ભારત માં જાતિવાદ
From વિકિપીડિયા
ભારતની મોટાભાગની વસ્તી હિંદુ છે અને હિંદુ ધર્મ મુજબ તેઓ વિવિધ જાતિઓમાં વહેંચાયેલા છે. હિંદુ ધર્મની વિવિધ આધાર શિલામાંની એક વર્ણવ્યવસ્થા વૈદિક કાળથી ભારતમાં પળાતી આવી છે. સમય જતા આ વ્યવસ્થાએ ભેદનું સ્વરુપ લીધુ અને આજે તે વિકૃત પરિસ્થિતિમાં પળાય છે જેને લીધે લોકો વચ્ચે જાતિભેદ ઉભો થયો છે.
વર્ણવ્યવસ્થા મુજબ લોકોના કાર્ય મુજબ મુખ્ય ચાર જાતિઓ હતી - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. સેવાકીય કાર્ય કરતા લોકોની જાતિ શુદ્ર ગણવામાં આવતી જેમ કે - બાંધકામ, વાહનવ્યવહાર થી લઇને સાફસૂફી સુધીના બધાજ કામો. આજના સમાજમાં પણ એન્જીનીયરીંગ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનીકેશન વગેરે સેવાકીય (સર્વિસ ઓરિયેન્ટેડ) કાર્યો ગણાય છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ યુદ્ધ દરમિયાન ક્ષત્રિય સિવાયના સમાજની સ્થિરતા હતો. યુદ્ધ દરમિયાન ખેતીના પાકને નુકસાન કરવામાં આવતુ ન હતુ અને ક્ષત્રિયો સિવાયના લોકોને લડવા જવું પડતુ ન હતુ. સમય જતા ભારતની રાજકીય પરિસ્થિતિ વિદેશી આક્રમણકારોના હાથમાં આવી ત્યારે વર્ણવ્યવસ્થાનો પાયો ભાંગી પડયો અને બ્રાહ્મણ સૌથી ઉચ્ચ અને શુદ્ર સૌથી હલકી જાતિ ગણાવા માંડી. ધીમે ધીમે લોકો શુદ્રને ક્ષુદ્ર-તુચ્છ ગણવા માંડયા અને તેમનુ કાર્ય હલકુ ગણાવા માંડયુ.ત્યારબાદ જાતિ તથા અનુસૂચિત જાતિનાં ભેદભાવો જન્મ્યા.
આજના ભારતમાં પણ સૌથી વધુ લોકો શુદ્ર છે અને જાતિની ઊંચ-નીચતાનો શિકાર બનેલા છે.
Categories: સ્ટબ | ભારત | આંતરીક સમસ્યા