વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.8 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૬ 104 73174 222925 222905 2026-06-27T06:52:07Z Meghdhanu 3380 /* Validated */ 222925 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|વિદાય વેળાએ !||૧૭૭}}<hr>'''</noinclude>{{gap}}આ આટલી બધી કૃતિઓ છે એમાં કોઇનામાં અદ્‌ભુત ત્યાગ છે. ક્યાંક અલૌકિક વીરત્વ છે, કોઈનામાં સ્વર્ગીય પ્રેમ છે. કોઈ જ્ઞાન જીવનની પરાકાષ્ટા બતાવે છે. વાત્સલ્ય મૂર્તિ માતા ને બાળક પ્રેમસાગરનો કિનારો દેખાડી રહ્યાં છે. એ બધામાંથી તમારૂં જીવનધ્યેયી, જીવન સાથે વણેલું, ચિત્ર કયું?’ {{gap}}પેલા માણસને માટે તો આ પ્રશ્ન નવો જ હતો. એ તો, અત્યાર સુધી બધા કરતા તેમ કરતો. નવા નવા નમૂનાઓ લાવતો ! {{gap}}એ લાવવામાં આવું કોઈ ધ્યેય હોઈ શકે, અને નહિતર એ પણ નિર્જીવ બની રહે, એ ખબર એને આજે જ પડી ! {{gap}}એને પહેલી જ વખત ખબર પડી કે કૃતિઓમાં પાર વિનાના સંદેશાઓ હોય છે. એમાંથી એણે તો કોઈ જ સદેશો વાંચ્યો ન હતો ! {{gap}}ત્યાં તો પેલા સાધુ બોલ્યા : ‘કોઈ શ્રીમંત લાખો રૂપિયાના હીરા માણેક ભેગા કરે, પણ જ્યારે એમને છોડવાનો વખત આવે, ત્યારે એ સંગ્રહ એને કેવળ દુઃખરૂપ બને. એ જ વાત આ સંગ્રહ વિષે પણ કહી શકાય. કલા કૃતિઓ હોવાથી એનું મૂલ્યાંકન ખરેખર છે. પણ જો એમને તમે વાંચી હોય તો ! ન વાંચી હોય કે ન વાંચવાની હોય, તો એ સંગ્રહસ્થાનમાં રહે, તમારે ત્યાં રહે કે બીજે ઠેકાણે રહે બધું જ સરખું છે ! વિદાય વેળાએ આ સંગ્રહ જોઈને પેલા રાજાને જેમ હીરા માણેક જોઈ ને રડવું આવ્યું<noinclude></noinclude> hblntpr0ibgtmy3sr0auitit7zyl5xe પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૭ 104 73175 222926 222907 2026-06-27T06:53:27Z Meghdhanu 3380 /* Validated */ 222926 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૭૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હતું તેમ રડવું આવે એટલું જ. {{gap}}પણ જો તમે એને ધ્યેય તરીકે સ્વીકારશો તો એક ચમત્કાર થશે ! {{gap}}એ તમને પ્રાથના કર્યાનું બળ આપશે. એક સુંદર પુસ્તક વાંચ્યાનો આનંદ આપશે. તમારા જીવનની હરેક પળે તમને માર્ગદર્શન આપશે. {{સ-મ| |★ | }}<noinclude></noinclude> gmjvqrh6nxyn2mq4uhwzk77vf7pluin પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૯ 104 73177 222916 222715 2026-06-26T16:12:05Z Amvaishnav 156 /* Proofread */ 222916 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}પોતે કંઇક સ્થિર થયો. રાજકારભાર સંભાળ્યો. પણ્ એના મનમાં એક મોટામાં મોટી બીક પેસી ગઈ હતી. પોતે માગવા જાય તો પેાતે સોંપેલી રકમ એવી લાખાની હતી, કે જેને સોંપી હતી તે માણસ આવા લડાઇના સંજોગોનો સાચો કે ખોટો લાભ લેવા ધારે તો લઈ શકે તેમ હતું. {{gap}}અને એક વખત એ નામુકર જાય તો પાતે કાંઈ જ કરી ન શકે. ને કહી પણ ન શકે. એની પાસેથી લૂંટાઈ ગઈ હોય એ અશક્ય ન હતુ. ને રહી ગઈ હોય તો એ પોતે આપવા ધારે તો જ આપે. એ સિવાય કાંઈ બને તેમ ન હતું. એટલે એણે ધીરજ રાખીને પેલા શ્રીમંતને કાંઇ કહેવરાવ્યું જ નહિ. {{gap}}પણ જરાક સ્થિરતા થઈ લાગી કે તરત જ એક દિવસ એ શ્રીમંતનો મોટો છોકરો એ લાખોની રકમ લઇને આપવા માટે, પોતે જાતે હાજર થઈ ગયો હતો ! અમીર રાજવી તો એની આ પ્રમાણિકતા જોઈ ને છક જ થઈ ગયો ! {{gap}}તેણે આ જુવાન રોથ્સચાઈલ્ડને વંશપરંપરાગત 'નાઈટ' બનાવ્યો ! {{gap}}આગળ જતાં દુનિયાની મોટામાં મોટી શરાફી પેઢી ‘રોથ્સચાઇલ્ડ ’ની પેઢી આ કુટુંબમાં ઉદ્ભવી હતી ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> f1ilg2kzsg83d0hisxd6r4avkeve0qc પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૦ 104 73178 222917 222716 2026-06-26T16:20:54Z Amvaishnav 156 /* Proofread */ 222917 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૩૯ ] <br/> હલદીઘાટનો જન્મ !</big></big> | }} <br/> {{gap}}'''નદી''' <sup>*<ref>* બનારસ</ref></sup>પર્ણાશાએ ઘણાં દંગલ જોયાં. ઘણાં જુદ્ધ જોયાં. પણ આજ એનાં જળ, આ વીરસેનાઓને જોઈને, ખળ ખળ કરતા કરતાં અનેક યુગની ઈતિહાસ મૂર્તિઓને સંભારે છે ! સંભારે છે, પણ આવી મૂર્તિઓ ક્યાંય દેખાતી નથી ! {{gap}}કછવાહ માનસિંહ ચાલીસ હજારનું સૈન્ય લઇને ત્યાં ગાંવ મોલેલામાં છાવણી નાખીને પડ્યો છે. રાણા પ્રતાપે એનું જે અપમાન કર્યુંં હતું, તેનુ વેર લેવા એ આવ્યો છે. અરવલ્લીની ડુંગરમાળા એ જબરજસ્ત સેનો જોઈને ધ્રૂજી ગઇ છે. {{gap}}એના સૈન્યથી માત્ર ત્રણ જ ગાઉ છેટે, રાણા પ્રતાપનું સૈન્ય પડ્યું છે. એની પાસે પ્રસિદ્ધ “શૂરા બાવીસ હજાર " છે. {{gap}}બન્ને સૈન્ય એક બીજાની હીલચાલ તપાસે છે.<noinclude><hr> {{reflist}}</noinclude> h8jph7i732s4jx80oluhyr0qcvam1u5 222919 222917 2026-06-26T16:29:49Z Amvaishnav 156 222919 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૩૯ ] <br/> હલદીઘાટનો જન્મ !</big></big> | }} <br/> {{gap}}'''નદી''' <sup>*<ref>* બનારસ</ref></sup>પર્ણાશાએ ઘણાં દંગલ જોયાં. ઘણાં જુદ્ધ જોયાં. પણ આજ એનાં જળ, આ વીરસેનાઓને જોઈને, ખળ ખળ કરતા કરતાં અનેક યુગની ઈતિહાસ મૂર્તિઓને સંભારે છે ! સંભારે છે, પણ આવી મૂર્તિઓ ક્યાંય દેખાતી નથી ! {{gap}}કછવાહ માનસિંહ ચાલીસ હજારનું સૈન્ય લઇને ત્યાં ગાંવ મોલેલામાં છાવણી નાખીને પડ્યો છે. રાણા પ્રતાપે એનું જે અપમાન કર્યુંં હતું, તેનુ વેર લેવા એ આવ્યો છે. અરવલ્લીની ડુંગરમાળા એ જબરજસ્ત સેન જોઈને ધ્રૂજી ગઇ છે. {{gap}}એના સૈનથી માત્ર ત્રણ જ ગાઉ છેટે, રાણા પ્રતાપનું સેન પડ્યું છે. એની પાસે પ્રસિદ્ધ “શૂરા બાવીસ હજાર " છે. {{gap}}બન્ને સૈન્ય એક બીજાની હીલચાલ તપાસે છે.<noinclude><hr> {{reflist}}</noinclude> cle3fow43bh0cnpvx9c4ds2jmqu1mp3 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૧ 104 73187 222918 222749 2026-06-26T16:28:26Z Amvaishnav 156 /* Proofread */ 222918 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}એ વખતે રાણા પ્રતાપે પુરબિયા દુરસને એક કામ સોંપ્યું. એ બીજા સૈનિકો સાથે આ સૈન્યની રજેરજ માહિતી એને મેળવવાની હતી. કામ વિકટ હતુ. પકડાય તો દેહાંત દંડ એ એક જ સજા હતી. {{gap}}પુરબિયો ચાલ્યા. વેષ પરિધાનમાં એવો કુશળ કે કોઇ જાણી શકે નહિ કે આ ગુપ્તચર હશે. પંખી પકડવાવાળો ભીલ થઈ જાય, મધ પાડવાવાળો શિકારી બની જાય, આબેહુબ કઠિયારો પણ બની જાય. {{gap}}આડે અવળે માર્ગે એણે માનસિંહના સૈન્યની ખબર કાઢી લીધી. {{gap}}સમાચાર મળ્યા કે એક શિકાર સહેલગાહ ગોઠવાઇ છે. માત્ર હજાર જણ નીકળવાના છે. {{gap}}પુરબિયો વાયુ વેગે રાણાજી પાસે પાછો આવ્યો. જઈને ખખર આપ્યા. માનસિંહજી શિકારની મોજ કરવા નીકળેલ છે. મુખ્ય સૈન્યથી જુદા પડી ગયેલ છે. આંહીથી ભાગ્યે જ એક કોશ આઘે એ બધા નદીકાંઠે શિકારમાં પડી ગયા છે. આ વખત છે. એનું મુખ્ય સૈન્ય બે ગાઉ આઘે પડ્યું છે. {{gap}}રાણો પ્રતાપ તરત તૈયાર થઈ ગયો. ચેતક આવ્યો. સવારી થઇ. સાથે સેન લીધું, મારણ આટલું નજીક આવી ચડયું છે, એમ માનીને સૌ ઉપડવા માટે થનગની રહ્યા. {{gap}}એક પળ–અને એ બધા મારતે ઘોડે, માનસિંંહને ઘેરી લેવા માટે ઉપડી જવા તૈયાર હતા. {{gap}}એ વખતે કોણ જાણે ક્યાંથી સાદડીનો ઝાલો રાણો બીદો ત્યાં આવી ચડ્યો. તેણે વાત જાણી.<noinclude></noinclude> 7bw1xm8jmyaqr87zz8ibedqablnk21j પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૨ 104 73188 222920 222750 2026-06-26T16:39:30Z Amvaishnav 156 /* Proofread */ 222920 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|હલદીઘાટનું મેદાન !||૧૮૩}}<hr>'''</noinclude>{{gap}}તેના ચહેરા ઉપર હજાર મણ જાણે કાળી મેંશ પથરાઇ ગઇ. તેણે હાથ જોડ્યા : 'હું સીસોદિયા ભાણ ! અમે તો તને દેવ ધારીને આંહીં અમારા દેહ તારે આડે દેવા માટે આવ્યા છીએ. આ કામ તારે માટે ન હોય બાપ ! તું રાણા સીસોદિયા વંશી, તને આવે! અઘટિત લાભ લેવાનો કામો છાજતો નથી. માનસિંહ ઉપર આવે ટાણે આવી રીતે હલ્લો થાશે તો તારી એકાતેર પેઢીને કાળી ટીલી ચડી જાશે. એણે તો તુરકને ચોકરીઓ આપી છે. પણ આ ધંધો તો ખુદ તુરકને પણ શરમાવે તેવો છે! આ ધંધો કરવો હોય તો રઘુવંશનું નામ તમારી વંશગાથામાંથી કાઢી નાખો !' {{gap}}રાણો પ્રતાપ ઝાલારાણાના શબ્દો સાંભળતાં જ લેવાઇ ગયો. પોતાને એક પળ પણ આવો છાનો ખોટો છાપો મારવાનું મન થયું, એનો પારાવાર પશ્ચાત્તાપ એને થઇ ગયા. {{gap}}એ તરત ચેતક ઉપરથી નીચે આવી ગયો. {{gap}}‘ બાપ ! તું સૂરજવંશી તારે કાંઇ અંધારાના આધારે ચડવાનાં હોય? યુદ્ધ ધર્મનો આધાર રાખવા આજ હાથમાં આવેલી તક તેં જવા દીધી છે, તો ભગવાન એકલિંગજી તારું નામ જુગોજુગ રહી જાય એવું જુદ્ધ તને બતાવશે ! ’ ઝાલા રાણાએ પ્રતાપને કહ્યું. {{gap}}અને બીજે જ દિવસે પર્ણાશા નદીને કિનારે ખમણીરગાંવ પાસે રાણા પ્રતાપનું અમરનામ રાખનારું હલદીઘાટનું જગપ્રસિદ્ધ યુદ્ધ શરૂ થયું ! {{સ-મ| |☆ | }}<noinclude></noinclude> cga8f387ow7nto44dv992l8yazamw45 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૩ 104 73189 222921 222751 2026-06-26T16:48:49Z Amvaishnav 156 /* Proofread */ 222921 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૪૦ ]<br/> શ્રેયસ્ અને પ્રેયસ્</big></big> | }} <br/> {{gap}}'''જે''' કાંઇ કરવું તે સમજણ વિના, પરંપરા છે માટે કરવું, અથવા તો બીજા કરે છે માટે કરવું, એવી ટેવ ઘણાખરા માણસોને હોય છે. પણ જે પ્રાજ્ઞ છે તે જાણે છે કે કામ કરવા કરવામાં ઘણો ફેર રહે છે. એક શાસનની જ વાત લ્યો. સુશાસન ચાલતું હોય, તો માણસો જેમ વ્યવસ્થામાં તેમ ભયમાં પણ રહેતાં હોય છે. જાણે છે કે ખોટુ કરવું એ પકડાઈ જવા જેવું છે; ફજેતી પામવા જેવું છે. પણ સુશાસનને સ્થળે, સુ સંસ્કારનું રાજ સ્થપાયું હોય તો માણસો નિયમને ભયથી નહિ, પણ પ્રીતિ ભરેલી સમજણથી વળગી રહે છે. બન્નેમાં કામ એક જ છતાં, પરિણામમાં ઘણો જ ફેર છે. બીજી રીતે વિચાર કરો. {{gap}}સુશાસનની નજર લોકોના અર્થતંત્ર ઉપર કેન્દ્રિત થયેલી હોય છે. એ જાણે છે કે બહુ જરૂરિયાત વાળા ગરીબ લોકોની વસ્તી પ્રમાણમાં ઓછી હશે, ને દરેકને<noinclude></noinclude> rtzy0jnnlz0w9m5wpfp3fad1wqwdaty પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૫ 104 73191 222913 222753 2026-06-26T15:55:57Z Snehrashmi 2103 /* Proofread */ 222913 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>સાચું શાસન છે. સંસ્કારને અર્થ અનુસરે; અને નહિ કે અર્થને સંસ્કાર અનુસરે. {{gap}}હવે વ્યવસ્થા લ્યો. {{gap}}શાસનમાં ઘણા એવા અધિકારીઓ હાય છે જે વ્યવસ્થાનો દેખાવ કરે છે. કેટલાકને વ્યવસ્થાની ટેવ હોય છે. કોઈકને વ્યવસ્થા પ્રત્યે પ્રેમ હોય છે. પણ બહુજ થોડા માણસો જાણે છે કે, વ્યવસ્થા એ સ્વર્ગીય. દૂત જેવી એક અદ્‌ભુત વસ્તુ છે. માટે એને અંતરંગ પ્રેમથી સાચવવી ઘટે છે. આવી રીતે વ્યવસ્થાને, સ્વર્ગીયદૂત સમજનારા લોકો, સ્વર્ગના પંથ ઉપર રહેનારા છે. એ સમજે છે કે આ શ્રેયસ્‌ છે. એ ખરેખરા મહાન પુરુષો છે, જે વ્યવસ્થાને યંત્રવત નિયમિતતા ન ગણતાં, અંતરંગ સાથે વણાયેલી હવા ગણે છે. જેમ હવા વિના માણસ જીવી શકે નહિ, તેમ જ વ્યવસ્થા વિના પણ જીવી શકે નહિ. પોતાની આવી વ્યવસ્થા પોતા પૂરતી નીપજાવી કાઢવી, એ પણ એક શાસન કલા જેવી કલા છે. આમાં દરેક માણસ પોતે પોતાના રાજા અને ન્યાયાધીશ બને છે. એ પોતે પોતાના કાયદા ઘડે છે. પોતે જ એ પાળવાના આગ્રહ રાખે છે. અને પોતે જ એના ભંગ વખતે દંડનાયક બને છે, એટલે એ પોતે જ શાસ્તા, રાજા, અને ન્યાયાધીશ છે. એ રીતે દરેક માણુસ પોતાનું રાજ મેળવવાને આગ્રહ રાખે તો એમાંથી આંહીં જ સ્વર્ગ ખડું થાય. કારણ કે, એમાં શ્રેયસ્‌ના પંથને જ મુખ્ય માનવામાં આવેલ છે.<noinclude></noinclude> mp33ors1of7xv1p9s6sz78bfzd3yjlf 222914 222913 2026-06-26T15:56:19Z Snehrashmi 2103 222914 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>સાચું શાસન છે. સંસ્કારને અર્થ અનુસરે; અને નહિ કે અર્થને સંસ્કાર અનુસરે. {{gap}}હવે વ્યવસ્થા લ્યો. {{gap}}શાસનમાં ઘણા એવા અધિકારીઓ હાય છે જે વ્યવસ્થાનો દેખાવ કરે છે. કેટલાકને વ્યવસ્થાની ટેવ હોય છે. કોઈકને વ્યવસ્થા પ્રત્યે પ્રેમ હોય છે. પણ બહુજ થોડા માણસો જાણે છે કે, વ્યવસ્થા એ સ્વર્ગીય. દૂત જેવી એક અદ્‌ભુત વસ્તુ છે. માટે એને અંતરંગ પ્રેમથી સાચવવી ઘટે છે. આવી રીતે વ્યવસ્થાને, સ્વર્ગીયદૂત સમજનારા લોકો, સ્વર્ગના પંથ ઉપર રહેનારા છે. એ સમજે છે કે આ શ્રેયસ્‌ છે. એ ખરેખરા મહાન પુરુષો છે, જે વ્યવસ્થાને યંત્રવત નિયમિતતા ન ગણતાં, અંતરંગ સાથે વણાયેલી હવા ગણે છે. જેમ હવા વિના માણસ જીવી શકે નહિ, તેમ જ વ્યવસ્થા વિના પણ જીવી શકે નહિ. પોતાની આવી વ્યવસ્થા પોતા પૂરતી નીપજાવી કાઢવી, એ પણ એક શાસન કલા જેવી કલા છે. આમાં દરેક માણસ પોતે પોતાના રાજા અને ન્યાયાધીશ બને છે. એ પોતે પોતાના કાયદા ઘડે છે. પોતે જ એ પાળવાના આગ્રહ રાખે છે. અને પોતે જ એના ભંગ વખતે દંડનાયક બને છે, એટલે એ પોતે જ શાસ્તા, રાજા, અને ન્યાયાધીશ છે. એ રીતે દરેક માણસ પોતાનું રાજ મેળવવાને આગ્રહ રાખે તો એમાંથી આંહીં જ સ્વર્ગ ખડું થાય. કારણ કે, એમાં શ્રેયસ્‌ના પંથને જ મુખ્ય માનવામાં આવેલ છે.<noinclude></noinclude> mpwww70a3wjnsk548izhd56ehrxh80h 222922 222914 2026-06-26T16:51:25Z Amvaishnav 156 /* Validated */ 222922 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>સાચું શાસન છે. સંસ્કારને અર્થ અનુસરે; અને નહિ કે અર્થને સંસ્કાર અનુસરે. {{gap}}હવે વ્યવસ્થા લ્યો. {{gap}}શાસનમાં ઘણા એવા અધિકારીઓ હાય છે જે વ્યવસ્થાનો દેખાવ કરે છે. કેટલાકને વ્યવસ્થાની ટેવ હોય છે. કોઈકને વ્યવસ્થા પ્રત્યે પ્રેમ હોય છે. પણ બહુજ થોડા માણસો જાણે છે કે, વ્યવસ્થા એ સ્વર્ગીય દૂત જેવી એક અદ્‌ભુત વસ્તુ છે. માટે એને અંતરંગ પ્રેમથી સાચવવી ઘટે છે. આવી રીતે વ્યવસ્થાને, સ્વર્ગીયદૂત સમજનારા લોકો, સ્વર્ગના પંથ ઉપર રહેનારા છે. એ સમજે છે કે આ શ્રેયસ્‌ છે. એ ખરેખરા મહાન પુરુષો છે, જે વ્યવસ્થાને યંત્રવત નિયમિતતા ન ગણતાં, અંતરંગ સાથે વણાયેલી હવા ગણે છે. જેમ હવા વિના માણસ જીવી શકે નહિ, તેમ જ વ્યવસ્થા વિના પણ જીવી શકે નહિ. પોતાની આવી વ્યવસ્થા પોતા પૂરતી નીપજાવી કાઢવી, એ પણ એક શાસન કલા જેવી કલા છે. આમાં દરેક માણસ પોતે પોતાના રાજા અને ન્યાયાધીશ બને છે. એ પોતે પોતાના કાયદા ઘડે છે. પોતે જ એ પાળવાના આગ્રહ રાખે છે. અને પોતે જ એના ભંગ વખતે દંડનાયક બને છે, એટલે એ પોતે જ શાસ્તા, રાજા, અને ન્યાયાધીશ છે. એ રીતે દરેક માણસ પોતાનું રાજ મેળવવાને આગ્રહ રાખે તો એમાંથી આંહીં જ સ્વર્ગ ખડું થાય. કારણ કે, એમાં શ્રેયસ્‌ના પંથને જ મુખ્ય માનવામાં આવેલ છે.<noinclude></noinclude> kpnq6lmrjd3b7bgwr1rjkmcyn3fmtuw પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૬ 104 73192 222915 222754 2026-06-26T16:05:36Z Snehrashmi 2103 /* Proofread */ 222915 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|શ્રેયસ્‌ અને પ્રેયસ્‌||૧૮૭}}<hr>'''</noinclude>પ્રેયસ્‌ને મહત્ત્વ અપાયલું નથી. ત્યારે આ પ્રમાણે વસ્તુ એકની એક દેખાય છતાં તેના કરવા કરવામાં ઘણા જ દૂરગામી તફાવત રહે છે. {{gap}}લોકોને શાંત રાખવા, સુશાસન ચલાવવું, આર્થિક નિયંત્રણ કરવું, એ બધું ઘણું સારું છે. છતાં એ અંતિમ શ્રેયસ્‌ નથી. માણસના સ્વભાવમાં રહેલી અંતર્ગત મહત્તા એ જુદી જ વસ્તુ છે. શાસનના ઉચ્ચત્તમ અધિકારથી એ પ્રાપ્ત થતી નથી; અને પ્રાપ્ત થતી નથી એમ પણ નથી. તેમ જ અત્યંત ગરીબીમાં રહેવાથી એ એનાથી દૂર નાસે છે, કે પાસે આવે છે એમ પણ નથી. {{gap}}જે સમજે છે કે માણસનું ઊંચામાં ઊંચુ કામ, બીજા માણસમાં રહેલી માણસાઇને બહાર લાવવાનું છે, તે જાણે છે કે, કેવળ સ્થાનનું મહત્ત્વ માણસને આકર્ષે, એ હલકટમાં હલકટ રાજનીતિને હલકટમાં હલકટ પાઠ ગણાય. પછી એને ગમે તેટલા ભભકાભર્યાં વેષાંતરોથી ભજવવાનો ભલે ઢાંગ થતો રહે. {{gap}}એટલા માટે પોતાને મળેલો વેષ એ જ સર્વોત્તમ ને સર્વોચ્ચ વેષ છે એમ સમજીને ખરા મહાનપુરુષો એ વેષને જ ભજવી બતાવવામાં શ્રેયસ્‌ રહ્યું છે એમ માને છે. {{gap}}ચીની તત્ત્વજ્ઞાની યાંગની વાત લ્યો. એણે એક સિદ્ધાંત બાંધ્યો હતો. જયાં દરેક માણસ પોતે પોતાનો રાજા છે, ત્યાં જે રાજા હોય તે રાજાને સામાન્ય માણસ થવાની ઈચ્છા ઉદ્ભવે છે. કારણ કે રાજામાં અને સામાન્ય<noinclude></noinclude> dph01a21gpaf9xt1cxh72fh4c4bfegv 222923 222915 2026-06-26T16:52:21Z Amvaishnav 156 /* Validated */ 222923 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|શ્રેયસ્‌ અને પ્રેયસ્‌||૧૮૭}}<hr>'''</noinclude>પ્રેયસ્‌ને મહત્ત્વ અપાયલું નથી. ત્યારે આ પ્રમાણે વસ્તુ એકની એક દેખાય છતાં તેના કરવા કરવામાં ઘણા જ દૂરગામી તફાવત રહે છે. {{gap}}લોકોને શાંત રાખવા, સુશાસન ચલાવવું, આર્થિક નિયંત્રણ કરવું, એ બધું ઘણું સારું છે. છતાં એ અંતિમ શ્રેયસ્‌ નથી. માણસના સ્વભાવમાં રહેલી અંતર્ગત મહત્તા એ જુદી જ વસ્તુ છે. શાસનના ઉચ્ચત્તમ અધિકારથી એ પ્રાપ્ત થતી નથી; અને પ્રાપ્ત થતી નથી એમ પણ નથી. તેમ જ અત્યંત ગરીબીમાં રહેવાથી એ એનાથી દૂર નાસે છે, કે પાસે આવે છે એમ પણ નથી. {{gap}}જે સમજે છે કે માણસનું ઊંચામાં ઊંચુ કામ, બીજા માણસમાં રહેલી માણસાઇને બહાર લાવવાનું છે, તે જાણે છે કે, કેવળ સ્થાનનું મહત્ત્વ માણસને આકર્ષે, એ હલકટમાં હલકટ રાજનીતિને હલકટમાં હલકટ પાઠ ગણાય. પછી એને ગમે તેટલા ભભકાભર્યાં વેષાંતરોથી ભજવવાનો ભલે ઢાંગ થતો રહે. {{gap}}એટલા માટે પોતાને મળેલો વેષ એ જ સર્વોત્તમ ને સર્વોચ્ચ વેષ છે એમ સમજીને ખરા મહાનપુરુષો એ વેષને જ ભજવી બતાવવામાં શ્રેયસ્‌ રહ્યું છે એમ માને છે. {{gap}}ચીની તત્ત્વજ્ઞાની યાંગની વાત લ્યો. એણે એક સિદ્ધાંત બાંધ્યો હતો. જયાં દરેક માણસ પોતે પોતાનો રાજા છે, ત્યાં જે રાજા હોય તે રાજાને સામાન્ય માણસ થવાની ઈચ્છા ઉદ્ભવે છે. કારણ કે રાજામાં અને સામાન્ય<noinclude></noinclude> 2y3ro698ojb6s28lsqmvgok5r09ec8z સભ્યની ચર્ચા:Krunalsinh Vagheal 3 73217 222924 2026-06-27T03:42:40Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 222924 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Krunalsinh Vagheal}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૯:૧૨, ૨૭ જૂન ૨૦૨૬ (IST) 14nfv4aqd83awrg4xlgopt6zj3sj429