વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.18 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Mameru.pdf/૧૫ 104 7525 224388 86598 2026-09-03T06:33:40Z ~2026-47735-04 4662 </poem> add 224388 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vyom25" /></noinclude><poem><center>તમો પ્રતિપાળો પોતાના દાસ, માટે મુજને છે વિશ્વાસ; અંબરીષનો નિવાર્યો ત્રાસ, તમે ભોગવ્યા છે ગર્ભવાસ. લીધો મચ્છતણો અવતાર, શંખાસુરનો કીધો સંહાર; કચ્છપરૂપ ધર્યું મોરાર, ચૌદ રત્ન મથી કાઢ્યાં બહાર. માર્યો હિરણ્યાક્ષ મહા પાપી, ધરણી સ્થિર કરીને સ્થાપી; અજામેલ સરખો મહા પાપી, પુત્રને નામે પદવી આપી. પ્રહ્લાદની દોહલી જાણી વેળા પરમેશ્વર પ્રગટ થયા વહેલા; ધ્રુવનો જન્મમરણ ભય હર્યો, અવિચળ પોતા સરખો કર્યો. પોપટ પઢાવતી પુંશ્ચલી, વૈમાને બેશી વૈકુંઠ પળી; તમો ઉચ્છિષ્ટ આરોગ્યા બદરી, તો પરમ ગતિ પામી શબરી. લગાર ચરણ નમાવ્યું શીશ, વિભીષણ કીધો લંકાધીશ; તાર્યો કુટુંબ સહિત તે માછી, નવ પામ્યો જન્મ પીડા પાછી. છો દોહેલી વેળાના સાથી, તમે ગ્રાહથી મૂકાવ્યો હાથી; બટુક વેષ થયા વામન, જાતું રાખ્યું ઈંદ્રાસન. પ્રભુ પાંચાલિનું દુઃખ જાણ્યું, પૂર્યાં ચીર નવસેં નવાણું; કૌરવથી જિતાડ્યો પારથ, કુરૂક્ષેત્રમાં હાંક્યો રથ. રુક્‌માંગદ તાર્યો સંસાર, હરિશ્ચંદ્રની કીધી વાર; શંખ પૂજતો રાજકુમાર, ચંદ્રહાસ રાખ્યો ત્રણ વાર. તમે સુધન્વા બળતો રાખ્યો, જો પિતાએ કઢામાં નાંખ્યો; વહેરાતાં નવ રોયો રજ, મુક્તિ પામ્યો મુરધ્વજ. ખાંડવ વન ખગ લીધાં રાખી, ગજઘંટા તે ઉપર નાંખ્ખી; વિદુરની આરોગ્યા ભાજી, તેની પ્રીતે થયા તમો રાજી. સુદામાના લેઈ તાંદૂલ, નવનિધ, આપી તે અમૂલ્ય; મદ માધવાના મનનો હર્યો લીલાએ ગોવર્ધન ધર્યો. દાવાનળ પીધો જદુરાય, બળતાં રાખ્યાં ગોપી ગાય; કુબ્જાની તમે લીધી અર્ચા, તમે લોકતણી સહિ ચર્ચા. અનાથબંધુ દીનદયાળ, હું સેવકની લેજો સંભાળ; તમો છો દામોદર દક્ષ, હું સરખા સેવક છે લક્ષ. મારે એક તમારી પક્ષ, પરમેશ્વર થાજો પ્રત્યક્ષ; મારે માથે દુઃખના વૃક્ષ, તેથી લાજે તમારો પક્ષ.</poem><noinclude></noinclude> dzvpli36plbvoxa4ettjo50intbcv2s પૃષ્ઠ:Mameru.pdf/૭ 104 7530 224386 86611 2026-09-03T06:26:26Z ~2026-47735-04 4662 HTML code setting - </poem> add 224386 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vyom25" /></noinclude><poem><center>જુઓ સાથ કેવો ફૂટડો, એને પરમેશ્વર ત્રૂઠડો; કુંવર વહુનું ભાગ્યું દુઃખ, એવું કહીને મરડે મુખ. જુઓ બળદ મહેતાજી તના, બગાઈઓ શબ્દ કરે છે ઘણા; વજાડશે મંડપમાં ચંગ, આગરી નાતમાં રહેશે રંગ. આ ગાંઠડી વળગાડી લટકે, તાળના જોડા બાંધ્યા પટકે; તુળસી કાષ્ટતણો એ ભારો, હવે મામેરાનો શો ઉધારો. છાબમાં તુળશી દળ મૂકશે, ઉભો રહીને શંખ ફૂંકશે; વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે. એમ નાગરી કૌતુક કરે, ટોળ કરીને પાછી ફરે; કુંવર બાઇએ જાણી વાત, મોસાળું લઇ આવ્યા તાત. ઉતાવળી મળવાને ધશી, બોલી નણદી મર્મે હશી; આ શું પિતા પુત્રીનું હેત, શાને કરવા આવ્યો ફજેત. લજાવ્યું સાત પેઢીનું નામ, સાથે વેરાગીનું શું કામ; શું મળવા ચાલ્યાં એકલાં, એ બાપથી ન બાપાં ભલાં. કઠણ બોલ એવો સાંભળી, કુંવરબાઇ બોલી પાછી વળી; નણદી શું મચ્છર આવડો, પુંઠળથી બાઇ શું બડબડો. સુખી પિતા હશે જે તણો, તે પુત્રીને લાભ જ ઘણો; કોનો પિતા લખેશરિ કહાવે, તે તો મારે શે ખપ આવે. રાંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર; તમે મન માને તે કહો, એ પિતા મારે જીવતો રહો. મર્મ વચન નણદીને કહી, પછે પિતા પાસે પુત્રી ગઇ; દૂરથકી દીઠી દીકરી, મહેતાએ સમર્યા શ્રી હરિ. અન્યોન્ય નયણાં ભરી, ભેટ્યાં બેઉઓ આદર કરી; મહેતે મસ્તક મૂકી હાથ, પાસે બેસાડી પૂછી વાત. કુંવરબાઈ કહો કુશળક્ષેમ, સાસરિયાં કાંઇ આણે છે પ્રેમ; રુડો દિવસ આવ્યો દીકરી, તો મોસાળું કરશે શ્રીહરિ. કુંવર બાઇ બોલી વીનતિ, મોસાળું કાંઈ લાવ્યા નથી; નાગરી નાતે રહેશે કેમ લાજ, વિના દ્વવ્ય આવ્યા શે કાજ. નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર; નિર્ધનને કોઈ નવ ગણે, નવ રાખે ઊભો આંગણે.</poem><noinclude></noinclude> 3ja6g35rz72na0vsilzrj9jwq6l49i2 પૃષ્ઠ:Mameru.pdf/૮ 104 7535 224387 86612 2026-09-03T06:27:22Z ~2026-47735-04 4662 </poem> add 224387 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vyom25" /></noinclude><poem><center>ચતુરપણું નિર્ધનનું જેહ, ઘેલામાંહી ગણાએ તેહ; લોક બોલાવે દુર્બળ કહી, એથી માઠું કાંઈ બીજું નહીં. પિતાજી કાંઈ ઉદ્યમ નવ કરો, ધનનો નવ રાખો સંઘરો; આ અવસર સચવાશે કેમ, પિતાજી તમે વિચારો એમ. નથી લાવ્યા કંકુની પડી, નથી લાવ્યા મોડ નાડાછડી; નથી માટલી ચોળીને ઘાટ, એમ શું આવ્યા બારેવાટ. કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મુઈ મરતે માત; માતા વિના સુનો સંસાર, માતા વિના તે શો અવતાર. જે બાળકની માતા ગઈ મરી, બાપની સગાઈ સાથે ઊતરી; જેવું આથમતા રવિનું તેજ, મા વિના એવું બાપનું હેત. સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિણ જેવું તલફે મચ્છ; ટોળાં વછોઈ જેવી મૃગલી, મા વિના દીકરી એકલી. લવણ વિના જેવું ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજંન; કીકી વિના જેવું લોચંન, મા વિના તેવું બાપનું મંન. ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી; ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર. શીદ કરવા આવ્યા ઉપહાસ, સાથે વેરાગી પાંચ પચાસ; શંખ તાળ ને માળા ચંગ, એ મોસાળું કરવાના ઢંગ. ન હોય તો પિતા જાઓપાછા ફરી, એવું કહીને રોઈ દીકરી; મહેતે મસ્તક મૂક્યો હાથ, કરશે મોસાળું વૈકુંઠનાથ. પહેરામણી કરવી હોય જેટલી, આસામી લખી લાવો તેટલી; લખજો સાસરિયાં સમસ્ત, વિસારશો મા એક વસ્ત. વચન મહેતાજીનાં સુણી, કુંવરબાઇ આવ્યાં સાસુભણી; મારે પિતાએ મોકલી હૂંય, લખો કાગળમાં જોઇયે શૂંય. મુખ મરડીને બોલી સાસુ, શો કાગળ ચીતરવો ફાંસુ; છાબમાં તુળસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે. '''વલણ''' ફૂંકશે શંખ ઊભો રહી, નરસૈયો મોસાળું શું કરે; સંવાદ વહુઅરનો સાંભળી, પછે વડ સાસુ એમ ઓચરે.</poem><noinclude></noinclude> iqktq9qzf470wi0vpiyvqykqy0hwjuo પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૯ 104 73699 224381 224356 2026-09-02T16:49:57Z Amvaishnav 156 224381 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> <br/> <br/> <br/> {{rule|height=2px}} {{rule|height=1px}} {{સ-મ| | | *'''પ્રસ્તાવના''' }} <br/> {{gap}}' ''''<big>ચા</big>રે''' તરફ વિસ્તીર્ણ ફેલાયલા મહાન કાલ સમુદ્રની વચ્ચે, આપણું આ ' '''જીવન''' ' એ એક નાના સરખો જાણે '''દ્વીપ''' છે. એ જીવનનને પોતાનુ ગીત ગાવાનું છેઃ અને પોતાનો એક કોયડો પણ એને ઉકેલવાનો છેઃ અને જીવનની આ ખૂબી તો નિહાળો ! માણસને મળેલાં રાગ, દ્વેષ, પ્રેમ, આનંદ, દયા, ક્રોધ, મોહ, ત્યાગ, એવી એવી અનેકવિધ વૃત્તિઓની ફૂલગૂંથણીમાંથી, એને પોતાનુ ગીત મેળવવાનું છે. અને એના કોયડાનો ઉકેલ પણ એમાંથી જ એને જડવાનો છે. {{gap}}' '''એક''' નાની સરખી વનવાટિકાનો માળી પણ જાણે છે કે એના ફૂલના મોહક રંગો ભલે સૂર્યમાંથી આવતા હોય, પણ એ છુપાયા છે તો એની પેલી કચરાખાતરની ઢગલીમાં !<noinclude>{{સ-મ| | | [ १ }}</noinclude> 5c65sdr7d0yc9dtcweyk0r3q1qsmqfm પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૦ 104 73701 224377 224340 2026-09-02T16:38:19Z Amvaishnav 156 /* Proofread */ 224377 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'અને છતાં આશ્ચર્યંનું આશ્ચર્ય તો આ છે કે માણસ જેવો માણસ, પોતાની વિવિધ વૃત્તિઓની રંગબેરંગી જાજમ પાથરીને, એના ઉપર વનસંગીતની મહેફિલ જમાવવાને બદલે, એ તો એમનાથી હેરાન પરેશાન થયા કરે છે. અને જીવન જેવું વન, એક નાના ફુત્કાર જેવા ક્રોધને માટે, કે પરપોટા જેવા અભિમાન માટે કે સાંખ્ય રંગોની સુરખીના આભાસી દેખાવ સમા થોડા વખતના મોહ ભભકા માટે, વેડફી નાખે છે. એનુ જે દિવ્ય સંગીત ગગન સુધી પહોંચવાનુ છે, તેનો એક સ્વર એને જડતો નથી કે એનો કોયડો, જેને ઉકેલ થતાં, આનંદ મહેાદદિની છોળ ઉપર છોળ ઊડવાની છે, એ કાયડાનો પણ કોઈ જ અર્થ એને જડતો નથી. અને જીન તો પૂરું થાય છે ! ' {{સ-મ| | |[ ''' 'જિબ્રાનની જીવનવાટિકા’ '''માંથી ] }} {{સ-મ| |<big>*</big> | }} {{gap}}'''<big>જિ</big>બ્રાનના''' આ આ શબ્દોમાં રહેલી ફિલસૂફી—માણસનુ જીવન માણસ પોતે પોતાનામાંથી ઘડી શકે તેમ છે, એ ઘણે અંશે, તમામ સંતભક્તો અને મહાન કવિઓની વાણીમાં ઠેર ઠેર વેરાયેલી ઉક્તિઓનો પ્રકાશ આપે છે. {{gap}}'''કવિવર''' ટાગોર એક જગ્યાએ [સાધનામાં] કહે છે: {{gap}}'To understand anything is to find in it, something which is our own.'<noinclude></noinclude> 0rx4h367oswt5pg8ym2966pqf9enqiv 224378 224377 2026-09-02T16:39:34Z Amvaishnav 156 224378 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'અને છતાં આશ્ચર્યંનું આશ્ચર્ય તો આ છે કે માણસ જેવો માણસ, પોતાની વિવિધ વૃત્તિઓની રંગબેરંગી જાજમ પાથરીને, એના ઉપર વનસંગીતની મહેફિલ જમાવવાને બદલે, એ તો એમનાથી હેરાન પરેશાન થયા કરે છે. અને જીવન જેવું વન, એક નાના ફુત્કાર જેવા ક્રોધને માટે, કે પરપોટા જેવા અભિમાન માટે કે સાંખ્ય રંગોની સુરખીના આભાસી દેખાવ સમા થોડા વખતના મોહ ભભકા માટે, વેડફી નાખે છે. એનુ જે દિવ્ય સંગીત ગગન સુધી પહોંચવાનુ છે, તેનો એક સ્વર એને જડતો નથી કે એનો કોયડો, જેને ઉકેલ થતાં, આનંદ મહેાદદિની છોળ ઉપર છોળ ઊડવાની છે, એ કાયડાનો પણ કોઈ જ અર્થ એને જડતો નથી. અને જીન તો પૂરું થાય છે ! ' {{સ-મ| | |[ ''' 'જિબ્રાનની જીવનવાટિકા’ '''માંથી ] }} {{સ-મ| |<big>*</big> | }} {{gap}}'''<big>જિ</big>બ્રાનના''' આ આ શબ્દોમાં રહેલી ફિલસૂફી—માણસનુ જીવન માણસ પોતે પોતાનામાંથી ઘડી શકે તેમ છે, એ ઘણે અંશે, તમામ સંતભક્તો અને મહાન કવિઓની વાણીમાં ઠેર ઠેર વેરાયેલી ઉક્તિઓનો પ્રકાશ આપે છે. {{gap}}'''કવિવર''' ટાગોર એક જગ્યાએ [સાધનામાં] કહે છે: {{gap}}'To understand anything is to find in it, something which is our own.'<noinclude>{{સ-મ|૨] | | }}</noinclude> el3sufmrlyhk2xxorh64aucri5a1jn9 224380 224378 2026-09-02T16:49:13Z Amvaishnav 156 224380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'અને છતાં આશ્ચર્યંનું આશ્ચર્ય તો આ છે કે માણસ જેવો માણસ, પોતાની વિવિધ વૃત્તિઓની રંગબેરંગી જાજમ પાથરીને, એના ઉપર વનસંગીતની મહેફિલ જમાવવાને બદલે, એ તો એમનાથી હેરાન પરેશાન થયા કરે છે. અને જીવન જેવું વન, એક નાના ફુત્કાર જેવા ક્રોધને માટે, કે પરપોટા જેવા અભિમાન માટે કે સાંખ્ય રંગોની સુરખીના આભાસી દેખાવ સમા થોડા વખતના મોહ ભભકા માટે, વેડફી નાખે છે. એનુ જે દિવ્ય સંગીત ગગન સુધી પહોંચવાનુ છે, તેનો એક સ્વર એને જડતો નથી કે એનો કોયડો, જેને ઉકેલ થતાં, આનંદ મહેાદદિની છોળ ઉપર છોળ ઊડવાની છે, એ કાયડાનો પણ કોઈ જ અર્થ એને જડતો નથી. અને જીન તો પૂરું થાય છે ! ' {{સ-મ| | |[ ''' 'જિબ્રાનની જીવનવાટિકા’ '''માંથી ] }} {{સ-મ| |<big>*</big> | }} {{gap}}'''<big>જિ</big>બ્રાનના''' આ આ શબ્દોમાં રહેલી ફિલસૂફી—માણસનુ જીવન માણસ પોતે પોતાનામાંથી ઘડી શકે તેમ છે, એ ઘણે અંશે, તમામ સંતભક્તો અને મહાન કવિઓની વાણીમાં ઠેર ઠેર વેરાયેલી ઉક્તિઓનો પ્રકાશ આપે છે. {{gap}}'''કવિવર''' ટાગોર એક જગ્યાએ [સાધનામાં] કહે છે: {{gap}}'To understand anything is to find in it, something which is our own.'<noinclude>{{સ-મ|२] | | }}</noinclude> iix74rb5q7zwz2usles4j6emjtm2bdq પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૧ 104 73702 224379 224341 2026-09-02T16:48:33Z Amvaishnav 156 /* Proofread */ 224379 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}'''બીજી''' જગ્યાએ પણ કહ્યું છે : {{gap}}'Give us strength to love, to love fully, our life in its joys and sorrows, in its gains and losses, in its rise and fall.' {{gap}}[મને એ શક્તિ મળે, જે શક્તિ વડે હું જીવનને, એના બધા જ સ્વાંગમાં સંપૂર્ણ પ્રેમ વડે અપનાવી શકું : પછી પ્રસંગ આનંદનો હો કે દિલગીરીનો, ફાયદાના હો કે ગેરફાયદાનો, ઉદયનો હો કે અસ્તનો ! ] {{gap}}'''જીવન''' પ્રત્યે કાઈ પણ સજોગોમાં નિરાશ ન થવાનો, આશાનો અને શ્રદ્ધાનો અને પ્રેમનો આ મહાન સંદેશો ગીતાંજલિમાં પણ ઠેર ઠેર મળી આવે છે. જીવનને આપણે ચાહવું જોઇ એ એમાં આમ છે કે તેમ છે માટે નહિ, પણ 'નહિ એસો જનમ વારંવાર ' માટે, એ જીવન છે માટે. {{gap}}'''ગીતાંજલિની''' લોકપ્રિયતાનું આ એક રહસ્ય છે કે એના ઊંડામાં ઊંડા વિષાદને આશાના સાનેરી રંગ લાગેલા છે. જીવન પ્રત્યેની આ અચળ શ્રદ્ધા, દુ:ખીમાં દુઃખી દિલને પણ, આશ્વાસનનો જે સંદેશ આપે છે, એ સદેશો અમર છે. અને સેંકડો વર્ષ પછી જન્મેલાને પણ, એના જમાનાનાં સુખ દુઃખ, આશા નિરાશા, ઉદય અસ્ત, જીવનનાં બધાં જ પાસામાં થઇ ને વહેતું સોનેરી આશાનુ અચળ પ્રેમઝરણું બતાવે છે.<noinclude>{{સ-મ| | |[३ }}</noinclude> q575pvz90lx2txuc32dr4752zrxbz58 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૨ 104 73703 224382 224342 2026-09-02T16:57:58Z Amvaishnav 156 /* Proofread */ 224382 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /> {{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}''' 'ગાર્ડનર' '''માં એક સુંદર ગીત આવે છે— {{gap}}'Who are you, reader, reading my poems an hundred years hence? {{gap}}'I cannot send you one single flower from this wreath of the spring, one single streak of gold from yonder clouds. {{gap}}'Open your doors to look abroad. {{gap}}'Fron your blossoming garden gather fragrant memories of the vanished flowers of an hundred years before. {{gap}}'In the joy of your heart may you feel the living joy, that sung one spring morning, sending it's glad voice across an hundred years.' {{gap}}[ એક સેા વર્ષ પછી પોતાની કવિતા વાંચનારાને કવિ કહે છે કે ભાઈ ! મારી વસंતકુંજનું એક પણ પુષ્પ તને મોકલી શકું તેમ નથી. એક પણ सोનેરી વાદળની રંગરેખા આપી શકું તેમ નથી. પણ તું તારું દ્વાર ખોલીને બહાર<noinclude>४ ]</noinclude> abai0m422hz6umpblt1x8vjcjrpjn0y 224383 224382 2026-09-02T17:00:06Z Amvaishnav 156 224383 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /> {{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>{{gap}}''' 'ગાર્ડનર' '''માં એક સુંદર ગીત આવે છે— {{gap}}'Who are you, reader, reading my poems an hundred years hence? {{gap}}'I cannot send you one single flower from this wreath of the spring, one single streak of gold from yonder clouds. {{gap}}'Open your doors to look abroad. {{gap}}'Fron your blossoming garden gather fragrant memories of the vanished flowers of an hundred years before. {{gap}}'In the joy of your heart may you feel the living joy, that sung one spring morning, sending it's glad voice across an hundred years.' {{gap}}[ એક સેા વર્ષ પછી પોતાની કવિતા વાંચનારાને કવિ કહે છે કે ભાઈ ! મારી વસંતકુંજનું એક પણ પુષ્પ તને મોકલી શકું તેમ નથી. એક પણ सोનેરી વાદળની રંગરેખા આપી શકું તેમ નથી. પણ તું તારું દ્વાર ખોલીને બહાર<noinclude>४ ]</noinclude> dll2wa7yzwoi9oq9okhor18nkbi723a પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૩ 104 73704 224384 224343 2026-09-02T17:08:08Z Amvaishnav 156 /* Proofread */ 224384 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>દૃષ્ટિ કર. તારી જ ખીલી રહેલી જીવનવાટિકાનાં અસંખ્ય પુષ્પોને જો ! એકાદ સો વર્ષ પહેલાં ખરી ગયેલાં એ પુષ્પોની સ્મૃતિસુગધમાંથી તારી એ વનવાટિકા ખીલી રહી છે. ] {{gap}}'''કેટલો''' સુંદર ભાવાર્થ આ વાક્યમાં છુપાયેલો છે ? જીવનમાં એક વખત જે અત્યંત પ્રિય વસ્તુ હતી, તેના મોહ રાગની ભસ્મમાંથી આ નવીન વાટિકા સરજાયેલી છે ! જીવન આગળ વધે છે, એ વસ્તુ પણ કવિએ આમાં ધ્વનિત રીતે મૂકેલી છે. {{gap}}'''આત્મા''' વડેજ આત્માને ઉદ્ધારાવોએ ચિરંતન સત્યને કવિ આટલી સુંદર રીતે મૂકે છે. {{gap}}'''કવિવર''' ટાગારની વાણીમાં અનેક સુંદર અર્થોની તેજછાયા ધ્વનિત હોય છે. 'ગીતાંજલિ’માં એની પરાકાષ્ટા જોવા મળે છે. {{gap}}''' 'ગીતાંજલિ ’''' કવિવરનો શ્રેષ્ઠ કાવ્ય ગ્રંથ ગણાય છે. એમને ૧૯૧૩ માં ‘ નોબલ પ્રાઇઝ ' મળ્યું તે આ પુસ્તક માટે. એક રસિક માહિતી આ સબંધમાં એક જગ્યાએ જોવામાં આવી હતી કે કવિવર ટાગોરને જે વર્ષે 'નોબલ પ્રાઈઝ' મળ્યું, તે સમયે એના એક બીજા અધિકારી પ્રત્યે<noinclude>{{સ-મ| | | [५ }}</noinclude> f8lnbub37qhmdr6s8sdnt1jzgg7b0y9 પૃષ્ઠ:Gitanjali - Translation By Dhumketu 1928.pdf/૧૪ 104 73705 224385 224344 2026-09-02T17:16:40Z Amvaishnav 156 /* Proofread */ 224385 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{rule|height=2px}} {{rule|height=1px}}</noinclude>પણ દષ્ટિ પડી હતી. આ બીજા અધિકારીનું નામ ખલિલ જિબ્રાન. અને એનુ પુસ્તક The Prophet. {{gap}}''''કવિવર'''ને આ 'નોબલ પ્રાઈઝ' મળ્યુ તે પહેલાં જગદીશચંદ્ર બેઝે એમની કેટલીક વાતો અંગ્રેજીમાં ઉતારેલી. તે વખતે ઈંગ્લેંડમાં રહેલા પ્રિન્સ કોપોટીનના જોવામાં એ આવી. એ મુગ્ધ થઈ ગયા. એમણે એક અમેરિકન ગ્રંથવિક્રેતાને મોકલેલી. ત્યાંથી એવી નોંધ સાથે એ પાછી ફરી, કે લેખક ખાસ જાણીતા નથી, એટલે દિલગીર ! કવિવરને આપણા દેશે પણ મોડા પિછાન્યા હતા, તે યાદ રાખવા જેવું છે. {{gap}}'''કવિવર''' ટાગોરની આ ગીતાંજલિની પાછળ કવિહૃદયની જેવી તેવી વેદનાનો પ્રકાશ નથી. ગીતાંજિલનો જન્મ થયે એ વિષે કવિએ પેાતે જ એન્ડ્ર્યુઝ સાહેબને એક વખત કહ્યું હતુંઃ {{gap}}'I composed them in solitude during my sorrow, without any idea of publication.' {{gap}}'''આ''' જે sorrow-તે કવિવરનાં પત્નીનું મૃત્યુ. પુત્રીનું મૃત્યુ. પણ તે પછી, કોલેરાને લીધે તેમના સૌથી નાના પુત્રનું મૃત્યુ થયું તે. આ છેલ્લો ઘા અસહ્ય હતો. કવિવરે પોતાના એ પુત્રમાં 'શિષ્યાત્ પુત્રાત્ ઈચ્છેત્ પરાજયમ્' એવી કવિપ્રતિભા<noinclude>{{સ-મ|६ ] | | }}</noinclude> exs8340kg4db1wje1e2u64w1lkhuy04 સભ્યની ચર્ચા:Alkesh thakor 3 73733 224389 2026-09-03T11:50:58Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 224389 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Alkesh thakor}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૭:૨૦, ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ (IST) 5qddrkylfvi9f3o3bou5cx3rhoyyhum