ભારતના ભાગલા
From વિકિપીડિયા
૧૯૪૭ માં જ્યારે બ્રિટિશ ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારત ના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયા એ પાકિસ્તાન) અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયન (બાદમાં ભારત ગણરાજ્ય) ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારત ના પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે શ્રીલંકા) અને બર્મા (હવે મ્યાન્માર) ને પણ અલગ કરવામાં આવ્યું. પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી. નેપાલ અને ભૂતાન આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તન ની રસમ ૧૪ ઓગસ્ટે કરાચીમાં કરવામાં આવી જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઇસ માઉંટબૈટન કરાચી અને નવી દિલ્લી બન્ને જગ્યાની વિધીમાં ભાગ લઇ શકે. આથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતનો ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવે છે.
ભારતના વિભાજનથી કરોડ઼ોં લોકોને અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસા માં આશરે ૫ લાખ લોકો માર્યા ગયા, અને આશરે ૧.૪૫ કરોડ઼ શરણાર્થિઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશ માં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિન્દુ અને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા.
Contents |
[ફેરફાર કરો] પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો] ભાગલાની કી પ્રક્રિયા
[ફેરફાર કરો] સંપત્તિના ભાગલા
[ફેરફાર કરો] કોમી દંગલો
[ફેરફાર કરો] સ્થાળાંતર
[ફેરફાર કરો] શરણાર્થી
[ફેરફાર કરો] સાહિત્ય અને સિનેમામાં ભારતના ભાગલા
[ફેરફાર કરો] બાહ્ય કડિઓ
[ફેરફાર કરો] આ પણ જુઓ
[ફેરફાર કરો] ટીકા
[ફેરફાર કરો] સંદર્ભ
Categories: ભારત | ઇતિહાસ