વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.14
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
નરેન્દ્ર મોદી
0
1099
903491
903489
2026-08-10T15:32:51Z
Aniket
65
Protected "[[નરેન્દ્ર મોદી]]": વધારે પડતી સ્પેમિંગ ([ફેરફાર કરો=માત્ર આપમેળે ખાતરી થયેલા સભ્યોને માન્ય રાખો] (અનિશ્ચિત) [ખસેડો=માત્ર આપમેળે ખાતરી થયેલા સભ્યોને માન્ય રાખો] (અનિશ્ચિત))
903489
wikitext
text/x-wiki
{{Infobox officeholder
|name = નરેન્દ્ર મોદી
|image = The official portrait of Shri Narendra Modi, the Prime Minister of the Republic of India.jpg
|caption = નરેન્દ્ર મોદીની અધિકૃત છબી
|office = ભારતના [[ભારતના વડાપ્રધાન|૧૪ મા વડાપ્રધાન]]
|president = [[પ્રણવ મુખર્જી]]<br />[[રામનાથ કોવિંદ]]<br />[[દ્રૌપદી મુર્મૂ]]
|term_start = ૨૬ મે ૨૦૧૪
|term_end =
|predecessor = [[મનમોહન સિંહ]]
|successor =
|office1 = ગુજરાતના [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|૧૪મા મુખ્યમંત્રી]]
|governor1 = સુંદરસિંહ ભંડારી<br />[[કૈલાશપતિ મિશ્રા]]<br />ડૉ.બલરામ ઝાખડ<br />[[નવલકિશોર શર્મા]]<br />એસ.સી.જમિર<br />[[ડૉ.કમલા બેનિવાલ]]
|term_start1 = ૭ ઓક્ટોબર ૨૦૦૧
|term_end1 = ૨૨ મે ૨૦૧૪
|predecessor1 = [[કેશુભાઈ પટેલ]]
|successor1 = [[આનંદીબેન પટેલ]]
|office2 = [[લોક સભા|સંસદ સભ્ય]]<br />[[વારાણસી]]
|term_start2 = ૧૬ મે ૨૦૧૪
|term_end2 =
|predecessor2 = મુરલી મનોહર જોષી
|office3 = ભાજપના જનરલ સેક્રેટરી
|term_start3 = ૧૯ મે, ૧૯૯૮
|term_end3 = ઓક્ટોબર, ૨૦૦૧
|successor3 = સુનિલ શાસ્ત્રી
|office4 = ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી
|term_start4 = ૨૦ નવેમ્બર, ૧૯૯૫
|term_end4 = ૧૯ મે, ૧૯૯૮
|birthname = નરેન્દ્ર દામોદરદાસ મોદી
|birth_date = {{birth date|1950|9|17|df=y}}
|birth_place = [[વડનગર]], [[મહેસાણા જિલ્લો|મહેસાણા]], સાંપ્રત: [[ગુજરાત]]
|party = [[ભારતીય જનતા પાર્ટી]]
|spouse = [[જશોદાબેન મોદી]]<ref>[http://www.ndtv.com/elections/article/election-2014/in-poll-affidavit-narendra-modi-says-he-is-married-brother-gives-clarification-506632 એન.ડી.ટી.વી. ન્યુઝ]</ref>
|residence = ૭, લોક કલ્યાણ માર્ગ , નવી દિલ્હી
|alma_mater = [[ગુજરાત યુનિવર્સિટી]]<br />[[દિલ્હી યુનિવર્સિટી]]
|website = {{url|narendramodi.in|અધિકૃત વેબસાઈટ}}<br />{{url|pmindia.gov.in|સરકારી વેબસાઈટ}}
|signature = Signature of Narendra Modi (Hindi).svg
}}
'''નરેન્દ્ર દામોદરદાસ મોદી''' (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦)<ref name="moneycontrol">{{cite web|url=http://www.moneycontrol.com/biography/Narendra_Modi/550|title=Narendra Modi – Biography|access-date=૫ એપ્રિલ ૨૦૦૯|publisher=Moneycontrol|archive-url=https://web.archive.org/web/20090427085814/http://www.moneycontrol.com/biography/Narendra_Modi/550|archive-date=2009-04-27|url-status=live}}</ref> [[ભારત]]ના [[ભારતના વડાપ્રધાન|૧૪મા વડાપ્રધાન]] છે. તેઓ [[ગુજરાત]] રાજ્યના [[ગુજરાતના મુખ્યમંત્રીઓ|મુખ્ય મંત્રી]] પણ રહી ચૂક્યા છે અને [[ભારતીય જનતા પાર્ટી|ભારતીય જનતા પાર્ટી (ભાજપ)]]ના નેતા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર [[વડનગર]] ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.<ref>{{cite web|last=Jose|first=Vinod|title=The Emperor Uncrowned|url=http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|publisher=[[Delhi Press]]|access-date=૧૭ માર્ચ ૨૦૧૨|archive-date=2012-02-27|archive-url=https://web.archive.org/web/20120227005214/http://caravanmagazine.in/Story.aspx?Storyid=1315&StoryStyle=FullStory|url-status=dead}}</ref> તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ [[રામકૃષ્ણ પરમહંસ]]ના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે '''સંઘર્ષમાં ગુજરાત''' નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી [[કેશુભાઈ પટેલ|કેશુભાઈ પટેલે]] રાજીનામું આપ્યા બાદ તેઓ [[ઓક્ટોબર ૭|૭ ઓક્ટોબર]] [[૨૦૦૧]]ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.<ref name="Controversial_Reuters">{{cite news|title=Edgy Indian state election going down to the wire|author=Rupam Jain Nair|url=http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|publisher=Reuters|date=૧૨ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Ahmedabad|archive-date=2014-09-30|archive-url=https://web.archive.org/web/20140930020457/http://www.reuters.com/article/2007/12/12/us-india-state-poll-idUSDEL17441120071212|url-status=dead}}</ref><ref name="Controversial_Time">{{cite news|title=India's Voters Torn Over Politician|author=Simon Robinson|url=http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|work=[[Time (magazine)|Time]]|date=૧૧ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Surat|archive-date=2013-08-24|archive-url=https://web.archive.org/web/20130824163112/http://www.time.com/time/world/article/0,8599,1693370,00.html|url-status=dead}}</ref><ref name="Controversial_Guardian">{{cite news|title=Gujarat leader Narendra Modi grilled for 10 hours at massacre inquiry|author=Jason Burke|url=http://www.guardian.co.uk/world/2010/mar/28/gujarat-narendra-modi-massacre-inquiry-india|work=The Guardian|date=૨૮ માર્ચ ૨૦૧૦|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨|location=Delhi}}</ref><ref name="Controversial_Independent">{{cite news|title=A rebirth dogged by controversy|author=Andrew Buncombe|url=http://www.independent.co.uk/news/world/asia/a-rebirth-dogged-by-controversy-2357157.html|work=The Independent|date=૧૯ સપ્ટેમ્બર ૨૦૧૧|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_BBC">{{cite news|title=Profile: Narendra Modi|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|publisher=BBC|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_Forbes">{{cite news|title=Controversial Gujarati Premier Confirmed In Office|author=Ruth David|url=http://www.forbes.com/2007/12/24/narendra-modi-gujarat-face-markets-cx_rd_1224autofacescan01.html|work=Forbes|date=૨૪ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controvesial_LATimes">{{cite news|title=India premier's party gets unexpected boost|author=Henry Chu|url=http://articles.latimes.com/2008/dec/09/world/fg-india9|work=Los Angeles Times|date=૯ ડિસેમ્બર ૨૦૦૮|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref><ref name="Controversial_NYT">{{cite news|title=Shaking Off the Horror of the Past in India|author=Manu Joseph|url=http://www.nytimes.com/2012/02/16/world/asia/16iht-letter16.html|newspaper=[[The New York Times]]|date=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨|access-date=૧૦ ઓક્ટોબર ૨૦૧૨}}</ref>
તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે.
==અંગત જીવન==
નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો જે તે સમયે [[ભારત]]નાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી [[નવનિર્માણ આંદોલન]]માં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.<ref name="On Race Course road">[http://timesofindia.indiatimes.com/home/sunday-toi/special-report/On-Race-Course-road/articleshow/10025018.cms On Race Course road?] Times of India, 18 September 2011, 05.46 am IST</ref> તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ [[વડનગર]]માં પૂર્ણ કરેલો છે. તેઓ [[ગુજરાત યુનિવર્સિટી]]માંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.<ref>{{cite web|url=http://www.indiatvnews.com/politics/national/-facts-to-know-about-narendra-modi-6602.html?page=2|title=10 facts to know about Narendra Modi|publisher=Indiatvnews.com|date=૩ નવેમ્બર ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨}}{{Dead link|date=જુલાઈ 2025 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite web|url=http://www.indianexpress.com/news/time-partial-to-narendra-modi-biased-to-rahul-gandhi-cong/925263|title='Time' partial to Narendra Modi, biased to Rahul Gandhi: Cong|work=The Indian Express|date=૧૮ માર્ચ ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨}}</ref><ref>{{cite web|last=Thottam|first=Jyoti|url=http://www.time.com/time/magazine/article/0,9171,2109164-2,00.html|title=Why the Chief Minister of Gujarat Inspires Love and Loathing in India|publisher=TIME|date=૨૬ માર્ચ ૨૦૧૨|access-date=૭ નવેમ્બર ૨૦૧૨|archive-date=2013-01-18|archive-url=https://web.archive.org/web/20130118144959/http://www.time.com/time/magazine/article/0,9171,2109164-2,00.html|url-status=dead}}</ref> <!--તેઓ સંભવત: ગુજરાતના પહેલા અપરણિત મુખ્યમંત્રી છે. (સંભવતઃ ?? શું અર્થ ? સંદર્ભ આપો અથવા હટાવો. હાલ છૂપાવ્યું) -->
==પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ==
આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.<ref name="hindu.com">{{cite news|url=http://www.hindu.com/thehindu/holnus/000200712231550.htm|location=Chennai, India|work=The Hindu|title=Modi proves to be an astute strategist|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=2011-02-04|archive-date=2013-05-14|archive-url=https://web.archive.org/web/20130514153244/http://www.hindu.com/thehindu/holnus/000200712231550.htm|url-status=dead}}</ref><ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/1958555.stm|work=BBC News|title=Profile: Narendra Modi|date=૨૩ ડિસેમ્બર ૨૦૦૭|access-date=૧૯ મે ૨૦૧૦}}</ref>
તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, [[શંકરસિંહ વાઘેલા]] એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.
શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ [[કેશુભાઈ પટેલ]] ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
==વ્યક્તિત્વ==
મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.<ref>{{Cite document|url=http://www.outlookindia.com/article.aspx?236315|title=The Hawk In Flight|publisher=Outlook India|date=24 December 2007}}</ref> તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.<ref name="NYT">{{cite news|url=http://www.nytimes.com/2009/04/29/world/asia/29india.html|title=Shadows of Violence Cling to Indian Politician|last=Sengupta|first=Somini|date=૨૮ એપ્રિલ ૨૦૦૯|work=New York Times|access-date=૨૫ ઓગસ્ટ ૨૦૦૯}}</ref>
==મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ==
=== ગોધરા કાંડ ===
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર [[અયોધ્યા]]<nowiki/>થી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા.<ref>{{cite web|title=Godhra train fire accidental: Report|url=http://www.rediff.com/news/2005/jan/17godhra.htm|publisher=Rediff.com|access-date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧}}</ref> સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે.<ref name="autogenerated1">{{cite web|author=Soutik Biswas|url=http://www.bbc.co.uk/news/world-south-asia-12534127|title=India Godhra train blaze verdict: 31 convicted|publisher=BBC News|date=૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧}}</ref> માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા.<ref>{{cite news|date=૧૧ મે ૨૦૦૫|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4536199.stm|title=Gujarat riot death toll revealed|publisher=[[BBC News]]|access-date=૧૫ એપ્રિલ ૨૦૦૬|location=London}}</ref> હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/2802591.stm|title=Godhra's bitter harvest|publisher=BBC News|access-date=૭ સપ્ટેમ્બર ૨૦૦૯|date=૨૬ ફેબ્રુઆરી ૨૦૦૩|location=London|first=Rajeev|last=Khanna}}</ref><ref>{{cite web|url=http://www.hrw.org/legacy/reports/2002/india/India0402-02.htm#P241_39157|title=III. MASSACRES IN GODHRA AND AHMEDABAD|publisher=Human Rights Watch|access-date=૫ એપ્રિલ ૨૦૦૯}}</ref> મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.<ref>{{Cite web |url=http://articles.economictimes.indiatimes.com/2002-03-01/news/27355597_1_mobs-death-toll-ahmedabad |title=Army too helpless as violence mounts |access-date=2012-12-27 |archive-date=2014-05-17 |archive-url=https://archive.today/20140517163442/http://articles.economictimes.indiatimes.com/2002-03-01/news/27355597_1_mobs-death-toll-ahmedabad |url-status=dead }}</ref>
આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં પદ પરથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.
૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી.<ref>{{cite news|title=Godhra was an accident, reiterates Banerjee|date=September 25, 2008|url=http://news.indiamart.com/news-analysis/godhra-train-fire-ac-11837.html|publisher=India News Online|access-date=September 7, 2009|archive-date=ઑગસ્ટ 21, 2008|archive-url=https://web.archive.org/web/20080821143104/http://news.indiamart.com/news-analysis/godhra-train-fire-ac-11837.html|url-status=dead}}</ref><ref>{{cite news|title=Godhra was an accident, reiterates Banerjee|date=September 25, 2008|url=http://www.expressindia.com/latest-news/Godhra-was-an-accident-reiterates-Banerjee/365855/|publisher=Expressindia|access-date=April 5, 2009|archive-date=માર્ચ 5, 2011|archive-url=https://web.archive.org/web/20110305230115/http://www.expressindia.com/latest-news/Godhra-was-an-accident-reiterates-Banerjee/365855/|url-status=dead}}</ref> ત્યાર પછી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ''ક્લીન ચીટ'' આપી.<ref>{{cite news|url=http://www.dnaindia.com/report.asp?newsid=1193463|title=Truth brought out by Nanavati Commission: Modi| access-date=April 5, 2009|date=September 26, 2008|publisher=DNA|agency=PTI}}</ref> સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/india/SIT-clears-Narendra-Modi-of-wilfully-allowing-post-Godhra-riots/articleshow/7031569.cms#ixzz1721JAJuI | work=The Times Of India | first1=Dhananjay | last1=Mahapatra | title=SIT clears Narendra Modi of wilfully allowing post-Godhra riots | date=3 December 2010}}</ref>
એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવાની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૩માં કોર્ટે ચૂકાદા સામે કરેલી વાંધા અરજીનો નિકાલ કર્યો હતો અને સીટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.<ref name="2013 Clean chit">{{cite news|last1=Khan|first1=Saeed|last2=Kaushik|first2=Himanshu|title=2002 Gujarat riots: Clean chit to Modi, court rejects Zakia Jafri's plea|url=http://timesofindia.indiatimes.com/india/2002-Gujarat-riots-Clean-chit-to-Modi-court-rejects-Zakia-Jafris-plea/articleshow/27968858.cms|access-date=4 June 2014|work=ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા|date=26 December 2013|url-status=live|archive-url=https://web.archive.org/web/20141004001413/http://timesofindia.indiatimes.com/india/2002-Gujarat-riots-Clean-chit-to-Modi-court-rejects-Zakia-Jafris-plea/articleshow/27968858.cms|archive-date=4 October 2014}}</ref>
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ કાયદા હેઠળ તેના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો.
===રાજકીય કારકિર્દી===
* દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું હતુ.
* ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
* ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવાયા.
* ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.
* ઓક્ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો.
* ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ.
* વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
* ૨૦૦૪માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.
* વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.
* ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા.
* ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.
* ૨૪ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્તની નિયુક્તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્યના રાજ્યપાલ વચ્ચે મતભેદો ઉભા થયા હતા.
* વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા છે.
* માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિમણૂંક કરાઈ હતી.
* જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્ત કરાયા હતા<ref>{{Cite web |url=http://eci.nic.in/eci_main/press/current/NOTICETO%20CM%20GUJARAT.pdf |title=Election Commission Official Notice to Mr.Narendra Modi |access-date=2011-02-04 |archive-date=2012-12-02 |archive-url=https://web.archive.org/web/20121202042209/http://eci.nic.in/eci_main/press/current/NOTICETO%20CM%20GUJARAT.pdf |url-status=dead }}</ref>
=== ગુજરાતનો વિકાસ ===
મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો.<ref name="lb">{{cite news | url = http://www.indianexpress.com/story/228419.html | title = Riots+economic growth=? | work = [[Indian Express]] | date = October 15, 2007 | author = Laveesh Bhandari | access-date = 2008-05-09}}</ref> મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.<ref name="guj">[http://www.gujaratindia.com/Government/govt2.htm Chief Minister] {{Webarchive|url=https://web.archive.org/web/20090204084734/http://gujaratindia.com/Government/govt2.htm |date=2009-02-04 }} – Government of Gujarat</ref> જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.<ref>[http://www.rediff.com/money/2006/mar/16gdp.htm How to achieve 10% GDP growth] Rediff - 16 March 2006</ref>
મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ ''યોજનાઓ'' દ્વારા અમલમાં મૂક્યો છે.<ref>{{Cite web |url=http://www.supportgujarat.org/GujaratProgressSummary.pdf |title=Gujarat progress under Narendra Modi |access-date=2011-02-04 |archive-date=2011-07-28 |archive-url=https://web.archive.org/web/20110728072404/http://www.supportgujarat.org/GujaratProgressSummary.pdf |url-status=dead }}</ref> આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે'',<ref>{{cite news
|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=18327
|title=Modi invites investment in Gujarat
|date=January 11, 2003
|publisher=Expressindia
|access-date=April 5, 2009
|agency=Press Trust of India
}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news
|url=http://www.financialexpress.com/news/modi-steals-the-show-at-pravasi-divas/67951/0
|title=Modi Steals The Show At Pravasi Divas
|date=January 12, 2003
|publisher=The Financial Express
|access-date=April 5, 2009
|archive-date=મે 15, 2013
|archive-url=https://web.archive.org/web/20130515164113/http://www.financialexpress.com/news/modi-steals-the-show-at-pravasi-divas/67951/0
|url-status=dead
}}</ref><ref>{{cite news
|url=http://www.financialexpress.com/news/with-panchamrut-modi-targets-10.2-growth/81673/
|title=With Panchamrut, Modi targets 10.2% Growth
|date=June 9, 2003
|publisher=The Financial Express
|access-date=April 5, 2009
|archive-date=જૂન 15, 2013
|archive-url=https://web.archive.org/web/20130615224807/http://www.financialexpress.com/news/with-panchamrut-modi-targets-10.2-growth/81673
|url-status=dead
}}</ref> રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.
* ''કૃષિ મહોત્સવ'' – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા
* ''ચિરંજીવી યોજના'' – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે
* ''માતૃ વંદના'' – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે
* ''બેટી બચાવો'' – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ
* ''જ્યોતિગ્રામ યોજના'' – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે
* ''કર્મયોગી અભિયાન'' – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે
* ''કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
* ''બાળભોગ યોજના'' – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે
==કેન્દ્ર સરકાર==
===૨૦૦૯ની ચુંટણી===
મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.<ref>{{cite news |url=http://www.frontline.in/static/html/fl2608/stories/20090424260800400.htm |last=Ramakrishnan |first=Venkatesh|title=A Wide Open Contest |work=Frontline |date=11 April 2009 |access-date=13 October 2013}}</ref><ref>{{cite news |url=http://blogs.thehindu.com/elections2009/?p=2148 |title=BJP banking on Modi effect |work=The Hindu |date=27 April 2009 |access-date=20 April 2014}}</ref> ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|title=Narendra Modi inducted into BJP Parliamentary Board, Rajnath rejigs team|work=The Economic Times|date=31 March 2013|access-date=18 May 2014|archive-date=18 મે 2014|archive-url=https://web.archive.org/web/20140518180847/http://articles.economictimes.indiatimes.com/2013-03-31/news/38163254_1_sudhanshu-trivedi-bjp-mahila-morcha-general-secretary|url-status=dead}}</ref><ref>{{cite web|title=Parliamentary Board|url=http://bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|publisher=Bharatiya Janata Party|access-date=21 May 2013|archive-date=21 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130621011321/http://www.bjp.org/index.php?option=com_content&view=article&id=174&Itemid=486|url-status=dead}}</ref> ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા.<ref>{{cite news|title=Narendra Modi set appointed as Chairman of BJP's Central Election Campaign Committee|url=http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|work=The Economic Times|date=9 June 2013|access-date=9 June 2013|archive-date=12 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130612050952/http://articles.economictimes.indiatimes.com/2013-06-09/news/39849895_1_rajnath-singh-bjp-workers-bjp-cadres|url-status=dead}}</ref> પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે "પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય"; અંગ્રેજી અખબાર ''ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા''એ આ રાજીનામાને "નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન" સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|title=Advani grabs lifeline, meekly withdraws resignation|work=The Times of India|date=12 June 2013|access-date=15 August 2013|archive-date=14 જૂન 2013|archive-url=https://web.archive.org/web/20130614233147/http://articles.timesofindia.indiatimes.com/2013-06-12/india/39924840_1_l-k-advani-mohan-bhagwat-rajnath-singh|url-status=dead}}</ref> સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા.<ref>{{cite news |url=http://www.thehindu.com/news/national/bjp-announces-modi-as-prime-ministerial-candidate/article5124375.ece|title=BJP announces Modi as prime ministerial candidate|work=The Hindu|date=14 September 2013|access-date=17 April 2014}}</ref>
===૨૦૧૪ની ચુંટણી===
નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: [[વારાણસી]]<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/home/specials/lok-sabha-elections-2014/news/Its-official-Modi-picked-for-Varanasi-Jaitley-for-Amritsar/articleshow/32101547.cms |title=It’s official: Modi picked for Varanasi, Jaitley for Amritsar |work=The Times of India |date= 16 March 2014|access-date=4 April 2014}}</ref> અને [[વડોદરા]].<ref>{{cite news |url=http://www.ndtv.com/elections/article/election-2014/narendra-modi-files-nomination-in-vadodara-after-grand-roadshow-506183|title=Narendra Modi files nomination in Vadodara after grand roadshow|work=NDTV|date=9 April 2014|access-date=17 April 2014}}</ref> તેમને ધાર્મિક નેતા [[બાબા રામદેવ]] અને [[મોરારીબાપુ]]<ref>{{cite news|title=Sadhus want Narendra Modi declared NDA's PM candidate|url=http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|work=The Times of India|first=D S|last=Kunwar|date=27 April 2013|access-date=25 July 2013|archive-date=28 જાન્યુઆરી 2014|archive-url=https://web.archive.org/web/20140128162139/http://articles.timesofindia.indiatimes.com/2013-04-27/india/38861370_1_gujarat-cm-patanjali-yogpeeth-ramdev|url-status=dead}}</ref> અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે." <ref>{{cite news|title=Academic brawl: Bhagwati-Panagariya pitch for Modi while Amartya Sen backs Nitish|url=http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth|work=The Economic Times|date=18 July 2013|access-date=7 August 2013|archive-date=26 ડિસેમ્બર 2013|archive-url=https://web.archive.org/web/20131226163800/http://articles.economictimes.indiatimes.com/2013-07-18/news/40657164_1_kerala-model-gujarat-model-high-economic-growth|url-status=dead}}</ref> તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.<ref name="AS1">{{cite news |url=http://www.indianexpress.com/news/i-dont-want-modi-as-my-pm-amartya-sen/1145074/ |title=I don't want Narendra Modi as my PM: Amartya Sen |first=Amartya |last=Sen |authorlink=Amartya Sen |work=The Indian Express |date=22 July 2013|access-date=17 April 2014}}</ref>
[[File:BJP Gudi in Khopoli.jpg|thumb|right|200px|[[ભારતીય જનતા પાર્ટી|ભાજપ]] દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી.]]
મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં [[આમ આદમી પાર્ટી]]ના નેતા [[અરવિંદ કેજરીવાલ]]ને હરાવીને અને વડોદરામાંથી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને<ref>{{cite news|url=http://www.business-standard.com/article/news-ians/modi-s-vadodara-victory-margin-not-highest-ever-114051601712_1.html|title=Modi's Vadodara victory margin not highest-ever|work=Business Standard|date=16 May 2014}}</ref>, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો.<ref>{{cite news|title=વડોદરાની લોકસભાની સીટ માટે મોદીએ આપ્યું રાજીનામું, વારાણસીની બેઠક પર રહેશે સાંસદ|url=http://www.sandesh.com/article.aspx?newsid=2945123|work=સંદેશ (દૈનિક)|date=૨૯ મે ૨૦૧૪|access-date=1 June 2014|archive-date=31 મે 2014|archive-url=https://web.archive.org/web/20140531070134/http://www.sandesh.com/article.aspx?newsid=2945123|url-status=dead}}</ref> ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.<ref>{{cite news|url=http://zeenews.india.com/news/general-elections-2014/lok-sabha-polls-narendra-modi-wins-big-from-varanasi-vadodara_932550.html|title=Lok Sabha polls: Narendra Modi wins big from Varanasi, Vadodara|date=16 May 2014|work=Zee News}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/election-2014/election-results-2014-narendra-modi-wins-by-huge-margin-in-vadodara-525271|title=Election Results 2014: Narendra Modi Wins By Huge Margin in Vadodara|date=16 May 2014|work=NDTV}}</ref><ref>{{cite news|url=http://www.ndtv.com/elections/article/cheat-sheet/election-results-2014-ab-ki-baar-modi-sarkaar.-bjp-set-for-more-than-300-seats.-525246?curl=1400225667|title=Election Results 2014: Ab Ki Baar, Modi Sarkaar. BJP+ set for more than 300 seats.|date=16 May 2014|work=NDTV}}</ref> નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.<ref name=appointment-prez>{{cite web|title=President appoints Narendra Modi as Prime Minister, Oath taking ceremony on May 26|url=http://presidentofindia.nic.in/pr200514.html|publisher=Office of President of India|access-date=26 May 2014|date=20 May 2014|archive-date=21 મે 2014|archive-url=https://web.archive.org/web/20140521032033/http://presidentofindia.nic.in/pr200514.html|url-status=dead}}</ref><ref name=appointment-IE>{{cite news|title=Narendra Modi appointed PM, swearing-in on May 26|url=http://indianexpress.com/article/india/politics/swearing-in-of-modi-govt-on-may-26/|access-date=26 May 2014|newspaper=Indian Express|date=20 May 2014|agency=Press Trust of India}}</ref>
=== ૨૦૧૯ની ચુંટણી ===
૧૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ભાજપે મોદીને પક્ષના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.<ref>{{Cite news|title=Narendra Modi: It's all about Narendra Modi as India prepares for mammoth 2019 election|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/politics-and-nation/its-all-about-narendra-modi-as-india-prepares-for-mammoth-2019-election/articleshow/67070925.cms?from=mdr|access-date=13 September 2020}}</ref> પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા.
નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હતી.<ref>[[Varanasi (Lok Sabha constituency)]]</ref> તેમણે સમાજવાદી પક્ષના શાલીની યાદવને {{formatnum:479505}} મતોના તફાવતથી હરાવ્યા હતા.<ref>{{Cite news|date=23 May 2019|title=Election Results 2019: PM Narendra Modi storms to victory in Varanasi|url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/lok-sabha-elections-2019-prime-minister-narendra-modi-varanasi-1532443-2019-05-23|access-date=13 September 2020|work=India Today|language=en}}</ref><ref>{{Cite news|title=Lok Sabha Election result 2019: Narendra Modi secures big lead in Varanasi; Congress' Ajay Rai trails|url=https://www.businesstoday.in/lok-sabha-elections-2019/news/lok-sabha-election-result-2019-narendra-modi-big-lead-in-varanasi-congress-ajay-rai-trails/story/349240.html|access-date=13 September 2020|website=www.businesstoday.in}}</ref> એન.ડી.એ. વડે લોકસભામાં ૩૫૩ બેઠકો અને ભાજપ દ્વારા ૩૦૩ બેઠકો મેળવાઇ હતી અને મોદીને બીજી વખત વડા પ્રધાન તરીકે જાહેર કરાયા હતા.<ref>{{Cite news|title=Narendra Modi to be sworn in as PM for 2nd term on May 30|work=The Economic Times|url=https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/narendra-modi-government-to-take-oath-on-may-30/articleshow/69506065.cms|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.news18.com/lok-sabha-elections-2019/alliance-wise-tally-live-results/|title=Alliance Wise Election Live Results 2019: Lok Sabha Elections Result Live Alliance Wise, Party Wise|website=News18|access-date=13 September 2020}}</ref><ref>{{Cite web|url=https://www.firstpost.com/politics/bjp-wins-302-seats-on-its-own-in-lok-sabha-election-2019-propels-nda-alliance-to-a-final-tally-of-353-seats-in-lower-house-6693991.html|title=BJP wins 302 seats on its own in Lok Sabha election 2019, propels NDA alliance to a final tally of 353 seats in Lower House – Politics News , Firstpost|date=24 May 2019|website=Firstpost|access-date=13 September 2020}}</ref>
==વડાપ્રધાન==
[[File:Shri Narendra Modi sworn in as Prime Minister.jpg|thumbnail|ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[પ્રણવ મુખર્જી]] સાથે.]]
[[File:The_President,_Shri_Ram_Nath_Kovind_administering_the_oath_of_office_of_the_Prime_Minister_to_Shri_Narendra_Modi,_at_a_Swearing-in_Ceremony,_at_Rashtrapati_Bhavan,_in_New_Delhi_on_May_30,_2019_(3).jpg|thumb|ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લેતા નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ [[રામનાથ કોવિંદ]] સાથે.]]
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.<ref name="TOI-20140520">{{cite news|url=http://timesofindia.indiatimes.com/Home/Lok-Sabha-Elections-2014/News/Narendra-Modi-appointed-Prime-Minister-swearing-in-on-May-26/articleshow/35388297.cms|title=Narendra Modi appointed Prime Minister, swearing in on May 26|date=૨૦ મે ૨૦૧૪|work=Times of India|access-date=૨૧ મે ૨૦૧૪}}</ref> ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે [[સાર્ક]]ના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું.<ref>{{cite news | url=http://www.thehindu.com/news/national/in-a-first-modi-invites-saarc-leaders-for-his-swearingin/article6033710.ece | title=In a first, Modi invites SAARC leaders for his swearing-in | work=The Hindu | date=૨૨ મે ૨૦૧૪ | access-date=૨૪ મે ૨૦૧૪ | author=Swami, Praveen}}</ref>
=== નિતીઓ ===
==== આર્થિક ====
તેમણે ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો 8 નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.<ref>{{citation |title=Rs 500, Rs 1000 currency notes stand abolished from midnight: PM Modi |url=http://indianexpress.com/article/india/india-news-india/narendra-modi-prime-minister-address-to-the-nation4364609 |work=The Indian Express |date=૯ નવેમ્બર ૨૦૧૬}}</ref>
==== બંધારણીય ====
તેમણે બંધારણના અનુચ્છેદ [[કલમ ૩૭૦|૩૭૦ની કલમ]] એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને ૧૯૫૪થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો. જેથી હવે બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે.
વર્ષ ૨૦૧૪ તથા વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ ૩૭૦ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
== પુરસ્કારો અને ઓળખ ==
* ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | access-date = 2006-02-12 | work = [[India Today]] | archive-date = 2007-02-13 | archive-url = https://web.archive.org/web/20070213051617/http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | url-status = dead }}</ref>
* ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે.
* ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– ''FDI magazine ''દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.<ref>{{cite news | url = http://sify.com/news/fullstory.php?a=jiznt2hiece&tag=topnews&title=Modi_wins_fDi_personality_of_the_year_award | title = Modi wins fDi personality of the year award | access-date=2009-08-25 |work=[[Sify]] }}</ref>
*''પૂના ગુજરાતી બંધુ સમાજ'' દ્વારા ગુજરાત રત્ન<ref>{{cite news|title=Narendra Modi to be presented 'Gujarat Ratna' today|url=http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|access-date=23 March 2012|newspaper=[[The Times of India]]|date=18 March 2012|archive-date=23 જુલાઈ 2013|archive-url=https://web.archive.org/web/20130723141533/http://articles.timesofindia.indiatimes.com/2012-03-18/pune/31207124_1_gujarati-community-centenary-year-kondhwa|url-status=dead}}</ref>
*''કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇ-રત્ન <ref name="one">{{cite news|url=http://news.oneindia.in/feature/2012/twitter-followers-of-narendra-modi-cross-six-lakh.html|title=Twitter's Modi Express steams past 600,000 followers|last=|first=|date=૧ મે ૨૦૧૨|work=|access-date=૨૮ ઓગસ્ટ ૨૦૧૨|via=|archive-date=2012-05-23|archive-url=https://web.archive.org/web/20120523081922/http://news.oneindia.in/feature/2012/twitter-followers-of-narendra-modi-cross-six-lakh.html|url-status=dead}}</ref>''
*''શ્રેષ્ઠ મુખ્યમંત્રી''-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા<ref>{{cite news | url = http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | title = Making Up For Lost Time | access-date = 12 February 2006 | work = [[India Today]] | archive-date = 13 ફેબ્રુઆરી 2007 | archive-url = https://web.archive.org/web/20070213051617/http://www.indiatoday.com/itoday/20070212/nation1.html | url-status = dead }}</ref>
==સંદર્ભ==
{{Reflist|30em}}
== બાહ્ય કડીઓ ==
{{Sister project links|auto=yes|c=Narendra Modi|commonscat=yes|n=Category:Narendra Modi|q=Narendra Modi|s=Narendra Modi|author=yes|d=Q1058}}
* {{Official website}}
* {{Official website|1=http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=4589|name=લોક સભા વેબસાઇટ પર પ્રોફાઇલ}}
* [http://www.narendramodi.in/ નરેન્દ્ર મોદી: અંગત વેબસાઈટ]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
{{ભારતના વડાપ્રધાન}}
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
[[શ્રેણી:ભારતના વડાપ્રધાન]]
[[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:રાજનેતા]]
[[શ્રેણી:૧૯૫૦માં જન્મ]]
[[શ્રેણી:ગુજરાત રાજ્યના સાંસદ]]
5ztvssrxo7l9qx9qu1ukr83jiyz2mke
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
0
43368
903496
901097
2026-08-11T07:53:33Z
~2026-43911-91
88565
903496
wikitext
text/x-wiki
{{Infobox bus company
| name = Gujarat State Road Transport Corporation <br/> ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
| logo = Gujarat State road transport corporation.jpg
| logo_size = 200px
| image =
| image_size =
| image_caption =
| parent = [[ગુજરાત સરકાર]]
| founded = 1 મે 1960
| defunct =
| headquarters = * મધ્યસ્થ કાર્યાલય GSRTC, [[રાણીપ]], [[અમદાવાદ]]
* મધ્યસ્થ ST વર્કશોપ, [[નરોડા]], [[અમદાવાદ]]<ref name="cc">{{cite web | url=https://gsrtc.in/site/downloads/innerPages/contactUs.html | title=GSRTC contact number}}</ref>
| locale =
| service_area = [[ગુજરાત]], [[મહારાષ્ટ્ર]], [[મધ્ય પ્રદેશ]], [[રાજસ્થાન]], [[ગોવા]], [[દાદરા અને નગર હવેલી]], [[દિવ અને દમણ]]
| service_type = બસ, જાહેર પરિવહન
| alliance =
| routes =
| stops =
| destinations =
| hubs =
| stations = 263<ref name="gsrtof" />
| lounge =
| depots = 125<ref name="gsrtof" />
| fleet = 8322
| ridership = 22,09,000 (2017–18)<ref name="gsrtof">{{cite web | url=https://gsrtc.in/site/downloads/innerPages/performance.html | title=GSRTC performance | publisher=GSRTC | date=October 2009 | access-date=19 August 2025}}</ref>
| annual_ridership =
| fuel_type = ડીઝલ, ઇલેક્ટ્રિક
| operator =
| leader_type = વાઇસ ચેરમેન & MD
| leader = Dr. Rajendra Kumar(IAS)
| website = {{URL|www.gsrtc.in}}
}}
'''ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ''' (''Gujarat State Road Transport Corporation'' - GSRTC) એ ગુજરાત સરકારની માલિકીની જાહેર પરિવહન માટેની બસ સેવા પૂરી પાડતી સંસ્થા છે, તે [[ગુજરાત]]માં તેમજ ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડે છે.
૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના નિર્માણ સાથે નિગમ અસ્તિત્વમાં આવ્યું. ૭ વિભાગો, ૭૬ ડેપો અને ૭ વિભાગીય કાર્યશાળાથી શરૂઆત કરનારી GSRTC આજે ૧૬ વિભાગો, ૧૨૫ ડેપો, ૨૨૬ બસ સ્ટેશન, ૧૫૫૪ પીકઅપ સ્ટેન્ડ અને ૮૩૨૨ બસો સુધી વિસ્તરી ચૂકી છે.
== વિભાગો ==
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ૧૬ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.
* અમદાવાદ વિભાગ (આશ્રમ)
* અમરેલી વિભાગ (ગિરનાર)
* ભરૂચ વિભાગ (નર્મદા)
* ભાવનગર વિભાગ (શેત્રુંજય)
* ભુજ વિભાગ (કચ્છ)
* ગોધરા વિભાગ (પાવાગઢ)
* હિંમતનગર વિભાગ (સાબર)
* જામનગર વિભાગ (દ્વારકા)
* જૂનાગઢ વિભાગ (સોમનાથ)
* મહેસાણા વિભાગને (મોઢેરા)
* નડિયાદ વિભાગને (અમૂલ)
* પાલનપુર વિભાગ (બનાસ)
* રાજકોટ વિભાગ (સૌરાષ્ટ્ર)
* સુરત વિભાગ (સૂર્યનગરી)
* વડોદરા વિભાગ (વિશ્વામિત્રી)
* વલસાડ વિભાગ (દમણ ગંગા)
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ચાલતી વિશેષ બસને ''વિકાસ રૂટ'' તરીકે ઓળખવામાં આવે છે.
== ડેપો ==
{| class="wikitable"
!વિભાગ
!ડેપો
|-
|''' [[અમદાવાદ]] '''
|[[અમદાવાદ]], [[ચંડોળા તળાવ|ચંડોળા]], [[બારેજા (તા. દસ્ક્રોઇ)|બારેજા]], [[સાણંદ]], [[વિરમગામ]], [[ધોળકા]], [[ધંધુકા]], [[બાવળા]], [[દહેગામ]], [[ગાંધીનગર]] .
|-
|''' [[અમરેલી]] '''
|[[અમરેલી]], [[સાવરકુંડલા]], [[બગસરા]], [[ઉના]], [[ધારી]], [[રાજુલા]], [[કોડીનાર]] .
|-
|''' [[વડોદરા]] '''
|[[વડોદરા]], [[છોટાઉદેપુર|છોટા ઉદેપુર]], [[બોડેલી]], [[પાદરા]], [[કરજણ]], [[ડભોઇ|ડભોઈ]], [[વાઘોડિયા]] .
|-
|''' [[ભાવનગર]] '''
|[[ભાવનગર]], [[તળાજા]], [[મહુવા]], [[પાલીતાણા|પાલિતાણા]], [[ગારીયાધાર]], [[ગઢડા]], [[બોટાદ]], [[બરવાળા તાલુકો|બરવાળા]] .
|-
|''' [[ભુજ]] '''
|[[ભુજ]], [[માંડવી (કચ્છ)|માંડવી]], [[મુન્દ્રા]], [[અંજાર]], [[ભચાઉ]], [[રાપર]], [[નલિયા (તા. અબડાસા)|નલિયા]], [[નખત્રાણા]] .
|-
|''' [[ભરૂચ]] '''
|[[ભરૂચ]], [[જંબુસર]], [[અંકલેશ્વર]], [[ઝઘડીયા|ઝઘડિયા]], [[રાજપીપલા|રાજપીપળા]] .
|-
|''' [[ગોધરા]] '''
|[[ગોધરા]], [[દાહોદ]], [[લુણાવાડા]], [[સંતરામપુર]], [[ઝાલોદ]], [[હાલોલ]], [[દેવગઢબારિયા|બારીયા]] .
|-
|'''[[હિંમતનગર]] '''
|[[હિંમતનગર]], [[ઇડર]], [[ભિલોડા]], [[મોડાસા]], [[ખેડબ્રહ્મા]], [[પ્રાંતિજ]], બાયડ, [[માણસા]]
|-
|''' [[રાજકોટ]] '''
|[[રાજકોટ]], [[ગોંડલ]], [[સુરેન્દ્રનગર]], [[ચોટીલા]], [[લીંબડી]], [[મોરબી]], [[ધ્રાંગધ્રા]], [[જસદણ]], [[વાંકાનેર]]
|-
|''' [[જામનગર]] '''
|[[જામનગર]], [[દ્વારકા]], [[ખંભાળિયા]], [[ધ્રોલ]], [[જામજોધપુર]]
|-
|''' [[જુનાગઢ|જૂનાગઢ]] '''
|[[જુનાગઢ|જૂનાગઢ]], [[પોરબંદર]], [[વેરાવળ]], [[ઉપલેટા]], [[કેશોદ]], [[ધોરાજી]], [[માંગરોળ (જૂનાગઢ)|માંગરોળ]], [[બાંટવા (તા. માણાવદર)|બાંટવા]], [[જેતપુર]]
|-
|''' [[મહેસાણા]] '''
|[[મહેસાણા]], [[પાટણ]], [[વિસનગર]], [[કડી]], [[બહુચરાજી|બેચરાજી]], [[કલોલ]], [[વડનગર]], [[ચાણસ્મા]], [[ખેરાલુ]], [[હારીજ]], [[ઉંઝા|ઊંઝા]], [[વિજાપુર]]
|-
|''' [[નડીઆદ|નડિયાદ]] '''
|[[નડીઆદ|નડિયાદ]], [[આણંદ]], [[બોરસદ]], [[ખંભાત]], [[ડાકોર]], [[બાલાસિનોર]], [[ખેડા]], [[કપડવંજ|કાપડવંજ]], [[મહુધા]], [[માતર]], [[પેટલાદ]] .
|-
|''' [[પાલનપુર]] '''
|[[પાલનપુર]], [[અંબાજી]], [[ડીસા]], [[સિદ્ધપુર]], [[થરાદ]], [[રાધનપુર]], [[બનાસકાંઠા જિલ્લો|દિયોદર]] .
|-
|''' [[સુરત]] '''
|[[સુરત|સુરત-1]], [[સુરત|સુરત-2]], [[બારડોલી]], [[માંડવી (સુરત જિલ્લો)|માંડવી]], [[સોનગઢ]], [[ઓલપાડ]] .
|-
|''' [[વલસાડ]] '''
|[[વલસાડ]], [[નવસારી]], [[બીલીમોરા]], [[વાપી]], [[ધરમપુર]], [[આહવા]] .
|}
=== નવા બસ ટર્મિનલ ===
[[File:Vadodara_Bus_Terminal_Exterior.jpg|thumb|વડોદરા બસ સ્ટેશન]]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના વિઝન મુજબ બસ ટર્મિનલ્સને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉપલબ્ધ સુવિધાઓથી સજ્જ કરવાનું હતું. સરકારે આવા આઠ બસ ટર્મિનલ પહેલેથી જ બનાવ્યા છે - અમદાવાદમાં બે ગીતા મંદિર અને રાણીપમાં, વડોદરામાં બે સેન્ટ્રલ અને મકરપુરામાં, સુરતમાં બે મધ્યસ્થ બસ ટર્મિનલ અને અડાજણ, પાલનપુર, રાજકોટ અને મહેસાણામાં એક-એક બસ ટર્મિનલ.
[[File:Ahmedabad_GSRTC_Central_Bus_Station_New.jpg|thumb|અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન]]
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી, ભુજ, ભરૂચ, રાજકોટ, નડિયાદ, નવસારી, મોડાસા, પાટણ ખાતે રૂ.913.30 કરોડના ખર્ચે વ્યાપારી પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ સાથે આઠ આધુનિક જિલ્લા કક્ષાના બસ ટર્મિનલ બનાવવાની દરખાસ્ત કરી હતી. [[File:Palanpur GSRTC Bus Port.jpg|thumb|[[પાલનપુર GSRTC બસ પોર્ટ]]]]હેલિપેડની સાથે બોટ જેટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક બસ સ્ટેશન મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ માટે સીધી હેલિકોપ્ટર ફ્લાઇટ્સ ઓફર કરશે. GSRTC આ સેવા શરૂ કરવા માટે તેના ડ્રાઇવરોને હેલિકોપ્ટર અને વિમાનો ઉડાડવાની તાલીમ આપી રહી છે. આ બસ ટર્મિનલ, જે ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને ટ્રાન્સફર મોડેલમાં હશે, તેમાં ડિજિટલ ડિસ્પ્લે, વેરિયેબલ મેસેજ સાઇન બોર્ડ, સીસીટીવી કેમેરા, સર્વેલન્સ સિસ્ટમ, ડીલક્સ વેઇટિંગ હોલ, પ્રવાસી માહિતી કેન્દ્ર, ક્લોકરૂમ, રેસ્ટોરાં, ફૂડ કોર્ટ, પ્લાઝા, બજેટ હોટલ અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ માટે મલ્ટિપ્લેક્સ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) વહીવટી કાર્યાલય, પાર્સલ રૂમ, જાળવણી વર્કશોપ અને ઇંધણ પંપ હશે. બસ ટર્મિનલ્સ પર 30 વર્ષ સુધી જરૂર પડ્યે જાળવણી અને સમારકામ માટે એક એકમ રહેશે.
[[File:Rajkot_Center_Bus_Stand.jpg|thumb|રાજકોટ સેન્ટ્રલ બસ પોર્ટ]]
=== યાત્રીઓ ===
GSRTC એ 2009 માં 1500 થી વધારે નવી બસો ખરીદી હતી જેમાં એર કન્ડિશન્ડ, સ્લીપર કોચ વોલ્વો બસો શામેલ હતી અને 2017 માં 1000 થી વધારે નવી ઇન્ટરસિટી મીની બસો પણ ખરીદી હતી <ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/ahmedabad/GSRTC-gets-1500-new-buses/articleshow/4093507.cms|archive-url=https://archive.today/20130411033627/http://articles.timesofindia.indiatimes.com/2009-02-08/ahmedabad/27999464_1_new-buses-volvo-buses-gsrtc|archive-date=11 April 2013|title=GSRTC gets 1,500 new buses|work=[[The Times of India]]|date=8 February 2009|agency=TNN|access-date=15 February 2013}}</ref>GSRTC દરરોજ 40000 ટ્રિપ્સ સાથે 28 લાખ કિલોમીટરનું અંતર કાપે છે અને દરરોજ 24 લાખ મુસાફરોને સેવા આપે છે. GSRTC ઓનલાઈન અને મોબાઈલ ફોન ટિકિટ બુકિંગ સુવિધા પૂરી પાડે છે.<ref name="bs">{{Cite news|url=http://www.business-standard.com/article/Economy-Policy/GSRTC-to-launch-online-ticket-booking-105072001093_1.html|title=GSRTC to launch online ticket booking|work=[[Business Standard]]|date=20 July 2005|access-date=15 February 2013|last=Thakkar, Mitul|location=Ahmedabad}}</ref> <ref name="dgjrt">{{Cite news|url=http://deshgujarat.com/2011/08/12/booking-gsrtc-ticket-through-mobile-phone-to-be-possible/|title=Booking GSRTC ticket through mobile phone to be possible|work=DeshGujarat.com|date=12 August 2011|access-date=15 February 2013}}</ref> તે વોલ્વો બસોમાં મફતમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ સેવા પણ પૂરી પાડે છે.<ref name="wifi">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-12-18/rajkot/30530805_1_wi-fi-services-volvo-buses-access-internet|archive-url=https://archive.today/20130411035938/http://articles.timesofindia.indiatimes.com/2011-12-18/rajkot/30530805_1_wi-fi-services-volvo-buses-access-internet|archive-date=11 April 2013|title=Now, surf the internet on GSRTC's Rajkot-Ahmedabad buses|work=[[The Times of India]]|date=18 December 2011|agency=TNN|access-date=16 February 2013|location=Rajkot}}</ref> હાલમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સુવિધા ધરાવતી બસોના કાફલામાં એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર અને વોલ્વો બસોનો સમાવેશ થાય છે.
[[File:Command_&_Control_Center.jpg|alt=CCC GSRTC|thumb|660x660px|કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સેન્ટ્રલ ઓફિસ, રાણીપ, અમદાવાદ, ગુજરાત]]
=== કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને આઇટી પહેલ ===
GSRTC એ અમદાવાદના રાણીપ સ્થિત સેન્ટ્રલ ઓફિસ ખાતે GSRTC ના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે. વિવિધ આઇટી ટૂલ્સ દ્વારા સીસીસી (કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર) અને ડીસીસીસી (ડિવિઝન કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર) માં વિવિધ પરિમાણોનું 24×7 સખત દેખરેખ હેઠળ, એટલે કે,
* જીપીએસ આધારિત ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ
* ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ
* ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ
* ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ
* ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન
* શિસ્ત અને અપીલ વ્યવસ્થાપન પ્રણાલી
* MIS જનરેશન
* ઓટોમેટેડ ફ્યુઅલ મેનેજમેન્ટ સિસ્ટમ
* ઓટોમેટેડ ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમ
* સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ વિજિલન્સ સિસ્ટમ
* સ્વચ્છ ભારત અભિયાન મોબાઇલ એપ્લિકેશન
* IVRS સાથે 24×7 ટોલ-ફ્રી હેલ્પડેસ્ક
* ઓનલાઇન ફરિયાદ નિવારણ
* MPLS - VPN
=== ટેકનિકલ ===
GSRTC એ ઘણી તકનીકી સુવિધાઓ ઉભી કરી છે. જેમ કે:
* ત્રણ સ્તરીય જાળવણી અને સમારકામ સુવિધા - ૧૨૬ ડેપો વર્કશોપ, ૧૬ વિભાગીય વર્કશોપ અને એક કેન્દ્રીય વર્કશોપ
* ૭ ટાયર રીટ્રેડીંગ પ્લાન્ટ
== સેવાઓ ==
=== વોલ્વો સર્વિસ ===
* [[અમદાવાદ]] થી [[વડોદરા]] (દર ૧૫ મિનિટે)
* [[સુરત]] થી [[અમદાવાદ]] (દર ૩૦ મિનિટે)
* [[અમદાવાદ]] થી [[રાજકોટ]] (રોજની ૧૦ સેવાઓ)
* [[રાજકોટ]] થી [[વડોદરા]] (રોજ 4 સેવાઓ)
* [[ભુજ]] થી [[વડોદરા]] (રોજ 5 સેવાઓ)
=== એ.સી. લક્સરી સેવાઓ ===
* [[ધાનેરા]] થી [[અમદાવાદ]] (દૈનિક ૧૪ સેવા)
=== ઇન્ટરસિટી સેવાઓ ===
* [[અમદાવાદ]] થી [[વડોદરા]] (દર ૧૫ મિનિટે)
* [[અમદાવાદ]] થી [[સુરત]] (દર ૩૦ મિનિટે)
* [[અમદાવાદ]] થી [[રાજકોટ]] (દર ૧ કલાકે)
* [[અમદાવાદ]] થી [[આણંદ]] (દર ૩૦ મિનિટે)
* [[અમદાવાદ]] થી [[નડીઆદ|નડિયાદ]] (દર ૩૦ મિનિટે)
* [[અમદાવાદ]] થી [[દાહોદ]] (દર 20 મિનિટે)
* [[મહેસાણા]] થી [[રાણીપ]] (દર ૩૦ મિનિટે)
* [[પાલનપુર]] થી [[મહેસાણા]] (દર ૩૦ મિનિટે)
* [[પાલનપુર]] થી [[અમદાવાદ]] (દર ૩૦ મિનિટે)
* [[સુરત]] થી [[નવસારી]] (દર 20 મિનિટે)
* [[વડોદરા]] થી [[આણંદ]] (દર ૧૫ મિનિટે)
* [[વડોદરા]] થી [[ગોધરા]] (દર ૩૦ મિનિટે)
* [[ગોધરા]] થી [[અમદાવાદ]] (દર 20 મિનિટે)
* [[રાજકોટ]] થી [[જામનગર]] (દર ૧ કલાકે)
વગેરે અને ગુજરાતના મુખ્ય શહેરોમાંથી અને ત્યાંથી આવતી ઘણી બધી ઇન્ટરસિટી સેવાઓ.
=== સેવાના પ્રકારો ===
* વોલ્વો સીટર
* એ.સી. સીટર
* ગુર્જરનગરી એક્સપ્રેસ
* ડિલક્સ એક્સપ્રેસ
* મીડી બસ (નાના અંતરની બસ)
* લક્ઝરી કોચ
* ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસ
== સંદર્ભ ==
{{Reflist}}
== બાહ્ય કડીઓ ==
* [https://gsrtc.in/site/ ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરશન]
* {{ગુજરાતી વિશ્વકોશ}}
{{સ્ટબ}}
[[શ્રેણી:ગુજરાતમાં પરિવહન]]
iifkba53fgny8benjmjg5w0fyku0r16
ચર્ચા:દેવાંગી ભટ્ટ
1
154709
903492
902649
2026-08-10T15:53:26Z
Aniket
65
903492
wikitext
text/x-wiki
== દૂર કરવાની વિનંતી અંગે ==
નમસ્તે, આ લેખ મેં બનાવ્યો છે. ત્રણેય મુદ્દા અંગે મારો ખુલાસો:
'''નોંધપાત્રતા''': દેવાંગી ભટ્ટની નવલકથાના અંગ્રેજી અનુવાદ પર ધ ટ્રિબ્યુન, સ્ક્રોલ.ઇન, એસિમ્પ્ટોટ જર્નલ, ધ બુક રિવ્યૂ અને પર્પલ પેન્સિલ પ્રોજેક્ટ, એમ પાંચ સ્વતંત્ર પ્રકાશનોમાં સમીક્ષા/કવરેજ પ્રકાશિત થયાં છે, જે લેખમાં સંદર્ભ તરીકે આપેલાં છે. આ સ્વતંત્ર અને વિશ્વસનીય સ્રોતો છે.
'''પ્રાથમિક સ્રોત અને સ્વપ્રશસ્તિ''': વાજબી મુદ્દો. લેખકનાં અંગત વેબસાઇટ પર આધારિત પુરસ્કાર તથા અભ્યાસક્રમની વિગતો મેં લેખમાંથી દૂર કરી છે. હવે લેખના મુખ્ય દાવાઓ સ્વતંત્ર સ્રોતો પર આધારિત છે.
'''જાહેરાત''': મારો હેતુ પ્રચારનો નથી; લેખ તટસ્થ શૈલીમાં, દરેક વિધાન સંદર્ભ સાથે લખાયો છે.
સુધારા માટે કોઈ ચોક્કસ સૂચન હોય તો જરૂર જણાવશો. આભાર. [[સભ્ય:Hiral Kotadiya|Hiral Kotadiya]] ([[સભ્યની ચર્ચા:Hiral Kotadiya|ચર્ચા]]) ૨૩:૪૫, ૧૫ જુલાઇ ૨૦૨૬ (IST)
:આપના લેખ સંપાદન માટે આભાર. લેખ દૂર કરવાના પ્રસ્તાવ સામે આપે રજૂ કરેલા ખુલાસાઓને આવકારું છું. 'પ્રાથમિક સ્રોત અને સ્વપ્રશસ્તિ' સંબંધિત મુદ્દાઓ અંતર્ગત આપે લેખમાંથી જરૂરી વિગતો દૂર કરી છે, તે આવકાર્ય છે. 'જાહેરાત' સંબંધિત મુદ્દાઓ અંગે આપે કરેલી ચોખવટ પણ ગ્રાહ્ય છે.
:તેમ છતાં, '''નોંધપાત્રતા'''નો મુદ્દો અહીં થોડો પેચીદો છે. એક લેખક તરીકે સાહિત્યિક વર્તુળમાં જાણીતું હોવું એ વિશ્વકોશીય નોંધપાત્રતા માટે પૂરતું નથી. વિકિપીડિયાના માપદંડો મુજબ નોંધપાત્રતા સ્થાપિત કરવા માટે સ્વતંત્ર, વિશ્વસનીય અને વિષયને નોંધપાત્ર વિગત આપતા ગૌણ સ્રોતો ઉપલબ્ધ હોવા જરૂરી છે. માત્ર કૃતિઓનું પ્રકાશન, પુરસ્કારો અથવા સામયિકોમાં થયેલા ઉલ્લેખો પૂરતા માનવામાં આવતા નથી.
:જો આવા સ્રોતો ઉપલબ્ધ હોય અને તે લેખમાં યોગ્ય રીતે સમાવિષ્ટ કરવામાં આવે, તો નોંધપાત્રતાનો પ્રશ્ન વધુ સ્પષ્ટ રીતે મૂલવી શકાય. હાલની સ્થિતિમાં ઉપલબ્ધ સંદર્ભોના આધારે નોંધપાત્રતા અંગે મને હજુ પણ શંકા રહે છે. તેથી આ મુદ્દે અન્ય સંપાદકોના અભિપ્રાયો પણ ધ્યાનમાં લેવા યોગ્ય રહેશે.[[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ([[સભ્યની ચર્ચા:Snehrashmi|ચર્ચા]]) ૦૯:૦૧, ૧૬ જુલાઇ ૨૦૨૬ (IST)
::વધુમાં ''એકાદ ખાસ લેખ'' બનાવવા માટે આવેલા સભ્યો મોટાભાગે પ્રચાર કરવા અહીં આવતા હોય છે તે મુદ્દો પણ ધ્યાનમાં રાખવો -- [[User:KartikMistry|કાર્તિક]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૮:૩૧, ૧૯ જુલાઇ ૨૦૨૬ (IST)
:::કાર્તિકભાઈ, આપની વાત સાચી છે કે આવો દાખલો ઘણીવાર જોવા મળે છે, એટલે આપની સાવધાની સમજી શકાય છે. મારો રસ ગુજરાતી સાહિત્ય વિશે લખવાનો છે અને આગળ પણ અન્ય લેખો પર કામ કરવાની ઇચ્છા છે. પ્રચાર ટાળવા માટે મેં લેખ સંપૂર્ણ તટસ્થ શૈલીમાં પુનર્લેખિત કર્યો છે. લેખમાં કોઈ ચોક્કસ સુધારો સૂચવશો તો જરૂર કરીશ. આભાર. [[સભ્ય:Hiral Kotadiya|Hiral Kotadiya]] ([[સભ્યની ચર્ચા:Hiral Kotadiya|ચર્ચા]]) ૦૨:૩૬, ૨૦ જુલાઇ ૨૦૨૬ (IST)
::સ્નેહરશ્મિભાઈ, આપની ટિપ્પણી બાદ લેખમાં નીચેના સ્વતંત્ર ગૌણ સ્રોતો ઉમેર્યા છે, જે માત્ર કૃતિ-પ્રકાશન કે ઉલ્લેખ નહીં પણ લેખિકા અને તેમના સર્જન વિશેનું સ્વતંત્ર લેખન છે:
::૧. રઘુવીર ચૌધરીએ 'દિવ્ય ભાસ્કર'ની 'સાહિત્ય વિશેષ' કૉલમમાં લેખિકાની સમગ્ર કારકિર્દી પર લખેલો લેખ (૧૪-૦૨-૨૦૨૧)
::૨. 'દિવ્ય ભાસ્કર'ની 'સહજ સંવાદ' કૉલમમાં તેમની નવલકથાઓ પરનો વિવેચનાત્મક લેખ (૨૧-૦૫-૨૦૨૩).
::૩. એકત્ર ફાઉન્ડેશનના વાર્ષિક વિવેચનગ્રંથ 'બે હજાર ચોવીસ સમક્ષ'માં મીનલ દવેએ 'પ્રથમા-પૂષા' પર લખેલો સ્વતંત્ર સમીક્ષાલેખ.
::૪. શરીફા વીજળીવાળા સંપાદિત 'નારીસંપદા' (એકત્ર ફાઉન્ડેશન) તથા ઉષા ઉપાધ્યાય સંપાદિત 'સર્જકની આંતરકથા'માં સમાવેશ.
::આ સાથે લેખ સંપૂર્ણ તટસ્થ શૈલીમાં પુનર્લેખિત કર્યો છે. આ સ્રોતોના આધારે નોંધપાત્રતા અંગે આપનો અભિપ્રાય જણાવવા વિનંતી. અન્ય સંપાદકોના અભિપ્રાયોનું પણ સ્વાગત છે.
::આભાર. [[સભ્ય:Hiral Kotadiya|Hiral Kotadiya]] ([[સભ્યની ચર્ચા:Hiral Kotadiya|ચર્ચા]]) ૦૨:૪૦, ૨૦ જુલાઇ ૨૦૨૬ (IST)
::::સભ્ય Hiral Kotadiya, ગુજરાતી વિકિ સમુદાયના સક્રિય સભ્યો પૈકી કોઈએ હજુ અહી તમે આપેલા લેખને ટકાવી આપવા માટે આપેલા કારણોના ટેકામાં સહમતી જાહેર કરી નથી. એટલે આ લેખ ટકી શકશે નહી. ટૂંક સમયમાં એને રદ્દ કરવામાં આવશે. --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૨૧:૨૩, ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
o2yn9ehw0kbqvfe85h5kfx1fb7wjs06
ઢાંચો:Taxonomy/Aethopyga
10
154947
903493
2026-08-10T18:34:44Z
~2026-44065-25
88559
{{Don't edit this line {{{machine code|}}} |rank=genus |link=Aethopyga |parent=Nectariniidae |extinct=<!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" --> |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
903493
wikitext
text/x-wiki
{{Don't edit this line {{{machine code|}}}
|rank=genus
|link=Aethopyga
|parent=Nectariniidae
|extinct=<!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" -->
|refs=<!--Shown on this page only; don't include <ref> tags -->
}}
l1dq4pt3aqhnb51spwfbymgjlkupfhu
ઢાંચો:Taxonomy/Nectariniidae
10
154948
903494
2026-08-10T18:35:33Z
~2026-44065-25
88559
{{Don't edit this line {{{machine code|}}} |rank=familia |link=Sunbird|Nectariniidae |parent=Passerida |extinct=<!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" --> |refs=<!--Shown on this page only; don't include <ref> tags --> }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
903494
wikitext
text/x-wiki
{{Don't edit this line {{{machine code|}}}
|rank=familia
|link=Sunbird|Nectariniidae
|parent=Passerida
|extinct=<!--leave blank or delete this line for "not extinct"; put "yes" for "extinct" -->
|refs=<!--Shown on this page only; don't include <ref> tags -->
}}
34xxkusrxu5w5ie47zjhyvpk2dd2tg1
સભ્યની ચર્ચા:ધનજીભાઈ નાવડીયા
3
154949
903495
2026-08-11T07:02:46Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903495
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=ધનજીભાઈ નાવડીયા}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૨:૩૨, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
hky6mcy3tsp6sm8e7gixpw9jzggq7da
સભ્યની ચર્ચા:Sonalee Pandya
3
154950
903497
2026-08-11T09:01:49Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903497
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Sonalee Pandya}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૪:૩૧, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
12vbv2p1viqbbtf4cc7t86syyl7pod3
સભ્યની ચર્ચા:Rathod pravin
3
154951
903498
2026-08-11T09:47:04Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903498
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Rathod pravin}}
-- [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૭, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
410s3xi5w989mhmhedic5ynh0t5q032
સભ્યની ચર્ચા:Bhargav shrimali
3
154952
903499
2026-08-11T10:23:22Z
New user message
14116
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
903499
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhargav shrimali}}
-- [[:User:Dsvyas|ધવલ સુધન્વા વ્યાસ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૫૩, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
a88buwll1ef5kb1q3p2u0dczzvvfqf1