વિક્રમ સારાભાઇ

From વિકિપીડિયા

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇ(૧૨ ઑગસ્ટ,૧૯૧૯–૩૧ ડીસેમ્બર,૧૯૭૧) ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ ના પિતા ગણાય છે.

Contents

[edit] શરુઆતના વર્ષૉ

વિક્રમ સારાભાઇનૉ જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યૉગિક પરિવાર માં થયૉ હતૉ. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનૉમાંના તેઓ એક હતા.

૧૯૪૦માં સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની ડીગ્રી (ઉપાધી) મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી હતી.

[edit] કારકીર્દી

૧૯૪૧ થી ૧૯૪૫ દરમિયાન નૉબેલ વિજેતા ડૉ. સી.વી.રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરમાં તેઓએ કૉસ્મીક રેયસ નો અભ્યાસ કર્યો. તેમની સૉલાર ફીઝીક્સ અને કૉસ્મીક રેયસ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત છે.

ડૉ. હોમીભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઇએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. અત્યારના ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઇ સાથે કામ કરવું એક સારા નસીબની વાત હતી.

વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

[edit] ભારતીય અવકાશીય કાર્યક્રમ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઇને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલીવીઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઇના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટ ને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

[edit] અંગત જીવન

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. વિક્રમ સારાભાઇ ૫૨ વર્ષની ઉંમરે ૩૧ ડીસેમ્બર, ૧૯૭૧ ના રોજ તેમની નિદ્રામાંજ મૃત્યુ પામ્યા.

[edit] પુરસ્કાર અને માનદ સ્થાનો

  • ભટનાગર મેડલ (૧૯૬૨)
  • ફીઝીક્સ વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મ ભૂષણ (૧૯૬૬)
  • I.A.E.A., ની શિબિરના પ્રમુખ (1970),
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના માજી પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મ વિભૂષણ (૧૯૭૨)

[edit] બીજા માનદો

દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે થિરૂવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં 'વિક્રમ સારાભાઇ અવકાશ કેન્દ્ર'નું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકોની સંશોધન થાય છે.

અમદાવાદના બીજા ઉદ્યોગી સાથે તેમણે આઇ.આઇ.એમ. ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

[edit] કડીઓ