વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.12 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૭ 104 73346 223543 223483 2026-07-23T15:32:56Z Snehrashmi 2103 પાના ક્રમ સુધાર્યો 223543 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> <br/> <div style="padding: 25px; border: 0px solid;"> <div style="padding: 3px; border: 3px solid #BE008A; "> {{center|{{color|#008209|'''<big>અ નુ ક્ર મ</big>'''}}}} <hr style="height: 2px; border: none; background-color: #BE008A;"> <center> {|style="width:100%;padding-right:0.5em; padding-left:0.5em;" |- | ૧ | [[તેજબિંદુ/‘ના’ કહેવાની શક્તિ|‘ના’ કહેવાની શક્તિ]] | align="right" | ૩ |- | ૨ | [[તેજબિંદુ/વીરતાનો જાણનારો|વીરતાનો જાણનારો]] | align="right" | ૯ |- | ૩ | [[તેજબિંદુ/વિશાખા માતા|વિશાખા માતા]] | align="right" | ૧૪ |- | ૪ | [[તેજબિંદુ/સાદામાં સાદી રીત|સાદામાં સાદી રીત]] | align="right" | ૧૭ |- | ૫ | [[તેજબિંદુ/સહજ થાય તો|સહજ થાય તો]] | align="right" | ૨૦ |- | ૬ | [[તેજબિંદુ/કુદરતને તમે અનુકૂળ બનો|કુદરતને તમે અનુકૂળ બનો]] | align="right" | {{SIC|૨૧|૨૨}} |- | ૭ | [[તેજબિંદુ/સુખની ક્ષણ|સુખની ક્ષણ]] | align="right" | ૨૫ |- | ૮ | [[તેજબિંદુ/ફેંકી દીધેલા કાગળો |ફેંકી દીધેલા કાગળો ]] | align="right" | ૨૯ |- | ૯ | [[તેજબિંદુ/નામ રૂપ જુજવાં |નામ રૂપ જુજવાં]] | align="right" | ૩૨ |- | ૧૦ | [[તેજબિંદુ/કેટલાક પ્રસંગો |કેટલાક પ્રસંગો]] | align="right" | ૩૫ |- | ૧૧ | [[તેજબિંદુ/કલાનો પ્રકાશ | કલાનો પ્રકાશ ]] | align="right" | ૪૧ |- | ૧૨ | [[તેજબિંદુ/રાજભવનની સ્વચ્છતા |રાજભવનની સ્વચ્છતા]] | align="right" | ૪૫ |- | ૧૩ | [[તેજબિંદુ/મારૂં ઘર |મારૂં ઘર ]] | align="right" | ૪૮ |- | ૧૪ | [[તેજબિંદુ/સ્વતંત્રતા ક્યાં રહે છે? |સ્વતંત્રતા ક્યાં રહે છે? ]] | align="right" | ૫૧ |- | ૧૪ | [[તેજબિંદુ/તેજબિંદુ |તેજબિંદુ ]] | align="right" | ૫૫ |- | ૧૫ | [[તેજબિંદુ/પંખીની માનવતા|પંખીની માનવતા]] | align="right" | ૬૫ |- | ૧૬ | [[તેજબિંદુ/માણસ, ઘોડાં અને ગધેડાં|માણસ, ઘોડાં અને ગધેડાં]] | align="right" | ૬૯ |- | ૧૭ | [[તેજબિંદુ/ઉપાસના |ઉપાસના ]] | align="right" | ૭૩ |- | ૧૮ | [[તેજબિંદુ/અજિત કિલ્લા અને અજિત માનવી |અજિત કિલ્લા અને અજિત માનવી]] | align="right" | ૭૭ |- | ૧૯ | [[તેજબિંદુ/માનવી અને પડછાયો |માનવી અને પડછાયો ]] | align="right" | ૮૨ |- | ૨૦ | [[તેજબિંદુ/વાણીની મર્યાદા | વાણીની મર્યાદા ]] | align="right" | ૮૮ |- | ૨૧ | [[તેજબિંદુ/પળ પળ ગણો |પળ પળ્ ગણો]] | align="right" | ૯૪ |- | ૨૨ | [[તેજબિંદુ/રહસ્ય માટે મથો|રહસ્ય માટે મથો]] | align="right" | ૯૭ |- | ૨૩ | [[તેજબિંદુ/કુતૂહલ અને જ્ઞાન ભૂખ|કુતૂહલ અને જ્ઞાન ભૂખ]] | align="right" | ૧૦૦ |} </center> </div> </div><noinclude></noinclude> elf5cpix5pzesnldgj9x0h5gwwovmsd પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૧ 104 73354 223539 223487 2026-07-23T15:26:30Z Snehrashmi 2103 223539 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૧]<br/> ‘ના કહેવાની શક્તિ !’ '''</big> | }} <br/> {{gap}}<big>'''ઋ'''</big>ષિ ભરદ્વાજને આંગણે મૃત્યુદેવ આવીને ઊભા રહ્યા. {{gap}}ઋષિએ બે હાથ જોડીને કહ્યું: ’પધારો અતિથિદેવ ! પધારો ! તમારે કોનો ખપ છે એ મને કહો, એટલે એને હું હાજર કરું ! આંહીં જન્મમરણની કોઈ વિશિષ્ટતા નથી.’ {{gap}}મૃત્યુદેવે કહ્યું: ‘હું તો ખુદ તમને જ લેવા આવ્યો છું, ઋષિરાજ !’ {{gap}}ઋષિએ જવાબ વાળ્યો: ’મને ? મને લેવા આવ્યા છો ? મને લઈ જઈને શું કરશો ? મારે તો હજી એક શતવર્ષ આયુષનું કામ બાકી પડ્યું છે!‘ {{gap}}મૃત્યુદેવે કહ્યું: ’કોને શું કામ બાકી રહ્યું છે, એ જોવાનું કામ મારું નથી. મારે તો આંહીથી એક પછી એક સૌને વિદાય આપવાની છે કે જેથી, આંહી ભીડ ન થાય. ને ત્યાં કામ ન અટકે. સૂરજદેવ જેમ હમેશાં આવે છે, તેમ મારે હમેશાં આવવું રહ્યું. અને હમેશાં કોઈ ને કોઈએ મારી સાથે આવવું રહ્યું. આજે તમારે આવવાનું છે ઋષિરાજ !‘ {{gap}}ઋષિએ ચારે તરફ દૃષ્ટિ કરતાં કહ્યું : ’પણ એક શતવર્ષનું<noinclude></noinclude> b7mobjzyv7jhmsu2q7kdld04f2ysasv પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫ 104 73358 223521 223367 2026-07-23T14:59:25Z Snehrashmi 2103 /* Validated */ 223521 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|ના કહેવાની શક્તિ !||૭}}<hr>'''</noinclude>શબ્દરગનાં, એવાં એવાં રૂપબંધનો આપવાનાં બાકી છે કે હું આંહીં એક પળ પણ થોભી ન શકું ! એવી વાણી વિના તો આવતી કાલના સંસારમાં કેવળ અંધકાર હશે ! પછી તો મૃત્યુદેવ પણ કોને લેવા જશે ? મારું એક શતવર્ષનું કામ બાકી છે. એક શતવર્ષ પછી મૃત્યુદેવને કહો, બરાબર આવીને એ જ ઝૂંપડીના દ્વાર ઉપર ઊભા રહે ! હું તૈયાર હઈશ !’ {{gap}}યમરાજે બે હાથ જોડીને નમન કર્યાં. ‘મારે ત્યાંથી કોઈ જીવનને મૃત્યુ આપવાની આજ્ઞા જ થઈ નથી. ઋષિરાજ ! મૃત્યુ હવે, ‘જીવન’ ન હોય ત્યાં જ જઈ શકે છે. હું તમને પ્રણામ કરું છું. સીધાવો દેવ ! બરાબર એક શતવર્ષે મૃત્યુદેવ આવશે !’ {{gap}}એક શતવર્ષ પૂરાં થયાં. મૃત્યુ એક મંગલપ્રભાતમાં આવીને ઝૂંપડીને દ્વારે ઊભું. ઋષિરાજ સ્નાનસંધ્યા માટે બહાર નીકળતા હતા, ત્યાં એણે કહ્યું : ‘ઋષિરાજ ! એક શતવર્ષ થઈ ગયાં !’ {{gap}}કાંઈ ન હોય તેમ ઋષિએ શાંતિથી કહ્યું : ‘હજી એક શતવર્ષનું કામ બાકી છે !’ {{gap}}‘પણ મુદત પૂરી થઈ છે, મહારાજ !’ {{gap}}ઋષિએ ચારે તરફ દૃષ્ટિ કરતાં કહ્યું : ‘પણ કામ હજી પૂરું થયું નથી. હજી તો વાણીના અગાધ ચિંતનશીલ રૂપો ગઈ કાલે જ મારી પાસે આવ્યાં ! બીજા એક શત વર્ષ પછી આવજો મૃત્યુદેવ ! હું તૈયાર હોઈશ ! તમે થાકયા હો ને સોમરસ પીવો હોય તો આ કમંડલુમાં મેં રાખ્યો છે, તમે બેસીને પાન કરો. ત્યાં હું સ્નાન કરીને આવું છું !’ {{gap}}‘મારાથી ક્યાંય થોભી શકાતું નથી, ઋષિરાજ !’ {{nop}}<noinclude></noinclude> cvfa9g1k10drv0r0wpaa5q11s9r720j પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૬ 104 73363 223522 223371 2026-07-23T15:02:47Z Snehrashmi 2103 /* Validated */ 223522 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}‘તો ભલે, બીજા એક શતવર્ષનું મારે કામ છે, એટલે ત્યાર પછી આવો !’ {{gap}}‘પણ આ તો મારું મર્યાદા ઉલ્લંઘન થાય છે !’ {{gap}}‘જીવનને કોઈ મર્યાદા કોઈએ આપી નથી મૃત્યુદેવ ! આત્માને આનંદ આવે ત્યાં સુધી એ આ દેહમાં કામ કરશે. તમારા આવવા ન આવવા સાથે એને થોડી નિસ્બત છે ? પણ હવે તમે સિધાવો, મારો સ્નાનસંધ્યાનો સમય થયો છે !’ {{gap}}મૃત્યુંજયી વાણીના તેજ સમી ઋષિ ભરદ્વાજની પાદુકા વનની પગદંડીએ પડઘા પાડતી આગળ વધી રહી ! અને મૃત્યુદેવ બીજા એક શતવર્ષની રાહ જોવા માટે પોતાને એકલ પંથે ચાલી નીકળ્યા. {{gap}}સ્થૂળ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ સૃષ્ટિનાં બધાં પ્રાણીતત્ત્વો એ અજેયત્વને પીછાનતાં હોય તેમ, એક અખંડ આનંદોર્મિમાં નૃત્યગાન કરી રહ્યાં હતાં ! {{સ-મ||🙒|}}<noinclude></noinclude> gig2w34j829olgmfjotnd2i80kbywb4 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૭ 104 73364 223523 223372 2026-07-23T15:04:15Z Snehrashmi 2103 /* Validated */ 223523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[ ૨ ]<br/> વીરતાનો જાણનારો !'''</big> | }} <br/> {{gap}}<big>'''‘વી'''</big>રતાને જાણી ! વીરતાને જાણી ! ખરેખર વીર ! બાદશાહ સલામત પોતે ખરેખર વીર !’ {{gap}}આગ્રાના રાજમહાલયના દ્વાર પાસે એક દિવસ બે મહાન ગજરાજો ઊભા થઈ ગયા હતા. હતા પથ્થરના, પણ શિલ્પીએ એવા અદ્‌ભુત બનાવ્યા હતા, કે જોનારા ભ્રમમાં પડે ને એમને જોયા જ કરે ! {{gap}}શહેનશાહ અકબર ચિતોડગઢ જીતવા ગયા હતા અને ચિતોડગઢ જીતીને આવ્યા હતા. પણ ત્યાં એક નવી નવાઈની વાત બની ગઈ હતી. બે જુવાન વીરોએ બાદશાહ અકબરશાહને પોતાને જીતી લીધા હતા! બાદશાહે દુર્ગ જીત્યો, પણ દુર્ગપતિએ બાદશાહને જીત્યા ! {{gap}}એ બે વીર જુવાન દુર્ગપતિ તે જયમલ રાવત, અને સીસોદિયા ફત્તા જગાવત. એ બે જણાએ ચિતોડગઢને કાંગરે કાંગરે જે વીરતા બતાવી, તે જોઈ ને બાદશાહને મનની મનમાં રહી ગઈ, કે આ બે જુવાનોને જો પોતે પોતાના કર્યાં હોત !<noinclude></noinclude> mp8oy0uydf6ryfl3nmdzgo2t5o380be પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮ 104 73365 223524 223373 2026-07-23T15:06:07Z Snehrashmi 2103 /* Validated */ 223524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>એ બન્નેએ ત્યાં રણક્ષેત્રમાં દેહ છોડ્યો! ચારણી છંદમાંથી એમના વીરત્વના પડઘા ઊઠતા ત્યારે ઘડીભર લાગતું કે એ બે વીર જુવાન જાણે ખુલ્લી તરવારે મુગલદળનો સામનો કરવા માટે આવી રહ્યા છે ! હજારોની સેનામાંથી બાદશાહને હૈયે આ બે વીર જુવાન બેસી ગયા ! {{gap}}બન્ને સ્વર્ગે સિધાવ્યા, પણ જતાં જતાં એવી રણભેરી જગવતા ગયા, કે બાદશાહની આંખમાંથી એમની છબી એક પળ પણ આઘે ખસે નહિ ! ચિતોડ સંભારે અને બાદશાહને એ બે જણા સાંભરી આવે ! નજરે આવે ! જાણે સમશેર લઈને આવી રહ્યા છે ! {{gap}}બાદશાહે આગ્રાના રાજમહાલયના દ્વાર પાસે બે ગજરાજ ઊભા કર્યાં, અને જ્યારે એમના ઉપર આ બે વીરની રૂદ્રરમ્ય પ્રતિમાઓ આવી, અને મા ચંડિકાને પોતાને મોહ થાય એવી એમની બે સમશેરો ત્યાં પ્રગટી, ત્યારે આખી આગ્રા નગરી એકી અવાજે બોલી ઊઠી : “વીર ખરો, ખરેખર વીર, વીરતાને બાદશાહે જાણી !” {{gap}}પણ બાદશાહે જેમ ચિતોડગઢ લીધો હતો તેમજ રણથંભોરનો વજ્જર કિલ્લો પણ એ જ વખતે ક્યાં લીધો ન હતો અને ત્યાં પણ દુર્ગપતિ રાવ સુર્જન હાડાએ જેવું તેવું યુદ્ધ આપ્યું ન હતું. “ખસે આડા પણ ન હટે હાડા.” એ લોકોક્તિનું સ્વરૂપ, સુર્જન હાડાએ ખડું કરી દીધું હતું. બાદશાહને પણ બે ઘડી થઈ ગયું હતું કે ચિતોડદુર્ગનો આ પણ મોટો ભાઈ ! હાડા સુરતાણની મર્દાનગી ને બહારવટું જાણીતાં હતાં. પણ સુરતાણનો આ પુત્ર બાપથી સવાયો નીકળ્યો હતો. રણથંભોરે અજબ રંગ બતાવ્યો હતો.<noinclude></noinclude> nndxwowzm0v7t2y3251k1bxtqbzbn8i પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯ 104 73366 223525 223375 2026-07-23T15:08:39Z Snehrashmi 2103 /* Validated */ 223525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|તેજબિંદુ||૧૧}}<hr>'''</noinclude>બાદશાહે ચિતોડના આ બે વીર દુર્ગપતિ છોકરડાનાં પૂતળાં મૂક્યાં હતાં, ત્યારે પેલો જુવાન અડીખમ રાવ સુર્જન હાડો, રણથંભોરના દુર્ગપતિ, એ પણ ત્યાં કેમ નહિ ? {{gap}}એ મર્યો ન હતો, પણ ત્યારે એ કેવી રીતે નમ્યો હતો ? આમ્બેરપતિ કછવાહ ભગવન્તદાસને એણે ચોખ્ખું કહ્યું હતું કે ‘આંબેરપતિ ! હાડાને ખાવા માટે હાડકાં પણ નથી, એટલે આ કિલ્લો હાથ આવે છે ! પણ શહેનશાહને કહેજો કે હાડાનો હાથ કેવળ ચિત્તોડપતિને નમશે. અને ચિત્તોડ ઉપરની કોઈ ચડાઈમાં સાથ નહિ આપે. એ શરતે આ રણથંભોર સોંપાશે !’ {{gap}}અને શહેનશાહ રણથંભોર જીત્યા. રાજા ભગવન્તદાસને મનમાં થાય કે આ હાડાની પ્રતિમા કાં નહિ? આ બે સામાન્ય છોકરડાની તો આમની નહિ ? રાવ સુર્જન તો હજી જીવતા છે. કોઈક વખત શહેનશાહ આડે દેહ દઈ દેશે ! {{gap}}શહેનશાહને કાને ઊડતી ઊડતી આ વાત આવી. પણ શુદ્ધ વીરત્વની શહેનશાહની સમજણ એ શહેનશાહની જ સમજણ હતી. એમને આ વાતમાં કાંઈ યોગ્યતા જણાઈ નહિ. છતાં વિરોધને શાંત પાડવા માટે એણે કહ્યું: ‘એની પણ મુકાશે, કેમ નહિ ? પણ ધીરા પડો! આ બે વીરના મોં ઉપર તો માતાનું દૂધ તાજુ ફરકતું મેં જોયું હતું અને સુર્જનરાવ તો ચૌદ ચૌદ વર્ષ થયાં, ખુદ રણથંભોર જેવા રણથંભોરના દુર્ગ પતિ હતા ! એમની વચ્ચે મેળ કેમ સાધવો એ જ જોવાનું રહે છે ! આ બે વીરોની પડખે, વીરદૃષ્ટિએ, રાવ સુર્જનને બેસાડવા, એ કાંઈ જેવો તેવો કોયડો નથી ! બેસાડવા તો ખરા પણ, બેસાડવા બેસાડવાની રીત છે ! બન્નેને શોભે ને બન્નેને એમનાં યોગ્યમાન મળ્યાં હોય તો બેસાડવું સાચું !<noinclude></noinclude> 7wxgz2mkzufjjps5epg999h8t99akd6 223526 223525 2026-07-23T15:08:56Z Snehrashmi 2103 223526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|તેજબિંદુ||૧૧}}<hr>'''</noinclude>બાદશાહે ચિતોડના આ બે વીર દુર્ગપતિ છોકરડાનાં પૂતળાં મૂક્યાં હતાં, ત્યારે પેલો જુવાન અડીખમ રાવ સુર્જન હાડો, રણથંભોરના દુર્ગપતિ, એ પણ ત્યાં કેમ નહિ ? {{gap}}એ મર્યો ન હતો, પણ ત્યારે એ કેવી રીતે નમ્યો હતો ? આમ્બેરપતિ કછવાહ ભગવન્તદાસને એણે ચોખ્ખું કહ્યું હતું કે ‘આંબેરપતિ ! હાડાને ખાવા માટે હાડકાં પણ નથી, એટલે આ કિલ્લો હાથ આવે છે ! પણ શહેનશાહને કહેજો કે હાડાનો હાથ કેવળ ચિત્તોડપતિને નમશે. અને ચિત્તોડ ઉપરની કોઈ ચડાઈમાં સાથ નહિ આપે. એ શરતે આ રણથંભોર સોંપાશે !’ {{gap}}અને શહેનશાહ રણથંભોર જીત્યા. રાજા ભગવન્તદાસને મનમાં થાય કે આ હાડાની પ્રતિમા કાં નહિ? આ બે સામાન્ય છોકરડાની તો આમની નહિ ? રાવ સુર્જન તો હજી જીવતા છે. કોઈક વખત શહેનશાહ આડે દેહ દઈ દેશે ! {{gap}}શહેનશાહને કાને ઊડતી ઊડતી આ વાત આવી. પણ શુદ્ધ વીરત્વની શહેનશાહની સમજણ એ શહેનશાહની જ સમજણ હતી. એમને આ વાતમાં કાંઈ યોગ્યતા જણાઈ નહિ. છતાં વિરોધને શાંત પાડવા માટે એણે કહ્યું: ‘એની પણ મુકાશે, કેમ નહિ ? પણ ધીરા પડો! આ બે વીરના મોં ઉપર તો માતાનું દૂધ તાજુ ફરકતું મેં જોયું હતું અને સુર્જનરાવ તો ચૌદ ચૌદ વર્ષ થયાં, ખુદ રણથંભોર જેવા રણથંભોરના દુર્ગ પતિ હતા ! એમની વચ્ચે મેળ કેમ સાધવો એ જ જોવાનું રહે છે ! આ બે વીરોની પડખે, વીરદૃષ્ટિએ, રાવ સુર્જનને બેસાડવા, એ કાંઈ જેવો તેવો કોયડો નથી ! બેસાડવા તો ખરા પણ, બેસાડવા બેસાડવાની રીત છે ! બન્નેને શોભે ને બન્નેને એમનાં યોગ્યમાન મળ્યાં હોય તો બેસાડવું સાચું ! {{nop}}<noinclude></noinclude> eemva43vu8wg6i9ocstu3wc3xt0uie9 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦ 104 73367 223527 223376 2026-07-23T15:11:25Z Snehrashmi 2103 /* Validated */ 223527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}અને પછી શહેનશાહે રાવ સુર્જનની પ્રતિમાને પણ ત્યાં મૂકાવી ! પણ એ જોઈ ને આખી આગ્રા નગરી આશ્ચર્યમાં થંભી ગઈ ! હસનારાઓનાં પાંસળાં દુખ્યાં ત્યાં સુધી એ હસ્યા ! મુગટધારીઓનાં મો ઉપર કાળી શાહી ઢળી પડી ! એમને થયું; ‘અરે ! આ બદલો ? પેલાએ દુર્ગ સોંપી દીધો હતો, લડી લડીને વગર લડ્યે, અને આંહીં શહેનશાહે તો એની ભારે રેવડી કરી નાખી! આ બદલો ?’ {{gap}}પણ જે વિદ્વાનો હતા, કલાકોવિદો હતા, વીરશાસ્ત્રના સાચા જાણકાર હતા, એ તો અકબરશાહના આ વિવેક ઉપર વાત કરતાં ધરાતા જ નહિ ! “ખરેખરો બહાદર નર આ ! બહાદુરીની રેખાએ રેખા સમજનારી અગાધ શક્તિ તે આંહી જ છે! હરકોઈ કહી શકે કે ખરી રીતે આ બે વીરની પડખે આ દુર્ગપતિ આવા જ લાગે !’ {{gap}}એવામાં રાવ સુર્જન આગ્રા આવ્યા ! પણ જેવા આવ્યા તેવા જ એ ભાગ્યા ! બે વીર ગજારુઢ ચિતોડવીરોની પડખે બાદશાહે એની એક નાનકડી કૂતરા જેવડી, જાણે કૂતરા ઉપર જ ચડી બેઠી હોય એવી, એક લઘુ પ્રતિમા ત્યાં ઊભી કરાવી હતી ! રણથંભોરના દુર્ગપતિની આ પ્રતિમા ! {{gap}}અને આ જોઈને રાવ સુર્જનની શરમરેખાનો કોઈ અંત ન હતો ! {{gap}}આખી આગ્રા નગરી જાણે, પોતાની દુર્ગપતિની આ પ્રતિમાને પળે પળે હસી રહી હતી ! {{gap}}ક્યાં પેલા બે, ભાગ્યે જ ચૌદ પંદર વર્ષના, ચિત્તોડના રણરંગી રુદ્રશિશુ જેવા, ભાગ્યે જ બે દિવસના દુર્ગ પતિ અને ક્યાં પોતે રણથંભોર, જેવા સૈકાઓની રણકીર્તિ ધરાવતા, અણનમ<noinclude></noinclude> 0rggch5ti72yd2bh7jzbno51lw4bias પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૧ 104 73369 223528 223396 2026-07-23T15:12:39Z Snehrashmi 2103 /* Validated */ 223528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|તેજબિંદુ||૧૩}}<hr>'''</noinclude>ગણાતા દુર્ગના દુર્ગપતિ ? ચૌદ ચૌદ વરસ થયાં તો તે ત્યાં દુર્ગપતિ હતા ! અને છતાં પોતે વીરમૃત્યુ વિના એ દુર્ગને છોડ્યો, બાદશાહે તો! આંહી, જાણે એ આખી વાત દુનિયાને બતાવી, ને કહી દીધું હતું કે વીરોની ભૂમિમાં આ આવા મહાન હતા ! ગજની પડખે ઊભેલા શ્વાન જેવા ! {{gap}}અને રાવ સુર્જન વગરકહ્યે આ વાત સમજી ગયા. પોતે દુર્ગ છોડ્યો ન હતો, રજપૂતી છોડી હતી ! {{gap}}બાદશાહ અકબરના દિલમાં પણ સૌથી વધુ પ્રેમ આ રજપૂતી માટે હતો ! પોતાનો વિજય પણ એને એટલો પ્રિય ન હતો, જેટલી પ્રિય, પેલી અણનમ રજપૂતી હતી ! {{gap}}રાજા સુર્જન આગ્રા છોડીને ભાગ્યા તો ભાગ્યા પણ એમણે સીધા ગંગા મૈયા કાશીનો પથ લીધો ! {{gap}}જીવતાં જે રણથંભોર જેવો અણનમ રણધ્વજી દુર્ગ છોડે, એને માટે હવે ગંગાનાં પાણીમાં શાંતિ હતી, બીજે ક્યાંય નહિ. {{સ-મ| |◆ | }}<noinclude></noinclude> 5m0z4t15x8zy6igedpvbus5h5fgjuja 223529 223528 2026-07-23T15:13:03Z Snehrashmi 2103 223529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વીરતાનો જાણનારો||૧૩}}<hr>'''</noinclude>ગણાતા દુર્ગના દુર્ગપતિ ? ચૌદ ચૌદ વરસ થયાં તો તે ત્યાં દુર્ગપતિ હતા ! અને છતાં પોતે વીરમૃત્યુ વિના એ દુર્ગને છોડ્યો, બાદશાહે તો! આંહી, જાણે એ આખી વાત દુનિયાને બતાવી, ને કહી દીધું હતું કે વીરોની ભૂમિમાં આ આવા મહાન હતા ! ગજની પડખે ઊભેલા શ્વાન જેવા ! {{gap}}અને રાવ સુર્જન વગરકહ્યે આ વાત સમજી ગયા. પોતે દુર્ગ છોડ્યો ન હતો, રજપૂતી છોડી હતી ! {{gap}}બાદશાહ અકબરના દિલમાં પણ સૌથી વધુ પ્રેમ આ રજપૂતી માટે હતો ! પોતાનો વિજય પણ એને એટલો પ્રિય ન હતો, જેટલી પ્રિય, પેલી અણનમ રજપૂતી હતી ! {{gap}}રાજા સુર્જન આગ્રા છોડીને ભાગ્યા તો ભાગ્યા પણ એમણે સીધા ગંગા મૈયા કાશીનો પથ લીધો ! {{gap}}જીવતાં જે રણથંભોર જેવો અણનમ રણધ્વજી દુર્ગ છોડે, એને માટે હવે ગંગાનાં પાણીમાં શાંતિ હતી, બીજે ક્યાંય નહિ. {{સ-મ| |◆ | }}<noinclude></noinclude> hc36foz5t7wnlfdwy55dn61vwo22bwh પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૨ 104 73370 223530 223397 2026-07-23T15:13:53Z Snehrashmi 2103 /* Validated */ 223530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૩]<br/> વિશાખા માતા !'''</big> | }} <br/> {{gap}}<big>'''કો'''</big>સલ રાજા પ્રસેનજીતનો પ્રધાન મૃગધર આજે એક મહા ભાવ–આંદોલન અનુભવી રહ્યો હતો. {{gap}}જ્યારે જ્યારે કોઈ કૂટપ્રશ્ન રાજસભામાં આવતો, અને એનું કોઇ નિરાકરણ કોઈને પણ જ્યારે સૂઝતું ન હતું, ત્યારે ત્યારે, પ્રધાન પોતાની ડાહી કુલવધૂ વિશાખા પાસેથી એનો ચાતુરીભર્યો જવાબ હંમેશાં મેળવતો હતો. અને વિદેશી પ્રશ્ન કરનારા પરાજિત થઈ ને પાછા જતા. આવા તો ઘણા પ્રસંગો બન્યા હતા. {{gap}}એટલે આ વિશાખા શ્રાવસ્તી નગરીની પ્રતિષ્ઠા બની ગઈ હતી. આસપાસ બધે સૌ જાણતા હતા કે કોસલરાજની રાજધાનીમાં જ્યાં સુધી મૃગધર પ્રધાન છે અને વિશાખા એની કુલવધૂ ત્યાં છે, ત્યાં સુધી કોઈ પંડિત, કોઈ કારીગર, કોઇ પ્રશ્ન પૂછનારો, કોઈ ચતુર ગુપ્તચર, ત્યાં ફાવે તેમ નથી ! {{gap}}શ્રાવસ્તી નગરીની આ પ્રતિષ્ઠાએ દેશવિદેશમાં રાજા પ્રસેનજીતની પણ પ્રતિષ્ઠા સ્થાપી હતી. {{nop}}<noinclude></noinclude> 3gkn92pvkr4zmpputfl6rl8slndnzee પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૩ 104 73371 223531 223398 2026-07-23T15:16:21Z Snehrashmi 2103 /* Validated */ 223531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|તેજબિંદુ||૧૫}}<hr>'''</noinclude>{{gap}}અને એના મંત્રી મૃગધરને પણ ખ્યાતિ અપાવી હતી. {{gap}}ભગવાન તથાગતનું નિવાસસ્થાન હમણાં કૌશાંબી નગરીમાં હતું. મૃગધરના હૃદયમાં હમણાં હમણાંમાં એક ભાવ આવ્યો હતો. જેણે મને, અને રાજને, અને નગરને, અને દેશને, આવું બહુમાન અપાવ્યું તે કુલલક્ષ્મીનું બહુમાન શી રીતે કરવું ? {{gap}}એનું બહુમાન ન કરવું એ તો હાથે કરીને સંસ્કારલક્ષ્મીનો નગરમાંથી ઉચ્છેદ કરવા સમાન હતું. એનું બહુમાન થાય તો એથી બીજા પણ અનેકોને સંસ્કાર પ્રત્યે બહુમાન થાય. {{gap}}ભગવાન તથાગતનો મુકામ હતો, ત્યાં એ ગયો, જઈ ને ભગવાનને અભિવાદન કર્યું. પછી એ બોલ્યો : ‘હે ભદ્દ્ંત ! માણસ પોતાની કુલવધૂને જનનીનું પદ આપી શકે ખરો ? એને ‘માતા’ કહીને બોલાવી શકે ખરો? ‘વહુમા’ એમ એમ સંબોધન આપી શકે ખરો ? એમાં વિવેકભંગ તો નથી નાં ?’ {{gap}}ભગવાન તથાગતે મૃગધરની સામે જોયું, પછી એમણે શાંતિથી જવાબ વાળ્યો : ‘જો પાંચ ગુણ કોઈ કુલવધૂમાં હોય તો એને માતાને સ્થાને મૂકવામાં વાંધો હોઈ ન શકે !’ {{gap}}‘કયા કયા પાંચ ગુણ હોય ? હે ભદ્દંત !’ {{gap}}‘પહેલા મહાન ગુણ શુશ્રૂષા – માંદાની માવજત – એ સ્ત્રીગુણનો મેરુ ગુણ છે. બીજો મહાન ગુણ શીલ. ત્રીજો ગુણ પ્રાણીરક્ષા ઘરનાં પાળેલાં જાનવર પ્રત્યે પ્રીતિ. ચોથો ગુણ, ઘરસમૃદ્વિનું રક્ષણ. અને પાંચમો મહાન ગુણ, દરેક વસ્તુની સામાન્ય સાદી સમજણ. આ પાંચ ગુણ જ્યાં છે તે માતાપદને લાયક છે મૃગધર !’ {{gap}}પછી મૃગધર અભિવાદન કરીને ગયો. તેણે કોસલરાજ પ્રસેનજીતને કહ્યું: ‘હે મહારાજ ! મને એક વસ્તુ સૂજી છે<noinclude></noinclude> nrjv5n34xs0np9b1umawzrtg1j17741 223532 223531 2026-07-23T15:17:06Z Snehrashmi 2103 223532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વિશાખા માતા||૧૫}}<hr>'''</noinclude>{{gap}}અને એના મંત્રી મૃગધરને પણ ખ્યાતિ અપાવી હતી. {{gap}}ભગવાન તથાગતનું નિવાસસ્થાન હમણાં કૌશાંબી નગરીમાં હતું. મૃગધરના હૃદયમાં હમણાં હમણાંમાં એક ભાવ આવ્યો હતો. જેણે મને, અને રાજને, અને નગરને, અને દેશને, આવું બહુમાન અપાવ્યું તે કુલલક્ષ્મીનું બહુમાન શી રીતે કરવું ? {{gap}}એનું બહુમાન ન કરવું એ તો હાથે કરીને સંસ્કારલક્ષ્મીનો નગરમાંથી ઉચ્છેદ કરવા સમાન હતું. એનું બહુમાન થાય તો એથી બીજા પણ અનેકોને સંસ્કાર પ્રત્યે બહુમાન થાય. {{gap}}ભગવાન તથાગતનો મુકામ હતો, ત્યાં એ ગયો, જઈ ને ભગવાનને અભિવાદન કર્યું. પછી એ બોલ્યો : ‘હે ભદ્દ્ંત ! માણસ પોતાની કુલવધૂને જનનીનું પદ આપી શકે ખરો ? એને ‘માતા’ કહીને બોલાવી શકે ખરો? ‘વહુમા’ એમ એમ સંબોધન આપી શકે ખરો ? એમાં વિવેકભંગ તો નથી નાં ?’ {{gap}}ભગવાન તથાગતે મૃગધરની સામે જોયું, પછી એમણે શાંતિથી જવાબ વાળ્યો : ‘જો પાંચ ગુણ કોઈ કુલવધૂમાં હોય તો એને માતાને સ્થાને મૂકવામાં વાંધો હોઈ ન શકે !’ {{gap}}‘કયા કયા પાંચ ગુણ હોય ? હે ભદ્દંત !’ {{gap}}‘પહેલા મહાન ગુણ શુશ્રૂષા – માંદાની માવજત – એ સ્ત્રીગુણનો મેરુ ગુણ છે. બીજો મહાન ગુણ શીલ. ત્રીજો ગુણ પ્રાણીરક્ષા ઘરનાં પાળેલાં જાનવર પ્રત્યે પ્રીતિ. ચોથો ગુણ, ઘરસમૃદ્વિનું રક્ષણ. અને પાંચમો મહાન ગુણ, દરેક વસ્તુની સામાન્ય સાદી સમજણ. આ પાંચ ગુણ જ્યાં છે તે માતાપદને લાયક છે મૃગધર !’ {{gap}}પછી મૃગધર અભિવાદન કરીને ગયો. તેણે કોસલરાજ પ્રસેનજીતને કહ્યું: ‘હે મહારાજ ! મને એક વસ્તુ સૂજી છે<noinclude></noinclude> sd82p9e4ekcuoo19w4zv1flzyq4z04b પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૪ 104 73372 223533 223400 2026-07-23T15:18:59Z Snehrashmi 2103 /* Validated */ 223533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>તે મારે કરવી છે. મહારાજની આજ્ઞા હોય તો એ વાત કહું.’ {{gap}}‘શી વાત છે મૃગધર?’ રાજાએ કહ્યું. {{gap}}‘હું મારી કુલવધૂ વિશાખાને ‘માતા !’ એ સંબોધનથી સંબોધવા ઈચ્છું છું. એણે મને દરેક રીતે માતાની જેમ રાખ્યો છે. વિશાખાને અપાતું આ બહુમાન આપણી નગરીને સંસ્કાર પ્રત્યે દોરી જશે, એ લાભ જેવો તેવો નથી. તો મને તમે રજા આપો. હું વિશાખાને વિશાખા માતા કહીશ.’ {{gap}}રાજાએ તે સાંભળીને કહ્યું: ‘પણ અમને તો લાગે છે કે અમારે પણ એને બહુમાન આપવું જોઈએ. આપણી નગરીને એણે જેવી તેવી પ્રતિષ્ઠા અપાવી નથી. હું દાદીમાને પૂછીને એને રાજભગિનીનું મહાપદ આપવા માગું છું !’ {{gap}}પછી રાજાએ પોતાની દાદીને એ વિષે પૂછ્યું. અને એ સૌને પણ નારીસન્માનની આ વાત ગળે ઊતરી ગઈ. {{gap}}વિશાખાને મહા ઉત્તુંગ રાજ ગજરાજ ઉપર બેસારીને, અને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભૂષણ અને પુષ્પમાળાઓ પહેરાવીને, નગરી આખીમાં ગાજતેવાજતે ફેરવવામાં આવી. મૃદંગ, શરણાઈ, ઢોલ, ભેરી વગાડીને ઘોષ કરાવવામાં આવ્યો કે આજથી વિશાખા એ મહામંત્રીશ્વર મૃગધરની માતાને સ્થાને છે અને મહારાજ પ્રસેનજીતે એને રાજભગિનીનું મહા માન આપ્યું છે !’ {{gap}}શ્રાવસ્તી નગરી આ ઘોષણા સાંભળીને આનંદી ઊઠી ! {{gap}}એક મહાન નારીનું આ પ્રમાણે જાહેર સન્માન કરવા માટે, આબાલવૃદ્ધ સૌનાં અંતરમાં આનંદ આનંદ થઈ આવ્યો હતો. {{સ-મ||🙒|}}<noinclude></noinclude> f89m3svh0ev413qet633s84qrl1hech પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૫ 104 73373 223534 223401 2026-07-23T15:20:03Z Snehrashmi 2103 /* Validated */ 223534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૪ ]<br/> સાદામાં સાદી રીત !'''</big> | }} <br/> {{gap}}<big>'''ચી'''</big>નના એક વિદ્વાનની એક વિચિત્ર વર્તણૂક જોઈ ને પહેલાં સૌને નવાઈ લાગી હતી. અને પછી ખુલાસો થયે વળી વધુ નવાઈ લાગી હતી ! {{gap}}કેંગ–સાંગ ચુની વાત છે. એનું અંતર અંતરજ્ઞાનથી પ્રફુલ્લિત હતું. એને મન કોઇ પરિસ્થિતિ કેવળ નકામી રહી ન હતી. દરેકમાં કાંઈક તત્ત્વ હતું. અને દરેક કુચામાં પુષ્પનો પરિમલ હતો ! {{gap}}એટલે એની પાસે જ્ઞાનપિપાસાથી આવનારાઓમાં, જે એને હોંશિયાર લાગતા, તેને એ પાછા મોકલી દેતો. અને જે દાનેશ્વરી જણાતા, તેમને પણ પાસે ઠેરવા ન દેતાં, રવાના કરી દેતો. {{gap}}પોતાની પાસે તે જે નકામા જેવા જણાતા હોય તેમને રાખતો. અણઘડ એની સેવામાં રહેતા. અને કોઈને ખબર ન રહી, પણ કેવળ આટલી સાદી વ્યવસ્થાથી, એણે પ્રજાને ઘણો ફાયદો કરી દીધો ! {{nop}}<noinclude></noinclude> daw3losiswf64fvm4gkvsgq5moxuiln પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૬ 104 73374 223535 223438 2026-07-23T15:21:25Z Snehrashmi 2103 /* Validated */ 223535 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}કારણ કે જે અજ્ઞાન અને અણઘડ હતા તે એની પાસે રહ્યા. અને જે કાંઇક હોંશિયાર કે થોડા પણ દાનેશ્વરી હતા, તેમને તો એણે પોતાની પાસેથી આઘા જ રાખ્યા. કોઈએ આ વર્તણૂક વિષે એને કહ્યું, ત્યારે એણે જવાબ વાળ્યો, કે આપણો દેશ વિશાળ છે. અજ્ઞાન ઘણું છે. વસ્તી મોટી છે. થોડી પણ સમજણ હોય તેને હું મારી પાસે રાખી ન શકું. મારે તો બધે પ્રકાશ ફેલાઈ જતો જોવો છે. {{gap}}અને ખરેખર થોડો થોડો બધે ફેલાતો પ્રકાશ જાણે એક મહાન પ્રકાશને નોતરી રહ્યો હતો ! {{gap}}આ વાત જ્યારે જાણીતી થઈ, ત્યારે સૌ નવાઈ પામી ગયા ! જ્ઞાનને ફેલાવવાની કેટલી સાદી અને છતાં કેવી સાચી રીત ! {{gap}}એક થોડા સમજુને પાસે ને પાસે રાખીને, એને વધુ સમજુ બનાવવામાં વખત કાઢવો, તેના કરતાં એની જે થોડી ઘણી સમજણ છે, તેને ફેલાઈ જવા માટે બહાર જવા દેવી, અને તદ્દન અણઘડોની સંગતિમાં પોતાની જાતને રાખીને પોતાની નિત્ય કસોટી કરતી જ રહેવી ! {{gap}}આ એક સાધુની જ્ઞાન ફેલાવવાની અજબ જેવી રીત હતી ! {{gap}}જ્યારે કોઇએ એની આ વાતની પ્રશંસા કરી, ત્યારે તેણે દક્ષિણ દિશામાં મોં ફેરવીને કહ્યું: ‘વસંત ઋતુ જેમ દરેક છોડને નવજીવન આપી રહેલ છે, અને પછી શિયાળાની ઠંડી એ નવજીવનને વધુ પોષણ આપે છે, અને છતાં એ માટે કોઈ મોટી ધમાલ કુદરતમાં દેખાતી નથી, તો માણસ, જે જ્ઞાનનું બાળક છે, તેને જ્ઞાન, કેવળ કુદરતી સાદી રીતે આપવાને બદલે, તેને ફેલાવવાની કૃત્રિમ્ ધમાલ, એ જ અજ્ઞાન<noinclude></noinclude> 9r6ybswsrnclthyfaawj9ajvepj77bj પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૭ 104 73375 223536 223439 2026-07-23T15:22:26Z Snehrashmi 2103 /* Validated */ 223536 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|સાદામાં સાદી રીત !||૧૯}}<hr>'''</noinclude>ફેલાવનાર નહિ નીવડતું હોય? તમને નવાઈ લાગે છે એ જ શું નવાઈભરેલું અજ્ઞાન નથી ? {{gap}}મને તો મોટામાં મોટો ભય હવે આ છે ! આ સાદી રીતને ‘અદ્ભુત’ કહીને ક્યાંક એની પૂજા શરૂ થશે ને તો પછી એ રીત પોતે ખોવાઈ જશે ! કારણ કે જે વસ્તુને માણસો ભૂલી જવા માગતા હોય છે તેમને એ પૂજે છે બહુ ! પૂજા કરવાથી વસ્તુ રહી ગઈ છે, એવો યાંત્રિક સંતોષ વસ્તુને તો ગુમાવી જ દે છે! {{gap}}મને તો બીક હવે એની છે કે ક્યાંક આ અકૃત્રિમ સાદી રીતની પૂજા શરૂ ન થાય ! એમ થશે તો એ વસ્તુ તો સમય સાગરના પ્રવાહમાં વિલુપ્ત થશે ! ને એનો પડછાયો રહી જશે ! એટલે આ પરંપરા જાળવનારા પ્રાણને શોધતા રહો, તો એ રહે ! {{સ-મ||🙒|}}<noinclude></noinclude> 1e1r3b56l1bqbsdpqin1ebxa8x87ulu પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૮ 104 73376 223537 223440 2026-07-23T15:23:30Z Snehrashmi 2103 /* Validated */ 223537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૫]<br/> સહજ થાય તો !'''</big> | }} <br/> {{gap}}<big>'''એ'''</big>ક રાજાએ એક તત્ત્વજ્ઞાનીને પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું. ઘણા માનપાનથી રાજાએ એની આગતા સ્વાગતા કરી. રાજાને એમ હતું કે પોતે જે જે સારા સારા સિદ્ધાંતો રાખ્યા છે, તેની વાત આને મોંએ કરવાથી, પોતાને સંતોષ થશે, અને વળી ભવિષ્યમાં એ પંથે જવાનું વધુ ઉત્તેજન પણ મળશે. જેમ દરેકને પોતાના ગૌરવ વિષે કાંઈક કહેવામાં આનંદ મળે છે તેમ ઉંડે ઉંડે એના દિલમાં પણ એ વાત બેઠી હતી. એ રાહ જોતો હતો કે આ તત્ત્વજ્ઞાની કોઈ પ્રશ્ન કરે ને હું એને મારી વાત કહી શકું. {{gap}}એટલામાં એનું એવું મન જાણીને તત્ત્વજ્ઞાનીએ પ્રશ્ન કર્યા: ‘તમે રાજ ચલાવવામાં કોઈ અમુક સિદ્ધાંત સ્વીકાર્યા છે કે નહિ, મહારાજ |’ {{gap}}રાજાએ જવાબ વાળ્યો: ‘તદ્દન સાદા એવા પાંચ જ સિદ્ધાંત મેં સ્વીકાર્યા છે !’ {{gap}}‘કયા કયા?' વિદ્વાને પૂછ્યું. {{nop}}<noinclude></noinclude> i1sd6l0ks9pgccl5iehj0fyjbzb9g43 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૩૬ 104 73399 223558 223453 2026-07-23T16:41:41Z Amvaishnav 156 /* Proofread */ 223558 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૨૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}દિવૌકસે માથું ધુણાવ્યું. ‘ મહારાજ ! તમામ લોકોનો આંહીં આ કલ્પનાતીત કલ્પવન દેશ પાસે અંત આવે છે!' {{gap}}પણ એ સાંભળીને તે માન્ધાતાની આંખમાં આંસુ આવી ગયાં ! તે બોલી ઊઠ્ચો · અરે ! અરે ! આથી વધુ સમૃદ્ધ એવો કોઈ પ્રદેશ નથી? તો તો આવા આ પ્રદેશમાં હું શી રીતે જીવી શકીશ? આંહી તો મનને પણ શ્રમનો આનદ મળતા નથી ! એ પણ કેવળ ઈચ્છે છે તે વસ્તુ આવે છે ! મન પણ કેટલુંક નવું ઈચ્છે ? અરે ! અરે ! આંહી તો સુખની એક લહરી સરખી પણ નથી, અને તમે તો આને સુખસાગર કહો છો !' અને રાજા સુખની પરિસીમા જેવા પ્રદેશમાં સુખને માટે રડવા બેઠો ! {{gap}}એ સાંભળીને દિવૌક્સે કહ્યું: ‘મહારાજ ! જ્યાં સુધી તમારું મન ઈચ્છ્ચા કરશે, ત્યાં સુધી તમને આખો સુખસાગર જોવા મળશે, તો પણ તેમાંથી તમને સુખ સિવાય જ બીજું બધું દેખાશે ! સુખ નહિં દેખાય ! મન ઈચ્છતું બંધ થાય, ત્યારે જ જ્ઞાનીઓ કહે છે કે સુખની એકાદ ક્ષણ પ્રગટે છે ! તે વિના નહિ ! જે કાંઇ છે તે હે મહારાજ ! તમારી પાસે છે. બીજેથી કાંઇ આવવાનુ નથી. સુખ પ્રદેશનો અંત ત્યારે આવે છે, જ્યારે મનમાં રહેલી ઇચ્છાઓનો અત આવે છે !' {{સ-મ| |◆ | }}<noinclude></noinclude> tgj3txm1cdhyup2hbnycyk2ir5ky1ka પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૩૭ 104 73400 223555 223454 2026-07-23T16:12:30Z Meghdhanu 3380 /* Proofread */ 223555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૮]<br/>ફેંકી દીધેલા કાગળો !'''</big> | }} <br/> {{gap}}'''એ'''ક વખત મેં મારા ફેંકી દીધેલા કાગળોને ફરીને તપાસ્યા, તો એમાંથી મને અનેક અવનવી વાતો મળી આવી. આજે જે ચિંતાની વાત વાંચીને મને હસવું આવે છે, એવી અનેક ચિંતાઓ એમાં નોંધાયેલી પડી હતી ! અને નોંધાયેલી તો ઠીક, પણ જાણે એ ઘેરી ચિંતાઓમાંથી કોઈ માર્ગ જ ન હોય તેમ, એમાં નોંધેલી આકુળતા વ્યાકુળતાનો પણ પાર નથી ! {{gap}}ફેંકી દીધેલા એ મારી નિરાશાના ગંજ ખડકાયા હતા. પરીક્ષામાં નાપાસ થવાની નિરાશા. સારી નોકરી ન મળી તેની નિરાશા. સારી જગ્યા હાથતાળી દઈ ગઈ તેની નિરાશા. કોન્ટ્રાક્ટરે ઘર કરતાં છેતર્યો તેની નિરાશા. કોઇએ દગો આપ્યા તેની નિરાશા. કોઈએ પ્રશંસા ન કરી, તેની નિરાશા. કોઈ એ નિંદા કરી, તેની નિરાશા. પણ આવી એક હજાર ને એક નિરાશાઓની નોંધ છતાં, આજે હું જોઉં છું કે, એમાંની એક પણ નિરાશા, જીવનના આગળ વધતા સાચા પ્રવાહને ખાળી શકવા શક્તિમાન હોતી નથી. આજે તો<noinclude></noinclude> 5fk5s7syx8uxlja1grbk8lid1ko0zc7 223559 223555 2026-07-23T16:43:28Z Amvaishnav 156 /* Validated */ 223559 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૮]<br/>ફેંકી દીધેલા કાગળો !'''</big> | }} <br/> {{gap}}<big>'''એ'''</big>ક વખત મેં મારા ફેંકી દીધેલા કાગળોને ફરીને તપાસ્યા, તો એમાંથી મને અનેક અવનવી વાતો મળી આવી. આજે જે ચિંતાની વાત વાંચીને મને હસવું આવે છે, એવી અનેક ચિંતાઓ એમાં નોંધાયેલી પડી હતી ! અને નોંધાયેલી તો ઠીક, પણ જાણે એ ઘેરી ચિંતાઓમાંથી કોઈ માર્ગ જ ન હોય તેમ, એમાં નોંધેલી આકુળતા વ્યાકુળતાનો પણ પાર નથી ! {{gap}}ફેંકી દીધેલા એ કાગળોમાં મારી નિરાશાના ગંજ ખડકાયા હતા. પરીક્ષામાં નાપાસ થવાની નિરાશા. સારી નોકરી ન મળી તેની નિરાશા. સારી જગ્યા હાથતાળી દઈ ગઈ તેની નિરાશા. કોન્ટ્રાક્ટરે ઘર કરતાં છેતર્યો તેની નિરાશા. કોઇએ દગો આપ્યા તેની નિરાશા. કોઈએ પ્રશંસા ન કરી, તેની નિરાશા. કોઈ એ નિંદા કરી, તેની નિરાશા. પણ આવી એક હજાર ને એક નિરાશાઓની નોંધ છતાં, આજે હું જોઉં છું કે, એમાંની એક પણ નિરાશા, જીવનના આગળ વધતા સાચા પ્રવાહને ખાળી શકવા શક્તિમાન હોતી નથી. આજે તો<noinclude></noinclude> 8c6q3jgvvl560t27cnngep9mev5yi38 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૩૮ 104 73401 223556 223455 2026-07-23T16:18:31Z Meghdhanu 3380 /* Proofread */ 223556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|૩૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>નવાઈની વાત આ લાગે છે કે, આવી ભૂખડી નિરાશા માટે આટલી બધી આંસુભરી બાલિશ નોંધ મેં શું કરવા કરી હશે ? {{gap}}અને એ જ નોંધોમાં મારા સંકલ્પોના કેવા કેવા ભંગાર ભેગા થયા છે! દુનિયાનાં અતિ રમ્ય સ્થાનો જોવાની અદૃશ્ય ઈચ્છાનો ભંગાર તેમાં પડ્યો છે ! એમાં જ મહા નાટકકાર બનીને દુનિયાને ડોલાવી નાખવાની શક્તિ મેળવવા માટે, દર પ્રભાતે અરધો કલાક શાંતિથી ધ્યાનમાં બેસવાની સૂચનાઓ મોટા અક્ષરે લખેલી પડી છે ! અને છતાં નવાઈની વાત આ બની છે કે અરધી ક્લાક તો શું, અરધી મિનિટ પણ, શાંતિથી એકચિત્ત બેસવાની કેળવણી મારા અંદરના મનને છેલ્લા ચાલીસ વર્ષના પ્રયાસે પણ આપી શકાઈ નથી ! {{gap}}એમ તો આ ફેંકી દીધેલા કાગળો જીવનના દસ્તાવેજની જેમ અનેક વાતો કહી જાય છે. અનેક નિરાશાઓ, ચિંતાઓ, દિલગીરીઓ, વ્યગ્રતાઓ કેવળ ખોટી રીતે જ મને સતાવી ગઇ હતી, અને થોડીક જ મનની સ્વસ્થતાથી, એ બધીને હણી શકાય તેમ હતી, એ વાતની ખબર એમાંથી પડે છે. {{gap}}એમાંથી જ જણાય છે કે ધારી સિદ્ધિ મેળવવાના સંકલ્પો માત્ર, બસ નથી. એમાંથી ખબર પડે છે કે, જીવનની સિદ્ધિ અસિદ્ધિ સાથે, ખરી રીતે જીવનની તાલીમ જો મેળમાં આવતી રહે, તો સિદ્ધિ કે અસિદ્ધિ, બન્ને સરખાં ઉપયોગી છે. {{gap}}એક કોઈ મિત્રે મહા ભયંકર વિશ્વાસઘાત કર્યાની નોંધ એમાં છે. એ વિશ્વાસઘાતે જે ઊર્મિમય વાણી લખાવી, એ વાણી એ વખતે બહુ સમયોચિત અને સુંદર લાગી હશે. આજે એ નિરર્થક તો જણાય છે, પણ એમાં લખેલા સબળ ઉદ્‌ગારો છતાં, એ નમાલી પણ લાગે છે. હા, એ વિશ્વાસ-<noinclude></noinclude> fjh5xzk0beoobm0khe73jbi5mnqz3xx 223560 223556 2026-07-23T16:44:24Z Amvaishnav 156 /* Validated */ 223560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૩૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>નવાઈની વાત આ લાગે છે કે, આવી ભૂખડી નિરાશા માટે આટલી બધી આંસુભરી બાલિશ નોંધ મેં શું કરવા કરી હશે ? {{gap}}અને એ જ નોંધોમાં મારા સંકલ્પોના કેવા કેવા ભંગાર ભેગા થયા છે! દુનિયાનાં અતિ રમ્ય સ્થાનો જોવાની અદૃશ્ય ઈચ્છાનો ભંગાર તેમાં પડ્યો છે ! એમાં જ મહા નાટકકાર બનીને દુનિયાને ડોલાવી નાખવાની શક્તિ મેળવવા માટે, દર પ્રભાતે અરધો કલાક શાંતિથી ધ્યાનમાં બેસવાની સૂચનાઓ મોટા અક્ષરે લખેલી પડી છે ! અને છતાં નવાઈની વાત આ બની છે કે અરધી ક્લાક તો શું, અરધી મિનિટ પણ, શાંતિથી એકચિત્ત બેસવાની કેળવણી મારા અંદરના મનને છેલ્લા ચાલીસ વર્ષના પ્રયાસે પણ આપી શકાઈ નથી ! {{gap}}એમ તો આ ફેંકી દીધેલા કાગળો જીવનના દસ્તાવેજની જેમ અનેક વાતો કહી જાય છે. અનેક નિરાશાઓ, ચિંતાઓ, દિલગીરીઓ, વ્યગ્રતાઓ કેવળ ખોટી રીતે જ મને સતાવી ગઇ હતી, અને થોડીક જ મનની સ્વસ્થતાથી, એ બધીને હણી શકાય તેમ હતી, એ વાતની ખબર એમાંથી પડે છે. {{gap}}એમાંથી જ જણાય છે કે ધારી સિદ્ધિ મેળવવાના સંકલ્પો માત્ર, બસ નથી. એમાંથી ખબર પડે છે કે, જીવનની સિદ્ધિ અસિદ્ધિ સાથે, ખરી રીતે જીવનની તાલીમ જો મેળમાં આવતી રહે, તો સિદ્ધિ કે અસિદ્ધિ, બન્ને સરખાં ઉપયોગી છે. {{gap}}એક કોઈ મિત્રે મહા ભયંકર વિશ્વાસઘાત કર્યાની નોંધ એમાં છે. એ વિશ્વાસઘાતે જે ઊર્મિમય વાણી લખાવી, એ વાણી એ વખતે બહુ સમયોચિત અને સુંદર લાગી હશે. આજે એ નિરર્થક તો જણાય છે, પણ એમાં લખેલા સબળ ઉદ્‌ગારો છતાં, એ નમાલી પણ લાગે છે. હા, એ વિશ્વાસ-<noinclude></noinclude> gdefwi4wxjwz15i7pjgbnaxf1v0gduv 223561 223560 2026-07-23T16:44:59Z Amvaishnav 156 223561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૩૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>નવાઈની વાત આ લાગે છે કે, આવી ભૂખડી નિરાશા માટે આટલી બધી આંસુભરી બાલિશ નોંધ મેં શું કરવા કરી હશે ? {{gap}}અને એ જ નોંધોમાં મારા સંકલ્પોના કેવા કેવા ભંગાર ભેગા થયા છે! દુનિયાનાં અતિ રમ્ય સ્થાનો જોવાની અદૃશ્ય ઈચ્છાનો ભંગાર તેમાં પડ્યો છે ! એમાં જ મહા નાટકકાર બનીને દુનિયાને ડોલાવી નાખવાની શક્તિ મેળવવા માટે, દર પ્રભાતે અરધો કલાક શાંતિથી ધ્યાનમાં બેસવાની સૂચનાઓ મોટા અક્ષરે લખેલી પડી છે ! અને છતાં નવાઈની વાત આ બની છે કે અરધી ક્લાક તો શું, અરધી મિનિટ પણ, શાંતિથી એકચિત્ત બેસવાની કેળવણી મારા અંદરના મનને છેલ્લા ચાલીસ વર્ષના પ્રયાસે પણ આપી શકાઈ નથી ! {{gap}}એમ તો આ ફેંકી દીધેલા કાગળો જીવનના દસ્તાવેજની જેમ અનેક વાતો કહી જાય છે. અનેક નિરાશાઓ, ચિંતાઓ, દિલગીરીઓ, વ્યગ્રતાઓ કેવળ ખોટી રીતે જ મને સતાવી ગઇ હતી, અને થોડીક જ મનની સ્વસ્થતાથી, એ બધીને હણી શકાય તેમ હતી, એ વાતની ખબર એમાંથી પડે છે. {{gap}}એમાંથી જ જણાય છે કે ધારી સિદ્ધિ મેળવવાના સંકલ્પો માત્ર, બસ નથી. એમાંથી ખબર પડે છે કે, જીવનની સિદ્ધિ અસિદ્ધિ સાથે, ખરી રીતે જીવનની તાલીમ જો મેળમાં આવતી રહે, તો સિદ્ધિ કે અસિદ્ધિ, બન્ને સરખાં ઉપયોગી છે. {{gap}}એક કોઈ મિત્રે મહા ભયંકર વિશ્વાસઘાત કર્યાની નોંધ એમાં છે. એ વિશ્વાસઘાતે જે ઊર્મિમય વાણી લખાવી, એ વાણી એ વખતે બહુ સમયોચિત અને સુંદર લાગી હશે. આજે એ નિરર્થક તો જણાય છે, પણ એમાં લખેલા સબળ ઉદ્‌ગારો છતાં, એ નમાલી પણ લાગે છે. હા, એ વિશ્વાસઘાતે<noinclude></noinclude> 8nuwtx1bv6ss4134nv4giruznci8eib પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૩૯ 104 73402 223557 223456 2026-07-23T16:25:05Z Meghdhanu 3380 /* Proofread */ 223557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />'''<hr>{{rh|ફેંકી દીધેલા કાગળો !||૩૧}}<hr>'''</noinclude>ઘાતે આગળ વધવાનું જે બળ પ્રેર્યું, એ મહા મૂલ્યવાન હતું ખરું. {{gap}}એમાં આ ફેંકી દીધેલા કાગળો જોઈને મને એક નવી નવાઈની વાત સૂઝી. આમાંથી કાંઈ જ ફેંકી દેવા જેવું નથી, અને આમાંથી કાંઈ જ રાખવા જેવું પણ નથી. જાણે કે આ ફેંકી દીધેલા કાગળો, આપણે સાચવેલા ને પીળા પડી ગયેલા આપણા જૂના ફોટાઓની જેમ, આપણને આપણાપણું ક્યાં રહ્યું હતુ ને શી રીતે એ ગુમાવવાનું થતું હતું, એની એક અમૂલ્ય નક્શાપોથી આપી જાય છે! {{gap}}આ ફેંકી દીધેલા કાગળોને ફરીને તપાસ્યા તો આટલી બધી નવી વાતો મને સૂઝી આવી. એ દૃષ્ટિએ જોતાં આપણી વીતી ગયેલી પળોના, આપણે આપણી સંસ્મરણોની દુનિયામાં કોઈ કોઇ વખત મેળો ભરીને બેસીએ, તો એ મેળો આનંદ અને ઉત્સાહ તો આપે જ, પણ સાથે સાથે અનેક સુંદર વાતો પણ પ્રગટ કરે ! {{gap}}આપણને માણસને ફરી ફરીને બધું યાદ કરવાની જે શક્તિ મળી છે તે શું આટલા માટે ન હોય? એટલે ઘણી વખત હું મારા મિત્રોને કહું છું કે ભાઈઓ, તમારી પાસે તો ખજાનામાં જ રત્નો પડ્યાં છે, અને તમે બીજા ઉપર કાં આધાર રાખો ? એ રત્નમાંથી એકાદું વટાવી કાઢો ને ! તમારી મુશ્કેલીઓનો અંત લાવી દેશે, અને એમાંથી રસ્તો પણ બતાવશે, નહિતર નવીન પ્રકાશ આપી જશે ! {{gap}}આ જાણ્યા પછી ફેંકી દીધેલા કાગળોને હું સાત વખત ફરી ફરીને વીણવા જાઉં છું, વખત છે ને એમાં કાંઈક ચાલ્યું જતું હોય. {{center|🙒}}<noinclude></noinclude> pzgxym2ybwh72sq5pgx8xdet0vr8wg0 223562 223557 2026-07-23T16:46:31Z Amvaishnav 156 /* Validated */ 223562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|ફેંકી દીધેલા કાગળો !||૩૧}}<hr>'''</noinclude>આગળ વધવાનું જે બળ પ્રેર્યું, એ મહા મૂલ્યવાન હતું ખરું. {{gap}}એમાં આ ફેંકી દીધેલા કાગળો જોઈને મને એક નવી નવાઈની વાત સૂઝી. આમાંથી કાંઈ જ ફેંકી દેવા જેવું નથી, અને આમાંથી કાંઈ જ રાખવા જેવું પણ નથી. જાણે કે આ ફેંકી દીધેલા કાગળો, આપણે સાચવેલા ને પીળા પડી ગયેલા આપણા જૂના ફોટાઓની જેમ, આપણને આપણાપણું ક્યાં રહ્યું હતુ ને શી રીતે એ ગુમાવવાનું થતું હતું, એની એક અમૂલ્ય નકશાપોથી આપી જાય છે! {{gap}}આ ફેંકી દીધેલા કાગળોને ફરીને તપાસ્યા તો આટલી બધી નવી વાતો મને સૂઝી આવી. એ દૃષ્ટિએ જોતાં આપણી વીતી ગયેલી પળોના, આપણે આપણી સંસ્મરણોની દુનિયામાં કોઈ કોઇ વખત મેળો ભરીને બેસીએ, તો એ મેળો આનંદ અને ઉત્સાહ તો આપે જ, પણ સાથે સાથે અનેક સુંદર વાતો પણ પ્રગટ કરે ! {{gap}}આપણને માણસને ફરી ફરીને બધું યાદ કરવાની જે શક્તિ મળી છે તે શું આટલા માટે ન હોય? એટલે ઘણી વખત હું મારા મિત્રોને કહું છું કે ભાઈઓ, તમારી પાસે તો ખજાનામાં જ રત્નો પડ્યાં છે, અને તમે બીજા ઉપર કાં આધાર રાખો ? એ રત્નમાંથી એકાદું વટાવી કાઢો ને ! તમારી મુશ્કેલીઓનો અંત લાવી દેશે, અને એમાંથી રસ્તો પણ બતાવશે, નહિતર નવીન પ્રકાશ આપી જશે ! {{gap}}આ જાણ્યા પછી ફેંકી દીધેલા કાગળોને હું સાત વખત ફરી ફરીને વીણવા જાઉં છું, વખત છે ને એમાં કાંઈક ચાલ્યું જતું હોય. {{center|🙒}}<noinclude></noinclude> fozg8s3t9ar87kej1csh3twxpga9ycb પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૪૦ 104 73403 223563 223457 2026-07-23T16:55:35Z Amvaishnav 156 /* Proofread */ 223563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૯]<br/> નામ રૂપ જૂજવાં !'''</big> | }} <br/> {{gap}}<big>'''ના'''</big>મ બન્નેનાં એક હતાં, એ સાંભળીને મને પ્રથમ તો આનંદ થયો. જનાર પણ ગલાજી હતા, આવનાર પણ્ ગલાજી. અને વળી એક બીજી નવી નવાઈની વાત હતી. બન્નેને ત્યાં વહુઓ પણ ગુલાબવહુઓ જ હતી. {{gap}}એક નાની સરખી ભાગ્યે જ આઠ દસની ઓરડી, એની મોઢા આગળ, હાથેથી તૈયાર કરી લીધેલી અને ગુણિયાપાટ ને વાંસડાથી રક્ષિત ખનાવેલી, એક નાનકડી ઓશરી. ઓશરીનીં આસપાસ થોડા ફૂલછોડ અને ઓરડીની પાછળ કાંટાની વાડથી અનાવેલો એક નાનો વાડો. રેલ્વે ક્રોસીંગને માટે વગડામાં ઊભેલી સાંધાવાળાની આ ઓરડી મને કેટલીક વખત, એક સુંદર આરામગાહની યાદ આપી જતી. એમાં પણ વહેલી પ્રભાતે ત્યાં જઈ ચડીએ, તો ઓશરીમાં રચેલા માટીના એક ચૂલા ઉપર, ચાની તપેલી મૂકાઈ ગઈ હોય, અને ગલાજી તથા ગુલાબવહુ ત્યાં રકેબી પ્યાલા મૂકીને, ચા તૈયાર થવાની રાહ જોતાં ધીમી શાંત વિશ્રામ કથાઓ ચલાવતાં હાય ! ત્યારે તો લાગે કે આ આટલો ખૂણો, દુનિયામાં છતાં, દુનિયાથી ઠીક અલિપ્ત રહીને બે પ્રેમભીની વ્યક્તિઓની સંસાર- કવિતા<noinclude></noinclude> 0r5o252wnx6tw1grrimu4u2lm0yn2k9 તેજબિંદુ/‘ના’ કહેવાની શક્તિ 0 73426 223538 2026-07-23T15:26:03Z Snehrashmi 2103 Page Transclusion 223538 wikitext text/x-wiki {{header | title = [[તેજબિંદુ]] | author = ધૂમકેતુ | translator = | section = ‘ના’ કહેવાની શક્તિ | previous = | next = [[તેજબિંદુ/વીરતાનો જાણનારો|વીરતાનો જાણનારો]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Tej Bindu By Dhumketu.pdf" from="11" to="16"></pages>}} }} ij7jinp93bdhz2nueusc2tnj7pncqy1 તેજબિંદુ/વીરતાનો જાણનારો 0 73427 223540 2026-07-23T15:28:16Z Snehrashmi 2103 Page Transclusion 223540 wikitext text/x-wiki {{header | title = [[તેજબિંદુ]] | author = ધૂમકેતુ | translator = | section = વીરતાનો જાણનારો | previous = [[તેજબિંદુ/‘ના’ કહેવાની શક્તિ|‘ના’ કહેવાની શક્તિ]] | next = [[તેજબિંદુ/વિશાખા માતા|વિશાખા માતા]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Tej Bindu By Dhumketu.pdf" from="17" to="21"></pages>}} }} pzfgys7yg46wp5en2kx79r8wjnpjqi8 તેજબિંદુ/વિશાખા માતા 0 73428 223541 2026-07-23T15:29:27Z Snehrashmi 2103 Page Transclusion 223541 wikitext text/x-wiki {{header | title = [[તેજબિંદુ]] | author = ધૂમકેતુ | translator = | section = વિશાખા માતા | previous = [[તેજબિંદુ/વીરતાનો જાણનારો|વીરતાનો જાણનારો]] | next = [[તેજબિંદુ/સાદામાં સાદી રીત|સાદામાં સાદી રીત]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Tej Bindu By Dhumketu.pdf" from="22" to="24"></pages>}} }} hkejgmsapg4fck1vc7pfplsy9mqdm2i તેજબિંદુ/સાદામાં સાદી રીત 0 73429 223542 2026-07-23T15:30:20Z Snehrashmi 2103 Page Transclusion 223542 wikitext text/x-wiki {{header | title = [[તેજબિંદુ]] | author = ધૂમકેતુ | translator = | section = સાદામાં સાદી રીત | previous = [[તેજબિંદુ/વિશાખા માતા|વિશાખા માતા]] | next = [[તેજબિંદુ/સહજ થાય તો|સહજ થાય તો]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Tej Bindu By Dhumketu.pdf" from="25" to="27"></pages>}} }} fjxmg1k5cquh3xwvh36t1c6pelwhvsi તેજબિંદુ/સહજ થાય તો 0 73430 223544 2026-07-23T15:33:33Z Snehrashmi 2103 Page Transclusion 223544 wikitext text/x-wiki {{header | title = [[તેજબિંદુ]] | author = ધૂમકેતુ | translator = | section = સહજ થાય તો | previous = [[તેજબિંદુ/સાદામાં સાદી રીત|સાદામાં સાદી રીત]] | next = [[તેજબિંદુ/કુદરતને તમે અનુકૂળ બનો|કુદરતને તમે અનુકૂળ બનો]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Tej Bindu By Dhumketu.pdf" from="28" to="29"></pages>}} }} c4242yy25qoh1pbktxf5ln4wlysv785 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૯ 104 73431 223545 2026-07-23T15:59:50Z Meghdhanu 3380 /* Not proofread */ 223545 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> [ ૧૪ ] સ્વતંત્રતા કયાં રહે છે? લાકો સ્વતંત્રતાની વાતો કરે છે પણ એમને ખખર હેતી નથી કે સ્વતંત્રતા જીવનમાં ખરી રીતે ત્યારે ઊતરે છે, જ્યારે માણસ કોઈને પણ પરતંત્ર દેખી શકતા નથી! એ માણસે સ્વતંત્રતાને જાણી કહેવાય. કોઈને પણ પરતંત્ર ન દેખવું એ વાત જેવી તેવી નથી. એક ઉદાહરણ લઈએ. એક માણસ આપણી પાસે આવ્યો. એના પોતાના અજ્ઞાનને લીધે એ માણસ છેતરાતા હોય એવું આપણને જોવામાં આવે, તે આપણે શું કરીશું ? આપણે એના લાભ ઉઠાવીશું. પણ જેણે સ્વતંત્રતાને ખરા અર્થમાં જાણી છે તે એને પ્રથમ જ્ઞાન આપશે. જ્ઞાનના પ્રકાશ વડે એ પેાતાના માર્ગ જોઈ શકે તેવું શકય બનાવશે. સ્વત ંત્રતા સૌથી વધારે આ વાતથી ભકે. સત્તાના શૈાખથી. પછી એ સત્તા, કંચનથી મળતી હાય, પરિસ્થિતિથી આવતી હોય, જ્ઞાનના અપ્રમાણને લીધે પ્રાપ્ત થતી હોય, કે કેવળ બળના ઉપયોગથી આવતી હોય. પણ સત્તાના શેખને અને સાચી સ્વતંત્રતાના તને. અન્નેને એજીનથી<noinclude></noinclude> j9ioaqqdzigwqsisv6d1y2atjbbc6v7 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૦ 104 73432 223546 2026-07-23T16:00:16Z Meghdhanu 3380 /* Not proofread */ 223546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૫૨||તેજબિંદુ}}<hr>'''</noinclude> જિબ્રાને આ સંબધમાં એક સુંદર વાત લખી છે. એણે લખ્યું છે. મેં સ્વતંત્રતાને કેવળ પડછાયાઓની ખીણમાં દીઠી છે! મેં તે દુનિયામાં ઝુંપડીએથી માંડીને મહેલા સુધી એક જ વસ્તુ દીઠી છે. ગુલામી ! મેં એક જગ્યાએ મૂંગી ગુલામી દીઠી. એમાં પતિ પત્ની એક બીજાને ધિક્કારે છે, છતાં મૂંગાં મૂંગાં જીવન ખેંચ્યા જ કરે છે! એક ઠેકાણે મે માણસાને આસપાસની પરિસ્થિતિના પાતે કેવળ પડઘા હોય તેમ વરતતા જોયા ! જિબ્રાન લખે છે, હું આગળ ચાલ્યા, મારે સાચી સ્વતંત્રતા કયાં વસે છે તે જોવું હતું. પણ મે તે એવા નિળ મનના માનવીએ દીઠા કે જેમને પેાતાની ઈચ્છા જેવું કાંઈ જ ન હતું! એમને શું જોઈએ છીએ એ વાત પણ એમને બીજા કહે ત્યારે સમજાતી હતી ! વળી મેં એવું જોયું કે માણસના મનમાં કાંઈ હોય, એ માંએથી કાંઈ ખેલતા હોય, વર્તનમાં વળી ત્રીજી જ વાત ચાલતી હોય, દેખાવ ચેાથી વાતના કરતા હાય, જાહેરમાં પાંચમી વાત કહેતે હોય–અને છતાં નવાઇની વાત આ હતી, આ બધા પણ સુખની, સ્વત ંત્રતાની, મુક્ત જીવનની વાત કરી રહ્યા હતા ! કેવળ વાતા ! રાજાના છોકરા રાજા થાય, અને અને ભિખારીના છેકરા ભિખારી જ રહે, એ જેવી ગુલામી હતી, તેવી જ ગુલામી મેં આ પરિસ્થિતિમાં જોઈ કે, બુદ્ધિ અને જ્ઞાન, એ પણ જાણે વંશપર પરા મળતાં હાય તેમ, પેઢી દરપેઢી અભિમાનપૂર્વક સચવાતાં જોયાં ! અને એ સચવાતાં હોય તે તો ઠીક, આ તે અશ્વતોને કેવા પ્રેસાના બ જ ટાક્તિવાનની પ<noinclude></noinclude> puh40bo9tefcl6fpejmfzszmhu8qrn6 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૧ 104 73433 223547 2026-07-23T16:00:56Z Meghdhanu 3380 /* Not proofread */ 223547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|સ્વતંત્રતા ક્યાં રહે છે?||૫૩}}<hr>'''</noinclude>મેળવી લેતા જોયા ! ગુલામીનાં આવાં અસંખ્ય રૂપાથી કંટાળીને એક દિવસ હું ડુંગરાઓની ખીણુ તરફ ચાલ્યા ગયા ! એ ખીણનું નામ અજમ જેવું હતું. એ પડછાયાઓની ખીણુ કહેવાતી, ત્યાં માણસાની વસ્તી ન હતી. પણ ત્યાં એક નવી નવાઈની વસ્તી હતી. જે જે માણસેા સંસારમાં રહીને વ્યવહાર ચલાવી રહ્યા હતા, તે તમામના પડછાયાએ આંહી રહેતા હતા ! આંહીં એમના પડછાયાએ ભેગા થયા હતા! અને આ પડછાયા સાચા હતા. જ્યારે પેલા માણસે ખાટા હતા. એટલે માણસ જાતની સાચી વાત મેળવવા હું પડછાયાઓની ખીણ તરફ ગયા. ત્યાં ગહન સ્થળામાં ફરતાં ફરતાં એક દિવસ મેં એક સ્ત્રીને જોઈ. મે તેને પૂછ્યું: ‘તારું નામ શું છે?' : તેણે કહ્યું: ‘ મારું નામ સ્વતંત્રતા !” ‘ અરે ! ' હું તે નવાઈ પામીને તેની સામે જ જોઈ રહ્યો. સ્વતંત્રતામાં કેટલું તેજ હોય ? અને આ તો જાણે કોઈ મુડદાની છાયા ખેલતી હાય તેવું લાગતું હતું ! મે કહ્યું: ‘અરે! તારા નામને તે જપે છે અને તું આંહીં કેમ રખડે છે? તુ માણસે ત્યાં જાપ ત્યાં જા, ત્યાં જા, ત્યાં માણસે તને ફૂલાના ઢગલામાં ઢાંકી દેશે! તારી પૂજા કરશે ! તને દેવ જેવું માનપાન આપશે! ’ તેણે ફિકકુ હસીને કહ્યું: ‘જ્યાં એક પાંચ વરસના શિશુને પણ સાચી સ્વતંત્રતા નથી, એને પણ જ્ઞાનદીપ આપવાને બદલે મસ પેાતાના વિવિધ નિષેધ સમસ્યા છે, ‘ આ કર 76 arava<noinclude></noinclude> nt87n5epcn5s0goupn6kymq4l2ykf3b પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૨ 104 73434 223548 2026-07-23T16:01:56Z Meghdhanu 3380 /* Not proofread */ 223548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૫૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>ને આ ન કર' અને શા માટે એમ તેા કોઇ સમજાવતું નથી, ત્યાં મારી કોઈ પૂજા કરે એ તું કહે તે પણ હું કેમ માનુ ?” : મેં કહ્યું: ‘અરે ! હું ત્યાં જોઈ ને આવું છું. ત્યાં તે લેકે ‘સ્વતંત્રતા.’ ‘સ્વત ંત્રતા !' એમ તાલીએ પાડે છે.’ તેણે જવાબ વાળ્યો : ‘ તાલીએ તે એ હજારો વર્ષોંથી પાડે છે, પણ મારા જે ખરા પૂજનારા હાય છે, તેના શું હાલ તેઓ કરે છે, એ તારે જોવું છે? જોવું હોય તે પેલા ડુંગરા ઉપર જો ! મને ચાહનારા ત્યાં છે!' મેં પાછળ ડુંગરા ઉપર ષ્ટિ કરી અને હું થંભી જ ગયા ! ત્યાં માત્ર ત્રણ જ માણસા હતાં, પણ તેમાંથી એક શૂળી ઉપર હતા, બીજો દિવાના લાગતા હતા, ત્રીજો લટકતી તલવાર નીચે હતા ! મે પાછું સ્વત ંત્રતા તરફ જોયું તે એની આંખમાં આંસુ દીઠાં. તેણે ફિક્કા ધીમા નખળા અવાજે કહ્યું: ‘તાળેાટા પાડીને સ્વતંત્રતા વિષે, લેાકેા, બે પાંચ હજાર વરસથી વાતા કરતા આવ્યા છે, પણ એમને એ જોઇતી નથી. એના ખપ નથી. જે કાઈ મારા સાચા પૂજારી નીકળે છે, તો એ કાં શૂળી ઉપર જાય છે, કાં દીવાના થાય છે, કાં મરણની સન્મુખ જીવે છે. મારું ખરું સ્થાન આંહી જ છે. આ ‘ પડછાયામાં!<noinclude></noinclude> 4p3d4fmr9riqgl03kz7hvay8yr87xfj પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૩ 104 73435 223549 2026-07-23T16:02:29Z Meghdhanu 3380 /* Not proofread */ 223549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri [ ૧૪ ] તે જ બિન્દુ કેયુશ્યસ પાસે પ્રશ્ન આવ્યો: પાંચ એવી કઇ વસ્તુઓ છે જેમના પાલન વડે માણસને સદ્ગુણી કહી શકાય? ’ કોન્ફ્યુસ્યસે જવાખ વાળ્યો: ગંભીરતા—માણસ જે કાંઈ કરે કે મેલે તેના વિષે ગ ંભીરતાથી વિચાર કરે. અને શબ્દ ખેલતાં પહેલાં તુલના કરે. ’ ‘ બીજી વસ્તુ : આત્માની ઉદારતા. ક્ષુલ્લક વસ્તુઓના મેહમાં એ પડે જ નહિ. ત્રીજી વસ્તુ : હેતુની સચ્ચાઈ. પોતે જે જે ખેલે તે જ જેના દિલમાં પણ હોય. એ માણુસ વહેલે મેડે સદ્ગુણુની પ્રતિષ્ઠા સ્થાપે જ. ઉપાસના: પેાતાના પ્રાપ્ત કન્યને જે ઉપાસનાની દૃષ્ટિએ જુએ છે, તે માણસ વિજય પ્રાપ્ત કરે કે ન કરે, પણ કટ્ટર નિરાશા તે પ્રાપ્ત નહિ જ કરે. અને સહાનુભૂતિ. ‘જે સત્તાધીશ ગંભીર છે તે માન પ્રાપ્ત કરશે. સચ્ચાઈ લેાકના વિશ્વાસ મેળવશે. કર્ત્તવ્યપાલન ઘણી જ પ્રગતિ કરી દેખાડશે, અમે સહશમુખ્યિાનશ્રેશ્વરો રેલનકર્તામાં<noinclude></noinclude> qtorfa5rvhqj2s2mcn2zjfpguqk7zcn પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૪ 104 73436 223550 2026-07-23T16:03:41Z Meghdhanu 3380 /* Not proofread */ 223550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૫૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>આ પાંચ ગુણ હશે, તે માત્ર લોકપ્રિય જ નહિ નીવડે. ખરા અમાં એ લાકકલ્યાણ પણ સાધી શકશે. ’ [૨] ફાઇએ એને શાસનકલા વિષે પૂછ્યું અને તેણે જવાબ વાળ્યેા: ‘ શાસનમાં જો માણસા હશે તે શાસનના વિજય થશે. પણ જો માણસે જ નહિ હોય, તે ગમે તેવું સુશાસન પણ કરમાઈ જશે ને ગેરવ્યવસ્થા પ્રવશે. એટલા માટે સુશાસનના ખરા વિજય જેટલેા કાયદા કરવામાં રહ્યો છે, તેના કરતાં પણ વિશેષ યાગ્ય માણસા મેળવવામાં રહ્યો છે. આવા માણસા જન્મતા નથી કે મેળવાતા નથી. એ તેા પ્રધાન પુરુષોના પોતાના ખરેખરા મહાન ગુણેામાંથી ઊભા થાય છે. શાસનકર્તાઓના શીલમાંથી જ એક હવા ઊભી થાય છે. આવી હવા સુશાસનને સ્થિર કરી શકે છે. ત્રણ સગુણા એવા છે જે વ્યાપક રીતે શાસિત પ્રજાને પ્રેમખધનમાં મૂકે છે. એક તે શાસનકર્તાઓની વિદ્વત્તા. એટલે જે વસ્તુ એમને કરવાની છે એ વિષેનું સંપૂર્ણ જ્ઞાન. ખીજો સદ્ગુણ, ભવ્યતા, એટલે કે ક્ષુલ્લક કે નાની વસ્તુઓને મહત્ત્વ આપેનહિ. અને ત્રીજો સદ્ગુણ : શક્તિ: એટલે શાસન, એ પહેલુ લેાકરક્ષણ માટે. વ્યવસ્થા માટે, સમાજને સુરક્ષિત રાખવા માટે છે, એવી ઊંડી શ્રદ્ધા. : જે વસ્તુ પાતાને લેાકકલ્યાણ માટે વ્યવહારમાં મૂકયાની છે તે વસ્તુની તમામ આંટીઘૂંટી જાણનાર માણસ વિદ્વાન છે. જે આ વ્યવહારને વ્યવસ્થિત કરી મૂકે છે તે ભય છે. અને જેને ગેરવ્યવસ્થાની શરમ આવે છે, તે માણસ શક્તિશાળી છે. ખા શાસનાધિકારી, સમજ્યા વિના કાઈ<noinclude></noinclude> k29w6z16q3yoyns7i05z1zxz9xi1hrr પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૫ 104 73437 223551 2026-07-23T16:04:06Z Meghdhanu 3380 /* Not proofread */ 223551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૫૭||તેજબિંદુ}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and a Gangotri_ તે જ બિન્દુ ૫૭ વ્યવસ્થા કરવામાં પેાતાની શક્તિ વેડફશે નહિ. પોતે જે વસ્તુમાં સ્પષ્ટ નથી એવી અસ્પષ્ટ વસ્તુએને પ્રજામાં વહેતી મૂકશે નહિ. સચ્ચાઈના અર્થ જ એ કે, એ પોતે પોતાની જાતને પહેલવહેલાં તળ્યા પછી જ કાયદા કરશે. ને એમની વ્યવહારુ ખાજી શ્વેતા રહેશે. ’ [ 3 ] મેન્શ્યસ એક વખત સમ્રાટને મળવા ગયેા. રાજાએ તેને પૂછ્યું: ‘ તમે એટલે બધે દૂરથી આવ્યા છે ત્યારે, અમારા રાજ માટે કઈક ફાયદાકારક એ વાત કહેતા જાઓ. મેન્શ્યસે જવાખ વાગ્યેઃ ‘ તમારે અમારું રાજ એમ કહેવાને બદલે હમેશાં આપણું રાજ એમ કહેવાને અભ્યાસ કેળવવા જોઈએ. વળી રાજને માટે કોઇ વસ્તુ નફા-નુકસાનની ષ્ટિએ તમે ગણતા રહેશે ત્યાંસુધી તમે એ નફા-નુકસાનમાં એટલા ગૂંચવાયલા રહેશે કે લેાકના કલ્યાણ અકલ્યાણુના તમાર ખ્યાલ સ્પષ્ટ નહિ હોય. માટે રાજને નફા-નુકસાનથી ન સંબોધે. પણ લાકકલ્યાણુ-અકલ્યાણની વાત કરો.' : રાજાએ જવાખ વાગ્યે: ‘ મારી શક્તિ ઘણી મર્યાદિત છે એ હું જાણું છું. પણ મારી એ મર્યાદિત શક્તિને શું કરવાથી હું વધારે લોકોપયોગી બનાવી શકુ એ મારે જાણવું છે. ’ મેન્ગ્યુસે જવાબ વાળ્યો: માણસને તલવારથી મારી નાખા કે લાકડીથી મારી નાખે, એમાં તમે કાંઈ તફાવત ફ્લુએ છે ? ’ રાજાએ કહ્યુંko batainÀurdu Agnelectસર પ્રતિ .<noinclude></noinclude> 9smkmn06n8m2ade1d1ie6vi2hfgu6ep પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૬ 104 73438 223552 2026-07-23T16:04:43Z Meghdhanu 3380 /* Not proofread */ 223552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૫૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>મેન્શ્યસે કહ્યુ: ‘ તા એ જ પ્રમાણે, માણસાને તલવારથી હણેા કે કુશસાન ને ગેરવ્યવસ્થાથી હણેા, એમાં કાંઈ પણ તફા- વત નથી. તમારું પોતાનું શાસન–ખર્ચ વધતું રહે, તેા કુદરતી રીતે જ એ ખર્ચ પૂરું પાડવા લેાકેાને ભૂખે મરવું જ પડે. આના અર્થ સ્પષ્ટ જ છે. આનેા અર્થ એટલા જ થાય કે માણસને હણવાની આ પણ એક રીત છે. એમાં તફાવત રીતના છે. વસ્તુ એની એ છે.’ રાજાએ અચાનક જ વચ્ચે પૂછ્યુ: ‘પણ દેશમાં વ્યવસ્થા શી રીતે સ્થાપી શકાય ? ’ * * મેન્શ્યસે જવાખ વાળ્યો: · બધાને એક મનના કરવાથી,’ બધા એકમનના થાય, એ તે શી રીતે બને ? ’ · જેને માણસા પ્રત્યે પ્રેમ છે-એ માણસ, એ કરી શકે.’ ‘ પણ એ વસ્તુની પ્રાપ્તિ શી રીતે થાય ?’ મેન્શ્યસે કહ્યું: ‘ લેાક પ્રત્યેના પ્રેમ, લેક સ્થિર કેમ થાય અને શાંતિ કેમ મેળવે એ વિચાર તરફ તમને દોરે તે એ અને. લાકને સ્થિર કરવાના સાચા વિચાર કરનાર શાસક એ વસ્તુ વહેલેમાડે મેળવે જ મેળવે. પણ આ ઉપરાંત બીજી થોડી વસ્તુએ જાણી લેવી જોઈએ. એકલા સદ્ગુણાથી જ રાજ્ગ્યા ચાલતાં નથી. તેમ જ એકલા કાયદાઓથી પણ રાજ્યે ચાલી શકતાં નથી. બન્નેના સમન્વયથી રાજ્યે ચાલે છે. એટલે કે કેવળ તમે સારા કાયદા ઘડો, તેનાથી સારું રાજ્ય સ્થાપી શકાય નહિ. એ કાયદાના અમલ જેમના હાથમાં છે, તે અધિકારીએ યોગ્ય ન હાય તે ગમે તેવા સારા કાયદાને પણુ એ નેવે મૂકી દેવાના !n Ml pāmaiતપિસા રસમાંત cયામેda`રામ છે '<noinclude></noinclude> gm7kr4dsodys3ziytteihtssnldw6f1 પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૭ 104 73439 223553 2026-07-23T16:05:41Z Meghdhanu 3380 /* Not proofread */ 223553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૫૯||તેજબિંદુ}}<hr>'''</noinclude>એવુ પણ એ લોકાને ઠસાવાના ! માટે તમે જેને પાયેા કહેાછા- એ પાયામાં, માણસા મૂકો. માણસા વિના કોઇ તંત્ર સફળ થવાનું નથી. ’ . [૪] કાચુશ્યએ ઉમેર્યુ ’: ‘વળી કાયદાનુ વિવેક વિના ખહુ કડક પાલન કરવાથી ખરી રીતે કાયદાને અ જ માર્યાં જાય છે. અને છતાં અધિકારીએ તે! એમનુ પાલન એમને ઠીક લાગશે તેમ કરશે. માટે રાજાએ વાર વાર એ પાલન વિષે તપાસ કરવી ઘટે છે. અતિશય કડક કાયદાએ છેવટે કાયદા કરનારને ભારે પડે છે. અતિશય ઢીલા કાયદાએ લુચ્ચા લેાકેાને છટક- ખારી શેાધી આપે છે. કાયદાઓ બનતા સુધી ‘ આંધળા’ હોય છે, અને પછી ‘ ક્રૂર’ હોય છે. એટલે સુશાસનની સઘળી સુંદરતા કેવળ માણસાઇને જ આભારી છે. રાજાઓએ જોવુ જોઈ એ કે સિમિતિમાં માણસા તે છે, પણ એ સમિતિના માણસામાં માણસાઈ ' છે ? આ જે વારવાર જુએ છે તે સુશાસન સ્થાપે છે. ’ * * મેન્શ્યસ મેલ્યે: · મને તે એક લોકોક્તિમાં સુશાસનનું રહસ્ય પડેલું જણાય છે. તે લેાકેાક્તિ આ પ્રમાણે છે ‘ સામ્રાજ્ય, વિભાગી રાજ્ય, અને કુટુંબ.' એ ત્રણેને જ્યાં મેળ મળી જતો હોય, ઘણુ થયા વિના જ્યાં કુટુ બે, વિભાગી રાજ્યને સાચુ માન આપવા જેટલી હૃદયેચ્છા રાખતાં હોય, અને જ્યાં વિભાગી રાજ્ગ્યા, સામ્રાજ્યને વફાદાર રહી, પેાતાના મિથ્યા આડંબર વારંવાર આગળ ધરતાં ન હોય, ત્યાં અને માત્ર ત્યાં, જ, સુશાસનને વિજય થાય છે 4એમ એકાડો રો<noinclude></noinclude> pq7723zagi34yr4nup8i7tdmmnbtd3d પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૬૮ 104 73440 223554 2026-07-23T16:06:38Z Meghdhanu 3380 /* Not proofread */ 223554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" />'''<hr>{{rh|૬૦||તેજબિંદુ}}<hr>'''</noinclude> ગીત ગાય છે તે સાંભળે ‘જયારે નદીનું પાણી ચાખ્ખુ હોય છે ત્યારે હું મારા હાથ ધેાઉં છું. ‘પણ જ્યારે એ ડેાળુ હાય છે, ત્યારે મારા પગ માત્ર એમાં ભેળુ છું. ’ કાયુશ્યસે કહ્યું: ‘ એણે ગાયુ એમાં લોકોએ કેટલું બધું હૃદય ઠાલવ્યું છે ! જ્યારે પાણી ચોખ્ખું હોય ત્યારે તે એ પોતાના હાથ એમાં ધૂએ છે. પણ જ્યારે મેલું હોય ત્યારે એ પગ ધોવાના કામમાં પણ આવતું નથી. એટલે કેવળ પગ એળવાના રહે છે ! પાણીની આ અવસ્થા એ રાજની અવસ્થા છે. ચાખ્ખી વ્યવસ્થા હોય તે લેાકેા એને પતિતપાવન પ્રવાહ માને છે. એમને પણ એમનામાંથી પ્રેરણા મેળવીને પવિત્ર થવાનું મન થઈ આવે છે. પણ એ જ પ્રવાહ ડાળા હોય તો લેકે એને પગવડે દે છે ને માને છે કે એમાંથી એમને કાંઇ મળે તેમ નથી. માણસ નાશ પામે છે–એટલે કે એક માણસ ‘માણસાઈ ' ખાઇ બેસે છે ત્યારે કુટુંબ નાશ પામે છે. કુટુંબે નાશ પામે છે, ત્યારે એમાંથી વિભાગીય સત્તા નાશ પામે છે. વિભાગીય સત્તા નાશ પામે છે તેમાંથી સામ્રાજ્ય નાશ પામે છે. માટે સામ્રાજ્યને મહાન અને એક રાખનારું જે મહાન એકમ છે તે, માણસ છે. જે સત્તા એક ♦ માણસ 'ને પણ ખૂએ છે, માણસ જેવા માણસ, માણુસ આળસી જાય, એવું જે તંત્ર ચલાવે છે, તે સત્તા વહેલે માડે લેાકશાપિત થઈ ને પોતે જ નાશ પામે છે.’ મેન્શ્યસ મેલ્યા : ‘ જે માણસા પેાતાની જાતને ગમે તેમ ફેંકી દે છે. નહી ar સ કે લ એ માણસને સાતમે કહી શકો કે એ<noinclude></noinclude> 3q6xpsb0tovqv29l4fqhw3j3x19jhza