ભરૂચ

From વિકિપીડિયા

Contents

[ફેરફાર કરો] ભરુચનો ઇતિહાસ :

નર્મદા નદિના તટ પર વસેલુ આ શહેર ઇસા પૂર્વે ૫૦૦ વર્ષૉ જૂનુ પ્રાચીન ઐતિહાસિક નગર છે. આ શહેર એ ગુજરાત રાજ્યનુ સૌથી પૌરાણિક જાણીતુ બંદર હતુ, જે આરબ તથા ઇથિયોપિઆના વ્યપારિયો પણ જાણતા હતા. અહિંથી ભારતના પસ્ચિમમા આવેલા તે સમયના રાજ્યો સાથે વ્યાપાર થતો હતો.

આ શહેરનુ પ્રાચીન નામ ભ્રુગુકચ્છ હતુ. જે ભ્રુગુઋષિના નામ પરથી પડે. જે પાછળથી ભડૌચ્ થયુ અને અત્યારે ભરુચ તરીકે જાણીતુ થયુ. ભરુચ શહેર એ ઇતિહાસમા જાણીતુ બંદર હતુ. અહી મોટા-મોટા વહાણૉ આવતા હતા. ભરુચથી દક્ષિણ ભારત તથા ઈજિપ્ત અને આરબ રાજ્યો સાથે વ્યાપાર થતો હતો.

[ફેરફાર કરો] ભરુચનુ સ્થાન :

ભરુચ શહેર 21.7deg N અને 72.9 deg W પર વસેલૂ છે. ભરુચ શહેર સમુદ્રની સપાટીથી ૧૫ ફૂટ ઊચાઈએ છે.

Image:Bharuchmap.gif


[ફેરફાર કરો] ભરુચ શહેરના માર્ગોનો નક્શો :

Image:Bharuch_map.GIF




[ફેરફાર કરો] ભરુચમા આવેલા જોવા લાયક સ્થાનો :

(૧) ગોલડન્ બી્જ

(૨) જામા મસ્જિદ્

(૩) જૂનો કિલ્લો Image:Bharuch-fort_2316.jpg

(૪) સ્વામિનારાયણ મન્દીર Image:Bharuch-swaminarayan-9.jpg


ગોલડન્ બી્જ : ભરુચ શહેરમા નર્મદા નદી પર અંગ્રેજોએ બનાવેલો પોલાદનો પૂલ છે. આ પૂલનુ નામ ગોલડન્ બી્જ છે. ગોલડન્ બી્જ ઇસ ૧૮૭૭ મા સર જોન હોક્શો ની રુપ્રેખા મુજબ તૈયાર કરવામા આવેલો. ઈસ્ ૧૮૮૧ ગોલડન્ બી્જ બનીને તૈયાર થઇ ગયો હતો. આ પૂલમા રીવૅટૅડ જોઇન્ટસ્નો ઉપયોગ થયેલો છે. હજૂ પણ આ પૂલ ખૂબજ શિક્તશાળી છે.અપૂરતી જાળવણીને કારણે તેના પર કાટ ચડવા લાગેલો છે. આ પૂલ હાલમા ફક્ત નાના વાહનો માટેજ વપરાય છે.

૬૫ મીટરના એક એવા ૧૫ ભાગ આખો ગોલડન્ બી્જ બનાવે છે. જેની કૂલ લમ્બાઈ ૯૭૫ મીટર છે.


[1]