અંજાર
From વિકિપીડિયા
અંજાર ભારતના ગુજરાત રાજ્યનું નાનું શહેર છે.કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. નજીકમાં પાણી ના સ્રોત ન હોવાને કારણે અંજાર ભૂમીગત સીંચાઈ પર નિર્ભર છે.
૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જીલ્લો તથા શહેર બ્રીટીશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષીક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રીટીશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રીટીશ હકુમત હેઠળ આવ્યું.
અધ્યતન ઇતિહાસનો ૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર અસરગ્રસ્ત થયું હતું.
આ લેખ ની કેટલીક માહિતી પબ્લિક ડોમેઇન જ્ઞાનકોષ 1911 Encyclopædia Britannica માંથી લેવાયેલી છે.