કનૈયાલાલ મુનશી
From વિકિપીડિયા
પુરું નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
ક.મા.મુનશી એ સત્યાગ્રહ ના સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતાં. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓ માં તેમના ઇતિહાસ ના રસ અને જ્ઞાન નો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે.
કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ મુનશી ગ્રંથાવલી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.
- "ગુજરાત નો નાથ"
- "પાટણની પ્રભુતા"
- "પૃથીવી વલ્લભ"
- કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૭
- "રાજાધિરાજ"
- "જય સોમનાથ"
- "ભગવાન કૌટિલ્ય"
- "ભગ્ન પાદુકા"
- "લોપામુદ્રા"
- "લોમહર્ષિણી"
- "ભગવાન પરશુરામ"
- "વેરની વસુલાત"
- "કોનો વાંક"
- "સ્વપ્નદ્રષ્ટા"
- "તપસ્વિની"
- "અડધે રસ્તે"
- "સીધાં ચઢાણ"
- "સ્વપ્નસિદ્ધિની શોધમાં"
- "પુરંદર પરાજય"
- "અવિભક્ત આત્મા"
- "તર્પણ"
- "પુત્રસમોવડી"
- "વાવા શેઠનું સ્વાતંત્ર્ય"
- "બે ખરાબ જણ"
- "આજ્ઞાંકિત"
- "ધ્રુવસંવામિનીદેવી"
- "સ્નેહસંભ્રમ"
- "ડૉ. મધુરિકા"
- "કાકાની શશી"
- "છીએ તે જ ઠીક"
- "બ્રહ્મચર્યાશ્રમ"
- "મારી બિનજવાબદાર કહાણી"
- "ગુજરાતની કીર્તિગાથા"
આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.
- "Gujarat & its Literature"
- "I Follow the Mahatma"
- "Early Aryans in Gujarat"
- "Akhand Hindustan"
- "The Aryans of the West Coast"
- "The Indian Deadlock"
- "The Imperial Gurjars"
- "Ruin that Britain Wrought"
- "Bhagavad Gita and Modern Life"
- "The Changing Shape of Indian Politics"
- "The Creative Art of LIfe"
- "Linguistic Provinces & Future of Bombay"
- "Gandhi : The Master"
- "Bhagavad Gita - An Approach"
- "The Gospel of the Dirty Hand"
- "Glory that was Gurjaradesh"
- "Our Greatest Need"
- "Saga of Indian Sculpture"
- "The End of an Era (Hyderabad Memories)"
- "Foundation of Indian Culture"
- "Reconstruction of Society through Trusteeship"
- "The World We Saw"
- "Warnings of History"
- "Gandhiji's Philosophy in Life and Action"