વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.13
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્યની ચર્ચા:Revi C.
3
4589
223880
223876
2026-08-02T14:30:39Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
223880
wikitext
text/x-wiki
__NOINDEX__<div class="mw-content-ltr" lang="en" dir="ltr">[[File:Revi logo (pink).png|thumb|center|<span style="color:red">PLEASE DO NOT LEAVE MESSAGE HERE!</span>]]
'''<span style="color:red"> BEFORE YOU BLOCK MY ACCOUNT: IF MY EDIT SUMMARY INCLUDE PREFIX </span>''(Script)''<span style="color:red">, DON'T BLOCK ME, JUST TELL ME TO SLOW DOWN AT COMMONS' TALK PAGE. IT IS AN AUTOMATED SCRIPT BEING USED ON COMMONS TO MOVE FILES.</span>'''
Instead, please leave your message following site:
<br />
[[File:Wikidata-logo-en.svg|45px|link=d:User talk:Revi C.]] [[d:User talk:Revi C.]] for Wikidata (Interwiki links) stuff <!--(I am {{int:Group-sysop}} there)-->
<br />
[[File:Commons-logo.svg|45px|link=commons:User talk:Revi C.]] [[commons:User talk:Revi C.]] for renaming stuff or [[User:CommonsDelinker|CommonsDelinker]] action (I am {{int:Group-sysop}} there)
<br />
[[File:Wikimedia Community Logo optimized.svg|45px|link=m:User talk:Revi C.]] [[meta:User talk:Revi C.]] for other stuff (User right notification, revert message, etc...)
Messages left on this page may be reverted or moved without any response.</div>
5b8qtz4dnjnrhc9ts3mku14m3gujbq8
સભ્યની ચર્ચા:-revi
3
69991
223882
212020
2026-08-02T15:43:21Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
223882
wikitext
text/x-wiki
#REDIRECT [[User talk:Revi C.]]
o9z79lcc9a9pfmqmrod5w3eyk4q9i0o
સભ્ય:-revi
2
69992
223881
212021
2026-08-02T15:07:35Z
Pathoschild
86
global user pages ([[m:Synchbot|requested by Revi C.]])
223881
wikitext
text/x-wiki
#REDIRECT [[User:Revi C.]]
88g0cv17whfgb1wkeh281mptujwtlut
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૧
104
73467
223883
223871
2026-08-02T15:57:44Z
Snehrashmi
2103
/* Validated */
223883
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|માનવી અને પડછાયો||૮૩}}<hr>'''</noinclude>રહે ! ન્યાયાસન પાસેથી આ ન્યાય આવવાનો છે: “હે માણસ !
તું મોટો છે એ ખરું, પણ તું વિચારી જો, તારો પડછાયો
તારા કરતાં મોટો છે !” આ ન્યાય આવવાનો છે !’
{{gap}}‘પણ મારા વિના તારું અસ્તિત્વ ક્યાં છે એ તું કહેને ?’
{{gap}}‘હું પણ એ જ કહું છું મહેરબાન !’ પડછાયાએ જવાબ વાળ્યો: ‘તમારી આસપાસ હું ફર્યા કરું છું, એમાં તો તમે મોટા ભા થઈ ને ફરો છો. પણ હું ન હોઉં તો ખરી રીતે તમે ક્યાં છો ? બોલો ? તમારું સ્થાન પછી ક્યાં?’
{{gap}}માણસે ગુસ્સે થઈને કહ્યું: ‘આવી નવી નવાઈની વાત તો આજે જ સાંભળી ! માણસ કરતાં એનો પડછાયો મોટો ? એમ ? આ તો ઘરધણી શિયાળિયાં જેવી વાત થઈ ! બે ઘડી મારે પડખે તને ચાલવા દીધો, એટલામાં તું મારો માલિક થઈ પડ્યો ! મારી પડખે રહેનારો તું, મારા કરતાં પણ મોટો ?’
{{gap}}પડછાયો કાંઈ પ્રત્યુત્તર વાળે તે પહેલાં મંદિરનું દ્વાર એની મેળે ખુલ્લી ગયું. બન્ને જણાએ અંદર દૃષ્ટિ કરી. ત્યાં કોઈ હતું નહિ. મંદિરમાં કોઈ પૂજારી ન હતો. ત્યાં પ્રત્યુત્તરમાં પડઘા આવતા !
{{gap}}બન્ને જણા અંદર ગયા.
{{gap}}અંદર જઈ ને એક બાજુ ઉપર ઊભા રહ્યા.
{{gap}}પહેલાં પેલો માણસ બોલ્યો: ‘હે દેવાધિદેવ ! હું આંહી એક ન્યાય લેવા આવ્યો છું. મારા પડછાયાએ મને હેરાન હેરાન કરી નાખ્યો છે. જાણે કે હું કાંઈ જ હિસાબમાં ન હોઉં, એમ એ વર્તે છે. એ જ મોટો થઈ પડ્યો છે ! ને હું, હું તો એને દાસાનુદાસ બની ગયો છું. માટે હે દેવાધિદેવ ! તમે સાચો ન્યાય આપો. અમારામાં બેમાં મોટું કોણ? હું માણસ<noinclude></noinclude>
kx0hxpci1y4i5plwqbfc3ep47a61ncp
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૨
104
73468
223884
223872
2026-08-02T16:02:04Z
Snehrashmi
2103
/* Validated */
223884
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૮૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>મોટો કે મારો પડછાયો મોટો ?’
{{gap}}પછી પડછાયા આગળ આવ્યો: તે બે હાથ જોડીને બોલ્યો: ‘હે દેવાધિદેવ ! તમે ખરો ન્યાય આપજો. આ માણસને આધારે હું છું એ ખરું, પણ હું તો એના શરીરના આધારે છું. જ્યારે એ તો, તમામ રીતે, કેવળ મારે જ આધારે છે! હું ન હોઉં તો એની સિકલ જ બદલાઈ જાય ! હું એનું સર્જન છું. પણ એ તો કેવળ મારું જ સર્જન છે, એ એ ભૂલી ગયેલ છે.
{{gap}}‘મારે આધારે એ હરે છે, ફરે છે, રૂપાળો લાગે છે, જીવે છે, મોટો ભા થઈને ફરે છે. અને એથી એને દુનિયા સુંદર દેખાય છે. દુનિયાને મન પણ એ કાંઈ ના કાંઈ લાગે છે. પણ હું એનો પડછાયા, જો બે ઘડી અદૃશ્ય થઈ જાઉં, તો એ પોતે ક્યાં હશે ? હશે ખરો ? હે દેવાધિદેવ ! આપ જ આનો સાચો ન્યાય આપજો ! હું રહું કે ન રહે, એ મહત્ત્વનો સવાલ નથી, પણ પોતે જેને આધારે છે એ આધાર, આ માણસ છોડી દેવા માગે છે તે પછી એનું અસ્તિત્વ હશે ? તમે જ કહો !’
{{gap}}થોડીવાર મંદિરમાં શાંતિ વ્યાપી ગઈ. પછી પડઘા જેવા અવાજમાં પ્રત્યુત્તર આવતો જણાયો.
{{gap}}‘તમે બન્ને આંહીં થોડીવાર થોભો. તમારી મેળે જ તમે તમારો પ્રત્યુત્તર સમજી જસો. એક તરફ ગુપ્તપણે ઊભા રહો. જુઓ, આ કોઈ પાગલ જેવો માણસ આવતો દેખાય છે. એની વાત પણ એવી જ છે.’
{{gap}}બન્ને જણા એક ખૂણામાં લપાઈ છૂપાઈ ગયા. થોડીવારમાં જ એક પાગલ જેવો માણસ આવતો દેખાયો. તેની આંખો ચકળવકળ થતી હતી. એના પગમાં અસ્થિરતા હતી. મોં પર દુઃખદર્દનો કોઈ પાર ન હતો. તેણે ત્યાં આવતા<noinclude></noinclude>
f40etld9113q3scqwbcw3u3uy2zsv67
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૩
104
73469
223885
223873
2026-08-02T16:04:24Z
Snehrashmi
2103
/* Validated */
223885
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|માનવી અને પડછાયો||૮૫}}<hr>'''</noinclude>વેંત જ ચારે તરફ એક દૃષ્ટિ કરી. કોઈ દેખાતું નથી એ જોઈને, બે હાથ જોડીને એ આર્તનાદે બોલ્યો: હે દેવાધિદેવ ! તારી સૃષ્ટિમાં આ કેવો ન્યાય છે ? હું માણસ કાંઈ નહિ, અને મારો પડછાયો જ સર્વસ્વ એમ ? ગઈ કાલ સુધી હું
કરોડોનો સ્વામી હતો. મારાં સગાંવહાલાં, મિત્રો, સ્વજનો પરજનો, સૌ મને મોટો માનતાં, મને બુદ્ધિશાળી ગણતાં. હું બુદ્ધિશાળી હતો. મને પણ લાગતું કે હું બુદ્ધિશાળી છું. પણ એક રાતમાં મારું નસીબ ફરી ગયું. એમાં કાંઈ મારો વાંક
ન હતો. હું બધું ખોઈ બેઠો. અને આજે? આજે તો કોઈ મારી સામે પણ જોતું નથી ! ગજબની વાત છે નાં ? આ શું? એનો અર્થ તો એ થયો કે હું કાંઈ જ ન હતો; મારો પડછાયો, કેવળ જે મારો પડછાયો હતો, પૈસા, એ મારા કરતાં
મોટો હતો ! હું કાંઈ નહિ ને મારો પડછાયો સર્વસ્વ એમ ? આ સૃષ્ટિ ક્યાંની ? આ નીતિ ક્યાંની ? આ ન્યાય ક્યાંનો ?’
{{gap}}મંદિરમાંથી વળી પ્રત્યુત્તર આવ્યો: ‘તારે વાત સમજવી હોય તો તું એક તરફ ઊભો રહે. એક બાજુ ગુપચુપ થઈ જા. સામેથી કોઈ બીજું આવી રહ્યું છે, તે તને પ્રત્યુત્તર આપશે !’
{{gap}}પેલો માણસ પણ ગુપચુપ એક તરફ ઊભો રહી ગયો.
{{gap}}એટલામાં ધુંઆપુંઆ થતો કોઇ આદમી રોફમાં અંદર આવ્યો: તેણે તો આવતાં વેંત જ ફરિયાદ રજૂ કરી: ‘અરે ! સાલી, આ તે કાંઇ દુનિયા છે ? ગઈ કાલ સુધી જે મને નીચા વળીને સલામ કરતા હતા, તે જાણે આજે મને ઓળખતા જ નથી ! શી વાત છે ? હજી તો અધિકાર છોડ્યાં પૂરો એક દિવસ પણ થયો નથી ! ત્યાં આટલો ફેરફાર ? ત્યારે તોતે અમારે એમ સમજવું કે અમે માણસ, કાંઈ નહિ, પણ મને વળગેલું પેલું<noinclude></noinclude>
1lrzlcfay0r8e30lqtact6te15ixabg
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૪
104
73470
223886
223874
2026-08-02T16:10:09Z
Snehrashmi
2103
/* Validated */
223886
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૮૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>પડછાયા જેવું તૂત—અધિકાર, એ જ બધું! માણસની કાંઈ જ કિમ્મત નહિ ? પડછાયાની જ કિમ્મત ? આવી વાત આંંહીં ચાલે છે?’
{{gap}}પણ મંદિરમાંથી પ્રત્યુત્તર આવે તે પહેલાં કોઇ લોકપ્રિય માણસ આવતો જણાયો. એની પાછળ માણસોનું મોટું ટોળું આવતું હતું. એ જોઈ ને આ અધિકારી પણ આઘોપાછોછે થઈ ગયો.
{{gap}}પેલા માણસ સાથે આવેલું ટોળું ત્યાં દ્વાર પાસે જ અટકી ગયું. પેલો લોકનેતા જેવો માણસ આગળ આવ્યો. તેણે આવીને મંદિરમાં દર્શન કરી બે હાથ જોડ્યા. એના મનમાં મોટેથી પ્રાર્થના ચાલી રહી હતી: ‘હે દેવાધિદેવ ! હવે થોડાં વર્ષો છે. તેમાં અમારો વેષ નભાવી રાખો. મારા દેવ ! બીજું કંઈ નહિ, પછી લોકો, કોઈનામાં શ્રદ્ધા નહિ મૂકે. હે દેવાધિદેવ ! થોડો વખત અમારા પડછાયાને નભાવી રાખજો, મારા નાથ ! દોષ કોનામાં નથી ? પણ જે દેખાતા નથી તે બધા ગુણ થઈ રહે છે. માટે એ પ્રમાણે નભાવો મારા નાથ !’ અને તેણે ખણણ કરતો એક રૂપિયો પણ દેવાધિદેવને ચરણે ધર્યો.
{{gap}}પણ એ ગયો ન ગયો, ને તરત આખા મંદિરમાંથી જાણે પડઘા ઊઠ્યા: ‘હે માનવ બાલકો ! તમે આ જોયું ? તમે તમારા પડછાયાને એટલો મોટો વ્યાપક બનાવ્યો છે કે એનો નાશ કરતાં તમે પોતે જ હવે નહિ રહો ! માણસ જાત જ જાણે, કેવળ પડછાયાને આધારે જીવે છે, ને પડછાયો જ એમનું સર્વસ્વ
છે ! પડછાયો લઈ લેતાં તા એ જ ન રહે એવી વાત છે !’
{{gap}}‘પણ અમારે પડછાયાને મહાન રહેવા દેવો નથી, એનું શું?’ સૌથી પહેલો આવ્યો હતો તે બોલી ઊઠ્યો.
{{gap}}‘એમ કરવું હોય, તો તો તમારે છેક એકડે એકથી શરૂ<noinclude></noinclude>
bm2hzvqlmgq5qrxg4vkasnbsb5uo642
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૫
104
73471
223887
223875
2026-08-02T16:13:13Z
Snehrashmi
2103
/* Validated */
223887
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|માનવી અને પડછાયો||૮૭}}<hr>'''</noinclude>કરવું પડે ! પડછાયાનો આખો મહેલ તોડતાં પહેલાં તો જાણે અંધકાર વ્યાપી જશે ને સૌ પ્રકાશ ખોઇ બેઠા છે તેવું લાગશે. તેનું શું ? એને માટે કોણ તૈયાર છે ? અંધકાર ભરેલી ખીણને અંતે પ્રકાશ છે એ ખરું, પણ અંધકારમાં જવા કોણ તૈયાર છે ?
{{gap}}The man who came out from the cave, was different from the man, who went in–અંધકારમાં જવા કોણ તૈયાર છે? તમારામાંથી કોણ તૈયાર છે? બોલો !’
{{gap}}કાંઈ પ્રત્યુત્તર આવ્યો નહિ. કોઈ એ કાંઈ પ્રત્યુત્તર વાળ્યો નહિ. તરત પડઘાઓ હસી પડીને બોલી ઊઠ્ચા: ‘પડછાયાઓ ! તમે અને અમે અત્યારની સૃષ્ટિમાં આપણે બે જ રહેવાના છીએ ! એ જ રહી શકીએ તેમ છીએ. પડઘા ને પડછાયા !’
{{gap}}અને પડછાયાએ હસીને પ્રત્યુત્તર વાળ્યો ‘ત્યારે હું આ માનવને એ જ કહી રહ્યો હતો. અમારા વડે માનવ છે !’
{{gap}}‘અને એ જ સાચું છે !’ પડઘાએ પ્રત્યુત્તર વાળ્યો.
{{gap}}‘એવો પ્રશ્ન પણ ભવિષ્યમાં ઊઠશે, કોણ મહાન ? પડઘા કે પડછાયા ?
{{gap}}‘અવાજ કરનારા કે અંધકાર ફેલાવનારા?
{{gap}}‘કારણકે, અત્યારની દુનિયામાં બે જ રહી શકે તેમ છે : પડઘા અને પડછાયા ! ત્રીજું કોઈ જ નહિ, ત્રીજું કોઈ જ નહિ !<noinclude></noinclude>
tny1xsgwzop1qf6ml5bi1ooeub8zfxu
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૬
104
73472
223888
223640
2026-08-02T16:23:42Z
Amvaishnav
156
/* Proofread */
223888
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૨૦]<br/> વાણીની મર્યાદા !'''</big> | }}
<br/>
{{gap}}'''<big>વા</big>રાણસી''' નગરીના રાજા બ્રહ્મદત્ત વૃદ્ધ થયા, પણ
એની ચિંતાનો પાર ન મળે ! મોટામાં મોટો પ્રશ્ન એ હતો કે ગાદીનો વારસ કોને કરવો ?
{{gap}}કારણ કે એને એકનો એક પુત્ર હતો, પણ તે કાંઈ બોલતો નહિ. મૂંગા જેવા હતા. પ્રધાનનો પુત્ર ઘણો હોંશિયાર હતો. પણ પોતાના પુત્રને મૂકીને પ્રધાનપુત્રને રાજ સોંપવાનું રાજાને ગમે નહિ. અને પોતાના આવા અપગ પુત્રને રાજા બનાવવો એ પણ એને ઠીક લાગે નહિ. આ એ સિવાય બીજો કોઈ યોગ્ય વારસ હતો નહિ.
{{gap}}એટલે રાજાને સૂડી વચ્ચે સોપારી જેવું થયું. એને હમેશાં આ વાતની ચિંતા મનમાં રહ્યા કરે. એનો પુત્ર જો બોલતો થાય, તો તો રાજ કરવા માટે યાગ્ય તો એ જ કહેવાય.
{{gap}}એવામાં એને ત્યાં ફરતા ફરતા એક સાધુ આવ્યા. આ સાધુ ભિષગ્વર પણ હતા. રાજાએ એમની આ બાબતમાં સલાહ લીધી.
{{gap}}ભિષગ્વરે કહ્યુ કે તમારા પુત્રને કાંઈ બીજી ખોડ તો જણાતી નથી. એટલે એને કાંઈ ભય્ભા બતાવો. વખતે વાચા<noinclude></noinclude>
9owyar883o42hyskdx76g32aj8fng3x
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૭
104
73473
223889
223641
2026-08-02T16:31:22Z
Amvaishnav
156
/* Proofread */
223889
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વાણીની મર્યાદા !||૮૯}}<hr>'''</noinclude>છૂટશે, ને તો પછી બોલવા માંડશે.
{{gap}}રાજાએ કેટલાક શિકારીઓને લાવ્યા. કુમારના દેખતાં જ એમને કહ્યું કે આ રાજકુમારને તમે ભયાનક જંગલોની પેલી મેર અવાવરુ ખંડેરોમાં મૂકી આવો. એ ત્યાં રહેવા માટે લાયક છે. આંહીં માણસોમાં રહેવા આટેની એની લાયકાત જણાતી નથી. એને ખંડેરોમાં લઈ જાઓ.
{{gap}}કુમારે આ સાંભળ્યું. એણે ટગર ટગર જોયા કર્યું, પણ એ કાંઈ બોલ્યો નહિ.
{{gap}}શિકારીઓ તે રાજાના હુકમ પ્રમાણે કુમારને લઈ ને ચાલ્યા. રાજા કુમારને ખડેરેમાં વસવા માટે મે!કલી દે છે, એ વાત સાંભળીને, હજારો માણસો નગરના રસ્તામાં ભેગા થઈ ગયા હતા. પછી રાજાના હુકમ પ્રમાણે શિકારીએ ભયાનક જંગલની પેલી મેર ખડેરીમાં એને લઈ ગયા.
{{gap}}પણ શિકારીઓને રાજાએ કહ્યું હતું કે કુમારને માત્ર ખોટો ભય બતાવવાનો છે, અને એમાં જો કાંઈ બોલી ઊઠે કે તરત જ એને આંહીં પાછો રજૂ કરી દેજો. અને નહિતર ભય બતાવીને પછી લઈ આવજો.
{{gap}}શિકારીઓ સાથે રાજકુમાર ખડેરો તરફ ચાલ્યો. આ ખંડેરો એવાં એકલડોકલ ભયાનક રીતે ઊભાં હતાં કે ગમે તેવાની છાતી પણ, ત્યાં વસવાની વાત સાંભળીને બેસી જાય !
{{gap}}રાજાનો કુમાર આ ખડેરા જોઈને બોલી ઊંઠ્યો :
{{gap}}‘ આપણે જેમાં થઈ ને આવ્યા, એ ખંડેરો ન હતાંં ?’
{{gap}}શિકારીઓ એની વાતમાં કાંઈ સમજ્યા નહિ, પણ એ બોલ્યો એ સાંભળીને એ ખુશ ખુશ થઈ ગયા. ઉતાવળે ઉતાવળે રાજાના કુમારને એમણે વારાણસી નગરીમાં પાછો આણ્યો.<noinclude></noinclude>
9yynpm3pxrggtjk2a9cyxellun39yd1
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૮
104
73474
223890
223642
2026-08-02T16:37:15Z
Amvaishnav
156
/* Proofread */
223890
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>પણ રાજકુમાર નગરીમાં આવ્યો એટલે પાછો હતો તેવો થઈ ગયો. એક પણ વેણ બોલે કે કારવે ! ટગર ટગર બધું જુએ, સાંભળે, માં મલકાવે, પણ બોલવાની વાત નહિ !
{{gap}}રાજાએ વળી ફરીવાર હુકમ કર્યો : 'આ વખતે આ રાજકુમારને ભયાનક ખીણમાં હિંસક પશુઓની વચ્ચે મૂકી આવા, જાઓ !’
{{gap}}શિકારીઓ રાજકુમારને ફરીને લઈ ચાલ્યા. પણ રાજાના પિતૃદિલમાં દયાનો સતત સ્રોત વહી રહ્યો હતો. એણે ખાનગીમાં કહ્યું હતું કે જો જો, કુમારને શરીરે જરા પણ અડચણ આવે નહિ. અને આટલી જાગૃતિ રાખજો કે જેવો કુમાર
કાંઇક પણ બોલે કે તરત એને આંહીં લાવજો !
{{gap}}શિકારીઓ, રાજકુમારને લઈ જતા હતા એટલામાં નગર બહાર જતાં જ કોઈનું મડદું સામે મળ્યું.
{{gap}}રાજકુમારે એ જોઈ ને પેલા શિકારીઓને પૂછ્યું : 'આ કોઈ જીવતાનું મડદું લઈ જાય છે કે મરેલાનું મડદું લઈ જાય છે? ’
{{gap}}શિકારીઓ રાજકુમારના સવાલને સમજ્યા નહિ. પણ રાજકુમારને તરત જ પાછો રાજમહાલયમાં લઈ ગયા. અને રાજકુમારે જે પ્રશ્ન પૂછ્યો હતા તેની વાત કહી.
{{gap}}પણ રાજકુમારને કાણુ જાણે શું થયું હતું. જેવો એ નગરીમાં પ્રવેશ કરે કે પાછો મૂંગો થઈ જાય !
{{gap}}એટલે રાજાએ ત્રીજી વખત કૃત્રિમ ક્રોધ કરીને શિકારીઓને કહ્યું કે આ વખતે એને ક્યાંય મૂકવા જવાનું નથી. નગર બહાર લઇ જઈ ને એને હણી નાખો. તો જ એની સાન ઠેકાણે આવશે.’<noinclude></noinclude>
ba5xzicsco7bhaq79e5aas8a28igh01
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૯૯
104
73476
223891
223669
2026-08-02T16:44:38Z
Amvaishnav
156
/* Proofread */
223891
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|વાણીની મર્યાદા !||૯૧}}<hr>'''</noinclude>શિકારીઓ તેા વળી ચાલ્યા. જો કે રાજકુમારને લેશ પણ ઈજા નહિ કરવાની એમને સૂચના હતી જ.
{{gap}}આ વખતે એક નવી નવાઈની વાત બની. શિકારીઓ ઉઘાડી તલવાર રાખીને એને ભય બતાવવા માટે ખેતરોમાંથી લઈ જતા હતા, ત્યાં દાણાનો મોટો ઢગલો જોઈને રાજકુમાર બોલી ઊઠ્યો : ‘ આ ઢગલાના દાણા મૂળમાંથી ખાવા મંડશે તો તો થોડા વખતમાં થઈ રહેશે ! ટોચેથી ખાવા માટે લે તો ઢગલો વધતો રહે !'
{{gap}}રાજકુમારની આ વાણી સાંભળતાં શિકારીઓ આગળ જતા અટકી ગયા. રાજકુમાર તો બોલીને પછી બંધ થઇ જતો હતો, તેમ જ આ વખતે પણ, બોલ્યા પછી બોલતો બંધ થઈ ગયો. પણ શિકારીઓને તો રાજાની આજ્ઞા હતી એટલે વળી એને પાછો લઈ ચાલ્યા.
{{gap}}પણ આ વખતે રાજકુમારે રાજાને કહ્યું : 'હે રાજા ! જો વેણ પાળો તો મારી વાણી મને પાછી મળે !’
{{gap}}રાજાએ ગગાજળ લઈને પ્રતિજ્ઞા કરી કે જે વેણ એ બોલશે તે રાજા પાળશે જ પાળશે.
{{gap}}ત્યારે રાજકુમારે કહ્યું: 'હે રાજા! હું તો મૂંગો એમ થઈ ગયો છું કે તમે આ રાજનો વિલાસ મને સોંપવા માગો છો ને માનો છે કે મેં પુત્રને કાંઈ ના કાંઇ વારસો આપ્યો. બધા આમ જ વારસો આપ્યા કરશે તો માનવ જાત માટેનો વારસો કયાં રહેશે ? માટે મને મારા જીવનધ્યેય પ્રમાણે જીવવા દો. તમારી વારસાની માન્યતા પ્રમાણે નહિ. તો મને વાણી પાછી મળે તેમ છે !'
{{gap}}રાજાને એ સાંભળીને અપાર શોક થયો. પણ રાજકુમારની<noinclude></noinclude>
l56ooc5009nghwk6im69kzpophrztao
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૦૦
104
73477
223892
223672
2026-08-02T16:53:36Z
Amvaishnav
156
/* Proofread */
223892
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૯૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>ઊંચી ભાવના જોઈને હર્ષ પણ થયો. તેણે પોતાનું વેણ પાળવાની તૈયારી બતાવી. અને રાજકુમારને પોતાને ઠીક પડે તે માર્ગે જીવન જીવવા દેવાની વાત કબૂલ કરી.
{{gap}}પછી એણે રાજકુમારને પૂછ્યું: ‘હે કુમાર! તું ત્રણ વખત ત્રણ વાક્યો બોલ્યો, પણ એનો કોઈ અર્થ નથી. તો એમાં શું રહસ્ય છે ? પહેલું તે એમ કહ્યું કે 'આપણે જેમાં થઈને આવ્યા તે ખંડૅરો ન હતાં ? એનો શું અર્થ ? ’
{{gap}}રાજકુમારે કહ્યું: 'હે મહારાજ ! માણસે વસે તે મકાન ગણાય. પણ જ્યાં માણસો ન હોય એ બધાં તો ખંડેરો ગણાય. હું આપનો એકનો એક પુત્ર હતો. મેં કાંઈ અપકૃત્ય કર્યું ન હતું. ખોડ એ કોઇ દોષ નથી. છતાં મને અન્યાય
આપીને તમે જંગલમાં મોકલો છો એ વાત સાંભળવા છતાં, હજારો માણસોમાંથી એક પણ માણસે ઊંચી આંગળી કરીને આ અન્યાય સામે એક હરફ કાઢ્યો નહિ, એટલે નગરી આખીમાં માણસ તો કોઈ હતો નહિ ! પછી બાકી રહ્યાં મકાન . . એ તો ખંડેરો જ કહેવાય ! એટલા માટે મે કહ્યું કે, આપણે જેમાં થઈને આવ્યા તે ખંડેરો ન હતાં?'
{{gap}}રાજા આ રહસ્ય પામીને આનંદિત થઈ ગયો. તેણે પૂછ્યું : ‘ પણ તેં બીજી વખત મડદું જોઈને એમ કેમ કહ્યું કે મરેલાનુ મડદું છે કે જીવતાનું મડદું છે?’
{{gap}}'હૈ મહારાજ ! ' રાજકુમાર બોલ્યો : ‘જે માણસને જીવન જીવતાં આવડ્યું હોય, એનુ મૃત્યુ થાય તો એ જીવતાનું જ મડદું ગણાય; પણ જેને જીવતાં જ આવડ્યું ન હોય એનું મૃત્યુ, એ તો મડદાનું જ મડદું એમ જ કહેવાય ના? કારણ કે એ તો જીવતાં પણ મડદું હતો !'<noinclude></noinclude>
nhpaiwp7hcgnb3q26oigyslbcilabnc
સભ્યની ચર્ચા:Heaiu
3
73592
223893
2026-08-03T06:45:02Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
223893
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Heaiu}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૨:૧૫, ૩ ઓગસ્ટ ૨૦૨૬ (IST)
34sjvqhdaqviu691fpjlz4s46s6q0qp