વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.14
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૧
104
73566
224010
223990
2026-08-10T15:51:45Z
Snehrashmi
2103
/* Validated */
224010
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|સત્યનું સ્થાન !||૧૧૩}}<hr>'''</noinclude>{{gap}}‘ક્યાં વસવું ફાવે તેમ છે?’
{{gap}}‘એ વિષે જૂના વખતની એક વાત છે. બ્રહ્માએ એક વખત સૌન્દર્યની રાણી સરજી. પણ સુંદરતાના તમામ નિયમો પાળવાના આગ્રહમાં એ મૂર્તિ એવી સુંદર થઈ કે ન પૂછો વાત ! પણ જો એને કોઈનો પણ હાથ અડે, તો એ તરત હવા બની જાય ! અરે હાથ શું, કોઈની નજર પડે કે હવા !
{{gap}}‘એટલે એ સુંદરતાની અનુપમ મૂર્તિ ને છેવટે ક્યાં મૂકવી એ બ્રહ્મા માટે પ્રશ્ન થઈ પડ્યો. એમણે એ સૌન્દર્યમૂર્તિ ને છેવટે કોઈ કલાકારના હૃદયમાં મૂકી દીધી.
{{gap}}‘એટલે એ અમર બની ગઈ. અને જ્યારે જ્યારે દુનિયા અસુંદરતાથી ત્રાસી જાય, ત્યારે કોઈ ને કોઈ કલાકારના અરણ્યરુદનમાંથી એ જીવંત થતી રહી ! એને જીવંત કરવા માટે કલાકારનું દિલ જોઈએ !’
{{gap}}ઈંદ્રદેવે ઉતાવળે ઉતાવળે કહ્યું, ‘અરે, એ તો ઠીક, પણ સત્યનું સ્થાન ક્યાં છે નારદજી ! ચાલો ને, આપણે એની વાત કરીએ ને આપણે એને જ જોવા જઈએ !’
{{gap}}નારદજીએ હસીને કહ્યું : ‘મહારાજ ! હું તમને એ જ કહી રહ્યો હતો. કવિ અને ચિત્રકાર અને એવા એવા કલાભક્તોએ સૌન્દર્ય રાણીને પોતપોતાના દિલમાં સંઘરી રાખી છે. એટલે હવે સત્યને કોણ સંઘરે એ તમે જ કહો!’
{{gap}}‘એ જે હોય તે’ ઇન્દ્રદેવે કહ્યું: ‘પણ આપણે તો એને ત્યાં જવું છે. સત્ય સંઘરનારને ત્યાં. જોઈએ તો ખરા કે એણે શી રીતે આવા મહામોંઘા સત્યને જાળવ્યું છે. જે સત્યને ભલભલા નરપુંગવો પણ જાળવી શક્યા નથી, તે સત્ય શી રીતે જળવાયુ છે !’
{{nop}}<noinclude></noinclude>
i9elmmkqhst2q45naclosiznusqitnv
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૨
104
73567
224011
223991
2026-08-10T15:59:46Z
Snehrashmi
2103
/* Validated */
224011
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}નારદજી ઈન્દ્રદેવને એક ઠેકાણે લઈ ગયા. ત્યાં પોળમાં અંધારું હતું. એક નાના નીચાઘાટના ઘરમાં વીજળીની બત્તી બળી રહી હતી.
{{gap}}નારદજીએ ઈંદ્રદેવને ત્યાં ઊભા રાખ્યા, ને કહ્યું : ‘મહારાજ ! અંદર દૃષ્ટિ કરો, સત્ય આંહીં વસે છે !’
{{gap}}ઇન્દ્રદેવે અંદર દૃષ્ટિ કરી. પણ ત્યાં તો બેઠો બેઠો, એક નાનકડો, બિનઅનુભવી વિદ્યાર્થી જેવો છોકરડો, કાંઈક લખી રહ્યો હતો.
{{gap}}ઈંદ્રદેવે નારદજીને કહ્યું: ‘નારદજી ! આંહીં તો કાંઈ નથી !’
{{gap}}નારદજીએ કહ્યું : ‘મહારાજ ! એક છોકરો અંદર નથી ?’
{{gap}}‘છોકરો તો છે, પણ સત્યને શું એ જાળવી રહ્યો છે?’
{{gap}}નારદજી હસીને બોલ્યા : ‘મહારાજ ! મારી કહેવાની વાત જુદી જ છે. સત્ય, હવે તો, બિનઅનુભવી વિદ્યાર્થીઓના નિબંધમાં માત્ર રહે છે ! એ છોકરો ‘સત્ય’ વિષે નિબંધ લખી રહ્યો છે, કારણ કે કાલે એની પરીક્ષા છે, ને એ નિબંધમાં પણ સત્ય નથી, કારણ કે એ પણ કોઈકના નિબંધમાંથી ઉતારો કરી રહ્યો છે !
{{gap}}‘એટલે અત્યારે તો સત્ય, છોકરાઓના નિબંધમાં રહે છે ! બીજે ક્યાંય એનું સ્થાન નથી !’<noinclude></noinclude>
fo4rpffe11qa5joa6kh8ci7uxnih503
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૩
104
73568
224012
223992
2026-08-10T16:01:41Z
Snehrashmi
2103
/* Validated */
224012
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૨૬]<br/> કમનસીબીને ઘોળી પીઓ'''</big> | }}
<br/>
{{gap}}'''<big>મ</big>હાન''' જર્મન કવિ ગઅટેની માતા બળવાન શક્તિ
જેવી હતી. એને કોણ જાણે કેમ બાળપણથી જ એક અદ્ભુત વારસો મળ્યો હતો. આવો વારસો બહુ થોડાને મળે છે. આવો વારસો હોવો એ સદ્ભાગ્ય છે. પણ જો એ ન હોય તો એને મેળવવો એ વધુ મોટું સદ્ભાગ્ય છે.
{{gap}}એ વારસો તે આ. ગઅટેની મા માનતી કે, દુનિયામાં ક્યાંય નિરાશા નથી. તે વસ્તુસ્થિતિને હંમેશાં એવી રીતે પકડતી. એક પગે લંગડાને એમ કહેવાય કે ભાઈ, તારા જેવો સદ્ભાગી કોઈ નથી. તારો પાડોશી બે પગે લંગડો છે. એક અંગ્રેજ દંપતીની વાત છે કે, પરણ્યા પછી પુરુષને લડાઇમાં જવું પડ્યું. જ્યારે એ પાછો આવ્યો ત્યારે એણે પોતાની સ્ત્રીને લંગડી થઈ ગયેલી જોઈ. માણસ સજ્જન હતો, એટલે પોતાના દુર્ભાગ્યને—એમ વિચારીને એ સહન કરી રહ્યો કે કદાચ હું લંગડો થયો હોત, તો એની પાસેથી જે સહાનુભૂતિની અપેક્ષા હું રાખત, એવી સહાનુભૂતિની અપેક્ષા, એ અત્યારે મારી પાસેથી રાખે એ સ્વાભાવિકતા છે. આ પ્રમાણે એમનો નાનકડો<noinclude></noinclude>
9zf4795gmoptollxuhy9lwenz6yq78d
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૪
104
73569
224013
223993
2026-08-10T16:03:14Z
Snehrashmi
2103
/* Validated */
224013
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>સંસાર કોઈ જાતના ઘર્ષણ વિના ચાલ્યો તો ખરો !
{{gap}}પણ માણસનું મન અજબ જેવું છે. એમાં ઉપર ઉપરથી દેખાતી શાંતિમાં ને વિવેકમાં પણ, ઘણી વખત કડવાશ રહી શકે છે. એ કડવાશ અચાનક ભભૂકે છે, ને ત્યારે બધું ઉથલપાથલ કરી મૂકે છે, આ ભાઈએ મનમાં સમાધાન તો કરી લીધું, પણ એનું મન અસંતોષમાં રહી ગયું. એને થયું કે એનો સંસાર બે રીતે બગડ્યો. એના સંસારમાં સુખ ન રહ્યું. કોઇ સંતાનને આમાં આવવાનું કહેવું એ પણ ઠીક ન હતું. એટલે નાનકડાં છોકરાં વિનાનો એ સંસાર ભયંકર રીતે શૂન્ય પણ હતો.
{{gap}}એક વખત એવું બન્યું કે બન્ને ફરવા ગયાં. અકસ્માત વરસાદ આવ્યો. એટલે એમને એક ગરીબ ઝૂંપડામાં આધાર લેવો પડ્યો ! ત્યાં એમણે જોયું કે આંહીં, આ ગરીબીમાં પણ કાંઈક એવું હતું કે જેથી વાતાવરણમાં શાંતિ લાગતી હતી ! તેમણે એક નાનકડા, તંદુરસ્ત, રૂપાળા શિશુને આમ તેમ દોડતું જોયું. એમને બન્નેને એ વખતે લાગ્યું કે આ શિશુને લીધે આંહીં એક પ્રકારની મીઠાશ વસી રહી છે ! બન્નેને અચાનક જ એ વિચાર આવ્યો કે, બાળક એ માતાપિતા બન્નેને વધારે સારી અને વધારે સાચી માનવતા શિખવાડવા માટેની કુદરતની એક શાળા જ છે !
{{gap}}એટલામાં એમની નજર ઘરધણી ઉપર પડી. તંદુરસ્ત જુવાન સુખી માણસ હતો. ગરીબ હતો, પણ ગરીબાઈમાં મરી ગયો ન હતો. ગરીબાઈ એને મારી શકે તેમ પણ ન હતું ! ગરીબાઈ ને જીરવી જીરવીને પણ જીવન ઘડી શકાય, એમ કહેવા માટે જ જાણે એ હતો.
{{gap}}પણ એની સ્ત્રી ? ફરવા આવનારા બન્નેને નવાઈ લાગી. એ અપંગ હતી. કોઈના કહ્યા વિના જ આ વસ્તુસ્થિતિની<noinclude></noinclude>
9zt3hpcc07gk26vdootbjxffv0iapcm
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૫
104
73570
224014
223995
2026-08-10T16:04:27Z
Snehrashmi
2103
/* Validated */
224014
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|કમનસીબીને ઘોળી પીઓ !||૧૧૭}}<hr>'''</noinclude>ઊંડી અસર ફરવા આવનાર દંપતી ઉપર થઈ ગઈ.
{{gap}}ત્યાર પછી જ્યારે એ ઘેર પાછાં ફર્યાં ત્યારે એમને લાગ્યું કે એમના જીવનમાંથી અરધો અસંતોષ દૂર થઇ ગયો હતો.
{{gap}}એના કારણમાં એમણે જોયેલું પેલું ગરીબનું જીવન હતું !
{{gap}}કારણ કે કેવળ પુસ્તકોમાં નહિ, કોઈના જીવનમાં પણ ડોકિયું કરીને, માણસ ધારે, તો પોતાને માટે ઘણુંં મેળવી શકે છે !
{{gap}}ગઅટેની માતા કહેતી કે જે કમનસીબી મારી પાસે આવે છે તેને જોવા હું થોભતી નથી. જોવા ઊભા રહીએ તો એનો પડછાયો મોટો ને મોટો થતો જાય છે ! પણ જો એને ઘોળીને પી જઇએ, તો થોડીવારમાં એ અદૃશ્ય થઈ જાય છે ! એટલું જ નહિ, બીજી જ દિશા જાણે ઊઘડતી લાગે છે !
{{gap}}એણે જીવનમાં એક સિદ્ધાંત સ્થાપ્યો હતો. દોષ વિનાનો કોઈ ગુણ નથી. એમાંથી માત્ર ગુણ લેવા. દોષને છોડી દેવો. એનુ કહેવાનું એમ હતું કે દોષને સુધારવાનું કામ ઈશ્વર ઉપર છોડી દેવું. ગુણને પકડી લેવાનું કામ આપણે કરવું.
{{gap}}પ્રસંગો ઘણી વખત આપણા માગ્યા આવતા નથી. એમ લાગે છે કે પ્રસંગો આપણને શોધતા રહે છે. એટલા માટે જ્યારે એ આવે ને એમને, એમ ને એમ સ્વીકાર્યા વિના છૂટકો ન હોય, ત્યારે ઓછામાં ઓછી ફરિયાદ કરવાથી વધારેમાં વધારે સારો માર્ગ મેળવી શકાય.
{{gap}}એક દિવસ એક દર્દીને ત્યાં જવાનો પ્રસંગ આવ્યો.
{{gap}}સામાન્ય રીતે લાંબો મંદવાડ એ ફરિયાદોનું ધામ થઈ જાય છે. લાંબા મંદવાડને દરેક વસ્તુ અઘટિત લાગે છે !
{{gap}}પણ જ્યારે એ દર્દી પાસેથી ઊઠવાનો વખત થયો ને બહાર નીકળ્યા ત્યારે લાગ્યું કે એક અત્યંત શાંતિભર્યા સ્થાનમાં<noinclude></noinclude>
6b2zqm0759469mual0v0wqxsx1igplw
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૬
104
73571
224015
223997
2026-08-10T16:05:43Z
Snehrashmi
2103
/* Validated */
224015
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૧૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>બેસવાનુ થયું હતું !
{{gap}}ગઅટેની માતાના શબ્દો યાદ રાખવા જેવા છે, ‘જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે વધારે મુશ્કેલી ન આવ્યાનો ખ્યાલ કરો, અને તમને એક આશ્ચર્યોનું આશ્ચર્ય જોવા મળશે ! તમારા જ અંતરમાંથી આશ્વાસન અને આનંદનો સ્તંભ ઊભો થશે ! કારણકે તમારા હૃદયમાં ખરી રીતે તે એ સિવાય બીજું કાંઈ જ રહેતું નથી !’ કોઈ પણ દિવસ ‘આનો અંત જ નહિ આવે’ એમ બોલો નહિ. દરેક વસ્તુનો અંત આવે જ છે. એ કુદરતનો નિયમ છે. નેપોલિયનનુ નાનકડું શરીર જોઈ ને એની શાળાના જ ઘણા લશ્કરી મિત્રો એની આ પસંદગી માટે આશ્ચર્ય બતાવતા ! પણ જે વજ્જર નિશ્ચય હૃદયમાં રહે છે, એ જ સૌથી બળવાન છે. મુશ્કેલીઓને પણ એવા નિશ્ચયથી જ જીતી શકાય છે.
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
htu4e31m9p3hre8f10zja8493h7c8i9
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૭
104
73572
224016
223998
2026-08-10T16:06:57Z
Snehrashmi
2103
/* Validated */
224016
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[ ૨૭ ] <br/> વર્ષો થયાં '''</big> | }}
<br/>
{{gap}}'''<big>વ</big>ર્ષો''' થયાં, હું એવા માણસને શોધું છું, જેની પાસે મૃત્યુ વિષે કાંઈક નિર્ણયાત્મક સંશોધન હોય !
{{gap}}જેણે મૃત્યુ વિષે અમુક ચોક્કસ પ્રકારનો નિર્ણય બાંધ્યો હોય, અને એનો એ નિર્ણય પોતાના મનોમંથનમાંથી એને પ્રાપ્ત થયો હોય.
{{gap}}પણ જેને જેને મેં મૃત્યુ વિષે પૂછ્યું તેણે તેણે કહ્યું કે એ એક જ વિષય એવો છે, જેના વિષે કોઇ જ કાંઈ જાણતું નથી. અને છતાં અનિવાર્ય રીતે, એ એક દિવસ દરેકને મળવા આવવાનું છે.
{{gap}}એક અત્યંત આશાવાદી માણસે મને એમ કહ્યું કે મૃત્યુ વિષે વિચાર ન કરવાથી, જાણે કે એ આવવાનું જ ન હોય એવું તમને લાગશે ! અને આપણી આ ટૂંકી જિંદગી માટે મનનો એટલો વિસામો તો બસ છે !
{{gap}}બીજા એકને મળ્યો. તે તદ્દન નિરાશાવાદી હતો. તેણે મને કહ્યું : ‘અરે ભાઈ ! જવા દે ને મૃત્યુની વાત ! એક તો આંહી જ્યાં રહેવા ખાવાનાં ઠેકાણાં નથી, ત્યાં મૃત્યુની વાત કરવી<noinclude></noinclude>
064t1o95c8gr7bbvymgw55dfdk8z8kp
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૮
104
73573
224017
224001
2026-08-10T16:08:18Z
Snehrashmi
2103
/* Validated */
224017
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>એ જ મૂરખાઈ નથી ? આ જ મૃત્યુ છે એમ સમજી લે ને!’
{{gap}}હવે મરવાનું મન તો મને પણ છે. જો કોઈક એવું વરદાન આપવા આવે, કે તારે આંહી હમેશાં જ રહેવાનું છે, તો હું બે હાથ જોડીને માગી લઉં કે ના ભગવાન ! મારે જવાનું છે એટલું તો નિશ્ચિત રાખો. પછી ભલે લાંબે ગાળે જવાનું હોય !
{{gap}}પણ મૃત્યુ જ્યારે અનિવાર્ય જ છે ને એ આવવાનું છે એ ચોક્કસ છે, તો એની ખરી મજા, માણસને ત્યારે મળે, જ્યારે એ એની ઇચ્છેલી રીતે મૃત્યુ પામે. તો એને મૃત્યુનો દંશ લાગે નહિ. અને એ પણ એક આનંદ અવસ્થા હોય તેવું જણાય. મારી ઈચ્છેલી રીતે મને મૃત્યુ મળે તો ખરેખર એ એક પ્રકારની આનંદછટા આપી જાય !
{{gap}}ડાહ્યા, મૂર્ખ, અનુભવી, પંડિત, સાધુ, સંન્યાસી, જોગી, જતિ, કોઈ કહેતાં કોઈ, જ્યારે મૃત્યુ વિષે કાંઈ કહી શકતા નથી, અને મૃત્યુ વિષે કાંઈ જ સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકતો નથી, ત્યારે એના વિષેની વાત કરવી નકામી છે એમ ગણીને, કેવી રીતે મરવું ગમે, એની જ કલ્પના ન કરીએ ?
{{gap}}એ કલ્પના પ્રમાણે, ઘણાને સંભવિત છે કે રણક્ષેત્રમાં મરવું ગમે. હવે એ બહુ રસનો વિષય રહ્યો નથી લાગતો, છતાં આવેશમાં માણસ કોઈક વખત જુદ્ધમાં મરવાને મોટું માન ગણે. ઘણા એમ ગણે પણ છે. પણ મારી કલ્પનાને એવું ઐચ્છિક મૃત્યુ ન ગમે.
{{gap}}કેટલાક કાર્ય તલ્લીન માણસો પોતે પોતાના કામમાં હોય ને છેલ્લી પળ આવી પહોંચે, ને એમને ભલે ઉપાડી જાય, એમ ઈચ્છે છે. એમની એ કાર્ય પરાયણતા માટે ઘણું માન છતાં, એવી રીતે ઊપડી જવાનું મને ગમતું નથી ! અમારા એક પડોશી<noinclude></noinclude>
s6wb62kiaalkpxjz16z68pm5ltg3tp2
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૩
104
73580
224024
224007
2026-08-10T16:24:51Z
Snehrashmi
2103
/* Validated */
224024
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|સિંહ અને પતંગિયું !||૧૨૫}}<hr>'''</noinclude>તેમ જ ભયંકરમાંનો ભયંકર હવાને પણ વધાવી લે છે ! એના નાજુક દેહને હવા પાડી દેશે, તો એ શરમ હવાની ગણાશે: પોતાને શું? હવાથી ડરીને એ ઘર નહિ શોધે ! એને તો રંગ, રૂપ, પ્રકાશ, હવા, ફૂલ એમાં ફરતા રહેવાનો સંદેશો જ મળ્યો છે. એ પોતાનો સંદેશો ભયાનક હવા સોંસરવો પણ વહી રહે છે. એના રૂપનો, રંગનો, શોભા, નાજુકતાનો પાર નહિ અને આ કાર્યપરાયયણતાનો પણ પાર નહિ ! એટલે તો એ ખડકનું ફૂલ કહેવાય છે !
{{gap}}અને નાનું નાજુક રંગરંગીન ફૂલ હોય એવું એ, જ્યારે હવામાં ઊડે છે, ત્યારે ત્યાં પણ કોઈ સ્થળે એ ઠરી ઠામ બેસીને, મોહભરી ઘરની ઘેલછામાં પડતું જ નથી. એનું ઘર તો જુઓ !
{{gap}}હવા જ જાણે એનું ઘર !
{{gap}}સિંહ તો ભયાનક હવાથી ત્રાસી ઊઠશે. પ્રકાશ દેખીને ભડકી જાશે. ગુફામાં ને કાં ઢુવામાં ઊંઘ સિવાય જીવનનો બીજો કોઈ આનંદ નહિ, એવી સ્થિતિમાં દિવસો ગાળશે ! એની પાસે કુદરતને કંઈક આભરણથી ભરી દેતો એવો કોઈ રંગરંગીન શણગાર નહિ. એની બીકનો પાર નહિ. અંધારા સિવાય એને મજા નહિ.
{{gap}}એની તુલનામાં એક કે બે ક્ષણનું જીવન ગાળતું પતંગિયુ એ બે ક્ષણમાં તો કેટલાં વીરકાવ્યો લખી જાય છે ! હવાની લેરખીમાં એ પોતાની જાતને જાણે કે તરવા દેતું હોય તેમ આમ તેમ મોજથી ફર્યા જ કરે છે. જાણે કે એ પળેપળમાં ને રજેરજમાં આનંદ જ દેખતું હોય !
{{gap}}અને ભય .... ? પતંગિયા જેટલું નિર્ભય કોણ છે? પ્રકાશની સોંસરવું નીકળી જઈને નવો ફૂલશણગાર સજી<noinclude></noinclude>
82ly9bb4qd5j2khsgnexzvh56tv2dl3
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૨૯
104
73581
224019
224002
2026-08-10T16:19:30Z
Snehrashmi
2103
/* Validated */
224019
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વર્ષો થયાં||૧૨૧}}<hr>'''</noinclude>કહેતા હતા કે એમને તો સવારમાં ‘કૉફ઼ી’નો પ્યાલો આવ્યો હોય, કુટુંબીજન બધાં ભેગાં થયાં હોય, વાતોચીતો ગપ્પાં ચાલતાં હોય ને એ કૉફીના પ્યાલાને અંતે, શાંત ઝોકા સમું મૃત્યુ મળી જાય તો બસ ! એમના જીવનનું એ સ્વપ્ન હતું. જો કે પછી એ તો ત્રીજે માળેથી પડીને મર્યા. પણ એમનું સુંદર સ્વપ્ન યાદ રહી ગયું છે. એ સુંદર છતાં ‘ભિન્ન રુચિર્હિ લોકા:’ એ ઉક્તિ પ્રમાણે, એ એક અભિપ્સિત વસ્તુ તરીકે મારે માટે રહી શક્યું નથી. એમ જવામાં પણ મજા હશે, ખાસ કરીને જનારને માટે, પણ આમ જવાનું થશે, એમ જો નિશ્ચિત રીતે કોઈ કહે તો સોમાંથી નવાણું પૂર્ણાંક નવ દશાંશ, એવું તૈયારી વિનાનું મૃત્યુ નહિ ઈચ્છે. એ સત્ય ન હોય તો પણ આ મૃત્યુ ઈચ્છવા જેવું નથી લાગ્યું !
{{gap}}કેટલાકને સૌ આપ્તજનોની હાજરીમાં ઠીક લંબાણમાં પડેલા મંદવાડને અંતે મૃત્યુ આવે એ ગમે. કારણ કે તેથી સૌની સાથે છૂટથી વાતચીતો કરી લીધાનો લહાવો મળે. તો બીજા કેટલાક ટૂંકા મંદવાડને અંતે મૃત્યુ આવે એમ ઇચ્છે છે ! કોઈક વળી એમ પણ માને છે કે મંદિરમાં દર્શન કરવા જઈએ ને ઠેશ વાગે ને ત્યાં જ રામ રમી જાય તો જીવન ધન્ય થઈ ગયું કહેવાય.
{{gap}}કોઈકને એમ ઈચ્છા હોય છે કે કુટુંબમાં કોઈ કરુણ અવસાન થવાનું હોય, તોએ દેખ્યા વિના એમ ને એમ જવાનું થાય એટલે બસ ! આડી વાડી બધી સલામત જોઈને જવાનું થાય એ ઈચ્છા તો લગભગ બધા જ વૃદ્ધોની જણાય છે.
{{gap}}પંડિત સોલને રાજા સાઈરસને સુખદ જીવનની વાત કહી ત્યારે એમાં એણે એક્ડી ડોશીમાની વાત કરી હતી.
{{nop}}<noinclude></noinclude>
msfo1lc48z5iktztkez8vb4prlmc5qb
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૦
104
73582
224020
224003
2026-08-10T16:21:30Z
Snehrashmi
2103
/* Validated */
224020
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}એ બન્ને ડોશીમાને જાત્રા કરાવી આવ્યા. પછી ઘેર આવ્યા. સૌ રાત્રે હળીમળીને આનંદમાં વાતો કરતા બેઠા. અને આનંદવિનોદમાં સૂઈ ગયા તે સૂઈ ગયા !
{{gap}}પંડિત સોલને કહ્યું કે આ સુખદમાં સુખદ જીવનનો સુખદમાં સુખદ અંત હતો !
{{gap}}પણ, તે છતાં આવી કોઈ રીતે મૃત્યુ આવે એ મારી કલ્પનાને ગમતું નથી.
{{gap}}ત્યાં એક જૂદી જ વાત બેઠી છે. પાંડવો હિમાળો ગળવા ગયા એ લોકોક્તિએ વર્ષોથી મારા દિલનો એક છાનો ખૂણો કબજે કરી લીધો છે. કથાકાર જ્યારે જ્યારે એક પછી એક, હિમાચળ ચડતા પાંડવને આલેખતો, ત્યારે ત્યારે મારું મન જાણે હિમાચળને પ્રત્યક્ષ જોતું હોય, અને એનો વિશાળ ઊંચે જતા પટ ઉપર લાકડીને ટેકે ટેકે ધીમે ધીમે ચાલ્યા જતા ચાર પાંચ મનુષ્ય દેખાતાં હોય, તેમ એ વર્ણન આવતાં, એક પળભર નેત્રો મીંચાઈ જતાં હૃદય કોણ જાણે ક્યાંથી–પોતાનામાંથી જ–એ વખતે, એક મધુર વેદના ભરેલી સુગંધી બંસી શોધી લાવતું. અને એના ધીમે ધીમે લુપ્ત થતા સ્વરમાં એ પણ સાથે સાથે જ જાણે ઊડી જતું !
{{gap}}વર્ષો પહેલાં એ અનુભવાતું અને પછી ઘણી વખત અનુભવાતું. આજ પણ એ જ અનુભવ હજી જાણે ત્યાં બેઠો છે !
{{gap}}એમ કહેવાય છે કે હિમાચળમાં સત્તર હજાર ફૂટની ઊંચાઈ એ તો કડક ચાનું પાન પણ શરીરને જાણે જોઇતું નથી ! એને જાણે કે પછી કાંઈ જ જોઈતું નથી ! ખોરાક જેમ ઘટતો જાય છે તેમ ઊંઘ પણ જરૂરી જણાતી નથી. વીસ હજારની ઊંચાઈએ ચાર કલાકની નિંદ્રા તો ઘણી થઈ રહે છે. ત્રેવીસ<noinclude></noinclude>
ocbavqkih6pb98mk0ym8ad68iv5x828
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૧
104
73583
224021
224005
2026-08-10T16:22:09Z
Snehrashmi
2103
/* Validated */
224021
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|વર્ષો થયાં||૧૨૩}}<hr>'''</noinclude>હજારે, એક કલાક, બસ લાગે છે ! આ ઉપરથી અનુમાન કરાય કે વધારે ઊંચે જતાં ઊંઘની કે ખોરાકની કોઈની જરૂરિયાત દેહને રહેતી જ નહિ હાય ! પછીની હવામાં સ્વરોની હેલી રહેતી હશે ! મને ઘણી વખત એમ થાય છે કે એટલી ઊંચાઈએ જવાનું શક્ય અને, અને ત્યાંની હવા સાથેના તાનમાં, દેહ પણ ધીમે ધીમે હવા થઈને હવામાં મળી જાય એવું થાય, કે ત્યાંના હજારો માઈલોની મુસાફરી ખેડતા સ્વરો સાથે એ સ્વરમૈત્રીમાં પડી જાય . . એક સ્વર થઈને હવામાં વિચરવા મંડી જાય . . સુખદમાં સુખદ મૃત્યુ આ છે !
{{gap}}આ બધું અશક્ય છે એ ખરું, પણ અશક્યની કલ્પનામાં જે આનંદ છે તે શક્યની સિદ્ધિમાં છે ખરો ?
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
cy2jqam2pc1jt2trjqmypakvnotzoh9
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૨
104
73584
224023
224006
2026-08-10T16:23:08Z
Snehrashmi
2103
/* Validated */
224023
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૨૮] <br/> સિંહ અને પતંગિયું !'''</big> | }}
<br/>
{{gap}}'''<big>એ</big>ક''' વખત મને વળી આ બેની સરખામણી કરવાનું મન થઈ આવ્યું. અને મારું મન આશ્ચર્યમાં ડૂબી ગયું કે લોકો જેને બહાદુરમાં બહાદુર ગણે છે તે સિંહ પતંગિયાની તુલનામાં ખરી રીતે નબળામાં નબળો હોય છે ! કરોળિયાની તુલનામાં એને ઘણાયે નબળો ગણ્યો છે, પણ આ તો પતંગિયું !
{{gap}}સિંહ અને પતંગિયામાં, બળવાન પતગિયું છે. સિંહ નબળો છે.
{{gap}}પતંગિયાનું જીવન કેટલું ક્ષણિક છે ! અને છતાં એ ક્ષણની પણ સૂક્ષ્મ ક્ષણમાં, એ એટલી તો રંગદર્શી આનંદ હવા પ્રગટાવી જાય છે કે કોઈ ને એમ જ લાગે કે જાણે એ પતંગિયું નથી, પણ રંગીન હવા જ છે ! અને વાતાવરણના જે ફેરફારમાં એ પોતાની જાતને તરતી રાખે છે, એવા ફેરફારમાં બીજાં કંઈક બળવાન પ્રાણીઓ તો નરમઘેંશ થઈ ને કોણ જાણે ક્યાંનાં ક્યાં ભરાઈ બેસે છે.
{{gap}}પતંગિયું તો જેમ ઉષાની આનંદમોહનીને વધાવે છે<noinclude></noinclude>
hjs61vjhhoc6pojmj7bbz1n0do5x89u
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૪
104
73585
224038
224008
2026-08-11T03:29:47Z
Snehrashmi
2103
/* Validated */
224038
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨૬||તેજબિંદુ}}<hr>'''</noinclude>લેવાની એની મહેચ્છાને કેટલાક મોહ ગણે છે ને કેટલાક મૂર્ખાઈ માને છે, પણ જીવનને એક ક્ષણને માટે અદ્ભુત રીતે જીવી જવામાં જે બહાદુરી છે, એ વર્ષોં સુધી લંબાતા અને ‘સલામતીની શોધમાં’ ફરતા જીવનમાં નથી, એટલી સાદી વાત દુનિયા ક્યારે સમજશે? અને ક્યારે પતંગિયાને સમજશે ? એ વાત સમજાતી નથી એટલે તો એને ત્યાં સાહસવીરોની વિરલ પક્તિ દેખા દે છે. સાહસવીરોની ભરતી કોઈ દિવસ દૃષ્ટિએ પડતી જ નથી !
{{gap}}–અને આટલી સુંદરતા છતાં પતંગિયામાં કોઈ દિવસ એનું અભિમાન જોયું? એ સુંદરતા પણ એક પ્રકારની હવા હોય એમ, એણે એને પણ પોતાની સહજ આનંદવાટિકાનું એક પુષ્પ માની લીધું છે ! આટલી સુંદરતા જો કોઇ ૫ંખીને મળી હોત તો એના અભિમાનનો પાર ન હોત !
{{gap}}પતંગિયાની ખરી ખૂબી આ છે. એને પળે પળ આનંદથી જીવી લેવું છે ! ઘણાનાં જીવન ઊંઘણશીની જેમ લંબાયા જ કરે છે, એને મુકાબલે પતંગિયાનું એક પળનું જીવન એ જીવન કહેવાય તેમ છે.
{{gap}}કદાચ પતંગિયાને વાણી હોય ને કોઈ એને પૂછે કે તારું આ ક્ષણિક રંગદર્શી જીવન તને કરુણ નથી લાગતું? તો એ એટલો જ જવાબ આપે કે તમે કહો છો ત્યારે મને ખબર પડે છે કે, મારે એક અનોખો આકાર છે ને હું એક જીવન જીવી રહ્યું છું. હું તો અત્યાર સુધી એમ માનતું હતું કે કોઈ આનંદભરી હવા વહી રહી છે ને એ હવામાં હું પણ હવામય છું !
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
d00nkvaxsm3jnc5rukf3wsyuj7fe2oo
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૫
104
73586
224039
224009
2026-08-11T03:45:46Z
Snehrashmi
2103
/* Validated */
224039
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૨૯] <br/> સૌ સૌના તાનમાં !'''</big> | }}
<br/>
{{gap}}'''<big>એ</big>ક''' સો પગવાળા કાનખજૂરાને એક તીતીઘોડો મળ્યો. વાત વાતમાં તીતીઘોડાએ કાનખજૂરાને કહ્યું: ‘તને આટલા બધા પગનો ભાર જણાતો નથી ?’
{{gap}}કાનખજૂરાએ જવાબ વાળ્યો. ‘મને પણ એ જ પ્રશ્ન થાય છે કે તારે આટલા ઓછા પગ છે, તો તને અપંગતા જેવું જણાતું નથી ?’
{{gap}}તીતીઘોડાએ કહ્યું: ‘ના રે ! મને તો ઊલટાનું એ કુદરતી જેવું લાગે છે ! એકાદ પગ ઓછો થાય તો મૂંઝાઈ જાઉં ખરો.’
{{gap}}‘ત્યારે મને પણ આ કુદરતી લાગે છે. ને વધુમાં એનાથી મોટું રક્ષણ મળે છે, મારે એકાદ પગ ઓછો વધુ થાય તો મૂંઝવાપણું નહિ ! લોકો પણ કહે છે કે કાનખજૂરાને એક પગ ભાંગ્યો તોય શું ? એટલે આ ઠીક છે !’
{{gap}}છતાં તીતીઘોડો બોલ્યો: ‘નવી નવાઈની વાત ! આટલા બધા પગનો ભાર આપણાથી તે ન વેંઢારાય !’
{{gap}}સો પગવાળો બોલ્યો: મને પણ એ જ લાગે છે. આટલા<noinclude></noinclude>
kn8dxu2hmi12gz1n1nk08n2aibzvmvl
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૬
104
73587
224018
223846
2026-08-10T16:13:45Z
Amvaishnav
156
/* Proofread */
224018
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૨૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>થોડા પગની અપંગતા ભગવાને મને આપી હોત તો મારું શું થાત !'
{{gap}}આ બન્નેની વાત ચાલતી હતી એટલામાં એક સર્પ ત્યાંથી નીકળ્યો, તે બન્નેની વાત સાંભળીને બોલી ઊઠ્યો ! 'અરે ! તમે નાહકના પગનો ભાર ઉપાડો છો ! જુઓ, મારે એકે પગ છે ? છતાં ગાડું ગબડે છે નાં ? ખરી રીતે પગ તો
બકરાના ગળાના આંચળની જેમ શોભાનાં લટકણિયાં લાગે છે ! પગનું શું કામ ?'
{{gap}}એટલામાં આ ત્રણેની વાત પવન સાંભળી રહ્યો હતો તે વચ્ચે બોલી ઊઠ્યો : 'અરે ! તમે બધા નાહકના એકબીજા ઉપર સરસાઈ કરો છો ! જેને પગ નથી એને ય આકાર તો છે નાં ? પણ આ મારું તંત્ર જુઓને! નહિ પગ, નહિ આકાર, નહિ રૂપ, નહિ રંગ, અને છતાં હું નથી એમ કોઈ કહી શકે નહિ !
{{gap}}'અને વળી બધાનો આધાર મારા ઉપર ! એક બે પળ બંધ થાઉં તો તમામનાં હાંજા ગગડી જાય !
{{gap}}‘અને મારી ગતિ ? પગવાળા તો અપંગ જેવા લાગે એટલી. સૌથી વધુ ગતિ !’
{{gap}}'પણ પવનની આ વાત સાંભળતાં જ ત્રણે જણાં બેાલી ઊઠચાં : 'એ બધું તો ઠીક, પણ તમારાં સગાંવહાલાં, મિત્રો, કુટુબીજનો કોણ ? તમે ક્યાંય એમની સાથે વાર્તાવિનોદ આનંદ કરવા બેસો છો ? અમે તો અમારાં સગાંવહાલાં સાથે સુખદુ:ખની વાત કરીએ છીએ. એકબીજાને હળીએમળીએ. તમે તો કેવળ આમથી તેમ, ને તેમથી આમ, હેતુ વિના, ધ્યેય વિના, આનંદ વિના, જીવન વિના, અરે ! નિશ્ચિત સ્થાન<noinclude></noinclude>
fjuo2ztz9xt8c1pi5ki5aap8vljkj1r
224040
224018
2026-08-11T03:47:30Z
Snehrashmi
2103
/* Validated */
224040
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૨૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>થોડા પગની અપંગતા ભગવાને મને આપી હોત તો મારું શું થાત !’
{{gap}}આ બન્નેની વાત ચાલતી હતી એટલામાં એક સર્પ ત્યાંથી નીકળ્યો, તે બન્નેની વાત સાંભળીને બોલી ઊઠ્યો ! ‘અરે ! તમે નાહકના પગનો ભાર ઉપાડો છો ! જુઓ, મારે એકે પગ છે ? છતાં ગાડું ગબડે છે નાં ? ખરી રીતે પગ તો બકરાના ગળાના આંચળની જેમ શોભાનાં લટકણિયાં લાગે છે ! પગનું શું કામ ?’
{{gap}}એટલામાં આ ત્રણેની વાત પવન સાંભળી રહ્યો હતો તે વચ્ચે બોલી ઊઠ્યો : ‘અરે ! તમે બધા નાહકના એકબીજા ઉપર સરસાઈ કરો છો ! જેને પગ નથી એને ય આકાર તો છે નાં ? પણ આ મારું તંત્ર જુઓને! નહિ પગ, નહિ આકાર, નહિ રૂપ, નહિ રંગ, અને છતાં હું નથી એમ કોઈ કહી શકે નહિ !
{{gap}}‘અને વળી બધાનો આધાર મારા ઉપર ! એક બે પળ બંધ થાઉં તો તમામનાં હાંજા ગગડી જાય !
{{gap}}‘અને મારી ગતિ ? પગવાળા તો અપંગ જેવા લાગે એટલી. સૌથી વધુ ગતિ !’
{{gap}}‘પણ પવનની આ વાત સાંભળતાં જ ત્રણે જણાં બેાલી ઊઠ્યાં : ‘એ બધું તો ઠીક, પણ તમારાં સગાંવહાલાં, મિત્રો, કુટુંબીજનો કોણ ? તમે ક્યાંય એમની સાથે વાર્તાવિનોદ આનંદ કરવા બેસો છો ? અમે તો અમારાં સગાંવહાલાં સાથે સુખદુઃખની વાત કરીએ છીએ. એકબીજાને હળીએમળીએ. તમે તો કેવળ આમથી તેમ, ને તેમથી આમ, હેતુ વિના, ધ્યેય વિના, આનંદ વિના, જીવન વિના, અરે ! નિશ્ચિત સ્થાન<noinclude></noinclude>
dpds42fhqosw6ef0gu1gn6wkrnjfbvc
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૭
104
73588
224022
223847
2026-08-10T16:23:04Z
Amvaishnav
156
/* Proofread */
224022
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|સૌ સૌના તાનમાં !||૧૨૯}}<hr>'''</noinclude>વિના ભટક્યા કરો ! એ તે કાંઈ જીવન છે? એકલી ગતિને શું ધોઈ પીવી છે ? ’
{{gap}}પવન બોલ્યેા : 'ત્યારે તમને અમૈત્રીમાં રહેલા આનંદની ક્યાં ખબર છે? હું ગમે ત્યાં રહું, ગમે ત્યાં જાઉં, ક્યાંય રાગ નહિ, ક્યાંય આસક્તિ નહિ ! મારે માટે વિરહની વેદના નહિ. મારે સાચાં ખોટાં આંસુ પાડવાનાં નહિ કે જોવાનાં પણ નહિ ! એ....ને બસ ફર્યાં કરવાનું ! કોઈ ધ્યેય નહિ, તેમ કોઈની લપનછપન નહિ! ગતિ ગતિ અને ગતિ ગતિનો પોતાનો જ આનંદ સ્ફુર્યાં કરે ! એવી બંધનમુક્ત અવસ્થામાં શી મજા છે એ તો જે જાણતો હોય તે જાણે ! ’
{{gap}}આ બધાની વિચિત્ર વાતો એક પ્રાજ્ઞ પુરુષ બેઠો બેઠો સાંભળી રહ્યો હતો. એમની વાત સાંભળીને તે બોલી ઊઠ્યો: ‘અરે ! તમે નાહકના એક બીજાની સરખામણીમાં ઊતર્યા છો. એમાં જે અદ્ભુત છે તે તો તમે જોતા નથી. એમાં અદ્ભુત તો આ છે કે, તમને જે સ્થિતિ મળી છે તે સ્થિતિમાં, અને તે જ સ્થળે, આનંદનો મહાસાગર રેલાઈ રહ્યો છે ! તો જ સૌ સૌના તાનમાં મસ્ત રહો છો ! એ જ વસ્તુ અદ્ભુત નથી ? એ અદ્ભુતના આનંદને છોડીને મારી તારીમાં કાં પડો ? તમને જે મળ્યું છે ને બીજાને જે મળ્યું નથી એની વ્યર્થ ચર્ચામાં કાં ઊંડા ખૂંચતા જાઓ?
{{gap}}'એમ સમજો ને કે તમને જે મળ્યુ છે તે તમારા માટે સંપૂર્ણ છે. કેવળ તમારુંં અદકપાંસળીનું મન જ તમને અપૂર્ણતા દેખાડે છે એ સમજો ને ! સમજવા જેવું તો એ છે!’
{{gap}}પ્રાજ્ઞ પુરુષ બોલી રહ્યો હતો ત્યાં જ એક આંધળો ત્યાંથી ત્તીકળ્યો. એને જોઈને તરત સૌએ પેલા પ્રાજ્ઞ પુરુષને
૯<noinclude></noinclude>
s2onqgvp3akmbu1k51wuceylj5enbwz
224041
224022
2026-08-11T03:49:42Z
Snehrashmi
2103
/* Validated */
224041
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|સૌ સૌના તાનમાં !||૧૨૯}}<hr>'''</noinclude>વિના ભટક્યા કરો ! એ તે કાંઈ જીવન છે? એકલી ગતિને શું ધોઈ પીવી છે ?’
{{gap}}પવન બોલ્યો : ‘ત્યારે તમને અમૈત્રીમાં રહેલા આનંદની ક્યાં ખબર છે? હું ગમે ત્યાં રહું, ગમે ત્યાં જાઉં, ક્યાંય રાગ નહિ, ક્યાંય આસક્તિ નહિ ! મારે માટે વિરહની વેદના નહિ. મારે સાચાં ખોટાં આંસુ પાડવાનાં નહિ કે જોવાનાં પણ નહિ ! એ....ને બસ ફર્યા કરવાનું ! કોઈ ધ્યેય નહિ, તેમ કોઈની લપનછપન નહિ! ગતિ ગતિ અને ગતિ ગતિનો પોતાનો જ આનંદ સ્ફુર્યાં કરે ! એવી બંધનમુક્ત અવસ્થામાં શી મજા છે એ તો જે જાણતો હોય તે જાણે !’
{{gap}}આ બધાની વિચિત્ર વાતો એક પ્રાજ્ઞ પુરુષ બેઠો બેઠો સાંભળી રહ્યો હતો. એમની વાત સાંભળીને તે બોલી ઊઠ્યો: ‘અરે ! તમે નાહકના એક બીજાની સરખામણીમાં ઊતર્યા છો. એમાં જે અદ્ભુત છે તે તો તમે જોતા નથી. એમાં અદ્ભુત તો આ છે કે, તમને જે સ્થિતિ મળી છે તે સ્થિતિમાં, અને તે જ સ્થળે, આનંદનો મહાસાગર રેલાઈ રહ્યો છે ! તો જ સૌ સૌના તાનમાં મસ્ત રહો છો ! એ જ વસ્તુ અદ્ભુત નથી ? એ અદ્ભુતના આનંદને છોડીને મારી તારીમાં કાં પડો ? તમને જે મળ્યું છે ને બીજાને જે મળ્યું નથી એની વ્યર્થ ચર્ચામાં કાં ઊંડા ખૂંચતા જાઓ?
{{gap}}‘એમ સમજો ને કે તમને જે મળ્યું છે તે તમારા માટે સંપૂર્ણ છે. કેવળ તમારુંં અદકપાંસળીનું મન જ તમને અપૂર્ણતા દેખાડે છે એ સમજો ને ! સમજવા જેવું તો એ છે!’
{{gap}}પ્રાજ્ઞ પુરુષ બોલી રહ્યો હતો ત્યાં જ એક આંધળો ત્યાંથી નીકળ્યો. એને જોઈને તરત સૌએ પેલા પ્રાજ્ઞ પુરુષને
૯<noinclude></noinclude>
pznp38h2miqiixum2u9jqdvihikqxxt
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૮
104
73589
224035
223848
2026-08-10T16:31:57Z
Amvaishnav
156
/* Proofread */
224035
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૩૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>ઉધડો લીધો : ‘આને આની સ્થિતિમાં સંપૂર્ણતા મળી છે એમ ? શું સંપૂર્ણતા મળી છે? દેખી તો શકતો નથી. સૃષ્ટિનો એકે રંગ એને અસર કરતો નથી ! આને શું સંપૂર્ણતા સમજવાની ? ’
{{gap}}'પણ એના બદલામાં એને શું મળ્યું છે તે તમને ખબર છે?-
{{gap}}‘શું મળ્યું છે?' બધાં એકી સાથે કાંઈક ગુસ્સાથી બોલી ઊઠ્ચાં : 'આ એની લાકડી?'
{{gap}}પ્રાજ્ઞ પુરુષે તરત પેલા અંધને રોક્યો : 'સુરદાસજી ! જરા આમ આવો, અથવા રહો, જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા રહેજો ! '
{{gap}}સુરદાસજી જરા આશ્ચર્ય માં ઊભા રહી ગયા એટલે સૌ ત્યાં ગયા.
{{gap}}પ્રાજ્ઞ પુરુષે તેને કહ્યું : ‘સુરદાસજી ! એક જરા છોટી સી તાન હોને દો ! અમારા મિત્રો સાંભળે તો ખરા !
{{gap}}સુરદાસજીએ જરા ગળું ખંખેર્યું, અને એકાદ રાગ છેડ્યો !
{{gap}}બે પળમાં જ તેણે ત્યાં સ્વર્ગ ખડુ કરી દીધું !
{{gap}}એ સાંભળતાં જ બધા દોલી ગયા ! પેલો પ્રાજ્ઞ બોલ્યો : ‘અદ્ભુત ! અદ્ભુત ! આંખની અપૂર્ણતા કંઠે પૂરી દીધી ! પૂર્ણમાંથી પૂર્ણ લઈ લ્યો, તો પણ પૂર્ણ જ રહે તે આનું નામ !
{{સ-મ| | 🙒| }}<noinclude></noinclude>
5e6igftdvmaby5sq7yg0ncsfp5snquh
224042
224035
2026-08-11T03:51:38Z
Snehrashmi
2103
/* Validated */
224042
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૩૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>ઉધડો લીધો : ‘આને આની સ્થિતિમાં સંપૂર્ણતા મળી છે એમ ? શું સંપૂર્ણતા મળી છે? દેખી તો શકતો નથી. સૃષ્ટિનો એકે રંગ એને અસર કરતો નથી ! આને શું સંપૂર્ણતા સમજવાની ?’
{{gap}}‘પણ એના બદલામાં એને શું મળ્યું છે તે તમને ખબર છે?’
{{gap}}‘શું મળ્યું છે?’ બધાં એકી સાથે કાંઈક ગુસ્સાથી બોલી ઊઠ્યાં : ‘આ એની લાકડી?’
{{gap}}પ્રાજ્ઞ પુરુષે તરત પેલા અંધને રોક્યો : ‘સુરદાસજી ! જરા આમ આવો, અથવા રહો, જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા રહેજો !’
{{gap}}સુરદાસજી જરા આશ્ચર્યમાં ઊભા રહી ગયા એટલે સૌ ત્યાં ગયા.
{{gap}}પ્રાજ્ઞ પુરુષે તેને કહ્યું : ‘સુરદાસજી ! એક જરા છોટી સી તાન હોને દો ! અમારા મિત્રો સાંભળે તો ખરા !
{{gap}}સુરદાસજીએ જરા ગળું ખંખેર્યું, અને એકાદ રાગ છેડ્યો !
{{gap}}બે પળમાં જ તેણે ત્યાં સ્વર્ગ ખડું કરી દીધું !
{{gap}}એ સાંભળતાં જ બધા ડોલી ગયા ! પેલો પ્રાજ્ઞ બોલ્યો : ‘અદ્ભુત ! અદ્ભુત ! આંખની અપૂર્ણતા કંઠે પૂરી દીધી ! પૂર્ણમાંથી પૂર્ણ લઈ લ્યો, તો પણ પૂર્ણ જ રહે તે આનું નામ !
{{સ-મ| | 🙒| }}<noinclude></noinclude>
7bcydsaxg8esr0fs2mgg1b3id5ph40x
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૩૯
104
73593
224036
223900
2026-08-10T16:42:36Z
Amvaishnav
156
/* Proofread */
224036
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |'''[૨૯] <br/><big>પંખી</big> ને <big>માણસ !</big>''' | }}
<br/>
{{gap}}'''<big>એ</big>ક''' વખત એક નાનકડું પંખી એક ઊંચા ઝાડ ઉપર છેક ટોચે માળો બાંધીને રહેવા માંડ્યું. ત્યાં આસપાસ કોઈની વસ્તી ન હતી અને એ પોતાના મહેલમાં પોતે સુખી હતું. એ ઊંચા વૃક્ષ ઉપર ચડેલી વેલીનાં ફૂલ જોઈ ને એને લાગતું કે એ સ્વભૂમિમાં રહે છે. અને એના આ મહાલયની તોલે
એટલામાં કોઈનો મહાલય નથી !
{{gap}}હવે થોડા વખત પછી એવું બન્યુ કે કોઈ શ્રીમંતે એ જમીન ખરીદી. એમાં એણે પોતાનો ભવ્ય પ્રાસાદ બાંધવો શરૂ કર્યાં. માળ ઉપર માળ ચડતા ગયા અને છેક ઊંચામાં ઊંચી ડાળને પહોંચી વળે એવી ઊંચી એક હવેલી ત્યાં
ઊભી થઈ ગઈ !
{{gap}}પેલું પંખી પોતાના માળામાં બેઠું બેઠું અત્યાર સુધી સુંદર, કુમળા, નાનકડા લીલાછમ પાનની વચ્ચે, મજા કરતું હતું. તેને આ ઉત્તુંગ મહાલયની ઊંંચી'શિખરાવલિ જોઈ ને હવે અસંતોષ થવા લાગ્યો. જેટલે ઊંચે એ બેઠું હતું એટલે જ<noinclude></noinclude>
bxsejloy7jey44n8jubuu4w3i95g2qq
224043
224036
2026-08-11T03:52:47Z
Snehrashmi
2103
/* Validated */
224043
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |'''[૨૯] <br/><big>પંખી</big> ને <big>માણસ !</big>''' | }}
<br/>
{{gap}}'''<big>એ</big>ક''' વખત એક નાનકડું પંખી એક ઊંચા ઝાડ ઉપર છેક ટોચે માળો બાંધીને રહેવા માંડ્યું. ત્યાં આસપાસ કોઈની વસ્તી ન હતી અને એ પોતાના મહેલમાં પોતે સુખી હતું. એ ઊંચા વૃક્ષ ઉપર ચડેલી વેલીનાં ફૂલ જોઈ ને એને લાગતું કે એ સ્વર્ગભૂમિમાં રહે છે. અને એના આ મહાલયની તોલે એટલામાં કોઈનો મહાલય નથી !
{{gap}}હવે થોડા વખત પછી એવું બન્યું કે કોઈ શ્રીમંતે એ જમીન ખરીદી. એમાં એણે પોતાનો ભવ્ય પ્રાસાદ બાંધવો શરૂ કર્યાં. માળ ઉપર માળ ચડતા ગયા અને છેક ઊંચામાં ઊંચી ડાળને પહોંચી વળે એવી ઊંચી એક હવેલી ત્યાં ઊભી થઈ ગઈ !
{{gap}}પેલું પંખી પોતાના માળામાં બેઠું બેઠું અત્યાર સુધી સુંદર, કુમળા, નાનકડા લીલાછમ પાનની વચ્ચે, મજા કરતું હતું. તેને આ ઉત્તુંગ મહાલયની ઊંંચી શિખરાવલિ જોઈ ને હવે અસંતોષ થવા લાગ્યો. જેટલે ઊંચે એ બેઠું હતું એટલે જ<noinclude></noinclude>
p23qmmabtcq1g8mwqf9vhhormwi3gjq
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૦
104
73594
224037
223901
2026-08-10T16:55:44Z
Amvaishnav
156
/* Proofread */
224037
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૩૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>ઊંચે માણસો પણ બેસવા લાગ્યા હતા. અત્યાર સુધી એને એકને જ એટલું ઊંચું બેસણું હતું. એમાં ખૂબી આ હતી કે એના ઊંચા બેસણાને કોઇ એ હરકત કરી ન હતી, તેમ જ કોઈ હરકત કરવા માગતું ન હતું, પણ એને અસંતોષ આ વાતનો ઊભો થયો કે, પોતાની ઊંચાઈ જેટલે બીજો કોઈ આવી પહોંચ્યો !
{{gap}}એટલે એ પોતાના માળામાં બેઠું બેઠું હવેલી તરફ નજર કરે અને કારણ વિના દુ:ખી થાય. પેલા મહાલયમાં તો હંમેશાં કાંઈ ને કાંઈ નવીન વાત આવતી જ રહે. કોઈ દિવસ સંગીત થાય, કોઈ દિવસ જલસો હોય, કચારેક નૃત્ય ચાલતું
હાય. કોઈક વખત મિજબાની થાય !
{{gap}}પંખીને લાગે કે એ શ્રીમંત લોકો એને ખિજવવા માટે જ આ બધું કરી રહ્યા છે !
{{gap}}એટલે એને એમ થયું કે હું એમના કરતાં ઊંચો માળો બાંધુ ! પછી એણે પોતાનો માળો વધારે ઊંચો બાંધ્યો.
{{gap}}એના એક પંખી મિત્રે આ જોયું અને કહ્યું: ‘ ભાઈ, એટલો ઊંચો માળો શું કરવા બાંધે છે? વખત છે ને પછી જો પવન જોસમાં ફુંકાશે તો ત્યાં રક્ષણ નહિ મળે; ઊંચી ડાળીઓ વધારે જોખમ ભરેલી પણ છે !'
{{gap}}પણ પેલા પંખીના મનમાં તો એક જ વાત હતી. પોતે મહાલય બાંધનાર કરતાં ઊંચે બેઠણે બેઠું હતું ! અને હવે એ હવેલીવાળા એને જોઈ રહેશે !
{{gap}}એ પોતાના ઊચેના માળેથી જુએ કે કોઈ એના માળાને નીરખે છે ! પણ એની તરફ કેાઈની દૃષ્ટિ ન પડે !
{{gap}}અને ત્યાં એની એ ધમાલ ચાલી રહી હોય !
{{gap}}ઍ જોઈને પંખીનો નાનક્ડો આત્મા અસંતોષમાં દુ:ખી<noinclude></noinclude>
8z83s3kwcfcgced6u79nag5xocwp7zy
224044
224037
2026-08-11T03:54:54Z
Snehrashmi
2103
/* Validated */
224044
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૩૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>ઊંચે માણસો પણ બેસવા લાગ્યા હતા. અત્યાર સુધી એને એકને જ એટલું ઊંચું બેસણું હતું. એમાં ખૂબી આ હતી કે એના ઊંચા બેસણાને કોઇ એ હરકત કરી ન હતી, તેમ જ કોઈ હરકત કરવા માગતું ન હતું, પણ એને અસંતોષ આ વાતનો ઊભો થયો કે, પોતાની ઊંચાઈ જેટલે બીજો કોઈ આવી પહોંચ્યો !
{{gap}}એટલે એ પોતાના માળામાં બેઠું બેઠું હવેલી તરફ નજર કરે અને કારણ વિના દુઃખી થાય. પેલા મહાલયમાં તો હંમેશાં કાંઈ ને કાંઈ નવીન વાત આવતી જ રહે. કોઈ દિવસ સંગીત થાય, કોઈ દિવસ જલસો હોય, ક્યારેક નૃત્ય ચાલતું હોય. કોઈક વખત મિજબાની થાય !
{{gap}}પંખીને લાગે કે એ શ્રીમંત લોકો એને ખિજવવા માટે જ આ બધું કરી રહ્યા છે !
{{gap}}એટલે એને એમ થયું કે હું એમના કરતાં ઊંચો માળો બાંધુ ! પછી એણે પોતાનો માળો વધારે ઊંચો બાંધ્યો.
{{gap}}એના એક પંખી મિત્રે આ જોયું અને કહ્યું: ‘ભાઈ, એટલો ઊંચો માળો શું કરવા બાંધે છે? વખત છે ને પછી જો પવન જોસમાં ફુંકાશે તો ત્યાં રક્ષણ નહિ મળે; ઊંચી ડાળીઓ વધારે જોખમ ભરેલી પણ છે !’
{{gap}}પણ પેલા પંખીના મનમાં તો એક જ વાત હતી. પોતે મહાલય બાંધનાર કરતાં ઊંચે બેઠણે બેઠું હતું ! અને હવે એ હવેલીવાળા એને જોઈ રહેશે !
{{gap}}એ પોતાના ઊંચેના માળેથી જુએ કે કોઈ એના માળાને નીરખે છે ! પણ એની તરફ કોઈની દૃષ્ટિ ન પડે !
{{gap}}અને ત્યાં એની એ ધમાલ ચાલી રહી હોય !
{{gap}}એ જોઈને પંખીનો નાનકડો આત્મા અસંતોષમાં દુઃખી<noinclude></noinclude>
831k2g4wo5ltf89aypx3y404tvtt2bu
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૪૯
104
73629
224025
2026-08-10T16:26:44Z
Snehrashmi
2103
/* Not proofread */
224025
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૧||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૧}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
Kaush
vijay
This es
HOM
[૩૧]
સંપૂર્ણતાની શોધ !
J
15/10
એક વખત એક માણસ સંપૂર્ણતા કાં છે તે શેાધવા
માટે નીકળ્યે. સંપૂર્ણ ઈશ્વર જ હેાઈ શકે એની એને ખબર હતી.
માનવ તા ગમે તેટલા સંપૂર્ણ હાય, છતાં અપૂણુ જ રહેવાના,
એટલે એ એવા માણસને શોધી રહ્યો હતો કે જેણે ઈશ્વરની
કાંઈક પણ ઝાંખી હૃદયમાં કરી હોય.
એમ પરિભ્રમણ કરતાં કરતાં એ એક જ્ઞાનીના સંસ માં
આવ્યા. એને લાગ્યુ કે આ માણસે કાંઈક જાણ્યું છે. તે તેની
પાસે રહી ગયા. હંમેશાં જુદી જુદી અનેક વાતે ગુરુશિષ્ય-
ભાવે ખન્ને જણ કરે. જેમ જેમ પેલે માણસ આ જ્ઞાનીની
વાત સાંભળતા ગયે, તેમ તેમ એને ખાત્રી થતી ગઈ કે આણે
ઘણી વસ્તુઓ મેળવી લીધી છે.
k
એક દિવસ વાત ચાલી : · શિશુ જેવી અવસ્થા એ
માણુસ માટેની સપૂર્ણતાની નિશાની ખરી કે નહિ ? શિશુને
કોઈ રાગદ્વેષ નથી એન અંતઃકરણ અધિ વિનાની રાખ જેવું,
Public Domain Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
rk7dn9uz1jcdnltdywhcur0ts36c2b9
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૦
104
73630
224026
2026-08-10T16:27:02Z
Snehrashmi
2103
/* Not proofread */
224026
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૨||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૨}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૧૪૨
તે જ ખિં દુ
ક્રોધરહિત છે. એને સારુંનરસું કાંઈ જ સમજાતું નથી.
એટલે નરસું પણ એને માટે નરસું રહેતું નથી. શિશુની
આવી અવસ્થા એ જ્ઞાનીજનની સંપૂર્ણતાના ખ્યાલ આપે
કે નહિ ?'
:
જ્ઞાની જને ઉત્તર આપ્યા. સંપૂર્ણતાના ખરા ખ્યાલ
માટે એમાં એક વસ્તુ હજી ઉમેરવી રહી.’
· કઈ ?’ પેલા માણસે પૂછ્યું.
· જ્યારે માણસનું જ્ઞાન, જે અજ્ઞેય છે તેને જાણવાના
પ્રયત્ન છેડી દે, અજ્ઞેયના દ્વાર સુધી આવે, પણ એ દ્વાર પાસે
આવીને અંદર ડોકિયું કરવાની વૃત્તિ ઉપર અંકુશ મેળવી
લે, જે અજ્ઞેય છે તે અજ્ઞેય રહે, તેમાં જ જ્ઞાનનું અને અને-
નુ ખન્નેનું ગૌરવ છે એમ જે જાણે, તે માણસે સંપૂર્ણ તા
મેળવી છે એમ કહેવાય. અવિચળ શાંત અવસ્થા એ છે.’
· પણ તે તે અજ્ઞેયની શોધ અપૂર્ણ રહી એમ નિહ ? ’
· ના. 'જે એમ માને છે કે જાણવા જેવુ
નથી, તે
જાણવા જેવું નથી જ, અને તેથી ત્યાં અટકી પડે છે, એ
ભક્તજનની કેટિમાં પ્રવેશે છે અને છતાં જ્ઞાની તે રહે
છે. પછી કોઈ મુશ્કેલી આવશે, કોઈ વિપત્તિ પડશે, કાઈ
ન સમજાય તેવી અવસ્થા આવશે, તે એ ફરિયાદ નહિ કરે.
કારણ જાણવા નહિ મથે. જે મેળવ્યુ છે તેને બિલકુલ હરકત
કર્યા વિના, આ નવું પણ ભલે આંહીં રહેતું, એવી ઈચ્છા
એની થઈ રહેશે. અને એ સમર્પણની જ એક સ્થિતિ છે.
કારણ કે, જેમ વસંતઋતુ વૃક્ષને પ્રશ્ન કરતી નથી કે
હું આવું છું તે તને નવાં પાન, નવા શણગાર મળશે કે નિહ ?
એટ મળવાનાં છેo એ વિશે જેમ પ્રશ્ન નથી. તેમજ કાંઈ આવી
છે જેસાહથી<noinclude></noinclude>
nliqw2i5ozswjec9k1nv7gvip6tnpd4
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૧
104
73631
224027
2026-08-10T16:27:19Z
Snehrashmi
2103
/* Not proofread */
224027
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૩||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૩}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri.
સપૂર્ણતાની શાધ!
૧૪૩
રહે, તે ખરાખર છે, એ માટે પ્રશ્ન જ નથી. એ અવસ્થા સંપૂર્ણ -
તાની છે. શંકા, કે પ્રશ્ન તે ત્યાં નથી. પણ એક ચાલ્યા જતા
વિચાર પણ નથી, કે આમ કેમ ?
એ એમ બતાવે છે કે માણસ છેક મૂળમાં પહોંચી
ગયા છે. સૂરજ ઊગશે એ વિષે જેમ કેઈ માણસ કોઇ ને
કાઈ દિવસ પ્રશ્ન કરતા નથી, તેમ આવ્યું, ગયું, રહ્યું,
મળ્યું, નાશ પામ્યું, કાઈ કહેતાં કઈ સ્થિતિ વિષે જેને પ્રશ્ન
જ ઊભા થતા નથી, અને તેથી જેના મનમાં કોઈ ગડભાંગ
નથી, તે માણસ જાણે કે હવામાં જેમ હવા વિલસે છે, તેમ
એક અનાદિ તત્ત્વની સાથે તત્ત્વજ્ઞે જ વલસે છે. પ્રશ્નો,
શંકા, વિચાર, બધું ત્યારે શમે છે.
અને એ શમે છે, ત્યારે સંપૂર્ણતા આવે છે.
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
55j752k76gpj8usqb0vtvcumci8tvs8
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૨
104
73632
224028
2026-08-10T16:27:35Z
Snehrashmi
2103
/* Not proofread */
224028
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૪||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૪}}<hr>'''</noinclude>BA
Pusht
Aga
hist
#I
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
\ \ /\pdf
100
[ ૩૨ ]
શાંતિની સ્થાપના
પરિન દાના જન્મ, એ માણસના પેાતાના પાતા વિષેન.
ઘણા જ વધારે પડતા ખાટા ખ્યાલમાંથી જન્મે છે. અને એ
પરિનંદા ઘ`ણું ઊભું કરે છે. એટલે જે માણસ, પોતાની શક્તિ
જે
અને મર્યાદા બન્નેને ખરાખર સમજે છે, એ એક રીતે
સમાજમાં શાંતિનુ કામ કરી રહે છે.
એ જ પ્રમાણે જે માણસ બીજાઓને દાન આપવાના,
સેવા કરવાના, ત્યાગના વગેરે નૈતિક ધર્મ સમજાવે છે, તે
માણુસ પણ વાણીથી શાંતિ સ્થાપવાનું કામ કરે છે. અને
એના પોતાના જીવનમાં જે એણે એ વાત ઉતારી હાય, તે
એ વધારે મહાન કાર્ય કરી રહ્યો છે એમ કહેવાય.
એ જ પ્રમાણે માણસ માણસની વચ્ચે અર્થ સંબધી
નવીન વિચારો સ્થાપવા એ પણ મહાન કાર્ય છે. કારણ કે
તેથી સમાજ સ્વસ્થ બને છે અને રાજ્ય સ્થિર થાય છે.
જેવી રીતે માણસ હરક્ષણે શ્વાસાગ્છવાસ લે છે, જૂના
લેછે, એ જ
પવનને અસર સેલે છે હેન્હવામાનને<noinclude></noinclude>
bek8fwfe8o9hct4gxi88197b64zeis2
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૩
104
73633
224029
2026-08-10T16:27:50Z
Snehrashmi
2103
/* Not proofread */
224029
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૫||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૫}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
શાંતિની સ્થાપના
૧૪૫
રીત વિચાર પરત્વે પણ હોવી ઘટે. જૂના વિચારને એણે
અહાર મોકલવા જોઈએ અને નવા વિચારાને એણે સ્વીકા-
રવા જોઈએ.
પરંતુ ઘણુંખરું આ નાની સરખી ક્રિયા, પેાતાની સ્વતંત્ર
શક્તિથી માણસ ભાગ્યે જ કરી શકે છે. મજબૂતમાં મજબૂત
માણસ પણ વિચારની સૃષ્ટિ પરત્વે ઘણા નબળા હોઈ શકે. .
સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ એ કુદરતની મેટામાં
માટી અક્ષિસ છે, ને તે બહુ માણસોને મળેલી જોવામાં
આવતી નથી.
આ ઉપરથી અધિકાર અને ગુણેાની ઉત્તમતા સ્થાપનારી
શ્રેણી સમાજમાં આવી છે.
પણ જેમને આ અધિકાર અને ગુણાની ઉત્તમતા મળ્યાં
છે, તેમને સાથે સાથે, એ માણસ ન્તતના કલ્યાણ માટે
વાપરવાની તાલીમ પણ મળે, તે સમાજના ઉપરથી નીચેના
થર સુધી, એક પ્રકારની સમાનતા ચાલે, અને શાંતિ પણ રહે.
એ તાલીમ માટે જેને Positive Attitude- કહીએ,
કાંઈક કત્તવ્ય છે, એ જાતની ભાવના કહીએ, એ ભાવનાને
ઉદય સર્વોત્તમ ફૂલ લાવનારો ગણાયા છે.
આ કન્યની દીક્ષા વિના કાઈ માણસ પેાતાના જીવનને
સફળ ન ગણે, એવી એક વ્યાપક પ્રણાલિકા સ્થપાઈ જાય . .
તે જ ખરા અર્થમાં તમામ વર્ગો વચ્ચે શાંતિ સ્થપાય.
આને માટે પહેલી જરૂરિયાત, વ વ વચ્ચે દેખાતું,
ગુણુ, અધિકાર, શ્રેણી, અને ધન એ બધાનું અંતર ઘટાડી
નાખવું જોઇએ. ખાસ કરીને ધનનું અંતર અત્યારે વધુ
ભય’કર ગણાPulismછે. Gએukayagri CollegqATwili
૧૦<noinclude></noinclude>
77xsxmij718irq778rqna0mh2e58j9p
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૪
104
73634
224030
2026-08-10T16:28:04Z
Snehrashmi
2103
/* Not proofread */
224030
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૬||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૬}}<hr>'''</noinclude>૧૪૬
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
તે જ બિ દુ
છે. એક મારાજના આધાર લેવાના છે. બીજો મા
વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની સમજણને છે. આ બીજો માર્ગ ઘણા
લાંબે છે, એટલે સૌ ટૂંકા માર્ગે વળે છે. કાઈ પણ વ્યક્તિ
અમુક હદ કરતાં વધારે ધન, વધારે જમીન, વધારે માલિકી હક,
કે વધારે સગવડતાઓ ન રાખી શકે તે સમાજનું શ્રેયસ
થાય, એ આકર્ષક વિચારને પંથે ધીમે ધીમે સૌ પળે છે.
આ આ વિચારથી જેમની પાસે વધુ ધન છે, વધુ જમીન
છે, વધુ માલિકી હક્કો છે, વધુ સગવડતાઓ છે, એ તમામને
વીજળીના જેવા આંચકા લાગે તે સ્વાભાવિક છે.
પણ જે સમજુ છે તે સમજે છે કે, માણસાની દુનિયા
હંમેશાં જ ફરતી રહે છે. આજે જે વસ્તુ આપણને ઘૃણા
ઉત્પન્ન કરે છે, એ જ વસ્તુ વર્ષાં પહેલાં પૂજ્યભાવ ઉત્પન્ન
કરતી હાય !
પણ જો ગયા જમાના પાછા આવી શકતા નથી, તે એ
જમાનાની પરિસ્થિતિ પણ ટકાવી શકાતી નથી. એટલે ખરી
રીતે માણસેા પોતાની મેળે પેાતાના ઉપર અંકુશ મૂકી દે,
અને રાજતંત્ર ચલાવનારાએ વધુ પ્રામાણિક બને, તે લેાહી
વિનાની વર્ગવિહીન ક્રાંતિ એ કાઈ ઘેલાનું સ્વપ્ન ન રહે,
પણ સિદ્ધિ અને.
અને એ સિદ્ધિ એવી બને કે ઘણાને માર્ગદર્શન આપે.
પણ માણસ પોતાની મેળે એમ સમજે ખરા ?
શ્રેષ્ઠ જનોને શ્રષ્ઠ વિચારો ફેલાવવાની કલા પ્રાપ્ત થઈ
હાય તેા એ કેવળ અશકય નથી, એટલું જ.
એમ સિદ્ધિ ન મળે ને બીજી રીતે આવે તે એ
cc-0. In Public Domain urdul Kanod ollecti વ ખતાવે છે.
પ્રજાનું પાતાનું સામર્થ્ય બતાવવાને બદલે<noinclude></noinclude>
df4oubg4azkzvhxjz9rqcwo2gzg8cph
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૫
104
73635
224031
2026-08-10T16:28:18Z
Snehrashmi
2103
/* Not proofread */
224031
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૭||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૭}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
શાંાંતની સ્થાપના
૧૪૭
અને આવેશથી થયેલાં તાત્કાલિક કાર્યાં ઘણાં સુંદર લાગે છે.
પશુ માનવ સ્વભાવ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ હાય, તે
એવાં આવેશયુક્ત કાર્યોને થાળે પડતાં ઘણા લાંખા વખત
જાય છે. અને એટલામાં બીજાં બળેા બીજી વધુ ભયંકર
ક્રાન્તિ જન્માવે છે. ને છેવટે તો, કાં એ ક્રમ ચાલ્યા કરે છે,
અથવા કોઈ લેાખડી આકાશ નીચે એ દખાઈ રહે છે.
એમાંથી માનવજાતને બહાર નીકળતાં ઘણાં શાણિતસ્નાન
કરવાનાં રહે છે. અને એ સઘળા સમય અને સઘળી શક્તિ
એણે બ્ય વેડફ઼ી દેવામાં બહુ લાભ મેળવ્યે નહિ હોય.
અને એટલું છતાં પણ, સુખશાંતિ માટે હવે કૂચ નથી
કરવાની, એવું પિરણામ નહિ આવ્યું હોય !
ત
CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude>
dsrr3ijenb8t2gj1g875fzlvv0j413g
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૬
104
73636
224032
2026-08-10T16:28:33Z
Snehrashmi
2103
/* Not proofread */
224032
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૮||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૮}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
[૩૩]
એક લાખ !
એક લાખની એક વાર્તા મને મળી છે. દિવસ હજી
ઊગ્યા ન હોય ત્યાં કુબેર મારે ત્યાં આવે. એની જૂની તૂટી-
ફૂટી થેલીમાંથી કાગળાના થેાકડા કાઢે. એમાં લેખા હાય,
લખાણા હોય, નાંધા હાય, વર્તમાનપત્રોની કાપલીએ હાય,
કૈક વસ્તુઓ હાય ! એને એક પ્રકારને શેખ હતા. માસિક
કાઢવાના.
હું તેની સામે જોઈ રહ્યું. છેલ્લાં ખાર વર્ષથી એ આ
પ્રમાણે એક માસિક કાઢતા. તે પહેલાં તે એણે હસ્તલિખિત
માસિક કાઢયુ હતું. પણ પછી ધીમે ધીમે એ જ હસ્તલિખિતને
એણે માસિકમાં ફેરવીને છપાવવા માંડયુ હતું. એ એની મન—
મેાજની વસ્તુ બની ગઈ હતી.
એનાં ઘરાક તેા ભાગ્યે જ ત્રણસો ચારસા હોય તેા !
પણ છતાં કુબેરને એની એવી લગની લાગી હતી કે જાણે, એ
આ માસિકને જ પરણ્યા હોય, તેમ દર મહિને અતિ
ઉત્સાહથીnvi[ aiભવીષ્યે ભેદો છતાંહાય !<noinclude></noinclude>
dxpvervvtdopp75geh68iqxtsiyx43j
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૭
104
73637
224033
2026-08-10T16:28:49Z
Snehrashmi
2103
/* Not proofread */
224033
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૪૯||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૪૯}}<hr>'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
એક લાખ!
૧૪૯
મને વારંવાર લાગતું કે આ ખાટના ધંધામાં પડેલા
આ માણસ, ખરી રીતે પેાતાનું જીવન વેડફી રહ્યો છે ! નથી
એના માસિકમાં કોઈ વિશિષ્ટતા કે કોઈ અપૂર્વ તા !
એ ગમે ત્યાં નાકરી કરવા રહી ગયા હાત તે સારી
એવા પેાતાના વિકાસ સાધી શકયા હાત. બે પાંદડે હાત ને
સુખના રાટલા ખાતા હોત.
પણ ના, શહેરના એક ખૂણામાં, એક નાનકડી સાત
નવની ઓરડીમાં, રસોડું, આફ્િસ, રહેઠાણુ અને આરામગૃહ,
એ બધુ જ એમાં રાખીને એ પડચો રહેતે. અને જેને
એણે સેવા માની હતી તે–આ માસિકનું કામકાજ કર્યા કરતા.
એને મન એ લહાવા હતા, જીવનના પ્રેમ હતા, ખીજાને મન
એ ભ્રમ હતા.
એના ગ્રાહકેા તૂટતા, ઘટતા, કયારેક તે લુખ્ખા રોટલાના
પણ વાંધેા પડી જાતા, છતાં કાણુ જાણે કેમ કુબેરને એમાં
અનેરા ઉત્સાહ આવ્યા જ કરતે ! એના ઉત્સાહમાં ઓટ નહિ.
માસિકના ફેલાવામાં ઓટ ભલે હાય.
જયારે મળે ત્યારે એ માસિક માટેનું કાંઈ ને કાંઈ
કામ કરતા જ હોય !
મેં એને ઘણી વખત સમજાવ્યે : ‘ ભાઈ! આ તારા
માસિકમાં નથી કોઈ વિશિષ્ટતા, નથી કોઈ ખાસ આકર્ષણ,
કેવળ તારો પોતાના ભ્રમ છે કે આવી રીતે તું સેવા કરે છે. ’
કુબેર એ બધું સાંભળીને માત્ર આટલું જ લે: · એ જે હાય
તે! પણ મને હવે આનું વ્યસન પડયુ છે તે નહિ છૂટે. હું
ને મારું માસિક સાથે જ મરીશું!'
*
એમ કલિન વર્ગમાં તે એની જ્ઞાતિમાં
તો એ પાશ
CC-D. In Public Domain. Gurukul<noinclude></noinclude>
c736oguutxves9eujpt5nab8bgw1bzo
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૫૮
104
73638
224034
2026-08-10T16:29:05Z
Snehrashmi
2103
/* Not proofread */
224034
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૫૦||તેજબિંદુ}}<hr>''' '''<hr>{{rh|સહજ થાય તો !||૧૫૦}}<hr>'''</noinclude>૧૫૦
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
તેજ’િદુ
એવા બે ત્રણ વર્ગ હતા. તેમાં સૌથી ઊંચામાં ઊંચી બેઠકે,
ખરી રીતે, આ મુલિસ માણસનું નામ હતું. એ ધારે તા
આવતી કાલે લક્ષાધિપતિ થઈ પડે એવી સામાજિક રચનાને
એ બાળક હતા! પણ એને તે આ માસિક આડે એ કઈ
વાત યાદ જ ન હતી!
ત્યાર પછી કયારે એ મારે ત્યાં આવતા ખંધ થયા તે
ખબર રહી નથી. પણ પહેલાં તે દરમહિને એ આવીને
ઊભા જ હાય, એ સ્થિતિ અચાનક જ બંધ થઈ ગઈ હતી,
એવું કાંઈક મને યાદ છે.
શું બન્યુ હતુ. તે ખખર રહી નથી. પણ તેનું માસિક
તે નિયમિત ચાલ્યા કરતું હતું.
એક વખત એ માસિક તરફ જોયુ, ત્યારે કાળુ જાણે
કેમ, એમાં મને એક ઉત્સાહી. પ્રેમાળ, અક્ષર ઉપાસનાના
અનુપમ ભક્તને બદલે, એક ઘરેડમાં પડેલા, ચલાવવાની
ખાતર ચલાવતા, કાઇક જૂના વ્યસનીની છાપ નજરે પડી !
કુબેરે હમણાં પેાતાનુ જૂનુ સ્થાન બદલ્યુ હતુ. અને
પછી એ કર્યા રહેવા ગયા છે તેને મને હજી પત્તો મળ્યા
ન હતા. એક વખત માસિક જ્યાં છપાતું હતું ત્યાં હું ગયે-
પણ ત્યાંથી એના ઘરના કાંઈ ખરાખર પત્તો લાગ્યા નહિ!
અને પછી એક વખત એનેા પત્તો અચાનક જ ખીજી
રીતે મળી ગયા. હું એક સિનેમાગૃહ પાસેથી, મારે કામે
ઉતાવળે ઉતાવળે જઇ રહ્યો હતા, ત્યાં બહાર ચેાડેલી સિનેમાની
નટીનાં દૃશ્યોને નિહાળી નિહાળીને જોતા એક માણસ મે
જોયે, મેં એના ઉપર સહેજ જ નજર કરી, પણ ત્યાં તે
ભારની નવાઈની ાતurનીa(@olonકરભાત મારી<noinclude></noinclude>
e4r5o12po6b0nbc89hlul0957ihepei