દડાબાઝો |- ||| '''રાશિદ ખાન''' || style="text-align:center"|{{flagicon|AFG|2013}} || {{birth date and age|1998|09|20|df=y}} || જમણેરી || જમણો હાથ (પગ બ્રેક) || style="text-align:center;"| ૨૦૨૨ || style="text-align:center;"| {{INRConvert|15|c}} || |- ||| '''નૂર એહમદ''' || style="text-align:center"|{{flagicon|AFG|2013}} || {{birth date and age|2005|1|3|df=y}} || જમણેરી || ડાબો હાથ (બિનપરંપરાગત સ્પિન) || style="text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|30|l}} || ઓવરસીઝ |- ||| '''રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર'''||style="text-align:center"| {{flagicon|IND}} || {{birth date and age|1996|11|6|df=y}} || ડાબોડી || ધીમો ડાબો હાથ (રૂઢિચુસ્ત) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3|c}}|| |- ! colspan="9" style="background: #DCDCDC; text-align:center"| પેસ-દડાબાઝો |- ||| '''મોહમ્મદ શમી''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|9|3|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|6.25|c}}|| |- ||| '''લોકી ફર્ગ્યુસન''' || style="text-align:center"|{{flagicon|NZ}} || {{birth date and age|1991|7|13|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી) || style'text-align:center;"| ૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|10|c}}|| ઓવરસીઝ |- ||| '''અલ્ઝારી જોસેફ''' || style="text-align:center"|{{flagicon|WIN}} || {{birth date and age|1996|11|20|df=y}} || જમણેરી || જમણો હાથ (ઝડપી-મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|2.40|c}}||ઓવરસીઝ |- ||| '''યશ દયાલ''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1997|12|13|df=y}} || ડાબોડી || ડાબો હાથ (ઝડપી) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|3.2|c}}|| |- ||| '''વરૂણ એરોન''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1989|10|29|df=y}}||જમણેરી|| જમણો હાથ (ઝડપી) || style="text-align:center;"|૨૦૨૨||style="text-align:center;"| {{INRConvert|3|c}}|| |- ||| '''પ્રદીપ સાંગવાન''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1990|11|5|df=y}}|| જમણેરી || ડાબો હાથ (ઝડપી-મધ્યમ) || style="text-align:center;"| ૨૦૨૨ ||style="text-align:center;"| {{INRConvert|20|l}}|| |- ! colspan="9" style="text-align: center;"| <small>સ્ત્રોત:</small> |} == સીઝન == {| class="wikitable" style="font-size:85%; width:55%;" |- style="text-align:center;"| ! '''વર્ષ''' ! લીગ ટેબલ સ્ટેન્ડિંગ ! ફાઇનલ સ્ટેન્ડિંગ |- ! '''૨૦૨૨''' | '''૧૦ માંથી પ્રથમ''' |style="background: orange;"|'''વિજેતા''' |} == વહીવટ અને સહાયક સ્ટાફ == {| class="wikitable" style="font-size:100%;" |- ! style="background:navy; color:#FFD441; text-align:center;"| પદ ! style="background:navy; color:#FFD441; text-align:center;"| નામ |- |માલિક|| સ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ |- | સી.ઇ.ઓ|| સિદ્ધાર્થ પટેલ |- |ક્રિકેટ નિયામક|| {{flagicon|ENG}} વિક્રમ સોલંકી |- |મુખ્ય કોચ|| {{flagicon|IND}} આશિષ નેહરા |- |બેટીંગ કોચ અને માર્ગદર્શક|| {{flagicon|RSA}} [[ગૅરી કિર્સ્ટન]] |- |સ્પિન દડાના કોચ સ્કાઉટ|| {{flagicon|IND}} આશિષ કપૂર |- |} == સંદર્ભ == {{Reflist}} == બાહ્ય કડીઓ == * {{Twitter|id=gujarat_titans}} [[શ્રેણી:ક્રિકેટ]] qif6n97aeeewzm56y318pdoqjwyfq9e કંડોળીયા બ્રાહ્મણ 0 134754 827297 827217 2022-08-19T10:10:37Z 2402:3A80:1541:E39B:0:1A:134:A01 dileted page wikitext text/x-wiki == https://jaysamudrimaa.blogspot.com/?m=1<ref>{{Cite book|url=http://archive.org/details/brahmotpatti-martand-in-brihat-jyotisharnava-skandha-6-hari-krishna-shastri|title=Brahmotpatti Martand In Brihat Jyotisharnava Skandha 6 Hari Krishna Shastri|last=Hari Krishna Shastri}}</ref> == સંપૂર્ણ માહિતી માટે આપેલ બ્લોગ પર લોગ ઓન કરો jbqwwwxjbxdxafkmmtx8pm18pt9c63a સભ્યની ચર્ચા:Rathodharish2000 3 134813 827244 2022-08-18T12:24:31Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Rathodharish2000}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૫૪, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) l89iglmjp1oc38hzp0z9lg5niwimuaz સભ્યની ચર્ચા:Berkay akpnr38 3 134814 827245 2022-08-18T13:01:28Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Berkay akpnr38}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૩૧, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3ilfc547917s4tfllguijppl095y7an સભ્ય:Mevadaishwar 2 134815 827247 2022-08-18T13:24:25Z Mevadaishwar 66193 भचाऊ तालुका अभयारण्य के आसपास नेर, कडोल, बनियारी गांव के मजदूरों और किसानों की सच्ची अगररियों से मांग की जाती है कि मिस्टर लीज पर आपको नमक उद्योग के लिए जमीन दी जाए। नेर और कडोल में 112000 एकड़ नमक की फैक्ट्री है जल्द ही समझ को समाप्त कर दिया जाता है और न्याय किया जाता है गरीब, wikitext text/x-wiki भचाऊ तालुका अभयारण्य के आसपास नेर, कडोल, बनियारी गांव के मजदूरों और किसानों की सच्ची अगररियों से मांग की जाती है कि मिस्टर लीज पर आपको नमक उद्योग के लिए जमीन दी जाए। नेर और कडोल में 112000 एकड़ नमक की फैक्ट्री है जल्द ही समझ को समाप्त कर दिया जाता है और न्याय किया जाता है गरीब, सड़क पर नमक गिरने से बाइक फिसल जाती है छोटी-बड़ी दुर्घटनाएं होती हैं जिनमें नेर, कंडोल, अमरसर, बांधड़ी, मनफरा, देशलपार जैसे रेगिस्तानी इलाकों से आने वाले गांवों को आठ से दस गांवों की ठेला सड़कों पर दौड़ना पड़ता है. साथ ही बनियारी, कडोल राजमार्ग पर। ओ नियम तोड़ना हमारे डंपरों की लोडिंग, और तेज गति, छोटे वाहनों को साइड देना, लोगों का विरोध करने पर डंपर लोड करने की धमकी देना, शराब के नशे में गाड़ी चलाना, हर साल 800 से अधिक टर्बो ट्रक चलाना पिछले 27 वर्षों से नमक उद्योग के बेईमान तत्व जंगली जानवरों की भूमि पर अवैध रूप से खलिहान बना रहे हैं और करोड़ों का नमक पका रहे हैं। egzm27suxxz1dfhtfxe7e51tbd7dv9x સભ્યની ચર્ચા:PLD KNOWLEDGE HUB 3 134816 827248 2022-08-18T13:41:57Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=PLD KNOWLEDGE HUB}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૧, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) mdl94hftfuxarpz7xoltil9p4x8pxgy સભ્યની ચર્ચા:Shanil patel0711 3 134817 827253 2022-08-18T15:18:01Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Shanil patel0711}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૮, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) gkfkdyplme5xx9umisgqg77ic07416a સભ્યની ચર્ચા:S.Samarpan Bhusal 3 134818 827254 2022-08-18T15:31:59Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=S.Samarpan Bhusal}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૦૧, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) dr25kt4fmwokzgqfkfrvw9cik3gks9n સભ્યની ચર્ચા:Maheshbhai Thakor 3 134819 827259 2022-08-18T16:53:09Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Maheshbhai Thakor}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૨૩, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) jsdjnzr7c5cxtvrotpo2o9s31yoi5cl સભ્યની ચર્ચા:Indrajeet Vaghela 3 134820 827261 2022-08-18T18:17:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Indrajeet Vaghela}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૩:૪૭, ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) io2274i9jgbhue1plrecl8xbls3bvp7 સભ્યની ચર્ચા:Tarosaharomarakashtbhanjan 3 134821 827262 2022-08-18T19:29:12Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Tarosaharomarakashtbhanjan}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૯, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) a9y4i22e6n4ju2dirbs17jn3t5y5y0p સભ્યની ચર્ચા:Faizal Sama 3 134822 827264 2022-08-19T00:19:07Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Faizal Sama}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૦૫:૪૯, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) pmgh9y4e9mlzwbjt6qexjhawq5d6no9 દાઇગામડા 0 134823 827274 2022-08-19T03:38:37Z KartikMistry 10383 KartikMistryએ [[દાઇગામડા]]ને [[દૈગામડા]] પર ખસેડ્યું: યોગ્ય નામ. wikitext text/x-wiki #REDIRECT [[દૈગામડા]] 48m3q6mcx51ts1lu6hx0p4ljoazojb1 સભ્યની ચર્ચા:ARVINDBHAI AJESHBHAI CHAUHAN 3 134824 827283 2022-08-19T06:52:32Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=ARVINDBHAI AJESHBHAI CHAUHAN}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૨૨, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 5mw06f3853s33v00hkyi5ee4jcb9f44 સભ્યની ચર્ચા:Radhe yogiraj 3 134825 827284 2022-08-19T06:59:56Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Radhe yogiraj}} -- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૨૯, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 48pmp6r6p3tqa0styxa2xzqs7hw9osl સભ્યની ચર્ચા:Raval sanjay 3 134826 827285 2022-08-19T07:03:22Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Raval sanjay}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૩૩, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) discxdsej5rm2medewjhlf5nwqwoq0a Shedubhar 0 134827 827295 2022-08-19T10:04:58Z 2402:3A80:1541:E39B:0:1A:134:A01 add wikitext text/x-wiki Shedubhar is best village 6y3qldrmcfco7vdvqn0gospyk8oendm 827301 827295 2022-08-19T10:21:16Z Darshit kumbhani1212 70287 my village wikitext text/x-wiki Shedubhar is best village he Bhargav Polra g01su7hw7lrg7is682sps866yaqy66y 827302 827301 2022-08-19T10:21:37Z Darshit kumbhani1212 70287 add wikitext text/x-wiki Shedubhar is best village he [[Bhargav Polra]] p56dmuznpq6wpbciraxtjqywhlrn7so 827304 827302 2022-08-19T10:27:02Z Darshit kumbhani1212 70287 dillet page wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 827305 827304 2022-08-19T10:37:50Z Darshit kumbhani1212 70287 my village wikitext text/x-wiki Shedubhar village is a very nice village. Do I all live together? It's brotherhood. all the people who do the farming he or the people who eat because of their lack of hard work 87agdivx0lgq4vbu27525ehfhf7wl4u 827307 827305 2022-08-19T11:19:19Z Darshit kumbhani1212 70287 ok wikitext text/x-wiki Shedubhar village is a very nice village. Do I all live together? It's brotherhood. all the people who do the farming he or the people who eat because of their lack of hard work<nowiki>[[Bhargav Polra]]</nowiki> 2nsw9mdmr487topewss8fu9k6v9ocm8 827309 827307 2022-08-19T11:20:01Z Darshit kumbhani1212 70287 wikitext text/x-wiki Shedubhar village is a very nice village. Do I all live together? It's brotherhood. all the people who do the farming he or the people who eat because of their lack of hard work[<nowiki/>[[Bhargav Polra|bhargav]][Bhargav Polra]] 8g8oq99qk6ku38fme9g57bu19y0robg 827310 827309 2022-08-19T11:21:09Z Darshit kumbhani1212 70287 wikitext text/x-wiki Shedubhar village is a very nice village. Do I all live together? It's brotherhood. all the people who do the farming he or the people who eat because of their lack of hard work Bhargav [[Bhargav Polra|Polra]] jgqvhlgri4lmrc85fme2o2xxla5k11c સભ્યની ચર્ચા:Darshit kumbhani1212 3 134828 827298 2022-08-19T10:14:04Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Darshit kumbhani1212}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૪૪, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 0705esjh18ouoz3jm6pjedxrhpnh9q1 સભ્ય:Darshit kumbhani1212 2 134829 827299 2022-08-19T10:15:22Z Darshit kumbhani1212 70287 BRGV wikitext text/x-wiki BRGV 0i082cya77gqaxh5mpe4vwxm37kb8kz Bhargav Polra 0 134830 827303 2022-08-19T10:25:16Z Darshit kumbhani1212 70287 Add Bayo wikitext text/x-wiki '''Bhargav Polra''' is an Indian Music Artist Produser. He started his career at the age of 18. Bhargav Polara is currently studying in Ahmedabad. She has worked in many films such as the kids count, move on, american pain and many more. His place of birth is Amreli. Since childhood, Bhargav Polara had a passion to play, he has also been a cricket, volleyball champion. And he is also a producer. oihjm1hlg98jn9p1kxtgwok2wob357a 827311 827303 2022-08-19T11:41:27Z Darshit kumbhani1212 70287 Birth day add wikitext text/x-wiki '''Bhargav Polra''' is an Indian Music Artist Produser. He started his career at the age of 18. Bhargav Polara is currently studying in Ahmedabad. She has worked in many films such as the kids count, move on, american pain and many more. His place of birth is Amreli. Since childhood, Bhargav Polara had a passion to play, he has also been a cricket, volleyball champion. And he is also a producer. birth_name = Bhargav Polra| birth_date = 2004 | birth_place = [[Shedubhar|Amreli]], [[Shedubhar]] | | nationality = Indian 68e3gvfjeptwvj8es4uesgh8pk1he38 827312 827311 2022-08-19T11:41:59Z Darshit kumbhani1212 70287 wrong ditel only delet wikitext text/x-wiki '''Bhargav Polra''' is an Indian Music Artist Produser. He started his career at the age of 18. Bhargav Polara is currently studying in Ahmedabad. She has worked in many films such as the kids count, move on, american pain and many more. His place of birth is Amreli. Since childhood, Bhargav Polara had a passion to play, he has also been a cricket, volleyball champion. And he is also a producer. oihjm1hlg98jn9p1kxtgwok2wob357a 827314 827312 2022-08-19T11:58:12Z Darshit kumbhani1212 70287 This Page is ok wikitext text/x-wiki {{short description|Indian artist}} {{Use mdy dates|date=November 2019}} {{Infobox person | name = Bhargav Polra | image = Bhargav Polra during an interview in January 2021.png | alt = | caption = Bhargav in 2021 | birth_name = Bhargav Polra | birth_date = {{Birth date and age|mf=yes|2004|6|5}} | birth_place = [[Shedubhar]] | residence = | occupation = Artist | years_active = 2002–present | relatives = }} '''Bhargav Polra''' (born june 5, 2004) is an Indian Music Artist Produser. He started his career at the age of 18. Bhargav Polara is currently studying in Ahmedabad. She has worked in many films such as the kids count, move on, american pain and many more. His place of birth is Amreli. Since childhood, Bhargav Polara had a passion to play, he has also been a cricket, volleyball champion. And he is also a producer. qvikuq188sv1xiau99e6v94xwicyrex સભ્યની ચર્ચા:Hargovindkhurana 3 134831 827308 2022-08-19T11:19:59Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Hargovindkhurana}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૪૯, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) de4v99qocmx5rxbt8v4e9bo3v96id14 સભ્યની ચર્ચા:Dhrupal Dobariya 3 134832 827313 2022-08-19T11:58:08Z New user message 14116 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Dhrupal Dobariya}} -- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૨૮, ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 3kjmn8cjs1zcihsltdkapj4wlm1qp13