અશ્વિની ભટ્ટ
From વિકિપીડિયા
અશ્વિની ભટ્ટની નવલકથામાંથી થોડુંક
માણસ જ્યારે વેદનાની પરાકાષ્ટાની સીમા વટાવી જાય પછી એક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે દર્દ-વેદના નથી રહેતી, વેદના છે કે નહિ તેનો પણ કોઇ ખ્યાલ નથી રહેતો. માણસ માણસ નથી પણ જાણે તેનો આત્મા ઊભો રહે છે. -"નિરજા ભાર્ગવ"
તુ સમજી નહિ શકે, કારણ તુ પુરુષ છે અને અધિપત્ય સિવાય સ્ત્રીને જોવાની તમારા કોઈમાં શક્તિ નથી. સ્ત્રીને જો થોડાક મિત્રો રાખવાની, ક્યારેક ભૌતિક છૂટ લેવાની, અને ક્યારેક ભાઇ, પિતા કે પતિના સંબંધોથી પર થઇને કેવળ પુરુષ સંબંધ માણી લેવાની છૂટ હોય તો સમાજમાં લગ્ન વિચ્છેદ ન થાય. -"લજ્જા સન્યાલ"
સત્ય એ જ, આ વિચિત્ર દુનિયાનો મોટો ભ્રમ છે, છેતરપિંડીની એક સુજ્ઞ પરિભાષા છે. -"લજ્જા સન્યાલ"
પ્રેમ વિશ્વાસથી પર છે કે પછી વિશ્વાસ સુધી જ પ્રેમ મર્યાદિત છે ! -"શૈલજા સાગર"
જ્યારે તમે જીવ પર આવી જાવ છો ત્યારે હારવાની બીક ચાલી જાય છે. -"લજ્જા સન્યાલ"
અચલે એટલી જ સંલન્નતાથી ખોબલામાં મારા ગાલ લીધા હતા. શું કરવું તે મને સમજાતું ન હતું. કબૂતરની માફક મેં આંખો મીંચીં લીધી હતી. મારા હોઠ કાંપતા હતા. અચલનો ચહેરો મારી સમીપ આવતો હતો. ધીરેથી એના હોઠ મારા હોઠને અડ્યા હતા. ગુલાબની પાંદડીને સ્પર્શતો હોય તેમ તેણે મારા હોઠ સાથે તેના હોઠ ચાંપ્યા હતા. કોઇ અજબ માર્દવતાથી હું ભીંજાઇ રહી હતી. તેનો હાથ મારા વાળમાં ફરી રહ્યો. અનંગ આવેગથી તેણે ચુંબન કર્યુ. કોઇ વિસ્ફોટ થયો હોય તેમ હું ખસી ગઇ. અચલના ચહેરા પર સ્મિત રમતું હતુ. જમીન પર પડેલુ તણખલું લઇને ધરતી ખોતરવા સિવાય હું કરી પણ શું શકું ? ક્યાય સુધી અમે વાત પણ ન કરી. એ કોઇ આધ્યાત્મિક પળ હતી કે બેચેન ઘડી તે મને સમજાતું નહી. -"લજ્જા સન્યાલ"
ઊંઘમાં પણ તેના સુરેખ હોઠ પર એક પાવક સ્મિત જડાયેલુ હતુ. કેટલું નિર્મળ લાગતી હતી ! તેનું સ્મિત કેવું નાજુક અને નીતર્યુ હતુ ! હું નીચે વળ્યો. કોઇ મૂર્તિમંત, કોઇ શાશ્વત રહેનારી કલાકૃતિ જેવી તેના હોઠ પર ધીરેથી ચુંબન કર્યુ. કોમળ ચામડીનો સ્વાદ કેટલો અવર્ણનીય હતો, કારણ એ સ્વાદ સ્પર્શથી જ માણી શકાતો. -"શૈલજા સાગર"
પ્રેમ ક્શાથી મર્યાદિત નથી. પ્રેમ વિશ્વાસથી પર છે, પ્રેમ ચિરંતન છે... અસ્ખલિત છે... અનર્ગલ છે. -"શૈલજા સાગર"
તેના અવાજમાં નશો હતો. સંવેગની ભરતીથી ઉશ્કેરાયેલી ઓરતનો મને અનુભવ ન હતો તેવું કહું તો હું જુઠ્ઠો છું. મને તેના શરીરમાં, તેની આંખોમાં, મારાં શરીરને, મારાં અંગોને શોધતાં તેના હોઠોમાં એ ઉન્માદ દેખાયો. જો હું પોતે એ પળે આશકા-મય ન હોત તો મેં એને માણી હોત. -"આશકા માંડલ"
જીવનનું અસ્તિત્વ આનંદ અને અનુકંપા, સદ્ભાવ અને પ્રેમ, એ સ્વસંપન્ન માટે છે, એથી વિશેષ કંઇ નહિ.
દરેક સબંધમાં સીમાઓ હોય છે, પણ મૈત્રીમાં નહિ. મૈત્રી તો અમાપ અસીમ સંબંધ છે. તેમાં ક્યારેય ગણતરી નથી હોતી. હોય છે માત્ર 'કમીટમેન્ટ', સ્વેચ્છાએ સ્વીકારેલું કોઇ આચરણ્.. વચનબધ્ધતા... -"ફાંસલો"
પ્રેમ શું છે તે કોણ સમજી શક્યું છે કે વ્યાખ્યા કરી શક્યું છે? પ્રેમ શરીરનાં સંવેદનોથી જ થાય છે, પણ તેમાં લજ્જા ભળે છે. ઉત્ક્રાંતિથી તે સંસ્કાર સુધીની માનવવિકાસની યાત્રામાં પ્રેમ કેવળ પાશવી કે ઐહિક સંવેદનોમાં મર્યાદિત રહ્યો નથી. તેમાં પણ ઉત્ક્રાંતિ થઇ છે. અને તેથી જ સંકોચ અને વિવેકે પ્રેમને અદ્ભૂત સંવેગ બનાવ્યો છે. એ વિચિત્ર ન સમજાય તેવી અને કંઇક અંશે મૂર્ખતાભરી પરિસ્થિતી છે, તેમ કહુ તો ખોટુ નથી. પુરુષ અને સ્ત્રી બંને સમજે છે કે પ્રેમનું પરિણામ જિન્સી આવેગમાં આવે છે. એ સામીપ્યમાં, સાનિધ્યમાં અને છેવટે સંમિલનમાં પરિણમે છે. છતાં તેનો પૂર્વાલાપ એક વિશિષ્ટતા બની રહે છે.
આસંગ એ આરાધના છે. સર્જ્નાત્મક કર્મ છે. પ્રકૃતિક્રમની સહજ પ્રક્રિયા છે. ઉત્સર્પણ છે. જે લોકો તેને યજ્ઞ તરીકે પિછાણે છે તે જ તેના પાવિત્ર્યને સમજે છે. આ સમજ એ જ ખરો સંયમ છે. એ જ યમનિયમ છે. -"અંગાર"
જગતમાં પોતે જીવવું કે ન જીવવું તેનો નિર્ણય કરવાનો માણસનો અબાધિત અધિકાર હોવો જોઇએ. -"અંગાર"
પ્રેમની પરાકાષ્ટા શરીરના માધ્યમ વગર પામવી અશક્ય છે.
પ્રબુધ્ધતાનો માર્ગ ચિદાનંદ શક્ય છે અને સતચિત આનંદ કેવળ આસંગથી પ્રાપ્ત થાય છે. કારણ ત્યાં ઊર્જા અને ઊર્મિ, શક્તિ અને શરીર(પદાર્થ) એકરૂપ થાય તેવી પરાકાષ્ઠા સર્જાય છે. એ પરાકાષ્ઠાનો અહર્નિશ અનુભવ કરવાની એવી સ્થિતિએ પહોચવું કે જ્યારે શરીરનો ખપ ન રહે અને શરીર પોતે જ એક ઊર્જા બની રહે. -"અંગાર"
પ્રેમને, પ્રેમના આવેગને કોઇ સીમા નથી હોતી. સમય-અંતર કે સ્થળની મર્યાદા નથી હોતી. હજારો ફૂટ ઊંચે ઝૂમતાં સફેદ વાદળોની જેમ તેને કોઇ ગતિ નથી કે દિશા નથી. એ વાદળોની જેમ સ્વાયત્ત - સ્વચ્છંદ એ પરિસ્થિતિ છે જેમાં કેવળ ઉષ્મા જ અગત્યની હોય છે. ઉષ્મા અને સાનિધ્ય. પવનની લહેર સાથે ઉડતાં વાદળોની જેમ બસ હૈયું પણ હિલોળે ચડે છે. જ્યારે પુરુષ અને સ્ત્રી, નિતર્યું અસ્તિત્વ અનુભવે છે, સંવેગને શરીરમાં સાકાર થતો જુએ છે, એ ધ્વૈતમાંથી અધ્વૈતમાં જવાની કોઇ ક્રિયા-પ્રક્રિયા હશે ! પુરુષ અને પ્રકૃતિની આ માયા, શું અલૌકિક આ સર્જનનું મૂળ્ભૂત કારણ હશે ! -"ઓથાર"