વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.8
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૮
104
73176
222927
222909
2026-06-27T15:26:58Z
Meghdhanu
3380
/* Validated */
222927
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big><big>[ ૩૮ ]<br/> શરાફ એટલે શરાફ !</big></big> | }}
<br/>
{{gap}}'''નેપોલિયને''' જર્મની ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાંના એક અત્યંત શ્રીમંત પેટા રાજવીને એણે કાઢી મૂક્યો હતો. પોતાને ભાગી જવાની ઉતાવળમાં આ અમીર રાજવીએ પોતાની લાખોની રોકડ રકમ ગામના એક સામાન્ય શ્રીમંતને ત્યાં વિશ્વાસે મૂકી દીધી. ને પોતે જીવ બચાવીને જેમ તેમ ભાગી છુટ્યો.
{{gap}}પણ નેપોલિયનને ખુદ કાળદેવ પોતે દોરી રહ્યો હતો. તે આ વખતે રશિયા ઉપર ચડ્યો હતો ને જ્યારે ત્યાં પહોંચ્યા, ત્યારે ભયંકર શિયાળાએ એના લશ્કરને રાન રાન ને પાનપાન કરી નાખ્યું !
{{gap}}એના વિજય બધા ખોવાઇ ગયા. ને એ પોતે માંડ માંડ ફ્રાન્સ ભેગો થયો !
{{gap}}જર્મનીમાં સ્થિરતા થઈ, ત્યારે પેલો અમીરરાજા પોતાના રાજમાં આવ્યો. ને લડાઈમાં ઠેર ઠેર વિખરાઈ ગયેલા માણસોની શોધ માંડી.
{{nop}}<noinclude></noinclude>
082moirxad1jaw4ljs6o4ad1oe4szmk
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૮૯
104
73177
222928
222916
2026-06-27T15:29:19Z
Meghdhanu
3380
/* Validated */
222928
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૮૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}પોતે કંઈક સ્થિર થયો. રાજકારભાર સંભાળ્યો. પણ એના મનમાં એક મોટામાં મોટી બીક પેસી ગઈ હતી. પોતે માગવા જાય તો પેાતે સોંપેલી રકમ એવી લાખોની હતી, કે જેને સોંપી હતી તે માણસ આવા લડાઈના સંજોગોનો સાચો કે ખોટો લાભ લેવા ધારે તો લઈ શકે તેમ હતું.
{{gap}}અને એક વખત એ નામુકર જાય તો પાતે કાંઈ જ કરી ન શકે. ને કહી પણ ન શકે. એની પાસેથી લૂંટાઈ ગઈ હોય એ અશક્ય ન હતું. ને રહી ગઈ હોય તો એ પોતે આપવા ધારે તો જ આપે. એ સિવાય કાંઈ બને તેમ ન હતું. એટલે એણે ધીરજ રાખીને પેલા શ્રીમંતને કાંઈ કહેવરાવ્યું જ નહિ.
{{gap}}પણ જરાક સ્થિરતા થઈ લાગી કે તરત જ એક દિવસ એ શ્રીમંતનો મોટો છોકરો એ લાખોની રકમ લઈને આપવા માટે, પોતે જાતે હાજર થઈ ગયો હતો !
{{gap}}અમીર રાજવી તો એની આ પ્રમાણિકતા જોઈ ને છક જ થઈ ગયો !
{{gap}}તેણે આ જુવાન રોથ્સચાઈલ્ડને વંશપરંપરાગત ‘નાઈટ’ બનાવ્યો !
{{gap}}આગળ જતાં દુનિયાની મોટામાં મોટી શરાફી પેઢી ‘રોથ્સચાઇલ્ડ’ની પેઢી આ કુટુંબમાં ઉદ્ભવી હતી !
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
kzfvnozb4d8fxghliijufjlqg85yu33
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૦
104
73178
222929
222919
2026-06-27T15:32:04Z
Meghdhanu
3380
/* Validated */
222929
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big><big>[ ૩૯ ] <br/> હલદીઘાટનો જન્મ !</big></big> | }}
<br/>
{{gap}}'''નદી''' <sup>*<ref>* બનારસ</ref></sup>પર્ણાશાએ ઘણાં દંગલ જોયાં. ઘણાં જુદ્ધ જોયાં. પણ આજ એનાં જળ, આ વીરસેનાઓને જોઈને, ખળ ખળ કરતા કરતાં અનેક યુગની ઈતિહાસ મૂર્તિઓને સંભારે છે ! સંભારે છે, પણ આવી મૂર્તિઓ ક્યાંય દેખાતી નથી !
{{gap}}કછવાહ માનસિંહ ચાલીસ હજારનું સૈન્ય લઈને ત્યાં ગાંવ મોલેલામાં છાવણી નાખીને પડ્યો છે. રાણા પ્રતાપે એનું જે અપમાન કર્યુંં હતું, તેનુ વેર લેવા એ આવ્યો છે. અરવલ્લીની ડુંગરમાળા એ જબરજસ્ત સેના જોઈને ધ્રૂજી ગઈ છે.
{{gap}}એના {{SIC|સેનથી|સૈન્યથી}} માત્ર ત્રણ જ ગાઉ છેટે, રાણા પ્રતાપનું સેન પડ્યું છે. એની પાસે પ્રસિદ્ધ “શૂરા બાવીસ હજાર" છે.
{{gap}}બન્ને સૈન્ય એક બીજાની હીલચાલ તપાસે છે.<noinclude><hr>
{{reflist}}</noinclude>
shcmy86hv5qcun6rcapuazbpbn925th
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૧
104
73187
222930
222918
2026-06-27T15:34:38Z
Meghdhanu
3380
/* Validated */
222930
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૮૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}એ વખતે રાણા પ્રતાપે પુરબિયા દુરસને એક કામ સોંપ્યું. એ બીજા સૈનિકો સાથે આ સૈન્યની રજેરજ માહિતી એને મેળવવાની હતી. કામ વિકટ હતું. પકડાય તો દેહાંત દંડ એ એક જ સજા હતી.
{{gap}}પુરબિયો ચાલ્યો. વેષ પરિધાનમાં એવો કુશળ કે કોઈ જાણી શકે નહિ કે આ ગુપ્તચર હશે. પંખી પકડવાવાળો ભીલ થઈ જાય, મધ પાડવાવાળો શિકારી બની જાય, આબેહુબ કઠિયારો પણ બની જાય.
{{gap}}આડે અવળે માર્ગે એણે માનસિંહના સૈન્યની ખબર કાઢી લીધી.
{{gap}}સમાચાર મળ્યા કે એક શિકાર સહેલગાહ ગોઠવાઈ છે. માત્ર હજાર જણ નીકળવાના છે.
{{gap}}પુરબિયો વાયુ વેગે રાણાજી પાસે પાછો આવ્યો. જઈને ખખર આપ્યા. માનસિંહજી શિકારની મોજ કરવા નીકળેલ છે. મુખ્ય સૈન્યથી જુદા પડી ગયેલ છે. આંહીથી ભાગ્યે જ એક કોશ આઘે એ બધા નદીકાંઠે શિકારમાં પડી ગયા છે. આ વખત છે. એનું મુખ્ય સૈન્ય બે ગાઉ આઘે પડ્યું છે.
{{gap}}રાણો પ્રતાપ તરત તૈયાર થઈ ગયો. ચેતક આવ્યો. સવારી થઇ. સાથે સેન લીધું, મારણ આટલું નજીક આવી ચડયું છે, એમ માનીને સૌ ઉપડવા માટે થનગની રહ્યા.
{{gap}}એક પળ–અને એ બધા મારતે ઘોડે, માનસિંંહને ઘેરી લેવા માટે ઉપડી જવા તૈયાર હતા.
{{gap}}એ વખતે કોણ જાણે ક્યાંથી સાદડીનો ઝાલો રાણો બીદા ત્યાં આવી ચડ્યો. તેણે વાત જાણી.
{{nop}}<noinclude></noinclude>
1ugmxmw39gyi0f8bgg5ftpurayi41bd
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૨
104
73188
222931
222920
2026-06-27T15:36:29Z
Meghdhanu
3380
/* Proofread */
222931
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|હલદીઘાટનું મેદાન !||૧૮૩}}<hr>'''</noinclude>{{gap}}તેના ચહેરા ઉપર હજાર મણ જાણે કાળી મેંશ પથરઈઇ ગઈ. તેણે હાથ જોડ્યા : ’હું સીસોદિયા ભાણ ! અમે તો તને દેવ ધારીને આંહીં અમારા દેહ તારે આડે દેવા માટે આવ્યા છીએ. આ કામ તારે માટે ન હોય બાપ ! તું રાણા સીસોદિયા વંશી, તને આવે! અઘટિત લાભ લેવાનો કામો છાજતો નથી. માનસિંહ ઉપર આવે ટાણે આવી રીતે હલ્લો થાશે તો તારી એકોતેર પેઢીને કાળી ટીલી ચડી જાશે. એણે તો તુરકને છોકરીઓ આપી છે. પણ આ ધંધો તો ખુદ તુરકને પણ શરમાવે તેવો છે ! આ ધંધો કરવો હોય તો રઘુવંશનું નામ તમારી વંશગાથામાંથી કાઢી નાખો !‘
{{gap}}રાણો પ્રતાપ ઝાલારાણાના શબ્દો સાંભળતાં જ લેવાઇ ગયો. પોતાને એક પળ પણ આવો છાનો ખોટો છાપો મારવાનું મન થયું, એનો પારાવાર પશ્ચાત્તાપ એને થઇ ગયા.
{{gap}}એ તરત ચેતક ઉપરથી નીચે આવી ગયો.
{{gap}}‘ બાપ ! તું સૂરજવંશી તારે કાંઇ અંધારાના આધારે ચડવાનાં હોય? યુદ્ધ ધર્મનો આધાર રાખવા આજ હાથમાં આવેલી તક તેં જવા દીધી છે, તો ભગવાન એકલિંગજી તારું નામ જુગોજુગ રહી જાય એવું જુદ્ધ તને બતાવશે ! ’ ઝાલા રાણાએ પ્રતાપને કહ્યું.
{{gap}}અને બીજે જ દિવસે પર્ણાશા નદીને કિનારે ખમણીરગાંવ પાસે રાણા પ્રતાપનું અમરનામ રાખનારું હલદીઘાટનું જગપ્રસિદ્ધ યુદ્ધ શરૂ થયું !
{{સ-મ| |☆ | }}<noinclude></noinclude>
cwo424g4pcsskgzgk6ukfringsse8lj
222932
222931
2026-06-27T16:09:27Z
Amvaishnav
156
222932
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|હલદીઘાટનું મેદાન !||૧૮૩}}<hr>'''</noinclude>{{gap}}તેના ચહેરા ઉપર હજાર મણ જાણે કાળી મેંશ પથરઈ ગઈ. તેણે હાથ જોડ્યા : ’હું સીસોદિયા ભાણ ! અમે તો તને દેવ ધારીને આંહીં અમારા દેહ તારે આડે દેવા માટે આવ્યા છીએ. આ કામ તારે માટે ન હોય બાપ ! તું રાણા સીસોદિયા વંશી, તને આવે! અઘટિત લાભ લેવાનો કામો છાજતો નથી. માનસિંહ ઉપર આવે ટાણે આવી રીતે હલ્લો થાશે તો તારી એકોતેર પેઢીને કાળી ટીલી ચડી જાશે. એણે તો તુરકને છોકરીઓ આપી છે. પણ આ ધંધો તો ખુદ તુરકને પણ શરમાવે તેવો છે ! આ ધંધો કરવો હોય તો રઘુવંશનું નામ તમારી વંશગાથામાંથી કાઢી નાખો !‘
{{gap}}રાણો પ્રતાપ ઝાલારાણાના શબ્દો સાંભળતાં જ લેવાઇ ગયો. પોતાને એક પળ પણ આવો છાનો ખોટો છાપો મારવાનું મન થયું, એનો પારાવાર પશ્ચાત્તાપ એને થઇ ગયા.
{{gap}}એ તરત ચેતક ઉપરથી નીચે આવી ગયો.
{{gap}}‘ બાપ ! તું સૂરજવંશી તારે કાંઇ અંધારાના આધારે ચડવાનાં હોય? યુદ્ધ ધર્મનો આધાર રાખવા આજ હાથમાં આવેલી તક તેં જવા દીધી છે, તો ભગવાન એકલિંગજી તારું નામ જુગોજુગ રહી જાય એવું જુદ્ધ તને બતાવશે ! ’ ઝાલા રાણાએ પ્રતાપને કહ્યું.
{{gap}}અને બીજે જ દિવસે પર્ણાશા નદીને કિનારે ખમણીરગાંવ પાસે રાણા પ્રતાપનું અમરનામ રાખનારું હલદીઘાટનું જગપ્રસિદ્ધ યુદ્ધ શરૂ થયું !
{{સ-મ| |☆ | }}<noinclude></noinclude>
2j4beymh95tbr1kjapzqsyv35sdgmla
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૪
104
73190
222933
222752
2026-06-27T16:20:34Z
Amvaishnav
156
/* Proofread */
222933
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|શ્રેયસ અને પ્રેયસ્||૧૮૫}}<hr>'''</noinclude>પોતાની જરૂરિયાત પ્રમાણે મળતું હશે, તો એમાં સુ શાસનનો વિજય રહ્યો છે. પણ જેમને સંસ્કાર, શાસન બન્નેનો વિજય સ્થાપવો છે, તે જાણે છે કે સુ–શાસન કરતાં પણ એક વસ્તુ ચડે. અને તે લોકો પોતે પોતાને ઓળખે, પોતાના જ
નિયમો ઘડે, પોતાનું રાજ પોતે જ ચલાવે. અને પોતે જ્ પોતાની જાતને નૈતિક બંધનમાં બાંધી રાખે. કોઈ પણ શાસનનો છેવટનો આદર્શ તો આ હોઈ શકે. એ સંસ્કાર રાજ છે. સુ-શાસનથી એ જુદું જ છે, એક ચીની તત્ત્વવેત્તા '''શનની''' વાત છે. જ્યારે એ જંગલામાં ને નદીએમાં ફરતો અને સારસ અને હંસ અને હરણાંની મૈત્રી રાખતો ત્યારે એની અને જંગલી પ્રજાની વચ્ચે ઘણો ઓછો તફાવત માલુમ પડતો. જેવી રીતે જંંગલી લોકો ઝુપડાં બાંધતા, ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લેતા, એક બીજાના ઉપર આધાર ન રાખતાં, પોતાના પ્રદેશમાં તે સ્વયંંપૂર્ણ હતા, તેમ '''શન''', પણ એવું જીવન ગાળતો. પણ જ્યારે એને જ્ઞાન થયું, ત્યારે એની અવસ્થા બદલાઈ ગઈ. પાણીથી ભરપુર નદી, જેમ પોતાની આસપાસ બધું ફળદ્રુપ કરવા માટે છલકાઈ જાય છે, તેમ એનુ જ્ઞાન<sup>*<ref>* The abundance of an artist.</ref></sup> છલકાઈને બધાના જીવનને ફળદ્રુપ કરવા માટે દોડ્યું.
{{gap}} આ જ રીત સંત સાધુની અને તત્ત્વજ્ઞાનીઓની છે. સંસ્કાર ફેલાવવો એ ખરું શાસન છે. ને તે વધુ<noinclude><hr>
{{reflist}}</noinclude>
ot11bm0rrfciir2lvqevsz5jrocka9t
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૭
104
73193
222934
222755
2026-06-27T16:31:04Z
Amvaishnav
156
/* Proofread */
222934
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>માણસમાં તત્ત્વતઃ કાંઈ જ ફેર નથી. જે સુશાસન એ ફેર સ્થાપનારાં છે, એ તો આ વ્યવસ્થામાંથી આપો।આપ અદૃશ્ય થઈ જાય છે. એટલે રાજાને એમ થાય છે કે, સામાન્ય માણસ થવાથી જ એ સારો રાજા થઇ શકશે. અને સામાન્ય માણસ
થવું એટલે પોતે પોતાની વ્યવસ્થા ઘડી કાઢવી. એ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે બીજાને લેશ પણ અન્યાય કરતી ન હોય. અને પોતાને પણ અન્યાય કરતી ન હોય. માણસ જ્યારે પોતાનું એક જ દૃષ્ટિબિન્દુ મહત્ત્વનું માનતો હોય છે, ત્યારે એ ઘણુ ખરું પોતાને અને બીજાને અન્યાય કરતો હોય છે.
{{gap}}પણ અનેક દૃષ્ટિબિન્દુઓને અનેક દૃષ્ટિબિન્દુઓથી જોનારો વ્યવસ્થા કોને કહેવાય તે સમજે. ચોરના દૃષ્ટિબિન્દુથી તો ચોરી કરવી એ કર્ત્તવ્ય છે. ભૂખ્યો
માણસ દરેક ખોરાકને તંદુરસ્તી આપનારો માને છે. એ એમનું પ્રેયસ્ દૃષ્ટિબિન્દુ છે. પણ શ્રેયસ્ દૃષ્ટિબિન્દુ એનાથી જુદું છે. એ દૃષ્ટિબિન્દુથી એ જે મેળવે છે તે બરાબર છે કે બરાબર નથી, એમ જ્યારે એ જાણે છે, ત્યારે માણસ પોતે પોતાનો રાજા થઈ ૨હે છે.
{{gap}}પણ એમ જાણવું દરેકને માટે નથી. ને દરેક એ જાણતો નથી. એટલે આપણે અર્થતંત્ર, સુ–શાસન, અને બીજી અનેક તરકીબો ગોઠવવી પડે છે.
{{gap}}પણ જેમ ભૂખ્યા માણસને માટે ખોરાક જરૂરી છે, ને એ બહુ ભૂખ્યો ન હોય તો જ ખોરાકને સાચા ખોરાક રૂપે, તેની ખરી કિમ્મત સાથે જોઈ<noinclude></noinclude>
rul6a58b01g80o1m2i4wl2i3t8c7srb
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૮
104
73194
222935
222756
2026-06-27T16:40:10Z
Amvaishnav
156
/* Proofread */
222935
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /> '''<hr>{{rh|શ્રેયસ્ અને પ્રેયસ્||૧૮૯}}<hr>'''</noinclude>શકે છે, તેમ જ પ્રેયસ્ માટે મથતો માણસ, શ્રેયસ્ ને પિછાને તો જ એ ધ્યેયને પણ સમજી શકે. ને બન્નેને પોતપોતાના સ્થાનમાં રાખી શકે.
{{gap}}એટલે સવાલ ત્યાં આવીને અટકે છે કે માણસ શી રીતે શ્રેયસ્ ને શ્રેયસ્ માને ?
{{gap}}આ વિષે એક ચીની તત્ત્વવેત્તાએ કહેલું યાદ રાખવા જેવુ છે. એણે મેન્શ્યસને કહ્યુ હતું કે તમારો સિદ્ધાંત સારો છે. વિચાનોના સુંદર છે. એ આવે તો
ઘણો ફાયદો થાય. પણ આવે શી રીતે ?
{{gap}}મેન્શ્યસે જવાબ વાળ્યેા. ‘ મૂર્ખ ધનુર્ધારી ધનુષના નિયમ ન સમજે તો એને માટે થઈને જેમ ધનુષ પોતાના નિયમ ફેરવવા બેસતું નથી, તેમ માણસ
હંમેશના જીવનમાંથી તરત પકડી શકાય એવી આટલી સાદી વાત સમજવાની જો તૈયારી ન બતાવે, તો એને માટે થઈ ને કુદરત પોતે કાંઈ પોતાના નિયમો ફેરવી શકે નહિ.
{{gap}}કોઇ કારીગરને તમે ગોળ કે ચોરસ આકૃતિ બનાવવાનું કહી શકો છો. ને તે પ્રમાણે તે કારીગર હોય તો અનાવે છે. પણ તમે તેને કારીગરી શીખવી
શકતા નથી. એ તો એણે પોતે ગ્રહણ કરવાની હોય છે. તમે માણસને આંખ હોય તો સુંદર દૃશ્યેા બતાવી શકો છો પણ એને તમે આંખ આપી શકતા નથી. એ તો એની પાસે હોવી જોઇએ. તેવી જ રીત આ પોતાના શ્રેયસ્ અને પ્રેયસ્ પંથની છે. એણે શ્રેયસ્ ને શ્રેયસ્ રૂપે જોવા માટેની મથામણમાંથી, એ ધીમે ધીમે મેળવવાનું છે. એ માટે બીજો કોઈ<noinclude></noinclude>
mmjc1c1bjjk1csrgisd9mlbls8f7v0v
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૯૯
104
73195
222936
222757
2026-06-27T16:48:38Z
Amvaishnav
156
/* Proofread */
222936
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૯૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>રાજમાર્ગ નથી. શનૈ: એ શબ્દ જ એનો પંથ બતાવે.
{{gap}}હવે જે શ્રેયસ્ ને અનુસરે છે તે રાજા થાય છે. કારણ કે રાજા થવું એટલે સિહાસન ઉપર બેસવુ કે બીજાને મારવા માટે સૈન્ય લઈને દોડવું એવો અર્થ નથી. રાજા થવું એટલે પ્રકાશવું. રાજા થનારમાંથી એવો પ્રકાશ નીકળે કે જે બીજા અનેકને આકર્ષે. રસ્તો બતાવે. દોરે. જે પાતે પ્રકાશે કે જેથી બીજા પ્રકાશે તે રાજા. પછી તેને બહુમતવાદીઓ પ્રેસીડેન્ટ કે એવું બીજું નામ આપે તેથી કાંઈ ફેર પડતો નથી. એણે પણ પ્રકાશવાનું તો રહે જ છે.
{{gap}}શ્રેયસના ૫ંથીઓ પોતાના પ્રકાશથી બીજાને પ્રકાશ આપતા રહે છે. ને એ રીતે શ્રેયસમાંથી શ્રેયસ્ તરફ વધુ ને વધુ સંખ્યાને લાવતાં શ્રેયસનું સામ્રાજ્ય સ્થપાય છે.
{{gap}}શ્રેયસનો પંથ આ પ્રમાણે પરંપરામાં ઉતરતો આવે એ પણ એક એવી રીત છે કે જે દ્વારા સારી માનવ જાત વધારે ઉત્કર્ષ સાધવા યત્ન કરે.
{{gap}}ખરી રીતે સુશાસન કરતાં પણ આપણે સંસ્કાર શાસનને જ મહત્ત્વ આપવું ઘટે છે. અને તે ત્યારે જ શક્ય છે જ્યારે માણસો પ્રેયસ્ કરતાં શ્રેયસને અધિક ગણે. સ્થાન કરતાં કામને અધિક માને. દ્રવ્ય ને સમૃદ્ધિ કરતાં અંતરંગ દષ્ટિને વધુ મહત્ત્વની સમજે.
{{gap}}ત્યારે પ્રેયસનું દૃષ્ટિબિન્દુ જાય છે. શ્રેયસનું દૃષ્ટિબિન્દુ સ્થપાય છે. એટલે સસ્કારરાજ આવે છે.
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
6jarvgufdtzjpz186ogimvtk5z5mxj9
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૨૦૦
104
73196
222937
222758
2026-06-27T16:55:58Z
Amvaishnav
156
/* Proofread */
222937
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big><big>[ ૪૬ ] <br/> જરાક જ તૃષ્ણા !</big></big> | }}
<br/>
{{gap}}'''એક''' પછી એક એવી સફળતા મળતી ગઈ કે એક વખત એક માણસ શ્રીમતનો શ્રીમત થઇ ગયો. તેને માટે નવાણું લાખ, નવાણું હજાર નવસો નવાણું મુદ્રા રાકડી આવી ગઈ. એણે વિચાર કર્યો કે હવે એક મુદ્રા આવી જાય ને એક કરોડ થઇ જાય, એટલે આપણે વ્યવહાર અધ કરીને ભગવાનનું ભજન કરવા
બેસી જવું છે, ઘણું કમાયા ને ઘણી મહેનત કરી. હવે વધારે વખત દ્રવ્યોપાર્જન કરવું નથી. છે તેમાંથી વ્યવહાર નભ્યે જાશે. વ્યાજ જ એટલું આવશે કે મૂળ મુડીને અડવું પણ નહિ પડે.
{{gap}}એક મુદ્રા આવી પડે, એટલે એનો વિચાર તરત ઘેર બેસી જવાનો હતો.
{{gap}}તે વિચાર કરતો ઘેર ગયો. એને લાગ્યું કે એક મુદ્રા તો આવતી કાલે પહેલી પાંચ પળમાં જ આવી પડવાની છે. એટલે ખરી રીતે આજે જ આ એની<noinclude></noinclude>
i52vnp134w109byv75udazifd5pdofa
સભ્ય:配合比全额更好(说说而已)
2
73218
222938
2026-06-27T21:59:18Z
配合比全额更好(说说而已)
4602
હેલો!હું છું 配合比全额更好(说说而已).થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
222938
wikitext
text/x-wiki
હેલો!હું છું 配合比全额更好(说说而已).
jvye285p3blc3hsw2rnj7nfu9fsmdtb
સભ્યની ચર્ચા:配合比全额更好(说说而已)
3
73219
222939
2026-06-27T21:59:21Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[Template:Welcome|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
222939
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=配合比全额更好(说说而已)}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૩:૨૯, ૨૮ જૂન ૨૦૨૬ (IST)
6zy5f0ygyd48jxl4cztlfzjtj1cu2p7