વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.2 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk ગોરમા રે ગોરમા રે 0 895 222021 203056 2026-05-18T15:55:14Z ~2026-29940-02 4559 222021 wikitext text/x-wiki {{header | title = | author = લોકગીત | translator = | section = | previous = | next = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Lokgeeto.pdf" from="28" to="28"></pages>}} }} આ ગીત ગૌરી વ્રત દરમ્યાન ગવાય છે.<br/> [[શ્રેણી:લોકગીતો]] [[શ્રેણી:ગરબા]] 1sbrgu9i768rv4a3y1c63fxp9k6au7b 222022 222021 2026-05-18T15:56:34Z ~2026-29940-02 4559 222022 wikitext text/x-wiki {{header | title = ગોરમા રે ગોરમા | author = લોકગીત | translator = | section = | previous = | next = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Lokgeeto.pdf" from="28" to="28"></pages>}} }} [[શ્રેણી:લોકગીતો]] [[શ્રેણી:ગરબા]] k8wy4210nbailt9j98tf63a37v4iau2 222023 222022 2026-05-18T15:57:17Z ~2026-29940-02 4559 222023 wikitext text/x-wiki {{header | title = ગોરમા રે ગોરમા રે | author = લોકગીત | translator = | section = | previous = | next = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Lokgeeto.pdf" from="28" to="28"></pages>}} }} [[શ્રેણી:લોકગીતો]] [[શ્રેણી:ગરબા]] 0kr5y2508opz0id8q2nlxntlrl6ic6r પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૬૯ 104 72862 222019 221969 2026-05-18T14:30:17Z Meghdhanu 3380 /* Validated */ 222019 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૧૫૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કેટલાક''' કહે છે જીવન શહેરમાં છે. બીજા કહે છે જીવન ગામડામાં છે. ખરી રીતે જીવન આપણામાં છે. જે સ્થળે માણસ પોતાને વધારેમાં વધારે સારી રીતે ઘડી શકે—તે સ્થળે જીવન છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ભલે''' લાકડાં હજારો મણ હોય પણ જેમ એક તણખામાં એ સઘળાંને બાળી નાખવાની શક્તિ છે, તેમ અભ્યાસ, તર્ક, બુદ્ધિ, એ સઘળાંને કલ્પનાની એક જ ઝીણી ચીનગારી કોણ જાણે ક્યાંનાં ક્યાં ઉરાડી મૂકે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસ''' જ્યારે એમ ધારે છે કે પોતાનામાં શક્તિ છે પણ દુનિયામાં શક્તિને પિછાનવાની શક્તિ નથી, ત્યારે એનું જીવન એક અખંડ ફરિયાદવહી—જેવું બની જાય છે, આવી નિર્બળતાઓ ઘણાનાં જીવન કરુણરીતે હાસ્યજનક બનાવ્યાં છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> qtb7auxr1jzs89e8jvp5m9si0sou4ow પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૭૦ 104 72863 222020 221973 2026-05-18T14:36:25Z Meghdhanu 3380 /* Validated */ 222020 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૧૫૫}}<hr>'''</noinclude> {{gap}} '''સ્વૈચ્છિક''' ગરીબી વિના સંસ્કારિકતા નહિ, સંસ્કારિતા વિના પ્રજા નહિ, પ્રજા વિના રાષ્ટ્ર નહિ; અને રાષ્ટ્ર વિના નરોત્તમો નહિ. સ્વૈચ્છિક ગરીબી નરોત્તમોને જન્મ આપે. નરોત્તમો સ્વૈચ્છિક ગરીબીને પોતાનો જન્મસિદ્ધ હક્ક માને. {{સ-મ| |◎ | }} {{gap}} '''તમે''' કોઈ વસ્તુમાં ન માનો તેનાથી અશ્રદ્ધા બનતી નથી. પણ તમે માનો છો કે તમે માનો છો ને ખરી રીતે માનતા નથી—એમાં અશ્રદ્ધા રહી છે. અશ્રદ્ધા પ્રાણને નાના બનાવે છે; સંસારને મોટો બનાવે છે. {{સ-મ| |◎ | }} {{gap}} '''અશક્યતા,''' જીવનમાં કે વિશ્વક્રમમાં નથી રહી, માનવની કલ્પનામાં રહી છે. જે માણસ અશક્યતાની કલ્પના કરતો નથી, તે અશક્યને જાણતો પણ નથી. {{સ-મ| |◎ | }} {{gap}} '''સમયનો'''—કાલનો—જે માણસ અભ્યાસ કરે છે, કાલ તેને પોતાનો જીવનમંત્ર આપે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 48qhlg99q5pwit4nd6uh31yf7sbt2sh પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૭ 104 72888 222024 221500 2026-05-18T16:15:49Z Amvaishnav 156 /* Proofread */ 222024 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૭૨||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જે''' ગૃહસ્થાશ્રમ, સંન્યસ્તની દૃષ્ટિ સમક્ષ રાખીને શરૂ થાય છે તે જ શોભી ઊઠે છે. સંગ્રહ કરનારમાં ત્યાગ કરવા માટે સંગ્રહ છે, એ દૃષ્ટિ હોય તો જ સંસાર શોભે. જે ગૃહસ્થાશ્રમના અંતમાં સન્યાસ્તાશ્રમ છે, તે માઈકાંગલાનો ખાધાખોરાકી ગૃહસ્થાશ્રમ મટી, જીવનવિકાસમાં એક સોપાનરૂપ બની જાય છે! {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસે''' તાત્કાલિક બાંધેલેા નિશ્ચય એ ખરી રીતે તાત્કાલિક — એટલે તે સમયે કરેલો હોય છે; પણ એવો નિશ્ચય બાંધવા માટે એણે મેળવેલું બળ એ ઘણાઘણા સંસ્કારો વડે પોષાયલી વસ્તુ છે. ને તે હરહમેશાં એના જીવનમાં જાગ્રતસૂતેલ હાજર જ હોય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> d9lo3ntkcximyleyzgdv23focad1c0m પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૮ 104 72889 222025 221501 2026-05-18T16:20:30Z Amvaishnav 156 /* Proofread */ 222025 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૭૩}}<hr>'''</noinclude> {{gap}}'''હું''' એવી ભૂલો કરવામાં માનું છું કે જે ભૂલેાથી મારી જાત વધારે સામર્થ્ય મેળવે: વધારે સુંદર બને. {{સ-મ| |◎ | }} {{gap}}'''જે''' લેાકેા સમાન–આનંદ કરતા નથી તે સમાન દુઃખ શી રીતે વહેંચશે? {{સ-મ| |◎ | }} {{gap}}'''ઐકાંતિક''' જીવનને ઘણીઘણી આંતરસામગ્રી વડે ભરી દેવાની, તાકાત માણસ ધરાવતો ન હોય, તો સામાજિક વ્યવહારના માર્ગે કપાઈ જતાં એ એકલો, અટુલો, ખારો ને કટુ બની જાય છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> itim6vcylw1d4rtzbdffpjxsenbz0ha પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૮૯ 104 72890 222026 221502 2026-05-18T16:25:30Z Amvaishnav 156 /* Proofread */ 222026 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૭૪||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''ગરીબીએ''' દુનિયાને જે સૌન્દર્ય, જે સ્વાર્પણ, જે આત્મસમર્પણ, જે કવિતા, કલા, રસાહિત્ય, વિજ્ઞાન આપ્યાં છે તેનો સહસ્રશ પણ ગરીબી વિના મળી શકત ખરો? {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનમાં''' કેટલાક એવી એવી મૌનવાણી સાંભળે છે કે, પછી, એ વાણીની મોહિનીમાંથી કોઈ દિવસ એ મુક્ત થઈ શકતા નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''નિષ્ફળતા''' જે ક્રોધ પ્રેરે તે ક્રોધ ગાંડો હોય છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સિદ્ધાંતને''' ન વરેલાં માણસો પ્રાથમિક અવસ્થામાં નથી: કારણ કે એ બાળક જેવાં નિર્દોષ નથી: અને હાલના વિકસિત જમાનાની પણ એ પેદાશ નથી : કારણ કે એમનામાં સિદ્ધાંતનુ બળ નથી. {{સ-મ| |◎ | }} {{gap}}'''સાધારણ''' સિદ્ધિ નહિ, અસાધારણ મહેચ્છા, એ વધારે પ્રાણદાયી છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> jyje62ltc3mvawf6nftykd1x0ch5gss પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૦ 104 72891 222027 221503 2026-05-18T16:32:32Z Amvaishnav 156 /* Proofread */ 222027 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૭૫}}<hr>'''</noinclude> {{gap}}'''જાતવિલોપન''' નહિ, જાતનું ઉર્ધ્વીકરણ; એકાકી ઉંચાઈએ પહેાંચવામાં જે આનંદ છે, તે આનંદની પાસે વળી સેવાનો આનંદ, તુચ્છ – અતિ તુચ્છ—યાંત્રિક ઘટમાળ જેવો ભયંકર રીતે તુચ્છ લાગે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''આતતાચીને''' હણવાનો ગીતાધર્મ જે સંસારી માણસ ભૂલે છે તેણે આતતાયીને હાથે મરણ સ્વીકાર્યે જ છૂટકો. જાલિમ હિંસા અને આંધળી અહિંસા – એ બન્ને છેવટે પરિણામ તો એક જ લાવે: સમાજધર્મના વિનાશનુ . {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનની''' કોઈ પણ ક્રિયાને મહાન બનાવવી હોય તો કેવળ શુષ્ક તર્કવાદથી એ કદી પણ મહાન થઈ શકતી નથી. એને માટે તો તમારે જ્યાં તર્ક્ વિરામ પામે એવા કોઈ અગોચર આંતર પ્રદેશનો આશ્રય શોધવો પડે. {{સ-મ| |◎ | }} {{gap}}'''જીવનનો''' શ્રેષ્ઠઅંશ જેમાંથી પેાષણ મેળવે ને વિકાસ સાધે એનુ નામ ગ્રંથ. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> newz0qsi4po4wm1su8p9pb2zb3plycp પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૧ 104 72892 222028 221504 2026-05-18T16:39:20Z Amvaishnav 156 /* Proofread */ 222028 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૭૬||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''એવા''' જીવનની કલ્૫ના તમે કરી શકો છો જ્યારે જીવનમાં થોડી મધુરપળોની સ્મૃતિ સિવાય બીજું કાંઈ જ આશ્વાસન ન હોય ? {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસ''' જ્યાંસુધી પોતાની જાતને ઘડી શકે નહિ, ત્યાંસુધી એ જે કાંઈ ઘડવાનો પ્રયત્ન કરશે, એ પ્રયત્ન બહુ બહુ તો ઓપ આપેલો, સંસ્કારી, ચાલુ ફેશનનો, ન કળી શકાય એવો એક પ્રકારનો ઢોંગ હશે: પણ એમાંથી એ કોઈ સ્થાયી વસ્તુનું નિર્માણ ન કરી શકે. {{સ-મ| |◎ | }} {{gap}}'''વ્યથા''' ભોગવનારો—અને એને સમજનારો દરેક જીવનનું રહસ્ય પામે છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''સંપૂર્ણતાની''' ટોચે પહોંચવા મથતો માણસ જ્યારે એક પ્રકારની અપૂર્ણતા અનુભવે છે, ત્યારે એ સંપૂર્ણતાની એટલે વધારે નજીક આવે છે. એ પૂર્ણતા અનુભવે છે માટે જ એ સંપૂર્ણ છે. એવી અપૂર્ણ સંપૂર્ણતા અવિનાશી છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> mjy80dqgn0ueduxrnrc52q5lad750b7