સુરત
From વિકિપીડિયા
સુરત | |
રાજ્ય - જીલ્લા |
ગુજરાત - સુરત |
અક્ષાંશ-રેખાંશ | |
વિસ્તાર - ઉંચાઇ |
૨૦૦ km² - ૧૩ m |
ટાઇમ ઝોન | IST (UTC+5:30) |
વસ્તી(૨૦૦૫) - ગીચતા |
૪૫,૦૫,૦૦૦ - ૧૮,૩૫૫ Persons/કીમી² |
મેયર | ડૉ. કનુભાઇ માવાણી |
કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૯૫ ૦xx - +૦૨૬૧ - GJ-05 |
સુરત દક્ષીણ ગુજરાતનું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.
Contents |
[ફેરફાર કરો] ઈતિહાસ
સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ અને ડાઈંગનો છે. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર મુગલ કાળમાં પહેલા પોર્ટુગાલીઓ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. પાછળથી મુંબઇ શહેરના વધતા વિકાસથી સુરતનું મહત્વ ઘટી રહ્યું. નદી કિનારે બંધાયેલ અંગ્રેજોની કોઠી (જે આજે પણ સરકારી કચેરીનુ કામ આપે છે) અને ગોટાલાવાડી પાસે આવેલ પોર્ટુગાલીઓનું કબ્રસ્તાન એ જમાનાની યાદ આપે છે.
[ફેરફાર કરો] ભૌગોલીક સ્થાન
સુરત તાપી નદીના કિનારે વસેલુ એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધો ના કારણે હાલનુ બંદર ખુબજ નાનુ થઈ ગયુ છે. જે હજીરા પાસે આવેલ છે.સુરતની આસપાસ ભરુચ, નર્મદા, નવસરી અને ડાંગ જીલ્લા આવેલા છે.જ્યારે પશ્ચિમમાં અરબ સાગર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭°ઉ.અક્ષાંશ અને ૭૨.૮૩°પૂ. રેખાંશ ઉપર આવેલ છે.
[ફેરફાર કરો] આઝાદી પછી
આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૧૯૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.પરંતુએસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું બીજા નબરનું સ્વચ્છ શહેર છે.
[ફેરફાર કરો] આજનું સુરત
૯૦ના દાયકામાં અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનીસીપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.
બીજીવાર (૧૧ ઓગસ્ટ ૨૦૦૬)અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હ્તુ.આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાસક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું.
કદાચ અંગ્રેજોની પહેલી કોઠીના સ્થાનને લીધે સુરતને આજે પણ એક સાવકા પુત્ર તરીકે રખાય છે. વર્ષૉથી ચાલતા અભિયાન છતાં શહેરી વ્યવસ્થા ઘણી ઓછી છે. અને આખા વિશ્વમાં ૩૦ લાખની વસ્તી વાળું સુરત એકજ એવું શહેર છે જ્યાં આજેય એરપોર્ટ નથી. હાલમાં ભારત સરકાર આ બાબતે સક્રિયપણે વિચારે છે. રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.
રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૨૨૮૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૨૧૯૯ છે. - સંદેશ
[ફેરફાર કરો] હવામાન
- શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ ૧૨° સેં.
- ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨° સેં., અલ્પતમ ૨૪° સેં.
- વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : ૯૩૧.૯ મીમી
[ફેરફાર કરો] વહિવટ
સુરતનો રાજકિય વહિવટ સુરત મહાનગર પાિલકા દ્વારા ચાલે છે.
સુરત મહાનગર પાિલ્કા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકામાં આવે છે.
સુરત મહાનગર પાિલકા
સુરત એરપોર્ટ
[ફેરફાર કરો] અન્ય વેબસાઈટો
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |