વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.14 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૧ 104 73566 223990 223813 2026-08-07T15:56:13Z Amvaishnav 156 /* Proofread */ 223990 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સત્યનું સ્થાન !||૧૧૩}}<hr>'''</noinclude>{{gap}}'ક્યાં વસવું ફાવે તેમ છે?' {{gap}}‘એ વિષે જૂના વખતની એક વાત છે. બ્રહ્માએ એક વખત સૌન્દર્યની રાણી સરજી. પણ સુંદરતાના તમામ નિયમો પાળવાના આગ્રહમાં એ મૂર્તિ એવી સુંદર થઈ કે ન પૂછો વાત ! પણ જો એને કોઈનો પણ હાથ અડે, તો એ તરત હવા અની જાય ! અરે હાથશુંછુ, કોઈની નજર પડે કે હવા ! {{gap}}'એટલે એ સુંદરતાની અનુપમ મૂર્તિ ને છેવટે ક્યાં મૂકવી એ બ્રહ્મા માટે પ્રશ્ન થઈ પડ્યો. એમણે એ સૌન્દર્ય મૂર્તિ ને છેવટે કોઈ કલાકારના હૃદયમાં મૂકી દીધી. {{gap}}'એટલે એ અમર બની ગઈ. અને જ્યારે જ્યારે દુનિયા અસુંદરતાથી ત્રાસી જાય, ત્યારે કોઈ ને કોઈ કલાકારના અરણ્યરુદનમાંથી એ જીવંત થતી રહી ! એને જીવંત કરવા માટે કલાકારનું દિલ જોઈએ !’ {{gap}}ઈંદ્રદેવે ઉતાવળે ઉતાવળે કહ્યું, 'અરે, એ તો ઠીક, પણ સત્યનું સ્થાન ક્યાં છે નારદજી ! ચાલો ને, આપણે એની વાત કરીએ ને આપણે એને જ જોવા જઈએ !' {{gap}}નારદજીએ હસીને કહ્યું : 'મહારાજ ! હું તમને એ જ કહી રહ્યો હતો. કવિવ અને ચિત્રકાર અને એવા એવા કલાભક્તોએ સૌન્દર્ય રાણીને પોતપોતાના દિલમાં સંઘરી રાખી છે. એટલે હવે સત્યને કોણ સંધરે એ તમે જ કહો! ’ {{gap}}'એ જે હોય તે' ઇન્દ્રદેવે કહ્યું: ‘ પણ આપણે તો એને ત્યાં જવું છે. સત્ય સંઘરનારને ત્યાં. જોઈએ તો ખરા કે એણે શી રીતે આવા મહામોંઘા સત્યને જાળવ્યું છે. જે સત્યને ભલભલા નરપુંગવો પણ જાળવી શકયા નથી, તે સત્ય શી રીતે જળવાયુ છે !' '<noinclude></noinclude> cgloewoo3zptexsga7a4515qhsf3xqd પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૨ 104 73567 223991 223814 2026-08-07T16:07:41Z Amvaishnav 156 /* Proofread */ 223991 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}નારદજી ઈન્દ્રદેવને એક ઠેકાણે લઈ ગયા. ત્યાં પોળમાં અંધારું હતું. એક નાના નીચાઘાટના ઘરમાં વીજળીની બત્તી બળી રહી હતી. {{gap}}નારદજીએ ઈંદ્રદેવને ત્યાં ઊભા રાખ્યા, ને કહ્યું : ‘મહારાજ ! અંદર દૃષ્ટિ કરો, સત્ય આંહીં વસે છે !’ {{gap}}ઇન્દ્રદેવે અંદર દૃષ્ટિ કરી. પણ ત્યાં તો બેઠો બેઠો, એક નાનકડો, બિનઅનુભવી વિદ્યાર્થી જેવો છોકરડો, કાંઈક લખી રહ્યો હતો. {{gap}}ઈંદ્રદેવે નારદજીને કહ્યુ: ‘નારદજી ! આંહીં તો કાંઈ નથી ! ’ {{gap}}નારદજીએ કહ્યું : ‘મહારાજ ! એક છોકરો અંદર નથી ?’ {{gap}}'છોકરો તો છે, પણ સત્યને શું એ જાળવી રહ્યો છે?’ {{gap}}નારદજી હસીને મેલ્યા : ‘મહારાજ ! મારી કહેવાની વાત જુદી જ છે. સત્ય, હવે તો, બિનઅનુભવી વિદ્યાર્થીઓના નિબંધમાં માત્ર રહે છે ! એ છોકરો 'સત્ય' વિષે નિબંધ લખી રહ્યો છે, કારણ કે કાલે એની પરીક્ષા છે, ને એ નિબંધમાં પણ સત્ય નથી, કારણ કે એ પણ કોઈકના નિબંધમાંથી ઉતારો કરી રહ્યો છે ! {{gap}}'એટલે અત્યારે તો સત્ય, છોકરાઓના નિબંધમાં રહે છે ! ખીજે ક્યાંચ એનું સ્થાન નથી ! ’<noinclude></noinclude> 3lx1dj3lmbx7zex5nykf9iilewgdq9g પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૩ 104 73568 223992 223815 2026-08-07T16:19:26Z Amvaishnav 156 /* Proofread */ 223992 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''[૨૬]<br/> કમનસીબીને ઘોળી પીઓ'''</big> | }} <br/> {{gap}}'''<big>મ</big>હાન''' જર્મન કવિ ગઅટેની માતા બળવાન શક્તિ જેવી હતી. એને કોણ જાણે કેમ બાળપણથી જ એક અદ્ભુત વારસો મળ્યો હતો. આવો વારસો બહુ થોડાને મળે છે. આવો વારસો હોવો એ સદ્ભાગ્ય છે. પણ જો એ ન હોય તો એને મેળવવો એ વધુ મોટું સદ્ભાગ્ય છે. {{gap}}એ વારસો તે આ. ગઅટેની મા માનતી કે, દુનિયામાં ક્યાંય નિરાશા નથી. તે વસ્તુસ્થિતિને હંમેશાં એવી રીતે પકડતી. એક પગે લગડાને એમ કહેવાય કે ભાઈ, તારા જેવો સદ્ભાગી કાઈ નથી. તારો પાડોશી બે પગે લંગડો છે. એક અંગ્રેજ દંપતીની વાત છે કે, પરણ્યા પછી પુરુષને લડાઇમાં જવું પડ્યું. જ્યારે એ પાછો આવ્યો ત્યારે એણે પેાતાની સ્ત્રીને લંગડી થઈ ગયેલી જોઈ. માણસ સજ્જન હતો, એટલે પોતાના દુર્ભાગ્યને—એમ વિચારીને એ સહન કરી રહ્યો કે કદાચ હું લંગદો થયો હોત, તો એની પાસેથી જે સહાનુભૂતિની અપેક્ષા હું રાખત, એવી સહાનુભૂતિની અપેક્ષા, એ અત્યારે મારી પાસેથી રાખે એ સ્વાભાવિક્તા છે. આ પ્રમાણે એમનો નાનકડો<noinclude></noinclude> lvrwcvtqssu3i9297ef05zdp2vxlfir પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૪ 104 73569 223993 223816 2026-08-07T16:29:03Z Amvaishnav 156 /* Proofread */ 223993 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>સંસાર કોઈ જાતના ઘર્ષણ વિના ચાલ્યો તો ખરા ! {{gap}}પણ માણસનું મન અજબ્ જેવું છે. એમાં ઉપર ઉપરથી દેખાતી શાંતિમાં ને વિવેકમાં પણ, ઘણી વખત કડવાશ રહી શકે છે. એ કડવાશ અચાનક ભભૂકે છે, ને ત્યારે બધું ઉથલપાથલ કરી મૂકે છે, આ ભાઈએ મનમાં સમાધાન તો કરી લીધું, પણ એનું મન અસંતેાષમાં રહી ગયું. એને થયું કે એનો સંસાર બે રીતે બગડ્યો. એના સંસારમાં સુખ ન રહ્યું. કોઇ સંતાનને આમાં આવવાનું કહેવું એ પણ ઠીક ન હતું. એટલે નાનકડાં છોકરાં વિનાનો એ સંસાર ભયંકર રીતે શૂન્ય પણ હતો. {{gap}}એક વખત એવું બન્યું કે બન્ને ફરવા ગયાં. અકસ્માત વરસાદ આવ્યો. એટલે એમને એક ગરીબ ઝૂંપડામાં આધાર લેવો પડ્યો ! ત્યાં એમણે જોયું કે આંહીં, આ ગરીબીમાં પણ કાંઈક એવું હતું કે જેથી વાતાવરણમાં શાંતિ લાગતી હતી ! તેમણે એક નાનકડા, તંદુરસ્ત, રૂપાળા શિશુને આમ તેમ દોડતું જોયું. એમને બન્નેને એ વખતે લાગ્યુ કે આ શિશુને લીધે આંહીં એક પ્રકારની મીઠાશ વસી રહી છે ! બન્નેને અચાનક જ એ વિચાર આવ્યો કે, બાળક એ માતાપિતા બન્નેને વધારે સારી અને વધારે સાચી માનવતા શિખવાડવા માટેની કુદરતની એક શાળા જ છે ! {{gap}}એટલામાં એમની નજર ઘરધણી ઉપર પડી. તંદુરસ્ત જુવાન સુખી માણસ હતો. ગરીબ હતો, પણ ગરીબાઈમાં મરી ગયો ન હતો. ગરીબાઈ એને મારી શકે તેમ પણ ન હતું ! ગરીબાઈ ને જીરવી જીરવીને પણ જીવન ઘડી શકાય, એમ કહેવા માટે જ જાણે એ હતો. {{gap}}પણ એની સ્ત્રી ? ફરવા આવનારા બન્નેને નવાઈ લાગી. એ અપંગ હતી. કોઈનાકહ્યા વિના જ આ વસ્તુસ્થિતિની<noinclude></noinclude> okdicoj0sjyglfl7hkodnmzo8ibu1ev પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૫ 104 73570 223994 223817 2026-08-07T16:45:27Z Amvaishnav 156 /* Proofread */ 223994 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|કમનસીબીને ધેાળી પીઓ !||૧૧૭}}<hr>'''</noinclude>ઊંડી અસર ફરવા આવનાર દંપતી ઉપર થઈ ગઈ. {{gap}}ત્યાર પછી જ્યારે એ ઘેર પાછાં ફર્યાં ત્યારે એમને લાગ્યું કે એમના જીવનમાંથી અરધો અસંતોષ દૂર થઇ ગયો હતો. {{gap}}એના કારણમાં એમણે જોયેલું પેલું ગરીબનું જીવન હતું ! {{gap}}કારણ કે કેવળ પુસ્તકોમાં નહિ, કોઈના જીવનમાં પણ ડોકિયું કરીને, માણસ ધારે, તો પોતાને માટે ઘણુંં મેળવી શકે છે ! {{gap}}ગઅટેની માતા કહેતી કે જે કમનસીબી મારી પાસે આવે છે તેને જોવા હું થોભતી નથી. જોવા ઊભા રહીએ તો એનો પડછાયો મોટો ને મોટો થતો જાય છે ! પણ જો એને ઘોળીને પી જઇએ, તો થોડીવારમાં એ અદૃશ્ય થઈ જાય છે ! એટલું જ નહિ, બીજી જ દિશા જાણે ઊઘડતી લાગે છે ! {{gap}}એણે જીવનમાં એક સિદ્ધાંત સ્થાપ્યો હતો. દોષ વિનાનો કોઈ ગુણ નથી. એમાંથી માત્ર ગુણ લેવા. દોષને છોડી દેવો. એનુ કહેવાનુ એમ હતું કે દોષને સુધારવાનું કામ ઈશ્વર ઉપર છેડી દેવું. ગુણને પકડી લેવાનું કામ આપણે કરવું. {{gap}}પ્રસંગો ઘણી વખત આપણા માગ્યા આવતા નથી. એમ લાગે છે કે પ્રસંગો આપણને શોધતા રહે છે. એટલા માટે જ્યારે એ આવે ને એમને, એમ ને એમ સ્વીકાર્યા વિના છૂટકો ન હોય, ત્યારે ઓછામાં ઓછી ફરિયાદ કરવાથી વધારેમાં વધારે સારો માર્ગ મેળવી શકાય. {{gap}}એક દિવસ એક દર્દીને ત્યાં જવાનો પ્રસંગ આવ્યો. {{gap}}સામાન્ય રીતે લાંબો મંદવાડ એ ફરિયાદોનું ધામ થઈ જાય છે. લાંબા મંદવાડને દરેક વસ્તુ અઘટિત લાગે છે ! {{gap}}પણ જ્યારે એ દર્દી પાસેથી ઊઠવાનો વખત થયો ને બહાર નીકળ્યા ત્યારે લાગ્યું કે એક અત્યંત શાંતિભર્યા સ્થાનમાં<noinclude></noinclude> ov7rmnpt91g7ihgdl8s0pr5cbyb90h9 223995 223994 2026-08-07T16:45:52Z Amvaishnav 156 223995 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|કમનસીબીને ઘોળી પીઓ !||૧૧૭}}<hr>'''</noinclude>ઊંડી અસર ફરવા આવનાર દંપતી ઉપર થઈ ગઈ. {{gap}}ત્યાર પછી જ્યારે એ ઘેર પાછાં ફર્યાં ત્યારે એમને લાગ્યું કે એમના જીવનમાંથી અરધો અસંતોષ દૂર થઇ ગયો હતો. {{gap}}એના કારણમાં એમણે જોયેલું પેલું ગરીબનું જીવન હતું ! {{gap}}કારણ કે કેવળ પુસ્તકોમાં નહિ, કોઈના જીવનમાં પણ ડોકિયું કરીને, માણસ ધારે, તો પોતાને માટે ઘણુંં મેળવી શકે છે ! {{gap}}ગઅટેની માતા કહેતી કે જે કમનસીબી મારી પાસે આવે છે તેને જોવા હું થોભતી નથી. જોવા ઊભા રહીએ તો એનો પડછાયો મોટો ને મોટો થતો જાય છે ! પણ જો એને ઘોળીને પી જઇએ, તો થોડીવારમાં એ અદૃશ્ય થઈ જાય છે ! એટલું જ નહિ, બીજી જ દિશા જાણે ઊઘડતી લાગે છે ! {{gap}}એણે જીવનમાં એક સિદ્ધાંત સ્થાપ્યો હતો. દોષ વિનાનો કોઈ ગુણ નથી. એમાંથી માત્ર ગુણ લેવા. દોષને છોડી દેવો. એનુ કહેવાનુ એમ હતું કે દોષને સુધારવાનું કામ ઈશ્વર ઉપર છેડી દેવું. ગુણને પકડી લેવાનું કામ આપણે કરવું. {{gap}}પ્રસંગો ઘણી વખત આપણા માગ્યા આવતા નથી. એમ લાગે છે કે પ્રસંગો આપણને શોધતા રહે છે. એટલા માટે જ્યારે એ આવે ને એમને, એમ ને એમ સ્વીકાર્યા વિના છૂટકો ન હોય, ત્યારે ઓછામાં ઓછી ફરિયાદ કરવાથી વધારેમાં વધારે સારો માર્ગ મેળવી શકાય. {{gap}}એક દિવસ એક દર્દીને ત્યાં જવાનો પ્રસંગ આવ્યો. {{gap}}સામાન્ય રીતે લાંબો મંદવાડ એ ફરિયાદોનું ધામ થઈ જાય છે. લાંબા મંદવાડને દરેક વસ્તુ અઘટિત લાગે છે ! {{gap}}પણ જ્યારે એ દર્દી પાસેથી ઊઠવાનો વખત થયો ને બહાર નીકળ્યા ત્યારે લાગ્યું કે એક અત્યંત શાંતિભર્યા સ્થાનમાં<noinclude></noinclude> aqnd57bq3lt3sakdp2nbejptayx3px7 સભ્યની ચર્ચા:APURVA D PATEL 3 73626 223996 2026-08-08T03:18:52Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 223996 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=APURVA D PATEL}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૮:૪૮, ૮ ઓગસ્ટ ૨૦૨૬ (IST) 266krnful5xi09ry6xu54nqp3cyxcgm