વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.12
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૦
104
73415
223614
223583
2026-07-26T15:57:32Z
Amvaishnav
156
223614
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૪૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>જન્મ્યો હાય તેમ, એના સ્થાનના, એક નાનકડા અંગુલી જેટલા ભાગમાંથી તો એ અવનવા રસના સાગર છલકાવી દે ! આનંદની હેલી વરસી રહી હોય, અને એ પોતાની અંગુલીને જરાક જ આઘેપાછે ફેરવીને, તંતુને સ્પર્શે અને એક જ પળમાં
કરુણતાની પરિસીમા દેખાય ! એની આ અજબ શક્તિ જોઈ ને ત્યાં સૌના માંમાંથી 'વાહ્ ! વાહ્!' નીકળી ગયું.
{{gap}}એને શ્રેષ્ઠતમ તંતુવાદ્યવીર ગણીને મૂલ્યવાન પારિતોષિક આપવાની તૈયારી થવા માંડી, પણ ત્યાં તો બધાના આશ્ચર્ય વચ્ચે એ ખડખડાટ હસી પડ્યો !
{{gap}}એનું આવું વર્તન જોઈ ને ઘણાને નવાઇ લાગી. તો કેટલાકને માઠું લાગ્યું. જે વધારે આળી ચામડીના હતા એમને તો આમાં રાજદરબારનું અપમાન જણાયું !
{{gap}}એક મત્રીએ ઊભા થઈને કહ્યું પણ ખરું કે ‘ હે તંતુવાદ્યવીર ! અમે તારી કલાની યથાશક્તિ કદર કરવાની તૈયારી કરી રહ્યા હતા, તેમાં આ તારું મશ્કરી જેવું અટ્ટહાસ્ય અસ્થાને જણાયું છે. અમે બહુ સમજદાર નહિ હોઈએ એ
બરાબર છે, પણ યથાશક્તિ સમજણ, બતાવી રહ્યા હતા એ તો તું પણ કબૂલ કરશે ! ’
{{gap}}તંતુવાદ્યવીરે હાથ જોડીને કહ્યું: 'મત્રીરાજ ! આ આખી સભામાંથી જો એક જ માણસે સાચી સમજણ બતાવી હોત તો હું મારી જાતને ધન્ય ગણુત. કદર થવી ન થવી એ વસ્તુ તો ભાગ્યાધીન છે, પણ સમજદાર માણસની મૈત્રી મળી
જવી, એ વસ્તુ અમારા જેવા માટે ઘણી વધારે મહત્ત્વની છે ! મને દિલગીરી આ વસ્તુની થઈ આવી કે આંહીં જે ખરેખર તંતુવાદ્યવીરો છે તેમને તમે તૃણવત્ ગણ્યા અને<noinclude></noinclude>
rmpv6kwnbl31qyfngw76zsuu900ca0w
223615
223614
2026-07-26T15:57:58Z
Amvaishnav
156
223615
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૪૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>જન્મ્યો હોય તેમ, એના સ્થાનના, એક નાનકડા અંગુલી જેટલા ભાગમાંથી તો એ અવનવા રસના સાગર છલકાવી દે ! આનંદની હેલી વરસી રહી હોય, અને એ પોતાની અંગુલીને જરાક જ આઘેપાછે ફેરવીને, તંતુને સ્પર્શે અને એક જ પળમાં
કરુણતાની પરિસીમા દેખાય ! એની આ અજબ શક્તિ જોઈ ને ત્યાં સૌના માંમાંથી 'વાહ્ ! વાહ્!' નીકળી ગયું.
{{gap}}એને શ્રેષ્ઠતમ તંતુવાદ્યવીર ગણીને મૂલ્યવાન પારિતોષિક આપવાની તૈયારી થવા માંડી, પણ ત્યાં તો બધાના આશ્ચર્ય વચ્ચે એ ખડખડાટ હસી પડ્યો !
{{gap}}એનું આવું વર્તન જોઈ ને ઘણાને નવાઇ લાગી. તો કેટલાકને માઠું લાગ્યું. જે વધારે આળી ચામડીના હતા એમને તો આમાં રાજદરબારનું અપમાન જણાયું !
{{gap}}એક મત્રીએ ઊભા થઈને કહ્યું પણ ખરું કે ‘ હે તંતુવાદ્યવીર ! અમે તારી કલાની યથાશક્તિ કદર કરવાની તૈયારી કરી રહ્યા હતા, તેમાં આ તારું મશ્કરી જેવું અટ્ટહાસ્ય અસ્થાને જણાયું છે. અમે બહુ સમજદાર નહિ હોઈએ એ
બરાબર છે, પણ યથાશક્તિ સમજણ, બતાવી રહ્યા હતા એ તો તું પણ કબૂલ કરશે ! ’
{{gap}}તંતુવાદ્યવીરે હાથ જોડીને કહ્યું: 'મત્રીરાજ ! આ આખી સભામાંથી જો એક જ માણસે સાચી સમજણ બતાવી હોત તો હું મારી જાતને ધન્ય ગણુત. કદર થવી ન થવી એ વસ્તુ તો ભાગ્યાધીન છે, પણ સમજદાર માણસની મૈત્રી મળી
જવી, એ વસ્તુ અમારા જેવા માટે ઘણી વધારે મહત્ત્વની છે ! મને દિલગીરી આ વસ્તુની થઈ આવી કે આંહીં જે ખરેખર તંતુવાદ્યવીરો છે તેમને તમે તૃણવત્ ગણ્યા અને<noinclude></noinclude>
3kp1rqbta82z73g4x8027cdlrvzr54e
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૧
104
73416
223616
223502
2026-07-26T16:04:26Z
Amvaishnav
156
/* Proofread */
223616
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|કલાનો પ્રકાશ !||૪૩}}<hr>'''</noinclude>હું, જે કેવળ લાંબા સમયનો અભ્યાસ બતાવી રહ્યો છું, એને તમે મહત્ત્વ આપ્યું ! મને માન મળે, એ મને ન ગમે એમ તો તમે પણ માનતા નહિ હો. પણ મેં એમ સાંભળ્યુ છે કે સભામાં યોગ્યની ઉપેક્ષા થતી જે જોઈ રહે છે, એને દેવો પણ માનવ ગણવાની ના પાડે છે ! તો કલાકાર ગણવાની તો વાત જ ક્યાં રહી ? ’
{{gap}}એનો આવો જવાબ સાંભળીને ઘડીભર તો સૌ લેવાઈ ગયા. પણ પછી એક જણાએ હિમ્મતથી તેને પૂછ્યું: 'હે તંતુવાદ્યવીર ! તમારી સત્યપ્રિયતા અમને આશ્ચર્યમાં નાખી દે છે. પણ કેવળ એક જ તંતુ ઉપર તમે અનેક વસ્તુઓ બતાવી અને તેથી અમે તમને શ્રેષ્ઠ માન્યા એ અમારી માન્યતામાં ભૂલ હોવાની વાત તો હજી પણ અમારે ગળે ઊતરતી નથી, એનું શું ?’
{{gap}}તંતુવાદ્યવીરે અભિવાદન કરીને જવાબ વાળ્યો: 'પરિષદના હે જાણકાર જનો ! મેં એક તંતુ ઉપર જે સૂરાવલી ઊભીં કરી, એમાં જોવાનું આ હતુ કે એમાં મારો સતત અભ્યાસ કામ કરી રહ્યો હતો. પણ જે તંતુવાદ્યવીરે અનેક તંતુઓને સંવાદી બનાવીને, એમાંથી સૂરાવલિ ઊભી કરી, તેણે એ પરિણામ
લાવવામાં, સતત જાગ્રતિ બતાવી હતી. એક પણ તંતુ બંડ કરી ન બેસે, માટે એણે દરેકે દરેક તતુના વ્યક્તિત્વને પહેલાં પિછાનવાનુ હતુ, અને પછી એ વ્યક્તિત્વને ઝાંખુ પાડ્ચા વિના, એક સંવાદી વસ્તુ ઊભી કરવાની હતી. એ સતત
જાગ્રતિમાં જે કલા રહી છે, તે સતત અભ્યાસમાં રહી નથી.- સતત અભ્યાસ તો શ્રમ કરવાની શક્તિ ખતાવે છે; પણ સતત જાગ્રતિ તો સંયમ પાળવાની શક્તિ બતાવે છે. આ<noinclude></noinclude>
24znvsf6pn6lpfxb8d1c5yw0pbtvoi5
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૨
104
73417
223617
223503
2026-07-26T16:09:35Z
Amvaishnav
156
/* Proofread */
223617
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૪૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>તો તમે ભવિષ્યમાં મારા જેવાને મહાન માનીને, ખરા મહાનને ઉપેક્ષિત કરી ન બેસો, માટે મેં તમને આટલો સ્ફોટ પાડ્યો છે. હવે તમે જેને યોગ્ય માનો તેને પારિતોષિક આપો . . .'
{{gap}}એટલુ બોલીને તંતુવાદ્યવીરે સભાને અભિવાદન કરીને ચાલવા માટે પગ ઉપાડ્યોયો. પણ ત્યાં તો રાજા પોતે જ સિહાસન ઉપરથી ઊઠીને તેની ડોકમાં મૌક્તિક માળા પધરાવવા આગળ વધ્યો ! તેણે તેની ડોકમાં મોતીની માળા નાખતાં કહ્યું: ‘પોતાને મળતુ બહુમાન ખરી રીતે બીજાનું છે માટે તેને મળવુ જોઈએ, એમ જાણવામાં ને એ પ્રમાણે વર્તવામાં, તો તમામ કલાની અવધિ રહી છે. એટલે તમને
આ બહુમાન અમે એટલા માટે આપીએ છીએ. કલા તો ઘણા પ્રગટ કરે છે, પણ પ્રકાશ કોઇક જ. માટે હે પ્રકાશના લાવનારા ! તમારે આ અમારા બહુમાનને એ રીતે જોવું રહ્યું !'
{{સ-મ| |◆ | }}<noinclude></noinclude>
p2n3w5sz1mt6j8lj4tunr3lbumninj7
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૩
104
73418
223618
223504
2026-07-26T16:18:06Z
Amvaishnav
156
/* Proofread */
223618
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૧૨] <br/> રાજભવનની સ્વચ્છતા !'''</big> | }}
<br/>
{{gap}}<big>'''એ'''</big>'''ક વખત''' ભગવાન તથાગત બિમ્બિસાર રાજાના રાજભવનમાં આવવાના હતા.
{{gap}}રાજા બિમ્બિસારને એમ થયું કે મારા રાજભવનનો મુખ્ય ખંડ હું ભગવાનને પહેલા બતાવું કે જેથી એમની નજરે સર્વોત્તમ વસ્તુઓ સર્વોત્તમ રૂપે ગોઠવાયલી દૃષ્ટિએ પડે. એ વાતને મનમાં રાખીને એણે ભગવાનને બે હાથ જોડીને
અભિવાદન કર્યું. અને એ પ્રમાણે રાજભવનમાં પ્રવેશ થાય એવી વિજ્ઞપ્તિ ભગવાન પાસે મૂકી.
{{gap}}ભગવાન તથાગતે મૌન રાખીને એ વાતને અનુમતિ આપી.
{{gap}}પછી ભગવાનનો એ પ્રમાણે રાજભવનમાં પ્રવેશ થયો. પોતાના શ્રેષ્ઠ ખંડની સર્વાંત્તમ વસ્તુઓ ભગવાનને નજરે કરવાથી રાજાને આનંદ થયો. પણ એટલામાં ભગવાન તથાગતે કહ્યું : ‘માણસની સ્વચ્છતાના કે સૌન્દર્ય દૃષ્ટિનો ખ્યાલ લેવા માટે, એના મુખ્ય ખડને જોવો એ ન જોવા વરાબર છે. હરકોઈ એને સ્વચ્છ રાખવા મથે છે. પણ માણસનો શયનખંડ, અને એથી પણ વધારે તો એનું રસોડું . અને એનું સ્નાનાગાર,<noinclude></noinclude>
ri6hvy7unv6srh9kwgnhhpig8ublc6n
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૪
104
73419
223619
223505
2026-07-26T16:24:38Z
Amvaishnav
156
/* Proofread */
223619
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૪૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>એ જોવાથી જ માણસ, સ્વચ્છતા વિષે કેવો સાચો ખ્યાલ ધરાવે છે તે ખબર પડે. અને આટલી આ સાદી વાતને જીવનના બીજા વર્તનમાં પણ લાગુ પાડવી ઘટે !'
{{gap}}રાજાએ અભિવાદન કરતાં કહ્યું: ‘ ભદ્દંત ! જીવનના બીજા વર્તન વિષે આમાંથી શું મળે?’
{{gap}}ભગવાને કહ્યુ’: ‘શયનખંડ, સ્નાનાગાર અને રસોડું એમની સ્વચ્છતા એમ દર્શાવે છે કે, માણસ વસ્તુનું સાચું રહસ્ય પામી ગયો છે અને એ રહસ્યને ખરેખર મૂલ્યવાન માને છે. પણ મુખ્ય ખંડ, એની સ્વચ્છતા, એમ બતાવે છે કે, માણસ, એને સ્વચ્છ રાખવાની જરૂરિયાત પ્રત્યે સભાન છે. એનો અર્થ એ કે વસ્તુનું રહસ્ય એ પામ્યો નથી. મંત્રીઓમાં જેમ તમારી સાથે હા એ હા કરનારા, અને તમારી વાતને સમજનારા એવા એ વર્ગ હમેશાં રહે છે, એના જેવું જ આ છે. જે તમારી વાત કબૂલી લે છે, તે એ વાતને, જીવનમાં પણ ઉપયોગી માને છે, એમ સમજવાનુ નથી. એ વાતને કબૂલી લે છે, એની પ્રશંસા કરે છે, પણ એની અનિવાર્યતા એ ભાગ્યે જ જોઈ શકે છે.
{{gap}}“ જ્યારે તમારી સાથે જે એકદૃષ્ટિ રાખે છે, તે તો તપારી વાતની અનિવાર્યતા જોઈ ને એને મૂલવે છે અને તે એને પોતાના જીવનમાંથી પણ પ્રગટવા દે છે. હા એ હા ભણનારા, લીલાંછમ દેખાતા, પણ ફળ વિનાના જંગલ જેવા છે. જ્યારે તમારી દૃષ્ટિ સાથે એકદૃષ્ટિ થનારા, બહુ થોડા હોય, પણ એ ફળવાળા વ્રુક્ષો જેવા છે. તેમણે આકાશી વાદળીની જેમ જ્ઞાન ભરી લીધું છે. એટલે એનુ ઘર્ષણ અનિવાર્ય છે. જે તમારી સાથે તત્કાલ ‘હા’ ભણવાની તૈયારી બતાવે છે, તેમના વિષે બહુ આશા રાખવાથી નિરાશા મળવાનો સંભવ છે. જે વસ્તુનું<noinclude></noinclude>
ksl8n6w20w7tso373e7cux5rnv4nlao
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૫૫
104
73420
223620
223506
2026-07-26T16:27:22Z
Amvaishnav
156
/* Proofread */
223620
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|રાજભવનની સ્વચ્છતા !||૪૭}}<hr>'''</noinclude>રહસ્ય પામ્યો છે, અને માત્ર ‘હા' ભણવામાં રોકાયો નથી, તે પેાતાની પરીક્ષા આ રીતે આપી દેશે કે, એ વાતને શરૂ કરશે. શરૂઆત બતાવે છે કે એણે રહસ્ય મેળવ્યું છે. પ્રદર્શન ખતાવે છે કે એ તમારી સાથે વ્યવહાર પૂરતો સમાધાનીને
પંચે વળ્યો છે, અને રહસ્ય મેળવવાથી તો એ એટલો ને એટલો જ દૂર રહ્યો છે.’
{{સ-મ| |◆ | }}<noinclude></noinclude>
2bbz2d8m096d42ptwgfglcovyzufu3d
સભ્યની ચર્ચા:Solankimayabhai dayabhai
3
73464
223621
2026-07-26T17:23:50Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
223621
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Solankimayabhai dayabhai}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૨:૫૩, ૨૬ જુલાઇ ૨૦૨૬ (IST)
aqq9puf4mpq3vsj85jt978wosqgyn05