ચંદ્રકાંત બક્ષી

From વિકિપીડિયા

'ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી (આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકો માંના એક છે. તેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમના પહેલા અવસાન પામ્યા હતા) હતા. બક્ષીજીએ એમ.એ., એલ.એલ.બી. નો અભ્યાસ કર્યો હતો. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને અધ્યયન કર્યુ, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા. તેઓ મુંબઇના શેરીફ પદે પણ રહી ચૂક્યા હતા. તેમણે ૧૮૫થી વધુ કૃતિઓનું સર્જન કર્યુ છે. તેમની આત્મકથા બક્ષીનામા (૩ ભાગ) નામના ગ્રંથ તરીકે ભાગ પડી છે.

૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.

  • કેટલીક મહત્વની કડીઓ:

[1] http://sureshbjani.wordpress.com/2006/10/19/chandrakant-baxi/ [2] http://rdgujarati.wordpress.com/2006/03/26/nehal-mehta/ [3] http://www.rediff.com/gujarati/2002/jul/09baxi.htm [4] http://rdgujarati.wordpress.com/2006/04/19/riva-baxi/

બીજી ભાષાઓમાં