નરસિંહ મહેતા
From વિકિપીડિયા
Image:"E:\Library Folder\narsinhmehta.jpg
નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતાં. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલ રચનાઓ માં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ પ્રિય હતું.
નરસિંહ મહેતા
“જળ કમળ છાંડી જાને બાળા….” ”રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી….” ”ઉઠોને જશોદાના જાયા….” ”મેહુલો ગાજે ને માધવ નાચે…” ”વારી જાઉં રે સુંદર શ્યામ! તારા લટકાને…” ”વૈષ્ણવ જન તો તેને કહીએ જે…..” ”જશોદા ! તારા કાનુડાને….” ”નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો…” ”અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ….” ”મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….” “ગિરી તળેટી ને કુંડ દામોદર…”
- જીવન ઝાંખી # રચનાઓ
______________________________________________
ઉપનામ નરસૈયો, આદ્યકવિ જન્મ આશરે – 1414 – જુનાગઢ અવસાન આશરે – 1480 કુટુમ્બ પિતા – કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ ?) વ્યવસાય ભજનિક, આખ્યાનકાર મૂખ્ય કૃતિઓ 1200 થી વધારે પદો ; આત્મકથાનક – પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ ; ભક્તિ પદો- સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા, ભાભીએ મહેણું મારતાં (?) અંતર જાગૃતિ થઇ , નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ, સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની, પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ, અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?) સન્માન ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ આપવામાં આવે છે