વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.16
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૬
104
73520
224207
224178
2026-08-24T17:35:47Z
Meghdhanu
3380
/* Validated */
224207
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૭૮||તેજબિંદુ}}<hr>'''</noinclude>{{gap}}પોતાનો ચમત્કાર બતાવી દેવા માટે એ ક્યારનો મંત્ર મનમાં ભણી રહ્યો હતો. ગુરુ ત્યાં દૃઢતાથી પણ શાંત બેઠા હતા. વૈરાગીને નવાઈ લાગી. એના મંત્રો અફળ થઈ રહ્યા હતા. પણ જ્યારે આ પ્રમાણે પોતાનુ. મંત્રબળ નકામું નીવડ્યું, એટલે તરત એ વાત સમજી ગયો. આવનાર કોઈ સાધારણ નથી. તે ગુરુના ચરણમાં પડી ગયો. હાથ જોડીને વિનંતિ કરી: ‘તમે કોણ છો? અને કેમ આવ્યા છો?'
{{gap}}ગુરુએ શાંતિથી કહ્યું. ‘ હું કોણ છું એ તો તું જાણે જ છે.’
{{gap}}‘હું જાણું છું? ' વૈરાગી નવાઈ પામ્યો. ‘હું તો કાંઈ જાણતો નથી. અને શી રીતે જાણું? આ બાજુ આવું છું જ પહેલી વાર.'
{{gap}}ગુરુએ શાંત પ્રેમથી ફરીને એટલું જ કહ્યું: ‘તું જાણે છે. તું જાણે છે કે તું જાણે છે. ફરી વાર તું વિચાર કરી જો! તું જાણે છે. તુ ન જાણે તે કેમ બને?'
{{gap}}વૈરાગી મૂંગો મૂંગો વિચાર કરી રહ્યો. થોડીવાર પછી એ બોલી ઊઠ્યો: ‘ગુરુ ગોવિંદસિંહ કહે છે, એમણે તો મને આ માન નથી આપ્યું?’
{{gap}}ગુરુએ ડોકું ધુણાવીને હા કહી.
{{gap}}‘ત્યારે હવે તમે કેમ આવ્યા છો તે મને કહો.’ વૈરાગી બોલ્યો.
{{gap}}ગુરુ ગોવિંદસિંહે એટલી જ શાંતિથી કહ્યું: ‘તારે મારી સાથે આવવાનું છે. અને અમારી સાથે રહેવાનું છે. તને અમે અમારામાં ભેળવી દેવા માટે જ આવ્યા છીએ.’
{{gap}}વૈરાગી એ સાંભળતાં જ ગુરુના ચરણમાં લોટી પડ્યો.
{{gap}}થોડા દિવસ આ વાત ઉપર ગયા. ગુરુ અને શિષ્ય<noinclude></noinclude>
2ipsh9qzvquhxqd0yav0fxorjejnfz5
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૭
104
73521
224208
224179
2026-08-25T03:30:56Z
Snehrashmi
2103
/* Validated */
224208
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|અજિત !||૧૭૯}}<hr>'''</noinclude>અનેક વિશ્રંભ કથાઓ કરતા રહ્યા. ગુરુના દિલની આગ શિષ્યને પણ લાગી ગઇ. એવામાં ગુરુનું મૃત્યુ થવાનો સંયોગ આવ્યો. એક પઠાણે એ પહાડી શરીરને દગો દીધો. ગુરુએ પોતાની મૃત્યુશય્યા ઉપરના છેલ્લા શબ્દો આપવા માટે વૈરાગીને એક દિવસ બોલાવ્યો: ગુરુએ એને કહ્યું: ‘બંદા ! તું જ મારો વારસ છે. અને તને જ હું રહી ગયેલી નિકાલ કરવાની વાતોનો વારસ નીમું છું ! જે અગ્નિ મારામાં છે, તે તારામાં આવો !’
{{gap}}‘પણ શી વાતો રહી ગઈ છે, ગુરુજી?’
{{gap}}‘તને બધી જ વાતો કહી છે. પિતાનું, પિતામહનું, બે પુત્રોનું—તમામનુ વેર લેવાનું બાકી છે !’
{{gap}}‘ગુરુજી ! એ હું શી રીતે કરવાનો હતો ? જ્યાં આવડી મોટી શહેનશાહત સામે ખડી છે !’
{{gap}}‘કરીશ તો તું જ કરીશ, ને એકજ રીતે,’ ગુરુએ કહ્યું: ‘મૃત્યુનો ભય તજીને. મોટી મોટી શહેનશાહતો તારાથી ધ્રૂજી ઊઠશે. જે મૃત્યુથી ડરતો નથી, તેને માટે મૃત્યુ જ નથી, એ તો જીવન જ જીવે છે !’
{{gap}}પછી ગુરુ ગોવિંદે પાંચ તીર પોતાના ભાથામાંથી લીધાં. બંદાને એ પાંચ તીર આપ્યાં. શાંત રાત્રિમાં બંદો એની વાણી સાંભળી રહ્યો: ગુરુ બોલી રહ્યા હતા:
{{gap}}‘કોઈ પણ સ્ત્રીનો પડછાયો લેતો નહિ, બેટા ! અને આ પાંચ તીરને તજતો નહિ. જ્યાં સુધી આ બે વસ્તુ તારી પાસે હશે, ત્યાં સુધી તારો પરાજય નહિ થાય, જા !’
{{gap}}ગુરુ તો ત્યાર પછી પોતાને પંથે ચાલી નીકળ્યા. પણ બંદાના મનમાં ગુરુની એક વાતનો ઊંંડો મર્મ ઘા બેસી ગયો છે. તેને ક્યાંય ચેન પડતું નથી ક્યાંય આરામ દેખાતો<noinclude></noinclude>
lvtyipvdcjpzznrjfjr657f79efz2kh
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૮
104
73522
224209
224180
2026-08-25T03:33:28Z
Snehrashmi
2103
/* Validated */
224209
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૦||તેજબિંદુ}}<hr>'''</noinclude>નથી. રાતદિવસ એને એક જ ઝંખના રહ્યા કરે છે. ગુરુના પેલા બે નિર્દોષ પુત્રોને જે સ્થળમાં જીવતા ચણી લેવામાં આવ્યા હતા, તે સરહિંદનાં એને સ્વપ્નાં આવે છે ! ત્યાંથી આવી રહેલા ભયંકર વૈરના પડઘા એને સંભળાયા કરે છે !
{{gap}}દરેકે દરેક શીખ સરહિંદ પાસેથી પસાર થતાં, આ અમાનુષી કૃત્યની શરમ ભરેલી યાદમાં, એક ઢેફું સતલજ નદીમાં નાખે છે, એમ કહેવા કે આટલો આ ધરતી ઉપર જલપ્રલય થઈ ગયો હોત !
{{gap}}ગુરુ ગોવિંદના બે કુમળા પુત્રો, ફત્તેસિંહ અને જોરાવરસિંહ, ત્યાં સરહિંદમાં, કિલ્લાની ભીંતમાં જીવતા ચણાયા હતા. સરહિંદના સૂબાએ એ કર્યું હતું. સરહિંદની ધરતીની એ શરમકથા હતી. બંદાને એ વાત જાણ્યા પછી હવે ક્યાંય ચેન નથી પ્રાણાંતે પણ ધર્મ ન તજનારા ગુરુના બન્ને પુત્રો એને યાદ આવે છે. એની વીરવાણીના પડઘા એને જાણે હરપળે સંભળાયા કરે છે !
{{gap}}સરહિંદ સાફ કરી નાખવાની અદમ્ય અગ્નિજ્વાલા એના દિલમાં પ્રગટી છે ! એને નિદ્રા નથી, આરામ નથી, શાંતિ નથી.
{{gap}}એ પંજાબ ભણી ચાલી નીકળ્યો. ગુરુ ગોવિંદની મૃત્યુવાણીના છેલ્લા વારસને, સૌએ ત્યાં ગુરુના જેટલું માન આપ્યું. બંદાએ મુલુ કોટીલાહ પાસે મુકામ કર્યો.
{{gap}}ત્યાં એનો એક પૌત્ર રહે. વૈરાગી ફકીરનું જીવન ગાળે. અગમ નિગમની વાતો જાણે. સંસારને તુચ્છ ગણે. પોતાની ધૂનમાં પોતે મસ્ત રહે. એનું નામ જ આત્મારામ. બંદાએ આત્મારામને કહ્યું: ‘સરહિંદ જાવું છે, ગુરુના બે અદ્ભુત પુત્રોની જીવનસ્મૃતિને શોણિત અંજલિ આપવી છે. સાથે ચાલો !’
{{nop}}<noinclude></noinclude>
a74owkyo3i6knfvd9fb9jc3ho3w5u4n
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૮૯
104
73523
224210
224181
2026-08-25T03:35:42Z
Snehrashmi
2103
/* Validated */
224210
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|અજિત !||૧૮૧}}<hr>'''</noinclude>{{gap}}આત્મારામે માથું ધુણાવ્યું, આત્મારામે ના પાડી ‘હું સાથે ચાલું ? આ કામ માટે ? ના ના, હું તો એક રખડુ વૈરાગી ફકીર છું. મારે પ્રેમ શું, વૈર શું, જીવન શું ને જીવનસ્મૃતિ પણ શું ? હવાને પૂછો—એને કોઈ વાત યાદ છે ? એને ક્યાંય રાગ પ્રેમ તિરસ્કાર અપમાન છે? હું તો હવાની એક લેરખી છુ, આજ આંહીં છું, કાલે કોણ જાણે ક્યાં હોઈશ !’
{{gap}}‘પણ તો આ વાત ઉપર આશીર્વાદ ?’
{{gap}}આકાશમાં વહી જતી એક વાદળીની સામે આત્મારામ જોઈ રહ્યો. તેણે ધીમેથી માથું ધુણાવ્યું: ‘આમાંથી છેવટે કાંઈ જ નહિ મળે, કાંઈ જ નહિ ફળે છેવટે માત્ર મૃત્યુ મળે, બીજું કાંઈ જ નહિ !’
{{gap}}આત્મારામની વાણી સાંભળતાં બંદાને હર્ષકારી રોમાંચ થઈ આવ્યો: ‘મારે એ જ જોઈતું હતું, એ જ જોઈતું હતું, જેમાં કાંઈ ન મળે, પણ માત્ર મૃત્યુ મળે ! હું એની જ ખોજમાં નીકળ્યો છું ! આજ મને ધરપત થઈ કે એ મને ભેટવા માટે આવશે, હવે હું નિર્ભયતાથી મારે આ પંથે જઈશ !’
{{gap}}‘ગુરુકી ફતેહ ! વાહ !’ એ ઘોષ સાથે સેંકડો મરણિયા લઈને એ સરહિંદ તરફ ચાલી નીકળ્યો.
{{સ-મ| |[૨] | }}
{{gap}}ગુરુદાસપુરના કિલ્લાને શાહી દળે ઘેરો ઘાલ્યો હતો સરહિંદમાં માણસ તો શું એક પથ્થર પણ એણે જીવતો રહેવા દીધો ન હતો. અને ત્યાર પછી તે દિવસો સુધી એમ ને એમ બાદશાહી દળને હંફાવતો બંદાનો વિજયી ધ્વજ વિજયવંત<noinclude></noinclude>
hskp6zhjww3a2nihetkfph3kavbvuqf
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૧૯૦
104
73524
224211
224189
2026-08-25T03:37:36Z
Snehrashmi
2103
/* Validated */
224211
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૮૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>જ રહ્યો હતો !
{{gap}}અનેક પ્રયત્નો બંદાને હંફાવવા માટે થયા. તમામ નકામા નીવડ્યા. હવાને બંધનમાં લેવાય તો ગુરુ બંદાને બંધનમાં લેવાય !
{{gap}}છેવટે લોહગઢમાં તેઓ ઘેરાયા હતા. ચારે તરફ ડુંગરમાળ હતી. નીકળવાનો રસ્તો ન હતો. અનાજ ખૂટવા આવ્યું હતું. ગુરુ બંદાનું જીવન જોખમમાં હતું.
{{gap}}એ વખતે એક તમાકુનો વેપારી, ગુરુની અગ્નિવાણીના સ્પર્શથી નવજીવન પામ્યો.
{{gap}}તેણે પોતાની જાતને, કોઈ ને કહ્યા વિના જ ગુરુની જેમ શણગારી. જઇને એ ગુરુના આવાસ પાસે બેસી ગયો. બધાને એક વાત કહ્યા વિના જ સમજાઈ ગઈ. ગુરુ બંદાને બચાવવાનો આ એક જ રસ્તો છે. કોઈકે આંહી રહેવું પડશે, તો જ દુશ્મને માનશે કે સામનો આંહીં થઈ રહ્યો છે, માટે ગુરુ બંદાનો મુકામ હજી આંહીં છે, અને તો જ બીજે સ્થળે બીજાથી સહીસલામત નીકળી જવાશે !
{{gap}}તમાકુનો વેપારી ત્યાં ગુરુ બનીને રહ્યો. ઘોર અંધારી રાત્રે કોઈ ન જાણે તેમ ગુરુ બંદા સાથે ચુનંદા સૈનિકો ચાલી નીકળ્યા !
{{gap}}શાહી સૈન્યને ખબર પડી. દરવાજો તોડ્યો. કિલ્લામાં પ્રવેશ કર્યો, એમને ભાગી જનારાની પડી ન હતી, ગુરુ આંહી હતા અને હવે કેદમાં પડ્યા હતા !
{{gap}}સેનાપતિ ખાનખાનાના આનંદનો પાર ન હતો. ઔરગઝેબ પછી આવેલા બાદશાહ બહાદુરશાહ પાસે આ સમાચાર લઈ જનારા પણ ફાવી ગયા ! એમને માન અકરામ મળ્યાં. ભેટ સોગાદો મળી. ખાનખાનાનો હોદ્દો વધ્યો. આ બધું થયા<noinclude></noinclude>
lj77e7relyjq1bcwpe12pukxn20blv5
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૦
104
73534
224202
223749
2026-08-24T16:09:15Z
Amvaishnav
156
/* Proofread */
224202
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૯૨||તેજબિંદુ}}<hr>'''</noinclude>પૂરેપૂરું જાણવું, અથવા તો બિલકુલ ન જાણવું: પણ અર્ધદગ્ધ ન થવું. અર્ધદગ્ધને આવડે પણ નહિ, અને પોતાને નથી આવડતું એમ પણ એને સૂજે નહિ! એટલે એ વિદ્યાને જ લજવે ! '
{{gap}}'હા, ભૈ હા ! ચાલો, હવે સાંધ્યકર્મનો વખત થયો છે !' ગુરુ આત્રેય બોલ્યા.
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
5q9cgcuq2ahugnz9plci2qifrqox5rc
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૧
104
73535
224203
223750
2026-08-24T16:18:46Z
Amvaishnav
156
/* Proofread */
224203
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૪૨] <br/> શ્રેષ્ઠ કોણ ?'''</big> | }}
<br/>
{{gap}}'''<big>મે</big>સેડોનનો''' ફિલિપ રાજા કલા પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતો હતો. એનો કલા પ્રત્યેનો પ્રેમ લેભાગુ શ્રીમંતોના ઉપરછલા શોખ કરતાં જુદી જાતનો હતો. એ સાચો પ્રેમી માણસ હતો.
{{gap}}એટલે જ્યારે એમ જાહેર થતું કે રાજા ફિલિપના દરબારમાં કલાકૃતિઓનું પ્રદર્શીન ભરાવાનુ છે, અને તેમાં શ્રેષ્ઠ નીવડનારને રાજા બહુમાન આપવાના છે, ત્યારે દૂર દૂરથી અનેક કલાકારો પોતપોતાની ચિત્રસજાવટ લઈને એના દરબારમાં
આવતા અને થોડા દિવસ ત્યાં મેળો ભરાઈ રહેતો. એ મેળામાં જુદી જુદી કૃતિઓની તુલના થતી. જે શ્રેષ્ઠ કલાકાર સ્થપાતો તેને રાજા ઉદારતાથી ભેટસોગાત આપતો.
{{gap}}આ સ્પર્ધામાં આખા દેશના કલાકારો રસ લેતા.
{{gap}}એક વખત રાજા ફિલિપે એ પ્રમાણે એક સ્પર્ધાની જાહેરાત કરી. એ સાંભળીને દેશભરમાંથી કલાકારો પોતપોતાનાં ચિત્રો લઈને આવ્યા. કેટલાક નામના કલાકાર હતા, તો કેટલાક નામીચા કલાકારહતા પણ રાજા ફિલિપને એ<noinclude></noinclude>
d3xiuggmr8l51r73n2ety2ny6ncprrh
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૨
104
73536
224204
223751
2026-08-24T16:26:55Z
Amvaishnav
156
/* Proofread */
224204
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૯૪||તેજબિંદુ}}<hr>'''</noinclude>જોઈને આનદ થયો કે દરેક કલાકાર પોતાની કલાભક્તિમાં એક્કો હતો—ભલે એની કૃતિમાં એ મોળોળા પડતો હોય !
{{gap}}આ વખતની સ્પર્ધા પણ ખૂખ મુશ્કેલ હતી. કોઈની કૃતિમાં કાંઈ ખૂબી હતી, તેા બીજાએ નવી જ વસ્તુ આપી હતી. કોઈએ રેખાચિત્રમાં કમાલ કરી હતી, તો બીજાએ રંગની ભાષાને કવિતામય બનાવી દીધી હતી ! ગમે તેટલું
જોનારા જુએ અને પરીક્ષા કરનારા પરીક્ષા કરે, પણ એક ચિત્ર બીજાથી શ્રેષ્ઠ છે એમ નિ:શંકપણે કોઈ કહી શકે નહિ !
{{gap}}એક કૃતિ જૂએ ને બીજી ભૂલે, એવી એક કરતાં એક ચડિયાતી કૃતિઓ ત્યાં હતી.
{{gap}}પણ તમામ કૃતિઓમાં બે કૃતિઓ અનોખી તરી આવતી હતી.
{{gap}}‘ઝ્યુક્સીઝે’ એક દ્રાક્ષના ઝુમખો એક સુંદર પાત્રમાં આપ્યો હતો ! પણ એની રંગમિલાવટ, રજુઆત, દર્શન અને સર્જન એટલાં અદ્ભુત હતાં કે ન પૂછો વાત ! માણસ તો ઠીક, ચકોર દૃષ્ટિથી ચીજને ઓળખનારી ૫ંખીની જાત પણ ભૂલી પડી જતી હતી ! અને ત્યાં આવીને દ્રાક્ષને ઉપાડી લેવા માટે એસી જતી ! બેઠા પછી પણ થોડી વારે જાણી શકતી કે પોતે છેતરાઈ છે ! પંખીની જાતને છેતરનારો આ કલાકાર અદ્ભુત હતો. આખા મેળામાં એનાં ગુણગાન થઈ રહ્યાં હતાં. ન્યાયાધીશો પણ પોતે, પક્ષવાદ ન લઈ શકે એ વાત ઉત્સાહમાં ભૂલી જતા હતા! ખરેખર ચિતારાએ કમાલ કરી હતી ! 'ઝ્ચૂક્સીઝ’ નો સર્વશ્રેષ્ઠનો અધિકાર નિશ્ચિત હતો.
{{gap}}પણ એક બીજો પ્રતિસ્પર્ધી પણ ત્યાં હતો. એનું નામ ‘પારહેશ્યસ’.
એણે બીજું કાંઈ નહોતું કર્યું; એક પડદાની<noinclude></noinclude>
n3ut75mxs339kgw89buny0qfhm99u2i
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૩
104
73537
224205
223752
2026-08-24T16:39:26Z
Amvaishnav
156
/* Proofread */
224205
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|શ્રેષ્ઠ કોણ? ||૧૯૫}}<hr>'''</noinclude>પાછળ જાણે પોતાનુ ચિત્ર ઢાંકીને એ એની આગળ બેઠો હતો. એનું ચિત્ર કોઈએ જોયું ન હતું, પણ એની ખ્યાતિ એવી હતી કે એ અદ્ભુત જ હશે એ વિષે ભાગ્યે જ કોઈ ને શંકા થાય. ન્યાયાધીશ મંડળી ફરતી ફરતી ત્યાં આવી પહોંચી. એની
સાથે ઝ્યુક્સીઝ પણ હતો.
{{gap}}સૌ આવીને ત્યાં ઊભા રહ્યા. હવે તો કોણ શ્રેષ્ઠ ચિત્રકાર છે એ ઠરાવવા માટે, પડદો દૂર થાય ને આ ચિત્રનું દર્શન થાય એટલી જ વાર રહી હતી. બીજા બધાં જોવાઈ ગયાં હતાં. સ્પર્ધા એ વચ્ચે જ આવીને અટકી હતી.
{{gap}}સુંદર મખમલનો પડદ્પ્ ત્યાં ટીંગાતો હતો !
{{gap}}'ઝ્યુક્સીઝે’ પોતાનું નસીબ નક્કી કરવા માટે 'પારડેશ્યસ'ને કહ્યુ: ‘મખમલી પડદો દૂર કરો અને સ્વર્ગ બતાવો !'
{{gap}}પારહેશ્યસે જરાક સ્મિત કર્યું : અને પછી ધીમેથી ઉમેર્યું: 'તમે જ પડદો દૂર કરો ને !’
{{gap}}'ઝ્યુક્સીઝ’ એ સાંભળીને આગળ વદ્યો. ઝડપથી એણે પેલા મખમલી પડદાને એક તરફ ખેસવવા માંડ્યો. પણ પડદા ઉપર હાથ પડ્યો પછી એ આશ્ચયમાં ત્યાં થંભી ગયો !
{{gap}}ત્યાં બીજું કોઈ ચિત્ર આ મખમલી પડદાની પાછળ ન હતું ! પણ મખમલી પડદો પોતે, એ જ ચિત્ર !
{{gap}}ચિત્રકારે કમાલ કરી હતી ! એના મખમલી પડદાએ ખુદ ચિત્રકારને પોતાને છેતર્યો હતો !
{{gap}}પરીક્ષકો, પ્રેક્ષકો ને પ્રતિસ્પર્ધીઓ ત્યાં આશ્ચર્યમાં ઊભા રહી ગયા ! સૌને સમજાઈ ગયું કે રાજમુગટ, આ અદ્ભુત ચિત્રકારનો થઈ ચૂક્યો હતો !
{{સ-મ| |🙒 | }}<noinclude></noinclude>
fpd68nvg2glki32oajm9u5fbumhiuf8
પૃષ્ઠ:Tej Bindu By Dhumketu.pdf/૨૦૪
104
73538
224206
223753
2026-08-24T16:47:39Z
Amvaishnav
156
/* Proofread */
224206
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''[૪૩] <br/> રાજાનું વેણ !'''</big> | }}
<br/>
{{gap}}'''<big>પુ</big>નાના''' દરબારમાં ભારે હોહા મચી રહી હતી. પેશ્વા સવાઈ માધવરાવના દરબારખંડમાં સોગઠાંબાજી ખેલાતી હતી. રગમાં આવી જઈને પેશ્વાના પ્રતિસ્પર્ધી રમનારાએ ઊઠી જતાં કહ્યું: 'તમારાથી થાય તે ચાલ કરી લો સરકાર ! વિજય અમારી છે !'
{{gap}}નાનકડો પેશ્વા રમતની બાજી ઉપર નજર ફેરવી ગયો. એક અમુક દાવ આવે તો પોતાની જીત નક્કી હતી. તેણે મોટેથી કહ્યુ : ‘બાજી ભલે તમારા પક્ષમાં રહી, છત અમારી છે !
{{gap}}'તમારી ? જીત ? કોઈ કાળે થવાની નથી, સરકાર ! ’
{{gap}}સવાઈ માધવરાવ ઉપર પિતાના જેવી પ્રેમવૃત્તિ રાખનારા નાના ફડનવીસ પણ ત્યાં બેઠો હતો.
{{gap}}સવાઈ માધવરાવે પ્રયત્ન ઘણો કર્યો, પણ ધાર્યો દાવ પડે જ નહિ ને !
જુવાન પેશ્વા એ જોઈને આવેશમાં આવી ગયો. એ સોગઠાં લઇને બેઠો થઇ ગયો. 'જે મને આ બાજી જિતાડી દેશે<noinclude></noinclude>
897k6yzw3y8wurje9awubshkm2nck0p