વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.3 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk સભ્યની ચર્ચા:Peterxy 3 71990 222039 217926 2026-05-20T10:40:31Z Neriah 2990 Neriahએ [[સભ્યની ચર્ચા:Peterxy12]]ને [[સભ્યની ચર્ચા:Peterxy]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Peterxy12|Peterxy12]]" to "[[Special:CentralAuth/Peterxy|Peterxy]]" 217926 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Peterxy12}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૮:૩૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST) oiltshx40oic1pkmmuccsbt01qdeefu પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૨ 104 72893 222029 221505 2026-05-19T16:15:21Z Amvaishnav 156 /* Proofread */ 222029 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૭૭}}<hr>'''</noinclude> {{gap}}'''જેમની''' સાથે દુ:ખ સહ્યું તે સ્વજનો ચાલ્યાં ગયાં, દુ:ખની એ પળો ચાલી ગઈ, પરંતુ કોઈ વખત જ્યારે એ જીવનમાં ફરી ડોકિયું કરું છું ત્યારે એ દુ:ખ સાથે સહ્યું — અને દુઃખ સહવામાં હું પણ સ્વજનો સાથે હતો — એ સ્મૃતિ માત્રથી એક પ્રકારની આનંદલહરી આજે પણ જીવનમાં અનુભવી રહું છું ! દુઃખ એ દુ:ખ નહિ રહે — માત્ર દુ:ખાભાસ ખની જશે — ને સમય જતાં એમાંથી જ અનિર્વચનીય સુખની ક્ષણો પ્રગટશે —— એવી કલ્પના તા ત્યારે ક્યાંથી હોય ? {{સ-મ| |◎ | }} {{gap}}'''માણસને''' મળેલો લોહીનો વારસો, સત્તાધીશની આજ્ઞાથી, એને વારંવાર પોતાના તરફ બોલાવે છે. {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> bfmfhymr8ngud98a5cpht8twftimqqs પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૩ 104 72894 222030 221506 2026-05-19T16:20:32Z Amvaishnav 156 /* Proofread */ 222030 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૭૮||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''જેટલી''' સહજ શાંતિથી મનુષ્ય શિયાળાની ઋતુનું આગમન સ્વીકારી લે છે તેટલી જ શાંતિથી એણે વિષાદને સ્વીકારી લેવો ઘટે. દુ:ખ સ્વયંભૂ છે; માણસ પોતે જ એને જન્મ આપે છે; અને માણસ પોતે જ એને પસંદ કરે છે. અંતરમાં વસી રહેલા મહાન ધન્વંતરી આ કટુ ઔષધનો પ્રયોગ કરે છે કે જેથી રોગી જેવી મનુષ્યની જાત એ દ્વારા વધારે ને વધારે બળવાન અને. એટલા માટે શાંતિથી, મૌનથી, પ્રસન્નતાથી આ ઔષધેાપચાર સ્વીકારવો જોઈએ. એ મહાન ધન્વંતરીના ભારે દેખાતા કઠણ હાથમાં અપ્રગટ કોમળતાની છાયા વસી રહી છે. એ જે ઔષધની પ્યાલી લાવે છે તે હોઠ કટુ લાગે, પણ જે કારણ માટે, એ પ્યાલી ધરવામાં આવે છે, એ કારણ ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ. ઔષધની આ પ્યાલીને, એના<noinclude></noinclude> g00t1gvrdpz8jpphra6npggctoj3dlj પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૪ 104 72895 222031 221507 2026-05-19T16:30:35Z Amvaishnav 156 /* Proofread */ 222031 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૭૯}}<hr>'''</noinclude> નિર્માણ કરનારે, માનવને આપતા પહેલાં, પ્રેમનાં છલોછલ પવિત્ર આંસુઓ વડે ભીંજવી છે. મનુષ્ય શ્રદ્ધાથી આ કટુ રસાયન સ્વીકારે. {{સ-મ| |◎ | }} {{gap}}'''શરીર''' મંદિરને ઘસારો આપવાથી, હમેશાં જ માણસ 'કાંઈક કરે છે' એ વિચાર બહુ ભૂલભરેલો છે; એથી ઉલટુ કેટલીક વખત તો જેમ વધારે પડતો અવાજ એ માણસનો નિર્બળતા જાહેર કરે છે, તેમ વિચારશૂન્યતાને લીધે થતી ક્રિયાઓ, એ પણ જીવનની ગરીબી પ્રગટ કરે છે. ભાવનાજીવન, વિચારજીવન ને ક્રિયાજીવન એ ત્રણેનો જે સુસંગત મેળ સાધી શક્ચો હોય એની ક્રિયા અર્થવાહી ગણાય; એ સિવાયની સર્વ ક્રિયાઓને નિષ્ક્રિયજીવનનો નિરર્થક ભાગ માનવા જોઈએ. {{સ-મ| |◎ | }} {{gap}}'''કોઇ''' વખત તમને લાગ્યું છે કે જીવન, એ મૃત્યુના પ્રમાણમાં ઘણી જ ક્ષુલ્લક વસ્તુ છે ? નહિ ? કોઈ ભવ્ય મૃત્યુ નહિ જોયું હોય ! {{સ-મ| |◎ | }} <ref> * અંગ્રેજી ઉપરથી </ref><noinclude><hr> {{reflist}}</noinclude> tbdq3rf4tqvrevw9ixqohpolajdgydm પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૫ 104 72896 222032 221508 2026-05-19T16:37:22Z Amvaishnav 156 /* Proofread */ 222032 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૧૮૦||રજકણ}}<hr>'''</noinclude> {{gap}}'''કલા''' તે જ છે કે જેમાં નૈતિક સંદેશો રહેલો હોય; પણ એ ઉપરથી કલામાં નીતિ હોવી જ જોઈએ એવો સિદ્ધાંત ઉપર્જાવી કાઢવો બરાબર નથી. ખરી રીતે કલા નીતિ-અનીતિ ખન્નેથી પર છે. {{સ-મ| |◎ | }} {{gap}}'''ક્લાકારને''' માટે બહિર્ પદાર્થ ગૌણ છે. એ પદાર્થ જે ચેતના પ્રગટાવે તે મહત્ત્વની છે, આ દૃષ્ટિએ જોતાં એક વસ્તુ સુંદર હોય, પણ એમાં સામાન્ય મનુષ્ય જે જોતો હોય તેનાથી કલાકાર કાંઈક જુદું જ જોતો હોય. બન્ને જણા સાથે હોય ને બોલી ઊઠે કે કેવું સુંદર ! છતાં બન્નેનો સૌન્દર્યનો ખ્યાલ તદ્દન જુદો જ હોય ! {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> qttvo9q3x85rv8em8wq2r6vp07whapm પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૧૯૬ 104 72897 222033 221509 2026-05-19T16:42:16Z Amvaishnav 156 /* Proofread */ 222033 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૧૮૧}}<hr>'''</noinclude> {{gap}}'''દુનિયામાં''' ખરી રીતે કોઈ ચીજ સુંદર નથી, તેમ અસુંદર પણ નથી. ચીજને સુંદર કે અસુંદર માણસની કલ્પના મનાવે છે. કલ્પનાશીલ ને ભાવનાશાળી માનવના માનિસક સ્પર્શે ચીજ સુંદરતા સર્જ છે; — ચીજ સુંદરતા સર્જે છે—એમ કહી શકાય; ચીજ સુંદર છે એમ ન કહેવાય. સૌન્દર્યનું આ રહસ્ય છે કે એનું અનોખું અસ્તિત્વ નથી : અને છતાં એના વિનાની સૃષ્ટિ કલ્પી શકાતી નથી ! {{સ-મ| |◎ | }} {{gap}}'''મને''' તો ચેક અત્યારે જ ખબર પડી કે ઓ હો હો ! દુ:ખની પણ દરેક પળમાં આટલી બધી મધુર સામગ્રી ભરી પડી છે ! {{સ-મ| |◎ | }}<noinclude></noinclude> 5apg9ryp8mpoj8xe2gc3sv7srkvauqv પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૧ 104 73006 222034 2026-05-20T07:17:39Z Snehrashmi 2103 /* Not proofread */ 222034 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૨||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૨}}<hr>'''</noinclude>પર Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સુ વ હું રે ખા કલ્યાણ કરવાના વાદ પણ, શું છેવટે પેાતાનાં કહેવાય તેવા માણસાની ભરતીમાં જ રાચતા જણાયા નથી ? એટલા માટે કોઈ એક એવું તંત્ર શકય ન અને, જેમાં કેાઈ શાસક ન હાય, કેાઈ શાસિત ન હોય, જેમાં કોઈ કેઈના કરતાં મેટ હોવાનું ગૌરવ લઈ જ શકતા ન હોય, જેમાં મુરબ્બી વટની કાઈ પ્રણાલિકા જ ન હાય, જેમાં એક માણસ, પેાતાના પાડેશના બીજા માણસ કરતાં,. તાંબાને એક સિક્કો પણ વધારે ધરાવી શકતા ન હાય, શુ એવું કોઈ શાસન સ્થાપી શ કા ચ જ નહિ ? જેમાં માલિકીપણા જેવું કાંઈ હોય જ નહિ ! કાઈ પણ માણસ કાઇપણ પદાના માલિક નહિ ! અરે, ખુદ પેાતાના રૂપ રંગ અવાજ કે સૌન્દય* કે સર્જક શકિતના પણ માલિક નહિ ને! પેાતાને અવાજ મળ્યા હાય. કે રૂપ મળ્યું હોય કે કલા શક્તિ મળી હોય તે બધાને માટે ભલે એ ઉપયાગી બનાવે! કોઈ વિશિષ્ટ અધિકાર વાળા માટે નહિ, કૈઈ વિશિષ્ટ હેતુ માટે નહિ, કાઈ વિશિષ્ટ પ્રસંગ માટે પણ નહિ ! આ કલ્પના શકય અને તે। માણસ જાત વધારે સુખી અને સ ંતેાષી અને સ્વતંત્ર ન થાય ? પણ આ શી રીતે શકય ને ? માણસ જાત પેાતાની વિશિષ્ટતાના અહમના દાસ છે. એ અહુમ્ જ્યારે એ ટાળે ત્યારે જ એ વસ્તુ શકય. પણ આ અહમ્ ટાળવુ અમુક માટે શકય હાય, ટોળાંનાં ટોળાં, આખા જન સમૂહ, એ અહમ્ વિનાના શી રીતે બને ? કેટલાક કહે છે જ્ઞાનથી, કેટલાક કહે છે CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> 735prd183j90e6jna2twatjpe5wggdy પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૨ 104 73007 222035 2026-05-20T07:17:55Z Snehrashmi 2103 /* Not proofread */ 222035 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૩||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangoti એક તરંગ ૫૩ ટેવથી, કેટલાક કહે છે દડથી. પણ જે જ્ઞાન પાંચ દસ પંદર હજાર વર્ષો થયાં પણ, દરેક માણસને પહેાં- ચાડવાનું બન્યું નથી તે જ્ઞાન ઘેાડાં વર્ષોમાં દરેકને કાંથી મળે? પણ આમાં વિજ્ઞાન મદદ કરે તે ? મગજ ઉપર ૮ એપરેશન’ કરીને અમુક ગ્રંથી કાઢી નાખવાથી રોગ મૂળમાંથી જાય છે. એવું જ આમાં ન મને ? માણસને માલિકીપણાની વૃત્તિ થાય તે વૃત્તિનું સંચાલન જે ગ્રંથી રસ દ્વારા થતુ હોય તે ગ્રંથી જ કાઢી નાખવી ! એટલે જ્ઞાનમાર્ગને વિજ્ઞાને મ આપી કહેવાય. કુદરતી રીતે બધા માણસેા સરખા ગણાવા જોઈએ. પણ માણસા એકબીજાના વ્યવહારમાં એ રીત રાખતા નથી. પરિણામે આંહીં તકવાદી એકહથ્થુ સત્તાના શેખીને આવે છે. અને બીજા પણ અનેક રંગી રાજ- પુરુષા આવે છે. સાધુએ, કવિ, જ્ઞાનીએ, તત્ત્વજ્ઞા વાતેા કરતા રહે છે ને તત્ર તે જેમ ચાલતાં હોય તેમ ચાલ્યા કરે છે! સુશાસન દેખાય, ત્યારે એ સ્થાન પરના માણસને વિજય હાય છે; કુશાસન દેખાય ત્યારે પણ એ સ્થાન પરના પુરુષાને જ પ્રતાપ હોય છે ! કાઇ સ્થાયી સિદ્ધાંતાના બળે માનવજાતને શાંતિ આપવાના અખતરો ફળતે જણાતા નથી ! માણસેા કુદરતી સ્થિતિ ઉપર પાછાં ફરે, અને હરેક પ્રકારની મેળવેલી કહેવાતી સિદ્ધિને પાછી સમુ દ્રમાં મેકલે, તે એ અશાંતિમાંથી ખચે ખરે ? અત્યારે તે એની તીવ્ર બુદ્ધિ એને જ વધારે દુ:ખી CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> d70e5ohq7jfjr68qn7fjlcu5hfu7yx0 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૩ 104 73008 222036 2026-05-20T07:18:19Z Snehrashmi 2103 /* Not proofread */ 222036 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૪||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૪}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri ૫૪ સુ વ ણું રે ખા અનાવે છે. એનુ' ડહાપણ એને યાંત્રિક એકતા તરફ દોરે છે. એની દલીલ શક્તિ નવા નવા માર્ગો શોધે છેઃ પેાતાનું અસત્ય ઢાંકવાના; મીન્તનું સત્ય છાવરવાના.. એટલે પરિણામે તે એવુ ન્યાય અને સત્યનું દીવાળુ વધતું જ રહે છે! આર્થિક સમાનતા સ્થાપીને બધાને માટે એક સરખી પરિસ્થિતિના જન્મ પણ એણે અજમાવ્યે છે. પણ એથી માણસ જાત કેટલે અંશે સુધી આગળ વધી એ પ્રશ્ન તેા વિવાદગ્રસ્ત જ રહ્યો છે! અલબત, માણસ જાતના ઘણા અન્યાય દૂર કરવાના એ રાજમા, બહુ જ સમયસર આવી ગયા છે. ને એનાં સુખદ પરિણામેા પણ દેખાય છે. છતાં એ પણ છેલ્લા શબ્દ થવાની શક્તિ તે નહિ જ ધરાવતા હોય! અનુભવે જ એ વધુ સ્પષ્ટ થશે. માણસ જાતે શાસન સબંધે આજ દિવસ સુધી ઘણી ભૂલેા કરી છે. એણે ધર્માધિકારીએ સ્થાપ્યા; એ લેાભી નીકળ્યા. રાજાએ સ્થાપ્યા; એ ગાંડા નીવડયા. જમીનદારા રાખ્યા; એ કજીયાખાર થયા. બહુમતવાદ સ્થાપ્યું; એ લુચ્ચાઈ ભરેલી સફાઇ રૂપે પ્રગટયો! કાને ખખર છે, એને સમાનવાદ એ પણ એક વધુ દગા નહિ આપે? અને ભ્રમ નહિ નીકળે ? પણ માણુસ જાતને સુખી થવુ જ હાય તેા એણે કાંઈ નવુ શીખવાનું નથી. જૂનુ ઘણુ ભૂલવાનું છે. એણે પેાલીસા, લશ્કરા, ન્યાય કાર્ટી, ન્યાયાધીશીઓ, દોડાદોડી, વાહના, વ્યવહારા, ભાષણા, વિદ્યાધામે, સીનેમાએ, વમાનપત્રા, વ્યાખ્યાને તમામ ભૂલી CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude> ko2mhh7mzq782mbd6ifv41jca3lmdm9 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૪ 104 73009 222037 2026-05-20T07:18:38Z Snehrashmi 2103 /* Not proofread */ 222037 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૫||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri એક તરંગ ય જવાં પડશે. એમને એ ભૂલશે, એટલે એમની દુનિ- યામાં માત્ર એક જ વસ્તુ રહેશે; જીવન. જીવન ! * એ ‘ જીવન ' માં એ પાતાના સ્વજનેની મદદ વડે જ પકાવાય તેટલુ અનાજ પકાવશે. એટલી જ જમીન હાથે ખેાઢશે ને ખેડશે. પોતાની જરૂરિયાત જેટલુ કાંતશે. પેાતાની આસપાસના સાધને માંથી ઝુપડુ માંધી લેશે. એને આનદ આપવા માટે ચાંદની હશે. સૂર્યના તાપ, એને તંદુરસ્તી આપશે. જલ ને માટી ને રેતી અને એની બધી કલા આપી દેશે. એને તડકા જોઈને માંચ થશે. શિયાળાની ઠંડી અને કવિતા જેવી લાગશે. વરસતા વરસાદ અનેક ચિત્રપટો કરતાં વધુ સુંદર બની રહેશે. એને કોઈની પાસેથી કાંઈ લેવાનુ નહિ હોય—ન્યાય પણ લેવાના નહિ હોય ! એના ઉપર કોઈનું રાજ નહિ હાય, એ કોઈના ઉપર રાજ કરતા નિહં હોય ! એને કોઈ પ્રધાનના પ્રવચન માટે ધોડા કરવાના નહિ હોય. કાઈ પ્રધાનની પાર્ટીમાં રહી જવાથી એને શેક નહિ થતા હોય ! નવરો હશે ત્યારે એ એસશે, ને પવનથી ચાલતાં પાંદડાં જોશે. થાકશે ત્યારે લેાટી જશે. એને ત્યાં પંખીઓ કુદરતી સંગીત કરશે. એને જીવનમાં કયાંય ખામીનું ભાન પણ નહિ હોય. અને એ બધે કેવળ આનંદ આનંદ, જીવન જીવન જોશે ! એને જીવનના કેાઈ અંશની અપૂર્ણતા પૂરવા માટે કાઈ ને આધાર જ લેવાને નહિ હોય! એ પેાતે શાસક, પેતે શાસિત, પોતે રાજા, પાતે રાજ, પેાતે જ સ્વામી CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> 2wq7lgsqilwxxqhcn3yxts8k87jrtpf પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૬૫ 104 73010 222038 2026-05-20T07:18:54Z Snehrashmi 2103 /* Not proofread */ 222038 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૫૬||સુવર્ણરેખા}}<hr>''' '''<hr>{{rh|સુવર્ણરેખા||૫૬}}<hr>'''</noinclude>૫૬ Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri સુ વ ણું રે ખા સેવક ને સેવ્ય ! એની પોતાની બહાર કાંઈ જ નહિ ! એને પરમાત્માની પણ પરવા નહિ. ઠીક પડે તે એ એને રહેવા દ્યે ! ન ઠીક પડે, તા ભલે ઉપાડી લ્યે ! આ જીવનની ઝાંખી સાંભળીને કાઈ કહેશે આ તા ગુફાનુ જીવન થયુ'! જ્યારે સર્વત્ર અજ્ઞાન હતુ અને અજ્ઞાનમાં ભયંકર અંધકાર હતા ! પણ હું કહું છું, ગુફા વધી વધીને ગગન ચુંબી અની ગઈ, તેા પણ એને જે મળ્યું નહિ, તે આમાં સહુજ લાગતુ નથી ? કોઈ પૂછશે ‘પણ માણસનું” હ્રદય—એ હૃદય તો આમાં પણ રહે છે. અને ભયકર તે એ હૃદય જ છે! એ આમાંથી પણ શું નહિ જન્માવે? એના જવાબ એક ચીની તત્ત્વજ્ઞાનીએ આપ્યા હતા તે મને સાંભરી આવે છે Be careful not to interfere with the natural goodness of the heart of man, Man's heart may be forced down or stirred up. In each case the issue is fatal.' આપણે માણસના હૃદયને ગુમાવ્યુ. ત્યારથી તે આ સૃષ્ટિ ઊભી થઈ! એટલે એ એને એની નૈસર્ગિક અવસ્થામાં પાછું મળશે ત્યારે આંહીં કેવળ એક જ વસ્તુ રહેશે. જીવનઃ શાંતિ ! * It is better that men should unlearn their learning, discard their wisdom, and get back to the simple life with which human life bagan. Lao-Tsze. CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar તેન<noinclude></noinclude> irs26dcz5o5yktfalr9x7lyirqmobcv સભ્યની ચર્ચા:Peterxy12 3 73011 222040 2026-05-20T10:40:31Z Neriah 2990 Neriahએ [[સભ્યની ચર્ચા:Peterxy12]]ને [[સભ્યની ચર્ચા:Peterxy]] પર ખસેડ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Peterxy12|Peterxy12]]" to "[[Special:CentralAuth/Peterxy|Peterxy]]" 222040 wikitext text/x-wiki #REDIRECT [[સભ્યની ચર્ચા:Peterxy]] hc8bhbn1zlppr1xw60pqgy2ddvmg1sr